ગયા અઠવાડિયે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલાં પૂજા ધિલ્લોનના વીડિયોએ આજે ફરી એક વખત પશુ ક્રૂરતા અંગે વિચાર કરવા માટે આપણને મજબૂર કરી દીધા છે. એક છોકરી, ફક્ત પોતાના નિજાનંદ અને સોશિયલ મીડિયા પર ફૉલોઅર્સ વધારવા માટે ગલૂડિયાંને પોતાના સેન્ડલની અણીદાર હીલ નીચે કચડીને મારી નાંખે છે, અને ભારતીયોના પેટનું પાણી સુદ્ધાં નથી હલતું! સુશાંતના કેસમાં કાગારોળ કરનારા આંદોલનકારીઓને કદાચ નિર્દોષ પશુની નિર્મમ હત્યા સાથે કોઈ સંબંધ નથી લાગતો! અબોલ, અબુધ જીવ પ્રત્યે માનવતા દાખવવાની જરૂર નથી, એવું કયા ગ્રંથમાં લખ્યું છે?
[caption id="attachment_1721" align="aligncenter" width="2051"] A2FP81 Rare studio photograph of Mahatma Gandhi taken in London England UK at the request of Lord Irwin 1931[/caption]
‘કોઈ વિકસિત રાષ્ટ્રની સાચી ઓળખ કરવી હોય, તો એ રાષ્ટ્રના નાગરિકો પશુ-પ્રાણી તથા અન્ય જીવો સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરે છે એ જાણી લેવું જોઈએ.’
- મહાત્મા ગાંધી
ભારત એક એવો દેશ... જ્યાં ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે પશુઓનું ખાસ મહત્વ છે. અહી લોકો હાથીને ગણપતિજીનું સ્વરૂપ માનીને પૂજે છે, તો વાનરને હનુમાનજી સ્વરૂપે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, માછલીને અન્ન ખવડાવવાથી અથવા કીડીને કીડિયારું પૂરવાથી અનેક મુશ્કેલીમાંથી ઉગરી શકાય છે. હિન્દુ ધર્મ અનુસાર, આજે પણ દરેક ઘરમાં પહેલી રોટલી ગાયની અને છેલ્લી રોટલી શ્વાનની બનાવવામાં આવે છે.
જે દેશમાં પશુઓનું આટલું મહત્વ રહેલું છે, તે દેશમાં પશુઓની રક્ષા તેમજ કાનૂન માટે લડવું પડે તે આઘાતજનક વાત છે. મહાત્મા ગાંધીએ આ વિશે કહ્યું છે કે, કોઈ વિકસિત રાષ્ટ્રની સાચી ઓળખ જાણવી હોય તો એ રાષ્ટ્રના લોકો પશુ સાથે કેવો વ્યવહાર કરે છે તે જાણવું જોઈએ.
સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક પશુ હિંસાના વીડિયો વાયરલ થતાં જોવા મળે છે, જેમાં કોઈ શ્વાનને રસ્તા પર ફેંકતું જોવા મળે તો કોઈ ફક્ત ઈન્સ્ટાગ્રામ જેવી એપ પર પોતાના ફોલોઅર્સ વધારવા માટે બિલાડીને જીવતી સળગાવી દેવાના વીડિયો પોસ્ટ કરે છે. કોઈ સરકસમાં પ્રાણીઓ પર અત્યાચાર ગુજારતા જોવા મળે છે. પૂજા ધિલ્લોન તો આ પ્રકારે જીવતી ક્રૂર માનવ-પ્રજાતિનું પ્રતિબિંબ માત્ર છે. આવા તો કેટલાય ભર્યા છે સમાજમાં, જેમણે ફક્ત પશુને જ નહીં પણ પોતાની માનવતાને પણ પગ નીચે કચડીને મારી નાંખી છે.
હિંસાને ધર્મ સાથે જોડતા વિષયની વાત કરીએ તો, આજે પણ બકરા કાપવા જેવા રિવાજોના કારણે અનેક પ્રાણીઓ જીવ ગુમાવે છે. મહારાષ્ટ્રમાં એક પ્રથા અનુસાર બળદોને દોડાવવામાં આવે છે. આ હરીફાઈમાં ભાગ લેતા બળદોને અમુક દિવસ સુધી ભૂખ્યા રાખવામાં આવે છે. દોડની શરૂઆત કરતા પહેલા તેના નાકમાં આંગળી ભરાવી ગુસ્સે કરવામાં આવે છે. વધુ પીડા આપવા માટે ખીલ્લાનો સહારો લેવામાં આવે છે, જેથી દર્દના કારણે તેઓ જલ્દી ભાગે અને સ્પર્ધક વિજેતા બની શકે!
કેરળમાં અંબા નામની ગર્ભવતી હાથણીએ ફટાકડાંને કારણે પોતાનો જીવ ગુમાવ્યો, એને ઝાઝો સમય નથી થયો. આપણે વિસ્તૃતમાં એ વિશે વાત કરી ચૂક્યા છીએ, માટે પુનરાવર્તન કરવાનો કોઈ અર્થ નથી. આ ઘટનાએ દેશના દરેક નાગરિક, સંસ્થાઓ અને સરકારને પશુ હિંસા પર વિચાર કરવા તેમજ સખ્ત કાનૂન બનાવવા માટે મજબૂર કરી દીધા છે. આ બનાવ જોતા સવાલ થાય છે, નિર્ણય લેવામાં આટલું મોડું કેમ? દેશને આઝાદી મળ્યા બાદ વર્ષ 1960 દરમિયાન સંવિધાનની ધારા હેઠળ પશુ સાથે હિંસા કરનાર વ્યક્તિને ફક્ત 50 રૂપિયા દંડ ફટકારવામાં આવે છે. એ સમય બાદ આજે પણ આ જ દંડ વસૂલ કરવાની પ્રથા યથાવત છે. શું આ યોગ્ય છે? શું પશુઓના જીવ ની કિંમત માત્ર અને માત્ર એક વેફરના પેકેટ જેટલી જ સસ્તી છે?
હવે સરકાર આ વિશે સતર્ક બની રહી છે. વિદેશમાં અને ભારતમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના નાગરિક સુધી સંદેશો પહોંચાડવા માટે મોરને પોતાના હાથથી દાણા આપતો વીડિયો વાઇરલ કર્યો હતો. અમેરિકામાં વ્હાઇટ હાઉસમાં રહેતા દરેક નેતા શ્વાન પાળી રહ્યા છે. નેતાઓની સાથે ફિલ્મ સ્ટાર પણ સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ કરતા રહે છે. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટ ટીમ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ પણ જણાવ્યુ હતું કે, તેમના ઘરમાં શ્વાન સાથે પરિવારના સદસ્યની જેમ જ વ્યવહાર કરવામાં આવે છે.
પશુઓની સાથે હિંસા આચરી એમને મોતને ઘાટ ઉતારી દેતા ક્રૂર લોકો સમાજ માટે પણ ખતરો બનીને ઊભા છે. જે પશુઓનો જીવ લેતા નથી ડરતા, તેમના માટે માનવીનો જીવ લેવો તે પણ એક રમત વાત છે, એમ સમજવું જરાય ભૂલભરેલું નથી. પશુ હિંસા માટે એટલા સખ્ત કાયદાઓ ઘડવા જોઈએ કે, આ વિશે વિચાર કરતા પણ લોકો કંપી ઉઠે. કેનેડામાં 58% લોકો તે જ પોલિટિકલ પાર્ટીને વોટ આપે છે, જે પશુ સુરક્ષા અંગે સખ્ત કાનૂન બનાવે છે.
[caption id="attachment_1490" align="aligncenter" width="864"] (Watch Gujaratના સમાચારોનાં વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માંગતા હોવ તો... ઉપરની તસવીર પર ક્લિક કરો) [/caption]
પશુ વેપાર પર પ્રતિબંધ મુકવાની ઇચ્છા મુજબ, ઈ-કોમર્સ પોર્ટલ OLX ઇન્ડિયાએ તેની વેબસાઇટ પરથી તમામ પ્રાણીઓની સૂચિને દૂર કરી દીધી છે. OLX ઇન્ડિયાના આ પ્રશંસનીય પગલાંને ‘પેટા’ ઇન્ડિયા, રાજ્યના તમામ પશુ કલ્યાણ બોર્ડ અથવા પશુપાલન વિભાગ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અને ભારતીય પશુ કલ્યાણ બોર્ડ સહિતની સંસ્થાઓ દ્વારા વધાવી લેવામાં આવ્યું છે.
‘પેટા ઇન્ડિયા’ કોર્પોરેટ લાઇઝન મલ્લિકા રોયે જણાવ્યું હતું કે, જ્યારે ઇ-રિટેલરો દ્વારા પ્રાણીની ખરીદી કરવામાં આવે છે, ત્યારે એમાંના નબળા જીવોને ઘણી આકરી કિંમત ચૂકવવી પડતી હોય છે. OLX ઇન્ડિયાએ જીવંત પ્રાણીની સૂચિ પર પ્રતિબંધ મૂકીને કરૂણા દર્શાવી છે અને ક્વિકર (બીજી ઇ-કોમર્સ વેબસાઇટ)એ આ પગલું ઉઠાવવા માટેનો સમય પાકી ગયો છે. દર વખતે જ્યારે કોઈ સંવર્ધક અથવા પાલતુ સ્ટોર અથવા ગ્રાહક ઓનલાઇન આવીને કોઈ શ્વાન તથા બિલાડી ખરીદે છે, ત્યારે જે જરૂરિયાતમંદ પ્રાણી શેરીમાં ફરતો હોય છે અથવા આશ્રયમાં રાહ જોતો હોય છે, તે ઘર મેળવવાની તક ગુમાવે છે.
અનિચ્છનીય પ્રાણીઓને ઘણીવાર શેરીમાં ત્યજી દેવામાં આવે છે, જ્યાં તેઓ જીવવા માટે સંઘર્ષ કરે છે. તેમાંથી ઘણા ભૂખ્યા રહ્યા છે, ઇરાદાપૂર્વક ઘાયલ કરાયા છે, માર્યા ગયા છે, વાહનો દ્વારા અથડાયા છે અથવા એમની સાથે અન્ય રીતે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. આ પ્રકારના અસંખ્ય ઉદાહરણો આપણી સામે આવતાં રહે છે. ‘પેટા ઈન્ડિયા’એ તેના પત્રોમાં ધ્યાન દોર્યું હતું કે, મોટાભાગના પાલતુ સ્ટોર્સ અને શ્વાન સંવર્ધકો નિયમો અનુસાર નોંધાયેલા નથી. તેઓ પ્રાણીઓના ઓનલાઇન વેપાર દ્વારા પ્રાણીઓની સુરક્ષાના નિયમોને સરળતાથી અવગણવામાં સક્ષમ છે અને આ અનિયંત્રિત કામગીરી પશુઓ સાથેના દુર્વ્યવહાર અને ઉપેક્ષા માટેનું મુખ્ય કારણ બને છે.
ક્વીકર પર પ્રદર્શિત પ્રાણીઓમાં ઇદ પહેલા બકરાનો સમાવેશ થતો હતો, કૂકડાનો ઉપયોગ ગેરકાયદેસર લડત માટે, વંશાવલિ કુતરાઓ અને અન્ય પ્રાણીઓ કે જેને દત્તક લેવા માટેની યાદીમાં ઉમેરવામાં આવ્યા હતાં! વાસ્તવમાં પ્રાણીઓને દત્તક આપવાની સુવિધા માટે ક્વિકર કોઈપણ ‘એનિમલ પ્રોટેક્શન NGO’ સાથે સંપર્કમાં નથી. OLXની માફક ક્વીકર પણ પ્રાણીના ઑનલાઇન વ્યાપાર પર પ્રતિબંધ લગાવશે કે નહીં એ તો સમય જ જણાવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશી કૂતરાની પ્રજાતિ પાળવાને બદલે ભારતની અલગ અલગ પ્રજાતિના કૂતરા પાળવાની વાતચીત ‘મન કી બાત’ કાર્યક્રમમાં કરી. અલબત્ત, એને ભારતીય સમાજે આક્રોશમાં આવીને ભયંકર ડિસ-લાઇક્સ પધરાવી દીધાં. આ મુદ્દો દેશના અર્થતંત્રની તોલે આવી શકે એટલો ગંભીર ભલે ન લાગતો હોય, પરંતુ હકીકત એ છે કે, મૂંગા જીવોના પ્રાણ માટે આપણા દિલમાં પેદા થઈ રહેલી નિષ્ઠુરતા ભયજનક છે. સ્વસ્થ અને સુદ્રઢના નિર્માણ માટે તે બાધારૂપ અને ચિંતા નીપજાવે તેવી છે.
bhattparakh@yahoo.com
યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ (9726525772)
યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.
ગયા અઠવાડિયે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલાં પૂજા ધિલ્લોનના વીડિયોએ આજે ફરી એક વખત પશુ ક્રૂરતા અંગે વિચાર કરવા માટે આપણને મજબૂર કરી દીધા છે. એક છોકરી, ફક્ત પોતાના નિજાનંદ અને સોશિયલ મીડિયા પર ફૉલોઅર્સ વધારવા માટે ગલૂડિયાંને પોતાના સેન્ડલની અણીદાર હીલ નીચે કચડીને મારી નાંખે છે, અને ભારતીયોના પેટનું પાણી સુદ્ધાં નથી હલતું! સુશાંતના કેસમાં કાગારોળ કરનારા આંદોલનકારીઓને કદાચ નિર્દોષ પશુની નિર્મમ હત્યા સાથે કોઈ સંબંધ નથી લાગતો! અબોલ, અબુધ જીવ પ્રત્યે માનવતા દાખવવાની જરૂર નથી, એવું કયા ગ્રંથમાં લખ્યું છે?
[caption id="attachment_1721" align="aligncenter" width="2051"] A2FP81 Rare studio photograph of Mahatma Gandhi taken in London England UK at the request of Lord Irwin 1931[/caption]
‘કોઈ વિકસિત રાષ્ટ્રની સાચી ઓળખ કરવી હોય, તો એ રાષ્ટ્રના નાગરિકો પશુ-પ્રાણી તથા અન્ય જીવો સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરે છે એ જાણી લેવું જોઈએ.’
- મહાત્મા ગાંધી
ભારત એક એવો દેશ... જ્યાં ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે પશુઓનું ખાસ મહત્વ છે. અહી લોકો હાથીને ગણપતિજીનું સ્વરૂપ માનીને પૂજે છે, તો વાનરને હનુમાનજી સ્વરૂપે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, માછલીને અન્ન ખવડાવવાથી અથવા કીડીને કીડિયારું પૂરવાથી અનેક મુશ્કેલીમાંથી ઉગરી શકાય છે. હિન્દુ ધર્મ અનુસાર, આજે પણ દરેક ઘરમાં પહેલી રોટલી ગાયની અને છેલ્લી રોટલી શ્વાનની બનાવવામાં આવે છે.
જે દેશમાં પશુઓનું આટલું મહત્વ રહેલું છે, તે દેશમાં પશુઓની રક્ષા તેમજ કાનૂન માટે લડવું પડે તે આઘાતજનક વાત છે. મહાત્મા ગાંધીએ આ વિશે કહ્યું છે કે, કોઈ વિકસિત રાષ્ટ્રની સાચી ઓળખ જાણવી હોય તો એ રાષ્ટ્રના લોકો પશુ સાથે કેવો વ્યવહાર કરે છે તે જાણવું જોઈએ.
સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક પશુ હિંસાના વીડિયો વાયરલ થતાં જોવા મળે છે, જેમાં કોઈ શ્વાનને રસ્તા પર ફેંકતું જોવા મળે તો કોઈ ફક્ત ઈન્સ્ટાગ્રામ જેવી એપ પર પોતાના ફોલોઅર્સ વધારવા માટે બિલાડીને જીવતી સળગાવી દેવાના વીડિયો પોસ્ટ કરે છે. કોઈ સરકસમાં પ્રાણીઓ પર અત્યાચાર ગુજારતા જોવા મળે છે. પૂજા ધિલ્લોન તો આ પ્રકારે જીવતી ક્રૂર માનવ-પ્રજાતિનું પ્રતિબિંબ માત્ર છે. આવા તો કેટલાય ભર્યા છે સમાજમાં, જેમણે ફક્ત પશુને જ નહીં પણ પોતાની માનવતાને પણ પગ નીચે કચડીને મારી નાંખી છે.
હિંસાને ધર્મ સાથે જોડતા વિષયની વાત કરીએ તો, આજે પણ બકરા કાપવા જેવા રિવાજોના કારણે અનેક પ્રાણીઓ જીવ ગુમાવે છે. મહારાષ્ટ્રમાં એક પ્રથા અનુસાર બળદોને દોડાવવામાં આવે છે. આ હરીફાઈમાં ભાગ લેતા બળદોને અમુક દિવસ સુધી ભૂખ્યા રાખવામાં આવે છે. દોડની શરૂઆત કરતા પહેલા તેના નાકમાં આંગળી ભરાવી ગુસ્સે કરવામાં આવે છે. વધુ પીડા આપવા માટે ખીલ્લાનો સહારો લેવામાં આવે છે, જેથી દર્દના કારણે તેઓ જલ્દી ભાગે અને સ્પર્ધક વિજેતા બની શકે!
કેરળમાં અંબા નામની ગર્ભવતી હાથણીએ ફટાકડાંને કારણે પોતાનો જીવ ગુમાવ્યો, એને ઝાઝો સમય નથી થયો. આપણે વિસ્તૃતમાં એ વિશે વાત કરી ચૂક્યા છીએ, માટે પુનરાવર્તન કરવાનો કોઈ અર્થ નથી. આ ઘટનાએ દેશના દરેક નાગરિક, સંસ્થાઓ અને સરકારને પશુ હિંસા પર વિચાર કરવા તેમજ સખ્ત કાનૂન બનાવવા માટે મજબૂર કરી દીધા છે. આ બનાવ જોતા સવાલ થાય છે, નિર્ણય લેવામાં આટલું મોડું કેમ? દેશને આઝાદી મળ્યા બાદ વર્ષ 1960 દરમિયાન સંવિધાનની ધારા હેઠળ પશુ સાથે હિંસા કરનાર વ્યક્તિને ફક્ત 50 રૂપિયા દંડ ફટકારવામાં આવે છે. એ સમય બાદ આજે પણ આ જ દંડ વસૂલ કરવાની પ્રથા યથાવત છે. શું આ યોગ્ય છે? શું પશુઓના જીવ ની કિંમત માત્ર અને માત્ર એક વેફરના પેકેટ જેટલી જ સસ્તી છે?
હવે સરકાર આ વિશે સતર્ક બની રહી છે. વિદેશમાં અને ભારતમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના નાગરિક સુધી સંદેશો પહોંચાડવા માટે મોરને પોતાના હાથથી દાણા આપતો વીડિયો વાઇરલ કર્યો હતો. અમેરિકામાં વ્હાઇટ હાઉસમાં રહેતા દરેક નેતા શ્વાન પાળી રહ્યા છે. નેતાઓની સાથે ફિલ્મ સ્ટાર પણ સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ કરતા રહે છે. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટ ટીમ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ પણ જણાવ્યુ હતું કે, તેમના ઘરમાં શ્વાન સાથે પરિવારના સદસ્યની જેમ જ વ્યવહાર કરવામાં આવે છે.
પશુઓની સાથે હિંસા આચરી એમને મોતને ઘાટ ઉતારી દેતા ક્રૂર લોકો સમાજ માટે પણ ખતરો બનીને ઊભા છે. જે પશુઓનો જીવ લેતા નથી ડરતા, તેમના માટે માનવીનો જીવ લેવો તે પણ એક રમત વાત છે, એમ સમજવું જરાય ભૂલભરેલું નથી. પશુ હિંસા માટે એટલા સખ્ત કાયદાઓ ઘડવા જોઈએ કે, આ વિશે વિચાર કરતા પણ લોકો કંપી ઉઠે. કેનેડામાં 58% લોકો તે જ પોલિટિકલ પાર્ટીને વોટ આપે છે, જે પશુ સુરક્ષા અંગે સખ્ત કાનૂન બનાવે છે.
પશુ વેપાર પર પ્રતિબંધ મુકવાની ઇચ્છા મુજબ, ઈ-કોમર્સ પોર્ટલ OLX ઇન્ડિયાએ તેની વેબસાઇટ પરથી તમામ પ્રાણીઓની સૂચિને દૂર કરી દીધી છે. OLX ઇન્ડિયાના આ પ્રશંસનીય પગલાંને ‘પેટા’ ઇન્ડિયા, રાજ્યના તમામ પશુ કલ્યાણ બોર્ડ અથવા પશુપાલન વિભાગ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અને ભારતીય પશુ કલ્યાણ બોર્ડ સહિતની સંસ્થાઓ દ્વારા વધાવી લેવામાં આવ્યું છે.
‘પેટા ઇન્ડિયા’ કોર્પોરેટ લાઇઝન મલ્લિકા રોયે જણાવ્યું હતું કે, જ્યારે ઇ-રિટેલરો દ્વારા પ્રાણીની ખરીદી કરવામાં આવે છે, ત્યારે એમાંના નબળા જીવોને ઘણી આકરી કિંમત ચૂકવવી પડતી હોય છે. OLX ઇન્ડિયાએ જીવંત પ્રાણીની સૂચિ પર પ્રતિબંધ મૂકીને કરૂણા દર્શાવી છે અને ક્વિકર (બીજી ઇ-કોમર્સ વેબસાઇટ)એ આ પગલું ઉઠાવવા માટેનો સમય પાકી ગયો છે. દર વખતે જ્યારે કોઈ સંવર્ધક અથવા પાલતુ સ્ટોર અથવા ગ્રાહક ઓનલાઇન આવીને કોઈ શ્વાન તથા બિલાડી ખરીદે છે, ત્યારે જે જરૂરિયાતમંદ પ્રાણી શેરીમાં ફરતો હોય છે અથવા આશ્રયમાં રાહ જોતો હોય છે, તે ઘર મેળવવાની તક ગુમાવે છે.
અનિચ્છનીય પ્રાણીઓને ઘણીવાર શેરીમાં ત્યજી દેવામાં આવે છે, જ્યાં તેઓ જીવવા માટે સંઘર્ષ કરે છે. તેમાંથી ઘણા ભૂખ્યા રહ્યા છે, ઇરાદાપૂર્વક ઘાયલ કરાયા છે, માર્યા ગયા છે, વાહનો દ્વારા અથડાયા છે અથવા એમની સાથે અન્ય રીતે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. આ પ્રકારના અસંખ્ય ઉદાહરણો આપણી સામે આવતાં રહે છે. ‘પેટા ઈન્ડિયા’એ તેના પત્રોમાં ધ્યાન દોર્યું હતું કે, મોટાભાગના પાલતુ સ્ટોર્સ અને શ્વાન સંવર્ધકો નિયમો અનુસાર નોંધાયેલા નથી. તેઓ પ્રાણીઓના ઓનલાઇન વેપાર દ્વારા પ્રાણીઓની સુરક્ષાના નિયમોને સરળતાથી અવગણવામાં સક્ષમ છે અને આ અનિયંત્રિત કામગીરી પશુઓ સાથેના દુર્વ્યવહાર અને ઉપેક્ષા માટેનું મુખ્ય કારણ બને છે.
ક્વીકર પર પ્રદર્શિત પ્રાણીઓમાં ઇદ પહેલા બકરાનો સમાવેશ થતો હતો, કૂકડાનો ઉપયોગ ગેરકાયદેસર લડત માટે, વંશાવલિ કુતરાઓ અને અન્ય પ્રાણીઓ કે જેને દત્તક લેવા માટેની યાદીમાં ઉમેરવામાં આવ્યા હતાં! વાસ્તવમાં પ્રાણીઓને દત્તક આપવાની સુવિધા માટે ક્વિકર કોઈપણ ‘એનિમલ પ્રોટેક્શન NGO’ સાથે સંપર્કમાં નથી. OLXની માફક ક્વીકર પણ પ્રાણીના ઑનલાઇન વ્યાપાર પર પ્રતિબંધ લગાવશે કે નહીં એ તો સમય જ જણાવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશી કૂતરાની પ્રજાતિ પાળવાને બદલે ભારતની અલગ અલગ પ્રજાતિના કૂતરા પાળવાની વાતચીત ‘મન કી બાત’ કાર્યક્રમમાં કરી. અલબત્ત, એને ભારતીય સમાજે આક્રોશમાં આવીને ભયંકર ડિસ-લાઇક્સ પધરાવી દીધાં. આ મુદ્દો દેશના અર્થતંત્રની તોલે આવી શકે એટલો ગંભીર ભલે ન લાગતો હોય, પરંતુ હકીકત એ છે કે, મૂંગા જીવોના પ્રાણ માટે આપણા દિલમાં પેદા થઈ રહેલી નિષ્ઠુરતા ભયજનક છે. સ્વસ્થ અને સુદ્રઢના નિર્માણ માટે તે બાધારૂપ અને ચિંતા નીપજાવે તેવી છે.
bhattparakh@yahoo.com
યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ (9726525772)
યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.