(નોંધ – પ્રસ્તુત લેખ જીતુભાઈ પંડ્યાનાં પુસ્તક સીધી વાતમાંથી લેવાયેલો છે. પુસ્તક ઘણાં સમય પહેલાં છપાયેલું છે. તેથી લેખમાંની વિગતોને સાંપ્રત સમય સાથે સાંકળવી નહીં.)
વૃદ્ધાવસ્થા એટલે તમે કમાતા બંધ થઈ જાવ અને તમારી બાંધી મૂડી પર તમારે જીવવાનું હોય. તમારી પાસે લાખો-કરોડોની બાંધી મૂડી હોઈ શકે છે. પણ હવે તેમાં કોઈ વધારો થવાનો અવકાશ નથી. હા વ્યાજ કે ભાડાની આવક એમાં ઉમેરાતી રહે. પણ તમારી પાસે હવે કોઈ નવી કમાણી આવવાની નથી.
વૃદ્ધાવસ્થા ત્યારે અકારી થઈ જાય છે, જ્યારે તમારું પેન્શન, વ્યાજ કે ભાડાની આવક તમારા રોજિંદા જરૂરી ખર્ચને પહોંચી શકે તેમ ન હોય.
તમે જયારે નિવૃત્ત થાવ છો, નોકરી-ધંધામાંથી ત્યારે જો તમારી પાસે કોઈ મોટી રકમ આવે છે, ત્યારે તમારાં પુત્ર-પુત્રી-વહુ-જમાઈને એમ હોય છે, કે આટલી બધી રકમમાંથી અમને પણ કાંઈ મળવું જોઈએ. છોકરાઓને નવો ધંધો કરવો હોય છે એટલે એ સ્વભાવિક રીતે બાપની મરણમૂડી તરફ આશા રાખીને બેઠા હોય છે. રિક્ષા લેવી છે, દુકાન લેવી છે, પરદેશ જવું છે, નવો ફ્લેટ લેવો છે ને બાપ તેમને મદદ કરે તેવી આશા લઈને તેઓ બેઠા હોય છે.
તો પહેલી સલાહ તો એ કે, જો તમારી પાસે ખપ પૂરતી જ મરણમૂડી હોય તો બેટાઓને તેમાંથી કાંઈ પણ આપવાનો સાફ ઇન્કાર કરજો. પણ જો જરૂર કરતાં વધારે એટલે કે આજના ભાવે ૫૦ લાખ કરતાં વધારે મરણમૂડી હોય, તો તેમાંથી બેટા-દીકરીઓને આપવા સામે વાંધો ન હોઈ શકે. પરંતુ બહુ કડવી સલાહ છે કે દીકરો-દીકરી તમારાં નાણાંથી જો કશું ખરીદે, તો તેવા ફ્લેટ, રિક્ષા, કાર, શો-રૂમ તમારા અને તમારાં પત્નીના જોઇન્ટ નામે જ ખરીદવાનો આગ્રહ રાખવો. જો તેઓ તમારા નામે ખરીદવા તૈયાર ના હોય તો તમે પણ નફ્ફટાઈથી નાણા આપવાની ના પાડી શકો છો.
માનો કે દીકરો એ રકમ કોઈ ધંધામાં રોકવા માંગે છે તો ધંધામાં ભાગીદાર ના થશો. કારણ કે કોઈ પણ સરકારી ફસામણીમાં કે ખોટની સ્થિતિમાં મુશ્કેલીમાં મુકાશો. તો આવી સ્થિતિમાં દીકરા પાસે પ્રોમીસરી નોટ, કોરા ચેક અને વકીલ પાસે તૈયાર કરાવેલું પાક્કું લખાણ કરાવીને તમારા નાણાં આપશો.
હવે જો આપની પાસે મરણમૂડીમાં ૧૨-૧૫ લાખની જ ડીપોઝિટ છે, અને તેમાંથી આવતા ૧૦-૧૨ હજારના વ્યાજમાં તમારું પૂરું થતું નથી અને ત્રણ દીકરા અને બે દીકરીઓ હોવા છતાં કોઈ તમને મદદ કરવા તૈયાર નથી, તો તમે તમારાં બધાં દીકરા-દીકરીઓને ઘેર જમવા બોલાવો અને નિરાંતે તેમની સામે આપની ફિક્સ ડીપોઝિટની પાવતીઓ મૂકો અને કહો કે મારી પાસે ૧૫ લાખની એફ.ડી. છે. હવે તમે પાંચે જણ મને ત્રણ-ત્રણ લાખ રૂપિયા રોકડા આપો. જેને ના આપવા હોય તે ના આપશો, પણ બેટાઓ તમે જેટલા લાખ રૂપિયા આપશો તેટલા લાખ ઉમેરીને હું નવી એફ.ડી. કરીશ, જેમાં વારસદારમાં તમારું નામ હશે. એટલે કે મહેન્દ્ર જો તમને ત્રણ લાખ રૂપિયા આપે તો તમારે તમારી એફ.ડી.માંથી ત્રણ લાખ ઉમેરીને નવી છ લાખની એફ.ડી. કરવાની, જેમાં વારસદાર તરીકે મહેન્દ્રનું નામ હોય. જે દીકરો-દીકરી એમ કહે, કે મારી પાસે તમને આપવાના પૈસા નથી તો તેમનું નામ એફ.ડી.ની વારસાઈમાં રાખવાનું નહીં. જો એક જ દીકરો કે દીકરી કહે કે હું જ પંદર લાખ આપું છું, તો નફ્ફટાઈથી બધાંને લટકતાં રાખીને, તમને પંદર લાખ રૂપિયા આપે તે દીકરા કે દીકરીને તમારી પંદર લાખની એફ.ડી. અને તેણે આપેલા ૧૫ લાખ એમ કુલ ૩૦ લાખની એફ.ડી.માં વારસદાર બનાવીને તેને મર્યા પછી ૩૦ લાખની એફ.ડી. આપી જવાની.
એટલે તમને સમજાયું કે તમારા પંદર લાખના ૩૦ લાખ રૂપિયા કેવી રીતે કરવાના? હવે આ ૩૦ લાખની એફ.ડી. પર ૨૫ હજાર મહિને વ્યાજ મળે એટલે ડોસા-ડોસીએ શાંતિથી જીવવાનું. હવે એકાદ વર્ષ થાય એટલે ફરી બધાંને જમવા બોલવાનાં અને પછી કહેવાનું કે હું રહું છું એ ફ્લેટ ૪૫ લાખનો છે. તમે બધાં ભેગા થઈને ૪૦ લાખ રૂપિયા આપો. જે મને ૪૦ લાખ આપશે તેને હું આ ફ્લેટ આપીને જઈશ અને હા આ ૪૦ લાખની એફ.ડી.માં પણ વારસદારમાં એ જ છોકરાનું નામ રાખીશ. એટલે જે દીકરો મને ૪૦ લાખ આપશે તેને અમારા મર્યા પછી લોટરી લાગશે. ૪૫ લાખનો ફ્લેટ એ વખતે ૬૫-૭૦ લાખનો થશે અને ૪૦ લાખની એફ.ડી. પણ તેને પાછી મળશે, એટલે ૪૦ લાખ રોકશે એને ૧ કરોડ રૂપિયા મળશે.
હવે આપે ૧૫ લાખની એફ,ડી ના ડબલ કરી ૩૦ લાખ કર્યા હતા અને હવે બીજી ૪૦ લાખની એફ.ડી. થશે. મહિને ૬૦ હજાર વ્યાજના મળે, તો પછી કરો ને તાગડધીન્ના.
જો તમારી પાસે એફ.ડી. પણ નથી કે નથી ફ્લેટ, તો ગરીબીમાં પીસાવાને બદલે તમામ દીકરા-દીકરીઓ સામે સી.આર.પી.સી.ની કલમ ૧૨૫ પ્રમાણે દસ-દસ હજારનું ભરણપોષણ માંગો અને રોદણાં રડતાં જીવવાને બદલે આનંદથી જીવજો.
આપણે ‘કળિયુગનાં છોકરાં-કળિયુગનાં છોકરાં’નો કકળાટ કરવા પડે, તેને બદલે છોકરાં ભલે કહેતાં, કે ‘કળિયુગનાં મા-બાપ-કળિયુગનાં મા-બાપ.”
(નોંધ – પ્રસ્તુત લેખ જીતુભાઈ પંડ્યાનાં પુસ્તક સીધી વાતમાંથી લેવાયેલો છે. પુસ્તક ઘણાં સમય પહેલાં છપાયેલું છે. તેથી લેખમાંની વિગતોને સાંપ્રત સમય સાથે સાંકળવી નહીં.)
વૃદ્ધાવસ્થા એટલે તમે કમાતા બંધ થઈ જાવ અને તમારી બાંધી મૂડી પર તમારે જીવવાનું હોય. તમારી પાસે લાખો-કરોડોની બાંધી મૂડી હોઈ શકે છે. પણ હવે તેમાં કોઈ વધારો થવાનો અવકાશ નથી. હા વ્યાજ કે ભાડાની આવક એમાં ઉમેરાતી રહે. પણ તમારી પાસે હવે કોઈ નવી કમાણી આવવાની નથી.
વૃદ્ધાવસ્થા ત્યારે અકારી થઈ જાય છે, જ્યારે તમારું પેન્શન, વ્યાજ કે ભાડાની આવક તમારા રોજિંદા જરૂરી ખર્ચને પહોંચી શકે તેમ ન હોય.
તમે જયારે નિવૃત્ત થાવ છો, નોકરી-ધંધામાંથી ત્યારે જો તમારી પાસે કોઈ મોટી રકમ આવે છે, ત્યારે તમારાં પુત્ર-પુત્રી-વહુ-જમાઈને એમ હોય છે, કે આટલી બધી રકમમાંથી અમને પણ કાંઈ મળવું જોઈએ. છોકરાઓને નવો ધંધો કરવો હોય છે એટલે એ સ્વભાવિક રીતે બાપની મરણમૂડી તરફ આશા રાખીને બેઠા હોય છે. રિક્ષા લેવી છે, દુકાન લેવી છે, પરદેશ જવું છે, નવો ફ્લેટ લેવો છે ને બાપ તેમને મદદ કરે તેવી આશા લઈને તેઓ બેઠા હોય છે.
તો પહેલી સલાહ તો એ કે, જો તમારી પાસે ખપ પૂરતી જ મરણમૂડી હોય તો બેટાઓને તેમાંથી કાંઈ પણ આપવાનો સાફ ઇન્કાર કરજો. પણ જો જરૂર કરતાં વધારે એટલે કે આજના ભાવે ૫૦ લાખ કરતાં વધારે મરણમૂડી હોય, તો તેમાંથી બેટા-દીકરીઓને આપવા સામે વાંધો ન હોઈ શકે. પરંતુ બહુ કડવી સલાહ છે કે દીકરો-દીકરી તમારાં નાણાંથી જો કશું ખરીદે, તો તેવા ફ્લેટ, રિક્ષા, કાર, શો-રૂમ તમારા અને તમારાં પત્નીના જોઇન્ટ નામે જ ખરીદવાનો આગ્રહ રાખવો. જો તેઓ તમારા નામે ખરીદવા તૈયાર ના હોય તો તમે પણ નફ્ફટાઈથી નાણા આપવાની ના પાડી શકો છો.
માનો કે દીકરો એ રકમ કોઈ ધંધામાં રોકવા માંગે છે તો ધંધામાં ભાગીદાર ના થશો. કારણ કે કોઈ પણ સરકારી ફસામણીમાં કે ખોટની સ્થિતિમાં મુશ્કેલીમાં મુકાશો. તો આવી સ્થિતિમાં દીકરા પાસે પ્રોમીસરી નોટ, કોરા ચેક અને વકીલ પાસે તૈયાર કરાવેલું પાક્કું લખાણ કરાવીને તમારા નાણાં આપશો.
હવે જો આપની પાસે મરણમૂડીમાં ૧૨-૧૫ લાખની જ ડીપોઝિટ છે, અને તેમાંથી આવતા ૧૦-૧૨ હજારના વ્યાજમાં તમારું પૂરું થતું નથી અને ત્રણ દીકરા અને બે દીકરીઓ હોવા છતાં કોઈ તમને મદદ કરવા તૈયાર નથી, તો તમે તમારાં બધાં દીકરા-દીકરીઓને ઘેર જમવા બોલાવો અને નિરાંતે તેમની સામે આપની ફિક્સ ડીપોઝિટની પાવતીઓ મૂકો અને કહો કે મારી પાસે ૧૫ લાખની એફ.ડી. છે. હવે તમે પાંચે જણ મને ત્રણ-ત્રણ લાખ રૂપિયા રોકડા આપો. જેને ના આપવા હોય તે ના આપશો, પણ બેટાઓ તમે જેટલા લાખ રૂપિયા આપશો તેટલા લાખ ઉમેરીને હું નવી એફ.ડી. કરીશ, જેમાં વારસદારમાં તમારું નામ હશે. એટલે કે મહેન્દ્ર જો તમને ત્રણ લાખ રૂપિયા આપે તો તમારે તમારી એફ.ડી.માંથી ત્રણ લાખ ઉમેરીને નવી છ લાખની એફ.ડી. કરવાની, જેમાં વારસદાર તરીકે મહેન્દ્રનું નામ હોય. જે દીકરો-દીકરી એમ કહે, કે મારી પાસે તમને આપવાના પૈસા નથી તો તેમનું નામ એફ.ડી.ની વારસાઈમાં રાખવાનું નહીં. જો એક જ દીકરો કે દીકરી કહે કે હું જ પંદર લાખ આપું છું, તો નફ્ફટાઈથી બધાંને લટકતાં રાખીને, તમને પંદર લાખ રૂપિયા આપે તે દીકરા કે દીકરીને તમારી પંદર લાખની એફ.ડી. અને તેણે આપેલા ૧૫ લાખ એમ કુલ ૩૦ લાખની એફ.ડી.માં વારસદાર બનાવીને તેને મર્યા પછી ૩૦ લાખની એફ.ડી. આપી જવાની.
એટલે તમને સમજાયું કે તમારા પંદર લાખના ૩૦ લાખ રૂપિયા કેવી રીતે કરવાના? હવે આ ૩૦ લાખની એફ.ડી. પર ૨૫ હજાર મહિને વ્યાજ મળે એટલે ડોસા-ડોસીએ શાંતિથી જીવવાનું. હવે એકાદ વર્ષ થાય એટલે ફરી બધાંને જમવા બોલવાનાં અને પછી કહેવાનું કે હું રહું છું એ ફ્લેટ ૪૫ લાખનો છે. તમે બધાં ભેગા થઈને ૪૦ લાખ રૂપિયા આપો. જે મને ૪૦ લાખ આપશે તેને હું આ ફ્લેટ આપીને જઈશ અને હા આ ૪૦ લાખની એફ.ડી.માં પણ વારસદારમાં એ જ છોકરાનું નામ રાખીશ. એટલે જે દીકરો મને ૪૦ લાખ આપશે તેને અમારા મર્યા પછી લોટરી લાગશે. ૪૫ લાખનો ફ્લેટ એ વખતે ૬૫-૭૦ લાખનો થશે અને ૪૦ લાખની એફ.ડી. પણ તેને પાછી મળશે, એટલે ૪૦ લાખ રોકશે એને ૧ કરોડ રૂપિયા મળશે.
હવે આપે ૧૫ લાખની એફ,ડી ના ડબલ કરી ૩૦ લાખ કર્યા હતા અને હવે બીજી ૪૦ લાખની એફ.ડી. થશે. મહિને ૬૦ હજાર વ્યાજના મળે, તો પછી કરો ને તાગડધીન્ના.
જો તમારી પાસે એફ.ડી. પણ નથી કે નથી ફ્લેટ, તો ગરીબીમાં પીસાવાને બદલે તમામ દીકરા-દીકરીઓ સામે સી.આર.પી.સી.ની કલમ ૧૨૫ પ્રમાણે દસ-દસ હજારનું ભરણપોષણ માંગો અને રોદણાં રડતાં જીવવાને બદલે આનંદથી જીવજો.
આપણે ‘કળિયુગનાં છોકરાં-કળિયુગનાં છોકરાં’નો કકળાટ કરવા પડે, તેને બદલે છોકરાં ભલે કહેતાં, કે ‘કળિયુગનાં મા-બાપ-કળિયુગનાં મા-બાપ.”