વિશ્વંભરી સ્તુતિના અંતમાં આવતી એક પંક્તિ જણાવે છે : ‘સંસારના સકળ રોગ સમૂળ કાપો’! કોરોનાની હાલની મહામારી દરમિયાન આ સ્તુતિ યથાર્થ લાગી શકે છે. નવરાત્રિ ચાલી રહી છે, ત્યારે દેવીના નવ સ્વરૂપો વિશે થઈ રહેલી ચર્ચા મોટાભાગના અખબારોમાં વાંચવા મળે છે, પરંતુ તેને મેડિકલ ભાષામાં સમજવાનો પ્રયત્ન અચૂક કરવા જેવો છે.
જગદંબાના નવ સ્વરૂપો જાઇને કોઈ દિવસ એવો ખ્યાલ ન આવ્યો કે એક જ સ્ત્રીના-એક જ શકિતનાં નવ અલગ-અલગ વ્યકિતત્વ કઇ રીતે શકય છે? એક વાર માત્ર કલ્પના ખાતર એ શકિતને દેવી ન ગણતા, એક સ્ત્રી માનીએ તો એક જ વ્યકિતત્વના નવ પાસાઓ અને એ પણ આટલા વૈવિધ્યસભર? કઇ રીતે! મહાદેવની વાત કરીએ તો નૃત્ય-અવતારમાં નટરાજ, રૌદ્ર સ્વરૂપમાં ભૈરવ, સમાધિ અવસ્થામાં અઘોરી અને ગૃહસ્થાવસ્થામાં એક પ્રેમાળ પતિ! ‘ભગવાન’ તરીકના ટેગને એક સેકન્ડ માટે બાજુ પર મૂકીએ તો એવું સમજાય કે આ તમામ સ્વરૂપો એ બીજું કંઇ નથી પરંતુ મલ્ટિપલ-પર્સનાલિટી છે જે સમય સમયાંતરે એમની ઈચ્છાનુસાર પ્રગટ થઈ છે, જેને આપણે ‘અવતાર’નું નામ આપી દીધું!
મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર! એક વ્યકિતના મનની અંદર છુપાયેલા બે કે તેથી વધુ વ્યકિતઓને સમયે-સમયે બહાર આવવા માટે માર્ગ આપવો પડે તેવી પરિસ્થિતિને માણસજાતે 'મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર' નામનાં મનોરોગનું નામ આપ્યું. જેમાં મૂળ વ્યક્તિની સાથોસાથ તેના જેવા, ઉમરમાં ફેરફાર ધરાવતા, જુદી માનસિકતા ધરાવતા એક તદ્દન નવા જ વ્યકિતત્વનું નિર્માણ થાય છે, જે અમુક પરિસ્થિતિમાં માણસ પર હાવી થઈ જાય છે. માણસ પોતાનું નામ, મૂળ ઓળખાણ ભૂલી. એક નવી આઈડેન્ટિટી અપનાવીને બીજી વ્યક્તિ બની જાય છે, બાદમાં તેનો મૂળ વ્યકિતત્વમાં પરત ફરવા માટેનો કોઇ સમયગાળો નિશ્ચિત નથી હોતો. બની શકે કે એક કલાક, એક દિવસ, એક વર્ષ કે પછી કયારેય નહી!!
જેમણે ‘ભૂલભૂલૈયા’ જોયું હશે એ લોકો કદાચ આ વાતને વધુ સારી રીતે સમજી શકશે. મંજુલિકા ઉર્ફે વિદ્યા બાલન આવા જ એક મનોરોગથી પીડાતી હતી. ફિલ્મમાં અક્ષયકુમાર, જે એક મનોવૈજ્ઞાનિકનું પાત્ર નિભાવી રહ્યો હતો, તેણે ઘણી જ સૂઝબૂઝ સાથે મંજુલિકા અને વિદ્યાના વ્યકિતત્વને અલગ કર્યા. ખાટલે મોટી ખોટ એ છે કે આપણે એવું ધારી બેઠા છે કે સાઈકિયાટ્રિસ્ટ એટલે પાગલખાનાના ડોક્ટર! પાગલોનો ડોકટર! પણ ખરેખર એવું નથી.
આ પ્રકારના મનોરોગનો ભોગ બનેલાં દર્દીઓમાં એક વસ્તુ ખૂબ સામાન્ય જોવા મળી કે તેમનું બચપણ અત્યંત દયનીય અને બિહામણી રીતે વીત્યું હોય છે. નજીકના વ્યકિત દ્વારા શારીરિક કે માનસિક છેડછાડનો ભોગ બનેલા ૯ વર્ષથી નીચેના બાળકને તેની સાથે થયેલી ઘટનાઓનો આઘાત લાગે છે. આટલી નાની ઉમરમાં અમુક તમુક પ્રકારની સેક્યુઅલ-ફિઝીકલ કે ઈમોશનલ છેડછાડને સમજી ન શકનાર બાળક, પોતાની અંદર ઘુંટાયા રાખે છે, જે તેની ભીત્તર એક નવાં જ વ્યકિતને જન્મ આપે છે. અને આ રીતે તૈયાર થાય છે- એક જિસ્મ, દો જાન!
હોલિવૂડ ફિલ્મ ‘સ્પિલિટ' ની કહાની પણ આવી જ કંઈક છે. પોતાનાં બાળપણમાં સહન કરેલા ત્રાસને લીધે કેવિન (જેમ્સ મેકઅવોય) પોતાની અંદર બીજી ૨૩ પર્સનાલિટી (વ્યકિતત્વ)ને જન્મ આપે છે. જે કેવિનને એક નબળા બાળકમાંથી ૨૩ મજબૂત વ્યકિતત્વમાં પરિવર્તિત કરે છે. કયારેક તે ઓ.સી.ડી. (ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર)નો શિકાર ધૂની-ગાંડો ‘ડેનીસ’ બની જાય છે. તો ક્યારેક ઉત્તમ અંગ્રેજી બોલતી સ્ત્રી ‘પેટ્રીસિયા’! અને ક્યારેક તો ૯ વર્ષનો બાળક ‘હેડવીગ’!
આવા મનોરોગીનું એક અગત્યનું પાસું એ હોય છે કે તેમને તેમના ભૂતકાળની કોઇ પણ ક્ષણ સામે આવી જતા કે યાદ આવી જતાની સાથે જ અંદરની બીજી પર્સનાલિટી સપાટી પર આવી જાય છે અને તેનાં મૂળ વ્યકિતત્વને દબાવી દે છે. વર્ષો પહેલા સોની ટીવી પર એકતા કપૂરની 'કુછ ઈસ તરહ' સીરિયલ આવતી. જેનો મુખ્ય વિષય પણ પર્સનાલિટી ડિસઓર્ડરનો હતો. શોની નાયિકા સાથે બચપણમાં ઘટેલી આગની ઘટનાએ એવું બિહામણું વ્યકિતત્વ ઉભું કર્યું કે જયારે-જયારે તે આગ જુએ કે તરત જ 'નતાશા' નામનું ઈમેજીનરી (આભાસી) વ્યકિતત્વ તેના મન પર કબજો લઈ લે!
આપણે ઘણી-ઘણી વાર મુડ સ્વિંગ્સ, બાયપોલર આઈડેન્ટિટી કે સ્ક્રિઝોફેનિયાને મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડરની સાથે સરખાવી દેવાની ભૂલ કરીએ છીએ. પરંતુ આ દરેક અલગ-અલગ પ્રકારની માનસિક અવસ્થાઓ છે. બધાનાં લક્ષણો અલગ-અલગ છે, ઉપાય જુદા-જુદા છે, હા, મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડરનાં વિવિધ લક્ષણોમાં આ દરેકનો સમાવેશ કરી શકાય પરંતુ ન સરખાવી શકાય! ડિપ્રેશન, મૂડ સ્વિંગ્સ, આત્મહત્યાનાં વિચારો, ભોજન પર અતિરેક, ભ્રમ થવા, માથુ દુ:ખવું, ઊંઘની અનિયમિતતા, નીંદમાં ચાલવું, બેચેની, પેનિક હુમલા તેમજ કેટલીક ખાસ વસ્તુ કે સ્થિતિનો ભય લાગવો (ફોબિયા) વગેરે મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડરના શરૂઆતી લક્ષણો છે.
આવો માણસ, શરૂઆતી ફેઝમાં સતત પોતાનામાં રચ્યોપચ્યો રહે છે. બહારની દુનિયા સાથે તેનાં તમામ સંપર્કો ધીમે-ધીમે તૂટતાં જાય છે. બાદમાં સમયનું ભાન પણ ભૂલાવા લાગે છે. ૧૬૪૬માં પર્સનાલિટી ડિસઓર્ડરનો સૌપ્રથમ કેસ નોંધાવામાં આવેલો. ‘ડિસ અસોસિયેટીવ આઈડેન્ટિટી ડિસઓર્ડર (ડીઆઈડી)ના ટૂંકા નામે ઓળખાતો આ પર્સનાલિટી ડિસઓર્ડર સૌથી વધારે અમેરિકી દેશોમાં જોવા મળે છે. ૧૯૫૦માં લોકો આ મનોરોગ વિશે જાણતા થયા અને ૧૯૫૩માં સૌ પ્રથમ વખત પર્સનાલિટી ડિસઓર્ડર પરની ફિલ્મ 'ધ થ્રી ફેસિસ ઓફ ઈવ' રિલીઝ થઈ જે એક સત્યઘટના પર આધારિત હતી. ક્રિસ સિઝમોરેનાં જીવન પરથી બનેલી આ ફિલ્મની લેખિત મંજૂરી લેવા માટે તેણીની અંદરનાં ત્રણેય વ્યકિતત્વ (પર્સનાલિટી)ને જગાડીને તેમની પાસેથી પરમિશન લેટર પર હસ્તાક્ષર લેવામાં આવ્યા હતા!.
એકટર-અભિનેતા, થિયેટર આર્ટિસ્ટ, લેખક કે ડાન્સરને આ પ્રકારના મનોરોગનો ખતરો વધુ રહે છે. કારણ કે તેઓ એક જ જીવનમાં ઘણી-ઘણી જિંદગીઓ જીવે છે અને આ જ કારણોસર કેટલીકવાર તેઓ તેમના મૂળ વ્યકિતત્વ અને સ્વભાવને ગુમાવી પાત્રની માનસિકતાને અપનાવી લે છે. જેથી તેમને મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડરનો ભોગ બનવું પડે છે.
‘બેટમેન' ફિલ્મનાં જોકર 'હીથ લેજર’ સાથે થયેલ ઘટનામાં તેણે આત્મહત્યા કરી હતી. કારણ, તે પોતાનાં પાત્રમાં એટલો બધો ગળાડૂબ થઈ ગયો હતો કે શુટિંગ ખતમ થયા પછી પણ તેની અસરમાંથી બહાર ન નીકળી શકયો અને તેણે એક કરતા વધુ ખૂન કરી નાંખ્યા. પોતાની જાતને રોકવાનો કોઈ ઉપાય નજરમાં ન આવતા હીથ લેજરએ જીંદગી ટૂંકાવવાનો નિર્ણય લીધો, જેથી તેની અંદરનો વિલન-ખલનાયક અન્યને વધુ નુકશાન ન પહોંચાડી શકે!
વિખ્યાત કોમેડિયન રોઝેન બારએ ૧૯૯૪માં પહેલીવાર જાહેરમાં સ્વીકાર્યું હતું કે પોતે મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડરનો શિકાર છે. ત્યારબાદ તો બ્રિટની સ્પિયર્સ, નિકી મિનાજ, લેડી ગાગાએ પણ પોતાનાં આ મનોરોગની કબૂલાત કરી હતી.
સ્વાભાવિક રીતે એવો પ્રશ્ન થાય જ કે, એક વ્યક્તિની અંદર વધુમાં વધુ કેટલી પર્સનાલિટીનું એકસાથે હોવું સંભવ છે! વૈજ્ઞાનિકોનાં જણાવ્યા મુજબ, એક માણસ સરેરાશ ૮થી ૧૩ વ્યકિતને એકીસાથે પોતાનામાં સમાવી શકે છે. પરંતુ અમુક કેસ એવા પણ નોંધાયા છે જેમાં વ્યકિતની અંદર ૧૦૦ જેટલી અલગ-અલગ પર્સનાલિટીએ દેખા દીધી હતી!
મેડિકલ સાયન્સ હજુ સુધી ‘મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર’ની કોઈ સચોટ દવા શોધી શકાયું નથી જેને ગળવાથી પળભરમાં જ વ્યકિત સાજો થઈ જાય! પરંતું એવી ઘણી ટ્રીટમેન્ટ-થેરાપી છે જેના દ્વારા લાંબાગાળે આ મનોરોગનું નિદાન શકય છે. ટૉક થેરાપી, સાઈકી થેરાપી, મેડિકેશન (દવાઓ), હિપ્નોથેરાપી તથા એડજેક્ટિવ થેરાપી (જેમકે કળા)નો સહારો લઈને માણસ આમાંથી ઘણાંખરા અંશે છુટકારો મેળવી શકે છે હિપ્નોથેરાપીમાં વ્યકિતની અંદરના બીજા તમામ વ્યકિતત્વો ડોકટરને તુરંત પ્રત્યુત્તર આપે છે. આથી ‘હિપ્નોટિઝમ’ને દરેક સારવાર કરતા વધુ અસરકારક ગણાવી શકાય. આમ છતાં પરિવારની હૂંફ, ધીરજ અને પ્રેમ જેવી ઉત્તમ સારવાર તો બીજે ક્યાંય શક્ય નથી.
યોગ-પ્રાણાયામ-આસન જેવી તન/મનની કસરતો કોઈપણ મનોરોગને તુરંત જ મટાડી શકે છે. ધ્યાન, એકાગ્ર ચિત્ત અને મેડિટેશન દ્વારા કરવામાં આવેલો ઈલાજ હંમેશા રામબાણ નીવડે છે. ધર્મગુરૂઓ, દેવી-દેવતાની મૂર્તિ કે ફોટોમાં જોવા મળતી તેમની ધ્યાનસ્થ અવસ્થા મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર જેવા મનોરોગનું નિવારણ સૂચિત કરે છે એમ નથી લાગતું...!
रोगानशेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् ।
त्वामाश्रितानां न विपन्नराणां त्वामाश्रिता ह्याश्रयतां प्रयान्ति।।
(દુર્ગા સપ્તશ્લોકી મંત્રનો એક ભાગ)
ભાવાર્થ : હે દેવી, આપ પ્રસન્ન થાઓ ત્યારે તમામ રોગોનો નાશ કરી દો છો, પરતુ કોપાયમાન થાઓ છો ત્યારે તમા મનોવાંછિત ફળનો નાશ કરી દો છો. જે ભક્તો આપના શરણે આવે છે, તેમના પર ક્યારેય વિપત્તિ આવતી નથી, તેઓ બીજાને આશરો આપનાર બની જાય છે.
bhattparakh@yahoo.com
યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ (9726525772)
યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.
વિશ્વંભરી સ્તુતિના અંતમાં આવતી એક પંક્તિ જણાવે છે : ‘સંસારના સકળ રોગ સમૂળ કાપો’! કોરોનાની હાલની મહામારી દરમિયાન આ સ્તુતિ યથાર્થ લાગી શકે છે. નવરાત્રિ ચાલી રહી છે, ત્યારે દેવીના નવ સ્વરૂપો વિશે થઈ રહેલી ચર્ચા મોટાભાગના અખબારોમાં વાંચવા મળે છે, પરંતુ તેને મેડિકલ ભાષામાં સમજવાનો પ્રયત્ન અચૂક કરવા જેવો છે.
જગદંબાના નવ સ્વરૂપો જાઇને કોઈ દિવસ એવો ખ્યાલ ન આવ્યો કે એક જ સ્ત્રીના-એક જ શકિતનાં નવ અલગ-અલગ વ્યકિતત્વ કઇ રીતે શકય છે? એક વાર માત્ર કલ્પના ખાતર એ શકિતને દેવી ન ગણતા, એક સ્ત્રી માનીએ તો એક જ વ્યકિતત્વના નવ પાસાઓ અને એ પણ આટલા વૈવિધ્યસભર? કઇ રીતે! મહાદેવની વાત કરીએ તો નૃત્ય-અવતારમાં નટરાજ, રૌદ્ર સ્વરૂપમાં ભૈરવ, સમાધિ અવસ્થામાં અઘોરી અને ગૃહસ્થાવસ્થામાં એક પ્રેમાળ પતિ! ‘ભગવાન’ તરીકના ટેગને એક સેકન્ડ માટે બાજુ પર મૂકીએ તો એવું સમજાય કે આ તમામ સ્વરૂપો એ બીજું કંઇ નથી પરંતુ મલ્ટિપલ-પર્સનાલિટી છે જે સમય સમયાંતરે એમની ઈચ્છાનુસાર પ્રગટ થઈ છે, જેને આપણે ‘અવતાર’નું નામ આપી દીધું!
મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર! એક વ્યકિતના મનની અંદર છુપાયેલા બે કે તેથી વધુ વ્યકિતઓને સમયે-સમયે બહાર આવવા માટે માર્ગ આપવો પડે તેવી પરિસ્થિતિને માણસજાતે 'મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર' નામનાં મનોરોગનું નામ આપ્યું. જેમાં મૂળ વ્યક્તિની સાથોસાથ તેના જેવા, ઉમરમાં ફેરફાર ધરાવતા, જુદી માનસિકતા ધરાવતા એક તદ્દન નવા જ વ્યકિતત્વનું નિર્માણ થાય છે, જે અમુક પરિસ્થિતિમાં માણસ પર હાવી થઈ જાય છે. માણસ પોતાનું નામ, મૂળ ઓળખાણ ભૂલી. એક નવી આઈડેન્ટિટી અપનાવીને બીજી વ્યક્તિ બની જાય છે, બાદમાં તેનો મૂળ વ્યકિતત્વમાં પરત ફરવા માટેનો કોઇ સમયગાળો નિશ્ચિત નથી હોતો. બની શકે કે એક કલાક, એક દિવસ, એક વર્ષ કે પછી કયારેય નહી!!
જેમણે ‘ભૂલભૂલૈયા’ જોયું હશે એ લોકો કદાચ આ વાતને વધુ સારી રીતે સમજી શકશે. મંજુલિકા ઉર્ફે વિદ્યા બાલન આવા જ એક મનોરોગથી પીડાતી હતી. ફિલ્મમાં અક્ષયકુમાર, જે એક મનોવૈજ્ઞાનિકનું પાત્ર નિભાવી રહ્યો હતો, તેણે ઘણી જ સૂઝબૂઝ સાથે મંજુલિકા અને વિદ્યાના વ્યકિતત્વને અલગ કર્યા. ખાટલે મોટી ખોટ એ છે કે આપણે એવું ધારી બેઠા છે કે સાઈકિયાટ્રિસ્ટ એટલે પાગલખાનાના ડોક્ટર! પાગલોનો ડોકટર! પણ ખરેખર એવું નથી.
આ પ્રકારના મનોરોગનો ભોગ બનેલાં દર્દીઓમાં એક વસ્તુ ખૂબ સામાન્ય જોવા મળી કે તેમનું બચપણ અત્યંત દયનીય અને બિહામણી રીતે વીત્યું હોય છે. નજીકના વ્યકિત દ્વારા શારીરિક કે માનસિક છેડછાડનો ભોગ બનેલા ૯ વર્ષથી નીચેના બાળકને તેની સાથે થયેલી ઘટનાઓનો આઘાત લાગે છે. આટલી નાની ઉમરમાં અમુક તમુક પ્રકારની સેક્યુઅલ-ફિઝીકલ કે ઈમોશનલ છેડછાડને સમજી ન શકનાર બાળક, પોતાની અંદર ઘુંટાયા રાખે છે, જે તેની ભીત્તર એક નવાં જ વ્યકિતને જન્મ આપે છે. અને આ રીતે તૈયાર થાય છે- એક જિસ્મ, દો જાન!
હોલિવૂડ ફિલ્મ ‘સ્પિલિટ' ની કહાની પણ આવી જ કંઈક છે. પોતાનાં બાળપણમાં સહન કરેલા ત્રાસને લીધે કેવિન (જેમ્સ મેકઅવોય) પોતાની અંદર બીજી ૨૩ પર્સનાલિટી (વ્યકિતત્વ)ને જન્મ આપે છે. જે કેવિનને એક નબળા બાળકમાંથી ૨૩ મજબૂત વ્યકિતત્વમાં પરિવર્તિત કરે છે. કયારેક તે ઓ.સી.ડી. (ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર)નો શિકાર ધૂની-ગાંડો ‘ડેનીસ’ બની જાય છે. તો ક્યારેક ઉત્તમ અંગ્રેજી બોલતી સ્ત્રી ‘પેટ્રીસિયા’! અને ક્યારેક તો ૯ વર્ષનો બાળક ‘હેડવીગ’!
આવા મનોરોગીનું એક અગત્યનું પાસું એ હોય છે કે તેમને તેમના ભૂતકાળની કોઇ પણ ક્ષણ સામે આવી જતા કે યાદ આવી જતાની સાથે જ અંદરની બીજી પર્સનાલિટી સપાટી પર આવી જાય છે અને તેનાં મૂળ વ્યકિતત્વને દબાવી દે છે. વર્ષો પહેલા સોની ટીવી પર એકતા કપૂરની 'કુછ ઈસ તરહ' સીરિયલ આવતી. જેનો મુખ્ય વિષય પણ પર્સનાલિટી ડિસઓર્ડરનો હતો. શોની નાયિકા સાથે બચપણમાં ઘટેલી આગની ઘટનાએ એવું બિહામણું વ્યકિતત્વ ઉભું કર્યું કે જયારે-જયારે તે આગ જુએ કે તરત જ 'નતાશા' નામનું ઈમેજીનરી (આભાસી) વ્યકિતત્વ તેના મન પર કબજો લઈ લે!
આપણે ઘણી-ઘણી વાર મુડ સ્વિંગ્સ, બાયપોલર આઈડેન્ટિટી કે સ્ક્રિઝોફેનિયાને મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડરની સાથે સરખાવી દેવાની ભૂલ કરીએ છીએ. પરંતુ આ દરેક અલગ-અલગ પ્રકારની માનસિક અવસ્થાઓ છે. બધાનાં લક્ષણો અલગ-અલગ છે, ઉપાય જુદા-જુદા છે, હા, મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડરનાં વિવિધ લક્ષણોમાં આ દરેકનો સમાવેશ કરી શકાય પરંતુ ન સરખાવી શકાય! ડિપ્રેશન, મૂડ સ્વિંગ્સ, આત્મહત્યાનાં વિચારો, ભોજન પર અતિરેક, ભ્રમ થવા, માથુ દુ:ખવું, ઊંઘની અનિયમિતતા, નીંદમાં ચાલવું, બેચેની, પેનિક હુમલા તેમજ કેટલીક ખાસ વસ્તુ કે સ્થિતિનો ભય લાગવો (ફોબિયા) વગેરે મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડરના શરૂઆતી લક્ષણો છે.
આવો માણસ, શરૂઆતી ફેઝમાં સતત પોતાનામાં રચ્યોપચ્યો રહે છે. બહારની દુનિયા સાથે તેનાં તમામ સંપર્કો ધીમે-ધીમે તૂટતાં જાય છે. બાદમાં સમયનું ભાન પણ ભૂલાવા લાગે છે. ૧૬૪૬માં પર્સનાલિટી ડિસઓર્ડરનો સૌપ્રથમ કેસ નોંધાવામાં આવેલો. ‘ડિસ અસોસિયેટીવ આઈડેન્ટિટી ડિસઓર્ડર (ડીઆઈડી)ના ટૂંકા નામે ઓળખાતો આ પર્સનાલિટી ડિસઓર્ડર સૌથી વધારે અમેરિકી દેશોમાં જોવા મળે છે. ૧૯૫૦માં લોકો આ મનોરોગ વિશે જાણતા થયા અને ૧૯૫૩માં સૌ પ્રથમ વખત પર્સનાલિટી ડિસઓર્ડર પરની ફિલ્મ 'ધ થ્રી ફેસિસ ઓફ ઈવ' રિલીઝ થઈ જે એક સત્યઘટના પર આધારિત હતી. ક્રિસ સિઝમોરેનાં જીવન પરથી બનેલી આ ફિલ્મની લેખિત મંજૂરી લેવા માટે તેણીની અંદરનાં ત્રણેય વ્યકિતત્વ (પર્સનાલિટી)ને જગાડીને તેમની પાસેથી પરમિશન લેટર પર હસ્તાક્ષર લેવામાં આવ્યા હતા!.
એકટર-અભિનેતા, થિયેટર આર્ટિસ્ટ, લેખક કે ડાન્સરને આ પ્રકારના મનોરોગનો ખતરો વધુ રહે છે. કારણ કે તેઓ એક જ જીવનમાં ઘણી-ઘણી જિંદગીઓ જીવે છે અને આ જ કારણોસર કેટલીકવાર તેઓ તેમના મૂળ વ્યકિતત્વ અને સ્વભાવને ગુમાવી પાત્રની માનસિકતાને અપનાવી લે છે. જેથી તેમને મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડરનો ભોગ બનવું પડે છે.
‘બેટમેન' ફિલ્મનાં જોકર 'હીથ લેજર’ સાથે થયેલ ઘટનામાં તેણે આત્મહત્યા કરી હતી. કારણ, તે પોતાનાં પાત્રમાં એટલો બધો ગળાડૂબ થઈ ગયો હતો કે શુટિંગ ખતમ થયા પછી પણ તેની અસરમાંથી બહાર ન નીકળી શકયો અને તેણે એક કરતા વધુ ખૂન કરી નાંખ્યા. પોતાની જાતને રોકવાનો કોઈ ઉપાય નજરમાં ન આવતા હીથ લેજરએ જીંદગી ટૂંકાવવાનો નિર્ણય લીધો, જેથી તેની અંદરનો વિલન-ખલનાયક અન્યને વધુ નુકશાન ન પહોંચાડી શકે!
વિખ્યાત કોમેડિયન રોઝેન બારએ ૧૯૯૪માં પહેલીવાર જાહેરમાં સ્વીકાર્યું હતું કે પોતે મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડરનો શિકાર છે. ત્યારબાદ તો બ્રિટની સ્પિયર્સ, નિકી મિનાજ, લેડી ગાગાએ પણ પોતાનાં આ મનોરોગની કબૂલાત કરી હતી.
સ્વાભાવિક રીતે એવો પ્રશ્ન થાય જ કે, એક વ્યક્તિની અંદર વધુમાં વધુ કેટલી પર્સનાલિટીનું એકસાથે હોવું સંભવ છે! વૈજ્ઞાનિકોનાં જણાવ્યા મુજબ, એક માણસ સરેરાશ ૮થી ૧૩ વ્યકિતને એકીસાથે પોતાનામાં સમાવી શકે છે. પરંતુ અમુક કેસ એવા પણ નોંધાયા છે જેમાં વ્યકિતની અંદર ૧૦૦ જેટલી અલગ-અલગ પર્સનાલિટીએ દેખા દીધી હતી!
મેડિકલ સાયન્સ હજુ સુધી ‘મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર’ની કોઈ સચોટ દવા શોધી શકાયું નથી જેને ગળવાથી પળભરમાં જ વ્યકિત સાજો થઈ જાય! પરંતું એવી ઘણી ટ્રીટમેન્ટ-થેરાપી છે જેના દ્વારા લાંબાગાળે આ મનોરોગનું નિદાન શકય છે. ટૉક થેરાપી, સાઈકી થેરાપી, મેડિકેશન (દવાઓ), હિપ્નોથેરાપી તથા એડજેક્ટિવ થેરાપી (જેમકે કળા)નો સહારો લઈને માણસ આમાંથી ઘણાંખરા અંશે છુટકારો મેળવી શકે છે હિપ્નોથેરાપીમાં વ્યકિતની અંદરના બીજા તમામ વ્યકિતત્વો ડોકટરને તુરંત પ્રત્યુત્તર આપે છે. આથી ‘હિપ્નોટિઝમ’ને દરેક સારવાર કરતા વધુ અસરકારક ગણાવી શકાય. આમ છતાં પરિવારની હૂંફ, ધીરજ અને પ્રેમ જેવી ઉત્તમ સારવાર તો બીજે ક્યાંય શક્ય નથી.
યોગ-પ્રાણાયામ-આસન જેવી તન/મનની કસરતો કોઈપણ મનોરોગને તુરંત જ મટાડી શકે છે. ધ્યાન, એકાગ્ર ચિત્ત અને મેડિટેશન દ્વારા કરવામાં આવેલો ઈલાજ હંમેશા રામબાણ નીવડે છે. ધર્મગુરૂઓ, દેવી-દેવતાની મૂર્તિ કે ફોટોમાં જોવા મળતી તેમની ધ્યાનસ્થ અવસ્થા મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર જેવા મનોરોગનું નિવારણ સૂચિત કરે છે એમ નથી લાગતું...!
त्वामाश्रितानां न विपन्नराणां त्वामाश्रिता ह्याश्रयतां प्रयान्ति।।
(દુર્ગા સપ્તશ્લોકી મંત્રનો એક ભાગ)
ભાવાર્થ : હે દેવી, આપ પ્રસન્ન થાઓ ત્યારે તમામ રોગોનો નાશ કરી દો છો, પરતુ કોપાયમાન થાઓ છો ત્યારે તમા મનોવાંછિત ફળનો નાશ કરી દો છો. જે ભક્તો આપના શરણે આવે છે, તેમના પર ક્યારેય વિપત્તિ આવતી નથી, તેઓ બીજાને આશરો આપનાર બની જાય છે.
bhattparakh@yahoo.com
યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ (9726525772)
યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.