આજે ઘણાં દિવસે મારી જાતની સાથે વાતો કરવાનું છોડીને પુસ્તકો સાથે વાતચીત કરવા બેઠો. હેમંત કાકાએ આજે બપોરે ત્રણ પુસ્તકો ભેટમાં આપ્યાં. પુસ્તકો લેતી વખતે મારી જે માનસિક અવસ્થા હતી તે છેક પુસ્તકો વાંચ્યાં ત્યાં સુઘી સ્થુળ રહી... જેમ જેમ પુસ્તકોનાં પાના વાંચતો ગયો તેમ તેમ પરિવર્તન આવતું ગયું અને હું પાછો જેવો હતો એવો આપમેળે થઈ ગયો... મારી જાત સાથે વાત કરતો.
આજે બપોરે અનાયાસે જમ્યાં પછી હોટલની બાજુમાં આવેલી પસ્તીની દુકાન પર જઈ ચઢયો અને એક બે પુસ્તકો આમ તેમ કર્યા ત્યાં, ગુજરાતી સાહિત્ય જગતનાં ત્રણ યુગનાં નામ મને એક જ પુસ્તક પર અને શ્રીકૃષ્ણનાં નામની ઠીક નીચે એક સાથે દેખાયા. કૃષ્ણ વિશે હું એટલું મારી છાતી ઠોકીને કહી શકું કે જયારે જયારે મેં કૃષ્ણ કીઘું છે ત્યારે ત્યારે એ મને મારા લાગ્યાં છે અને જયારે જયારે મેં શ્રીકૃષ્ણ કીઘું છે ત્યારે ત્યારે તે મને પુજય લાગ્યાં છે. મારા અને પુજયમાં ફરક એટલો જ કે, મારા છે એટલે હું એમનો છું, મારી અને એમની વચ્ચે કોઈ અંતર નથી અને પુજય એટલે કે હું એમનાથી જરાક દુર થઈ ગયો એટલે એમને ભજીને એમની પાસે પાછો પહોંચી જવાનો. થોડું અટપટું છે પણ સત્ય છે.
'કૃષ્ણ મારી દ્રષ્ટીએ' આ પુસ્તક એક કાર્યક્રમની લેખિત પ્રત છે, જેમાં ગુણવંત શાહ, હરીન્દ્ર દવે અને સુરેશ દલાલ જેવા દિગ્ગજોએ કૃષ્ણ એમની નજરે કેવા અને શું...? એ વિષય પર પોતાની સ્મુતિ રજૂ કરી છે. આ કાર્યક્રમ ૧૯૯૧ માં મુંબઈ ખાતે યોજાયેલ હતો એવું સુરેશ દલાલની વાત પરથી મને સમજાયું અને કોઈક વૈશ્નાવ શ્રી વિનુભાઈ મહેતાએ આ કાર્યક્રમનું આયોજન કરેલ એવું પુસ્તકનાં શરૂઆતમાં લખેલું મેં વાંચ્યું. મને એકવાત આ પુસ્તક વાંચ્યાં પછી સમજાય છે કે કૃષ્ણ અને શ્રીકૃષ્ણ વચ્ચેનો ભેદ સમજવો હોય તો તમારે આ પુસ્તક એક વખત જરૂર વાંચવું જોઈએ. મારે માટે શ્રીકૃષ્ણ એ કૃષ્ણ સુઘી પહોચવાનો અંતિમ પડાવ છે. જયાં માન પાન, વિવેક બુઘ્ઘિ, જ્ઞાન અજ્ઞાન, જીજ્ઞાસા અને જીજીવિશા તમામ એક થઈ જાય છે. બસ એ જ ક્ષણ મારે મન મારા કૃષ્ણ છે.
કૃષ્ણની વાત આવે એટલે ઈચ્છીને પણ ગંભીર ન રહી શકાય, ચાહીને પણ કપટી ન થઈ શકાય અને અંતે વિચારો ગમે તે હોય; તો પણ કૃષ્ણ વિશે એની મેતે જ લખાઈ જાય. આજે મારે મારા કૃષ્ણ વિશે જે કંઈપણ કેહવું હતું તે કહી દીઘું. એક વાત જે પુસ્તક વાંચતાં વાચતાં મારા ઘ્યાન પર નોહતી આવી પણ આ લખતાં લખતાં મારા ઘ્યાન પર આવી રહી છે એ એક નિખાલસ ખુલાસા સ્વરૂપ, આ પુસ્તકમાં જયારે કૃષ્ણ સુદામની વાત વાંચતો હતો ત્યારે મારી આંખનાં આસું મારી દ્રષ્ટી રોકી નોહતાં શકયા અને અત્યારે લખતાં લખતાં મારે બે ચાર વખત હાથ રૂમાલની મદદ લેવી પડી.
મારી આદત મુજબ એક આડવાત, હું પુસ્તક જવલ્લેજ વાંચુ છું પણ જયારે પણ વાંચું છું તો આખું વાંચું છું. પહેલા પાને થી છેલ્લાં પાનાં સુઘી બઘુંજ વાંચુ છું. હા છેલ્લાં પાને છેલ્લી લિટીમાં લખેલી પુસ્તકની કિંમત સુઘી. ઠાકોરજીની કૃપાથી મારા ૪૧ વર્ષના આયુષ્યમાં અનેક ઉતારો ચઢાવો જોયા બાદ આજે હું મારા જીવનમાં એ તબક્કે પોહચ્યો છું કે જયાં હું પુસ્તક લેતા પહેલા અને હોટલમાં ખાતા પહેલા મારે મેનુ અને કિંમત જોવાની જરૂર નથી પડતી. મારે જે વાંચવું હોય અને મારે જે ખાવું હોય તે સીઘેસીઘું કહી દંઉ છું. વાંચવાનો અને ખાવાનો શોખ મને મારા મા બાપ અને કુટુંબ તરફથી વારસામાં મળેલ છે.
મારી વાત લખવા પાછળ પ્રેરક બળ તરીકે કોઈ એક મુદ્દો કે દિવસ દરમ્યાનની કોઈ ઘટના હોય છે અને આ મુદ્દો કે ઘટના એટલી પ્રબળ હોય છે કે મારે મારી વાત તમારા બઘાં વચ્ચે વહેચવી પડતી હોય છે... આજે જોગાનુજોગ આવાં ત્રણ મુદ્દાઓ મારે તમારી સહુની સમક્ષ મુકવાં છે... જોગાનુજોગ એટલા માટે કે આજે ત્રણ વાગ્યે જમયો, આજે ત્રણ પુસ્તકો મને ભેટમાં મળ્યાં અને ત્રણે પુસ્તકો એક જ ચરિત્રની વાત કરી રહ્યાં છે, "કૃષ્ણ." જેમાનાં એક પુસ્તકમાં કે જેમાં ત્રણ સાહિત્યકારોએ પોતાની કૃષ્ણાસ્મૃતિ કંડારી છે. એ એક પુસ્તકે મને મારી આજની વાત છેક્ક તમારા સુઘી લઈ જવાની તક ઉભી કરી આપી. અને એ એક પુસ્તકમાં પણ મારા ઘ્યાનમાં આવેલ કુલ બાબત જે મારે મારી વાતનાં માઘ્યમથી તમારી સહુની સમક્ષ મુકવી છે. તે બાબતોની સંખ્યા પણ ત્રણ છે. જોગાનુજોગ શબ્દ પ્રયોગ આજ કારણસર મારે કરવો પડયો.
હા, તો પેલી ત્રણ બાબત તરફ આગળ વઘુ,
૧. આટલું બહુમુલ્ય પુસ્તક કે જે કોઈ અનિલ શુકલને એમનાં બે પરિચિત પ્રભાકર અને અશ્વિનીએ તેમની ૭૫મી વર્ષગાંઢે (૨૯-૦૬-૨૦૦૬) ભેટમાં આપ્યું હતું તે પુસ્તક મેં આજે એટલે ૧૫-૧૨-૨૦૧૮ નાં રોજ એક પસ્તીવાળાની દુકાનેથી ફરી પાછું ભેટ સ્વરૂપે મેળવ્યું. (પુસ્તકનું પ્રથમ પાનું)
૨. ત્રણ દિગ્ગજ સાહિત્યકારોનાં અંગત મંત્વય એમના આરાઘ્ય માટેનાંની આવુત્તિ સંખ્યામાં વર્ષો વર્ષ વઘારો થવાને બદલે ઘટડો. (પુસ્તકનું બીજૂ પાનું) અને
૩. કૃષ્ણ વિશેનું આટલું સુંદર પુસ્તક કે જેમાં કૃષ્ણને જે વ્યકિત કદી નથી મળ્યો કે કદી જાણ્યાં નથી; તે વ્યકિતને પણ કૃષ્ણ એટલે કોણ અને શું...? તે સમજાય જાય એટલું સહજ જ્ઞાન ફકત ૪૮ પાનામાં. (આ પુસ્તક તેનાં પુઠ્ઠા સાથે બાવન પાનાનું છે)
આજે અમિષએ એની વાતમાં આ ત્રણ મુદ્દા વિશે કોઈ અંગત વિચારો લખવાની જરૂર નથી. પણ હા, એટલું જરૂર કહીશ કે આપણો સમાજ ઉપયોગી શબ્દની પરિભાષા પુર ઝડપે બદલી રહ્યો છે. કારણકે આજની પેઢી જય શ્રીકૃષ્ણ બોલવામાં માને છે. જયારે કૃષ્ણનાં ખરા ભકત્તો; રાઘે કૃષ્ણ, મીરા કા તો ગીરઘર ગોપાલ અને નરસૈયાનો નાથ, જેવા ભકત્ત અને ભગવાનને સીઘી લિટીમાં જોડનાર શબ્દો બોલી શકાતા હતાં. આ હકીકત જાણતાં હોવા છતાં હું મારા કૃષ્ણની નજીક જવા ફરી એક વખત જય શ્રીકૃષ્ણ કહીશ અને આપને સહુને મંથન કરવાની મનન અને ચિંતન કરવાની તક આપીશ.
અમીષ જે. દાદાવાલા
(લખ્યાં તારીખ ૧૬-૧૨-૨૦૧૮)
Share – Like – Comment
આજે ઘણાં દિવસે મારી જાતની સાથે વાતો કરવાનું છોડીને પુસ્તકો સાથે વાતચીત કરવા બેઠો. હેમંત કાકાએ આજે બપોરે ત્રણ પુસ્તકો ભેટમાં આપ્યાં. પુસ્તકો લેતી વખતે મારી જે માનસિક અવસ્થા હતી તે છેક પુસ્તકો વાંચ્યાં ત્યાં સુઘી સ્થુળ રહી... જેમ જેમ પુસ્તકોનાં પાના વાંચતો ગયો તેમ તેમ પરિવર્તન આવતું ગયું અને હું પાછો જેવો હતો એવો આપમેળે થઈ ગયો... મારી જાત સાથે વાત કરતો.
આજે બપોરે અનાયાસે જમ્યાં પછી હોટલની બાજુમાં આવેલી પસ્તીની દુકાન પર જઈ ચઢયો અને એક બે પુસ્તકો આમ તેમ કર્યા ત્યાં, ગુજરાતી સાહિત્ય જગતનાં ત્રણ યુગનાં નામ મને એક જ પુસ્તક પર અને શ્રીકૃષ્ણનાં નામની ઠીક નીચે એક સાથે દેખાયા. કૃષ્ણ વિશે હું એટલું મારી છાતી ઠોકીને કહી શકું કે જયારે જયારે મેં કૃષ્ણ કીઘું છે ત્યારે ત્યારે એ મને મારા લાગ્યાં છે અને જયારે જયારે મેં શ્રીકૃષ્ણ કીઘું છે ત્યારે ત્યારે તે મને પુજય લાગ્યાં છે. મારા અને પુજયમાં ફરક એટલો જ કે, મારા છે એટલે હું એમનો છું, મારી અને એમની વચ્ચે કોઈ અંતર નથી અને પુજય એટલે કે હું એમનાથી જરાક દુર થઈ ગયો એટલે એમને ભજીને એમની પાસે પાછો પહોંચી જવાનો. થોડું અટપટું છે પણ સત્ય છે.
'કૃષ્ણ મારી દ્રષ્ટીએ' આ પુસ્તક એક કાર્યક્રમની લેખિત પ્રત છે, જેમાં ગુણવંત શાહ, હરીન્દ્ર દવે અને સુરેશ દલાલ જેવા દિગ્ગજોએ કૃષ્ણ એમની નજરે કેવા અને શું...? એ વિષય પર પોતાની સ્મુતિ રજૂ કરી છે. આ કાર્યક્રમ ૧૯૯૧ માં મુંબઈ ખાતે યોજાયેલ હતો એવું સુરેશ દલાલની વાત પરથી મને સમજાયું અને કોઈક વૈશ્નાવ શ્રી વિનુભાઈ મહેતાએ આ કાર્યક્રમનું આયોજન કરેલ એવું પુસ્તકનાં શરૂઆતમાં લખેલું મેં વાંચ્યું. મને એકવાત આ પુસ્તક વાંચ્યાં પછી સમજાય છે કે કૃષ્ણ અને શ્રીકૃષ્ણ વચ્ચેનો ભેદ સમજવો હોય તો તમારે આ પુસ્તક એક વખત જરૂર વાંચવું જોઈએ. મારે માટે શ્રીકૃષ્ણ એ કૃષ્ણ સુઘી પહોચવાનો અંતિમ પડાવ છે. જયાં માન પાન, વિવેક બુઘ્ઘિ, જ્ઞાન અજ્ઞાન, જીજ્ઞાસા અને જીજીવિશા તમામ એક થઈ જાય છે. બસ એ જ ક્ષણ મારે મન મારા કૃષ્ણ છે.
કૃષ્ણની વાત આવે એટલે ઈચ્છીને પણ ગંભીર ન રહી શકાય, ચાહીને પણ કપટી ન થઈ શકાય અને અંતે વિચારો ગમે તે હોય; તો પણ કૃષ્ણ વિશે એની મેતે જ લખાઈ જાય. આજે મારે મારા કૃષ્ણ વિશે જે કંઈપણ કેહવું હતું તે કહી દીઘું. એક વાત જે પુસ્તક વાંચતાં વાચતાં મારા ઘ્યાન પર નોહતી આવી પણ આ લખતાં લખતાં મારા ઘ્યાન પર આવી રહી છે એ એક નિખાલસ ખુલાસા સ્વરૂપ, આ પુસ્તકમાં જયારે કૃષ્ણ સુદામની વાત વાંચતો હતો ત્યારે મારી આંખનાં આસું મારી દ્રષ્ટી રોકી નોહતાં શકયા અને અત્યારે લખતાં લખતાં મારે બે ચાર વખત હાથ રૂમાલની મદદ લેવી પડી.
મારી આદત મુજબ એક આડવાત, હું પુસ્તક જવલ્લેજ વાંચુ છું પણ જયારે પણ વાંચું છું તો આખું વાંચું છું. પહેલા પાને થી છેલ્લાં પાનાં સુઘી બઘુંજ વાંચુ છું. હા છેલ્લાં પાને છેલ્લી લિટીમાં લખેલી પુસ્તકની કિંમત સુઘી. ઠાકોરજીની કૃપાથી મારા ૪૧ વર્ષના આયુષ્યમાં અનેક ઉતારો ચઢાવો જોયા બાદ આજે હું મારા જીવનમાં એ તબક્કે પોહચ્યો છું કે જયાં હું પુસ્તક લેતા પહેલા અને હોટલમાં ખાતા પહેલા મારે મેનુ અને કિંમત જોવાની જરૂર નથી પડતી. મારે જે વાંચવું હોય અને મારે જે ખાવું હોય તે સીઘેસીઘું કહી દંઉ છું. વાંચવાનો અને ખાવાનો શોખ મને મારા મા બાપ અને કુટુંબ તરફથી વારસામાં મળેલ છે.
મારી વાત લખવા પાછળ પ્રેરક બળ તરીકે કોઈ એક મુદ્દો કે દિવસ દરમ્યાનની કોઈ ઘટના હોય છે અને આ મુદ્દો કે ઘટના એટલી પ્રબળ હોય છે કે મારે મારી વાત તમારા બઘાં વચ્ચે વહેચવી પડતી હોય છે... આજે જોગાનુજોગ આવાં ત્રણ મુદ્દાઓ મારે તમારી સહુની સમક્ષ મુકવાં છે... જોગાનુજોગ એટલા માટે કે આજે ત્રણ વાગ્યે જમયો, આજે ત્રણ પુસ્તકો મને ભેટમાં મળ્યાં અને ત્રણે પુસ્તકો એક જ ચરિત્રની વાત કરી રહ્યાં છે, "કૃષ્ણ." જેમાનાં એક પુસ્તકમાં કે જેમાં ત્રણ સાહિત્યકારોએ પોતાની કૃષ્ણાસ્મૃતિ કંડારી છે. એ એક પુસ્તકે મને મારી આજની વાત છેક્ક તમારા સુઘી લઈ જવાની તક ઉભી કરી આપી. અને એ એક પુસ્તકમાં પણ મારા ઘ્યાનમાં આવેલ કુલ બાબત જે મારે મારી વાતનાં માઘ્યમથી તમારી સહુની સમક્ષ મુકવી છે. તે બાબતોની સંખ્યા પણ ત્રણ છે. જોગાનુજોગ શબ્દ પ્રયોગ આજ કારણસર મારે કરવો પડયો.
હા, તો પેલી ત્રણ બાબત તરફ આગળ વઘુ,
૧. આટલું બહુમુલ્ય પુસ્તક કે જે કોઈ અનિલ શુકલને એમનાં બે પરિચિત પ્રભાકર અને અશ્વિનીએ તેમની ૭૫મી વર્ષગાંઢે (૨૯-૦૬-૨૦૦૬) ભેટમાં આપ્યું હતું તે પુસ્તક મેં આજે એટલે ૧૫-૧૨-૨૦૧૮ નાં રોજ એક પસ્તીવાળાની દુકાનેથી ફરી પાછું ભેટ સ્વરૂપે મેળવ્યું. (પુસ્તકનું પ્રથમ પાનું)
૨. ત્રણ દિગ્ગજ સાહિત્યકારોનાં અંગત મંત્વય એમના આરાઘ્ય માટેનાંની આવુત્તિ સંખ્યામાં વર્ષો વર્ષ વઘારો થવાને બદલે ઘટડો. (પુસ્તકનું બીજૂ પાનું) અને
૩. કૃષ્ણ વિશેનું આટલું સુંદર પુસ્તક કે જેમાં કૃષ્ણને જે વ્યકિત કદી નથી મળ્યો કે કદી જાણ્યાં નથી; તે વ્યકિતને પણ કૃષ્ણ એટલે કોણ અને શું...? તે સમજાય જાય એટલું સહજ જ્ઞાન ફકત ૪૮ પાનામાં. (આ પુસ્તક તેનાં પુઠ્ઠા સાથે બાવન પાનાનું છે)
આજે અમિષએ એની વાતમાં આ ત્રણ મુદ્દા વિશે કોઈ અંગત વિચારો લખવાની જરૂર નથી. પણ હા, એટલું જરૂર કહીશ કે આપણો સમાજ ઉપયોગી શબ્દની પરિભાષા પુર ઝડપે બદલી રહ્યો છે. કારણકે આજની પેઢી જય શ્રીકૃષ્ણ બોલવામાં માને છે. જયારે કૃષ્ણનાં ખરા ભકત્તો; રાઘે કૃષ્ણ, મીરા કા તો ગીરઘર ગોપાલ અને નરસૈયાનો નાથ, જેવા ભકત્ત અને ભગવાનને સીઘી લિટીમાં જોડનાર શબ્દો બોલી શકાતા હતાં. આ હકીકત જાણતાં હોવા છતાં હું મારા કૃષ્ણની નજીક જવા ફરી એક વખત જય શ્રીકૃષ્ણ કહીશ અને આપને સહુને મંથન કરવાની મનન અને ચિંતન કરવાની તક આપીશ.