વાત "ચેસ" એટલે "શતરંજ" ની હતી... તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતી ભાષામાં "ચેસ" માટે કોઈ અલાયદો શબ્દ નથી... જેમ સોગઠાંની રમત માટે અંગ્રેજીમાં "LUDO " શબ્દ છે એમ. હા, પણ સંસ્કૃતમાં "શતરંજ" ને "ચતુરંગ" કહે છે... જો આ બન્ને શબ્દોનો અર્થ તારવીએ તો અલગ અલગ અર્થ સામે આવે છે... ચતુરંગ એટલે જેને ચાર અંગ છે એવી રમત... અને શતરંજ એટલે "૧૦૦ - રંજ" (એકસો દુઃખ). સંસ્કૃતમાં જે શબ્દ છે એ રાજા-મહારાજોઓની આ રમત છે એ દિશામાં ઈશારો કરે છે અને હિન્દીમાં શતરંજ શબ્દ સામાન્ય માનવીની આ રમત છે એ દિશામાં ઈશારો કરે છે. થોડું અલગ રીતે વિચારીએ તો રાજા મહારાજને દુઃખ હોય શકે છે પણ એકસો દુઃખ, એ વાત થોડી સમજવામાં કપરી લાગે છે. હશે, શબ્દોની રમત (જાણકારી) ઘણી થઈ ગઈ, હવે થોડી વાસ્તવિક વાત પણ કરી લઈએ. તો મારી જાણકારી મુજબ શતરંજની રમત રાવણની રાણી “મંદોદરી” દ્વારા રાવણના મનોરંજન માટે વિકસાવવામાં આવી હતી અને જે બાદમાં ભારત આવી અને ભારતમાંથી ઈરાન અને ત્યારબાદ આરબ લોકો સુધી પોહચી. “તિથિતત્વ” નામના ગ્રંથમાં વેદવ્યાસજી દ્વારા "શતરંજ" ની રમતની સમજણ યુધિષ્ઠિરને આપવામાં આવી છે એવો ઉલ્લેખ મળી આવે છે.
આ બધી વાત તમને સહુને એટલા માટે કરી રહ્યો છું જેથી એ જાણી શકાય કે "શતરંજ" ની રમત એ કોઈ આજકાલની રમત નથી, કટાક્ષ નથી કરી રહ્યો, પણ એટલું ચોક્કસ કહીશ કે આજકાલની રમત એટલે હોકી, ફૂટબોલ, ક્રિકેટ વગેરે વગેરે રમત તરફ અમીષનો ઈશારો અવશ્ય છે. કહેવાય છે કે શતરંજની રમત એ બુદ્ધિશાળી લોકોની રમત છે, પણ શું આ વાત અયોગ્ય નથી જણાતી...? જો જીવન એક શતરંજની રમત છે તો પછી જીવન તો આપણે બધા જીવી જ રહ્યા છે... ખરું ને...? તો પછી બુદ્ધિશાળીઓની જ રમત છે એમ કેમ કહી શકાય અથવા તો એમ સમજવું પડે કે આપણામાંના કેટલાક બુદ્ધિશાળી નથી...! સીમિત વિકલ્પોમાંથી પસંદગી કરવી થોડી કપરી છે... એટલે એવું માની લઉં છું કે, આપણે બધા બુદ્ધિશાળી છીએ અને કોઈ વિવાદ ન છેડતાં અમિષની રોજનીશી આગળ વધારું છું.
તો શતરંજની રમત કુલ ૬૪ ખાનાની રમત છે... વેદવ્યાસજી, ૬૪ અને જીવન; આ ત્રણ શબ્દો એકસાથે અમિષના ધ્યાને આવે અને અમિષને એનો "કૃષ્ણ" યાદ ન આવે એવું બને ખરું...!? ના બને... કદાપી ના બને…! તો પેહલા થોડી કૃષ્ણની વાત કરી લઈએ વાસુદેવ શ્રીકૃષ્ણની પ્રિય રમત કઈ...? રમત શબ્દ સીધેસીધો બે અર્થમાં લઇ શકાય એમ છે... બાળપણના સંદર્ભમાં રમત એટલે ધમાલ - મસ્તી - ખેલકૂદ અને જીવનના બાકીના તબક્કમાં "રમત" એટલે ગરબડ - ચાલ – છળ – છેતરપીંડી; કેવી અજબગજબ વાત છે ને, શબ્દના અર્થનું પણ ઉંમર સાથે બદલાવવું...! હશે, આપણે તો આપણા "લાલા" ની વાત કરવાની છે અને મારો લાલો તો આજે પાંચ હજાર વર્ષ પછી પણ “લાલો” જ છે... એટલે આપણે લાલાનાં સંદર્ભમાં "રમત" એટલે ખેલકૂદ જ લઇશું. તો લાલાની પેહલી પસંદની રમત એટલે “ગેડીદડો” અને બીજી મનગમતી રમત એટલે "સોગઠાં" ની રમત... તમને જાણીને નવાઈ લાગશે કે શતરંજ અને સોગઠાંની રમતમાં રમી શકાય એવા ખાનાની સંખ્યા એક સરખી છે "૬૪". રમી શકાય એવો શબ્દપ્રયોગ એટલા માટે કર્યો કારણ કે સોગઠાંની રમતમાં "૪" ખાનાં એવા હોય છે કે જ્યાં "માત" આપી શકતી નથી. હા, સોગઠાંની રમતમાં કુલ ખાનાં ૬૪ + ૪ એમ “અડસઠ” ખાનાં હોય છે. તો શતરંજ અને સોગઠાંની રમતમાં આમ જોવા જઈએ તો એક બાબતની સામ્યતા છે કે બન્ને રમતમાં હારનારને "રાજપાઠ" ખોવાનો વારો આવતો હોય છે. એક આડવાત... ગુજરાતીમાં નજીક નજીકના બે શબ્દો છે... "રાજપાટ" અને "રાજપાઠ", રાજપાટનો અર્થ "સિંહાસન" અથવા "સરકાર" થાય છે અને રાજપાઠનો અર્થ "રાજાનું પાત્ર" એવો થાય છે. સિંહાસન કે સરકાર એક વખત જતા રહે તો કુનેહ અને કળથી પાછા મેળવી શકાય છે, પણ જો રાજા તરીકેની "પાત્રતા" જ જતી રહે તો... ૐ નમઃ શિવાય.
આ વાત ખાસ યાદ રાખજો કારણ કે "રાજપાટ" - "રાજપાઠ" અને શતરંજની રમત વચ્ચેનો સ્પષ્ટ સંબંધ અમિષની આજની રોજનીશીના છેલ્લા શબ્દો હશે.
તો, જીવન અને શતરંજ; હા, મારા મતે આ બન્ને એકજ વાત છે... જીવન જીવવું એક વાત છે અને જીવન ગોઠવવું બીજી. અમિષે તમને જેમ આગળ કહ્યું કે, આજે જીવન ગોઠવવાની વાત કરવી છે, કારણ કે યેનકેન પ્રકારે આપણામાંના ઘણા જીવન તો જીવી જ રહ્યા છે. કોઈપણ વસ્તુ અસ્તવ્યસ્ત હોય અને એને વ્યવસ્થિત રીતે ગોઠવવાનું કામ કપરું છે. યાદ છે, પેલા એક ચિત્રના અનેક ટુકડા યોગ્ય જગ્યા પર ગોઠવીને વળી પાછું એનું એજ ચિત્ર બનવવા વાળી "રમત". ટુકડા ગોઠવવાનું કામ આમ ભલે કપરું લાગે પણ એક વખત આખું ચિત્ર મનમાં સ્પષ્ટ થઇ જાય એટલે પત્યું. જયારે, શતરંજની રમત તો બુદ્ધિશાળીઓની રમત છે કારણ કે, શતરંજની રમત વ્યવસ્થિત ગોઠવણમાંથી અસ્તવ્યસ્ત થઈને "સફળ" થવાની દિશામાં સતત પ્રયત્નશીલ રહેવાની માનવીય પ્રયત્નની રમત છે. શતરંજની રમતમાં તમારા મનમાં જે ચિત્ર છે એને તમારું જ મગજ સતત "પ્રતિસ્પર્ધા" આપી રહ્યું છે, એટલે વારંવાર ટુકડાઓ આઘાં-પાછા કરવા પડે અને સતત પરિસ્થિતિને અનુરૂપ “ચાલ” બદલતા રહેવી પડે. આમતો, આપણું માનવીય જીવન પણ એક પ્રકારે ગોઠવેલુ જ હોય છે ને... તબક્કાવાર એક પછી એક પરિસ્થિતિ આવતી જાય છે અને સહાય મળી રહે છે. હા, શતરંજની રમત પણ બે પ્રકારની હોય છે, "જોરી" અને "નજોરી". જોરી એટલે હાલની "ચેસ" ની રમતમાં જેમ એક સોગઠી બીજી સોગઠીની મદદ કરી શકે છે; એને "જોરી" ની રમત કહેવાય અને "નજોરી" એટલે એક સોગઠી બીજી સોગઠીની મદદ ના કરી શકે તેવી શતરંજની રમત. તમને એમ નથી લાગી રહયું કે જેમ જેમ અમિષ તમને "શતરંજ" ની રમતની વાત આગળ વધારી રહ્યો છે તેમ તેમ જીવન અને શતરંજની રમત વચ્ચેનું કાળું - ધોળું "ઉજળું" થઇ રહ્યું છે...? જો તમને શંકા હોય તો કોઈ વાંધો નથી; તમારી શંકા અસ્થાને નથી. આમપણ જીવન ભલે શતરંજની રમત હશે, પણ જીવન એ કોઈ એકલી રમત તો નથીજ... એટલે જ તો આજની અમિષની રોજનીશી તમારી બધાની વચ્ચે મૂકી રહ્યો છું.
તો મુળ વિચાર એવો છે કે, શું આ જીવન આપણે શતરંજની રમતની જેમ ગોઠવીને જીવી અને જીતી ન શકીએ...? મારા મતે જીવન જીવવાની આ રીત શક્ય છે, જરૂર છે થોડી કૂનેહ અને કળથી કામ લેવાની. તો ચાલો માનવીય જીવનને "ચેસ" ની રમતની જેમ તબક્કાવાર ગોઠવવાની શરૂઆત કરીએ.
સહુથી પેહલા રમતનો પ્રકાર નક્કી કરીએ; "જોરી" કે "નજોરી". તો આ સંસારમાં "નજોરી" પ્રકારની રમતનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. દરેક માનવીને "મન" સાથે "ભક્તિ" અને "મગજ" સાથે "તર્ક" એમ નૈસર્ગીક મદદની ગોઠવણ શ્રીહરીએ પહેલેથીજ કરી આપી છે. હવે બે ખેલાડીની પસંદગી, તો માનવીય જીવનમાં કાયમ "દિલ" અને "દિમાગ" વચ્ચે જ "તાણ" અથવા "ટકરાવ" થતો આવ્યો છે, બરાબર છે ને...? તો બે ખેલાડી એટલે "મન" અને "મગજ" સામસામે ગોઠવાઈ ગયા. રમતનો પ્રકાર અને પક્ષકાર બની ગયા હવે નિયમ; નિયમ જે "પરંપરા" છે એ જ રાખવાની જરૂર છે કારણ કે, જીવનના સંદર્ભમાં "પરંપરા" જ નિયમ છે. આ બાબતમાં કોઈ છટકબારી રાખવી હિતાવહ નથી... મારુંજ લખેલું છે "બચો યમથી, ચાલો નિયમથી". કાયદાશાસ્ત્ર પણ એમ કહે છે કે, કાયદો દરેક માટે "સમાન" હોવો જોઈએ; જેથી કરીને કાયદો કોઈ એક માટે નહીં પણ સમગ્ર સમાજ માટે ઉપયોગી બની રહે. હોદ્દો, સ્થાન, ચાલ અને ઉદેશ્યની બાબતમાં એકવાત નક્કી કે જીવન હોય કે રમત નિયમો "પરંપરા" મુજબનાં જ.
હવે વારો સોગઠીઓના રંગનો તો, સફેદ રંગ "મન" નો અને કાળો "મગજ" નો... રંગ પસંદગીની બાબતમાં અમિષની "રમત" સમજી જવા બદલ તમને બધાને મનમાં મલકાવવાની છુટ છે, આમ પણ મને "લાલો" કેહવાવાળી "ગઈ". એક રાજા, એક વઝીર, બે ઊંટ, બે અશ્વ, બે હાથી અને આઠ પ્યાદા. હવે તમે થોડી અમિષને મદદ કરો તમારા જીવનમાં ઘણા લોકો હશે એ બધા લોકોને ઉપર મુજબના હોદ્દા આપી દો એટલે તમારા જીવનમાં એ દરેક વ્યક્તિના હોદ્દો, સ્થાન અને ચાલ નક્કી થઇ જાય... ઉદેશ્ય તો બધાનો એક છે, “જીતવાનો”. એટલે અમિષનું તમને કેહવું એટલું જ છે કે તમારે તમારા જીવનમાં કોને કેટલું મહત્વ આપવાનું છે, એ તમે એક રાજા તરીકે જાતે પોતે નક્કી કરો. થોડું કપરું કામ છે પણ બાજી ક્યાં એક જ વખત રમવાની છે... ખરું ને...? એકાદ બે બાજી "પરખ" માટે પણ રમી શક્ય એમ છે, શ્રીહરીએ આપણને, મનુષ્યોને એટલી છુટ તો આપીજ છે. ચાલો તમે મને "સેવકી" કરી એટલે અમિષ તમારી એક મદદ કરી શકે એમ છે... મારા શતરંજમાં મારે મનનો અને મગજનો એક - એક "વઝીર" નીમવાનો છે. તો મારો મનનો વજીર "પુસ્તક" છે અને મગજનો વઝીર મારો "વેપાર" છે. એક આડવાત કોઈ વ્યક્તિનું નામ લખીને મારે કોઈ તકરાર ઉભી નથી કરવી એટલે નામને બદલે અન્યનો "પ્રયોગ" કર્યો. હા, એકવાત જરૂર કહીશ કે જીવનની "ચેસ" ની રમત આંતરિક અને બાહ્ય બન્ને સ્તરે રમી અને ગોઠવી શકાય એમ છે, આંતરિકમાં પુસ્તક અને વેપાર જેવી અંગત પસંદને આવરી શકાય એમ છે અને બાહ્ય જીવનની વાત હોય ત્યારે લોકોને. બસ, તો આમ ધીરેધીરે આગળ વાંધો અને તમારા જીવનમાં બધાના "હોદ્દા" (ROLE) નક્કી કરી નાખો અને ચેસ કહો કે જીવન કહો; આ તબક્કે તમને જે યોગ્ય લાગે એ શબ્દનો પ્રયોગ કરો અને પૂર્વનિર્ધારતી નિયમો, ચાલો અને ઉદેશ્યને અનુલક્ષીને "ગોઠવવાનું" કહો કે "જીવવાનું" કહો બસ, શરુ કરી દો. હાથી ઉભો અને આડો જ ચાલી શકે, ઘોડો અઢી ઘર કોઈપણ દિશામાં ચાલી શકે, ઊંટ આડું જ ચાલી શકે, વઝીર ઉભું આડું કોઈપણ દિશામાં ચાલી શકે અને એની જવાબદારી પણ પ્રમુખ રાખો. પ્યાદા ઘણા રાખો જે તમારા જીવનની બાજીની "લાઈન ઓફ કંટ્રોલ" જેવા હોય અને ત્યારબાદ "લાઈન ઓફ ડિફેન્સ" તમારા હાથી, ઊંટ અને ઘોડાને સોંપી દો. વઝીરને સંકટ સમયની લાઠી અને "ગેમ ચેન્જર" તરીકે ગોઠવો. અનિવાર્ય સંજોગો સિવાય "રાજા" ને હલાવવાની કોશિષ ન કરશો અને બને તેટલું રાજાને "સ્થિર" રાખવાનો પ્રયત્ન કરો. હા, ચેસની રમતમાં જેમ "કેસલીંગ" નો વિકલ્પ છે એને પણ જીવનમાં અપનાવો... "કેસલીંગ" વિષે થોડો જાતે અભ્યાસ કરી લેશો એવી નમ્ર વિનંતી છે.
તો આમ, તમારા જીવનની "આંતરિક" અને "બાહ્ય" બાબતોને શતરંજના પટ ઉપર ગોઠવો અને વ્યસ્ત થઈ જાઓ, વ્યવસ્થિતમાંથી અસ્તવ્યસ્ત ચાલીને "જીત" તરફ ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધો. આગલી હારમાંથી નવી જીતની "રાહ" શોધો, મનની ભુલ જાણી એ કામ મગજને સુપરત કરો અને મગજની ખામી, મનને દૂર કરવાની જવાબદારી આપી જુઓ. એમ કરવાથી પણ જો જામે નહીં તો સોગઠીઓ બદલો, હાથીનું કામ ઘોડા પાસે કરાવી જુઓ અને પ્યાદાને એકને બદલે બે ચોકઠાં કુદાવો, કોશિષ કરો કે પ્યાદું "વઝીર" ને ઘેરીને માત આપે, અગાઉથી નક્કી કરેલ નિયમોમાં રહીને નવા યત્નો અને પ્રયત્નો કરો. એકવાત ખાસ યાદ રાખજો, અમિષ તમને યત્ન અને પ્રયત્ન કરવાનું કહી રહ્યો છે, "અખતરા" કરવાનું નહીં. અખતરા શબ્દમાંજ "ખતરો" પહેલેથી ઉમેરાયેલો છે અને શતરંજની રમતમાં "સોગઠાં" ની રમતની જેમ ચાર "અમાત" ચોકઠાં (Safe House) આવતા નથી એટલે સાચવીને રમો, સોગઠાંબાજીમાં "પાસા" ચાલ નક્કી કરે છે અને શતરંજમાં "તમે" ચાલ નક્કી કરો છો. એટલેજ શતરંજ ને "રમત" અને સોગઠાંબાજીને "બાજી" કહેવામાં આવે છે. આજની છેલ્લી એક આડવાત, મારા મતે "બાજી" ઈશ્વરીય હોય છે અને "રમત" માનવીય. બાજીમાં "માત" ઈશ્વર આપે એવો સહજ નિયમ અપનાવવો હિતાવહ છે અને રમતમાં માનવી. વેદવ્યાસજી પાસેથી યુધિષ્ઠિર "રમત" અને "બાજી" બન્ને વચ્ચેનો ભેદ તો જાણીજ લીધો હશે પણ "ધર્મરાજ" હોવાના કારણે એમણે "બાજી" અને "રમત" બન્નેના પરંપરાગત નિયમો અવગણ્યા અને પરિણામ આપણે સહુ જાણીએજ છીએ. એટલે ફરી એક વખત કહું છું નિયમોની બાબતમાં "પરંપરા" જાળવવી જેટલી હિતાવહ છે એટલું હિતાવહ બીજું કશું નથી.
હવે પેલી "રાજપાટ" અને "રાજપાઠ" વળી અધૂરી વાત પુરી કરવાનો સમય આવી ગયો છે. "શતરંજ" ની રમતમાં કેટલીયે સોગઠીઓ "માત" ખાશે અને કેટલીયે સોગઠીઓ "માત" આપશે, સાથે સાથે એ વાત પણ એટલીજ મહત્વની છે કે તમારું મન કે મગજ સામે પક્ષના રાજાને કેટલું વેહલું અને સહુથી ઓછા સોગઠીઓના નુકસાન સાથે તથા સહુથી વધારે સોગઠીઓને સાથે રાખીને, ઘેરીને "માત" આપે છે. “પટ” અને “પાઠ” વચ્ચે ભેદ એટલોજ છે કે ભલે વાસુદેવ શ્રીકૃષ્ણની જેમ આપણે ચોસઠે ચોસઠ ખાનાં સર ના કરી શકીએ, પણ બુદ્ધિશાળી હોવા કાજે એટલો પ્રયત્ન તો કરવોજ રહ્યો કે "પટ" જતું કરવું પડે તો કરીને પણ "પાઠ" બચાવી શકીએ.
એ વાત તો રમત શરુ કરતાં પેહલાથી જ નક્કી છે કે રમત પુરી થતા સુધીમાં બેમાંથી કોઈ એક જ જીતશે અને બીજો હારશે, પણ મન અને મગજ બન્ને રાજા છે અને રાજા રહેવાના છે; બન્ને "રાજા" કાયમ માટે "પટ" પર રહેવાના છે. એ વાત પણ ખરી કે જયારે “જીવનપટ” બંધ થઇ જશે, ત્યારે કોઈ રાજા નહીં રહે, નહીં કોઈ સોગઠી બાકી રહે.
"શતરંજ" ની રમતમાં બન્ને ખેલાડી સક્ષમ હશે તો રમતમાં હાર - જીત સિવાય "ડ્રો" પણ થઇ શકે છે; પણ એ "સંઘર્ષ" બાદ જ શક્ય છે. જયારે જીવનની "શતરંજ" માં "ડ્રો" નો વિકલ્પ રમત શરુ થતાં પહેલા જ વિના કોઈ "સંઘર્ષે" હાથવગો શ્રીહરીએ ગોઠવી આપ્યો છે.
અમીષ જે. દાદાવાલા
Share – Like – Comment
વાત "ચેસ" એટલે "શતરંજ" ની હતી... તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતી ભાષામાં "ચેસ" માટે કોઈ અલાયદો શબ્દ નથી... જેમ સોગઠાંની રમત માટે અંગ્રેજીમાં "LUDO " શબ્દ છે એમ. હા, પણ સંસ્કૃતમાં "શતરંજ" ને "ચતુરંગ" કહે છે... જો આ બન્ને શબ્દોનો અર્થ તારવીએ તો અલગ અલગ અર્થ સામે આવે છે... ચતુરંગ એટલે જેને ચાર અંગ છે એવી રમત... અને શતરંજ એટલે "૧૦૦ - રંજ" (એકસો દુઃખ). સંસ્કૃતમાં જે શબ્દ છે એ રાજા-મહારાજોઓની આ રમત છે એ દિશામાં ઈશારો કરે છે અને હિન્દીમાં શતરંજ શબ્દ સામાન્ય માનવીની આ રમત છે એ દિશામાં ઈશારો કરે છે. થોડું અલગ રીતે વિચારીએ તો રાજા મહારાજને દુઃખ હોય શકે છે પણ એકસો દુઃખ, એ વાત થોડી સમજવામાં કપરી લાગે છે. હશે, શબ્દોની રમત (જાણકારી) ઘણી થઈ ગઈ, હવે થોડી વાસ્તવિક વાત પણ કરી લઈએ. તો મારી જાણકારી મુજબ શતરંજની રમત રાવણની રાણી “મંદોદરી” દ્વારા રાવણના મનોરંજન માટે વિકસાવવામાં આવી હતી અને જે બાદમાં ભારત આવી અને ભારતમાંથી ઈરાન અને ત્યારબાદ આરબ લોકો સુધી પોહચી. “તિથિતત્વ” નામના ગ્રંથમાં વેદવ્યાસજી દ્વારા "શતરંજ" ની રમતની સમજણ યુધિષ્ઠિરને આપવામાં આવી છે એવો ઉલ્લેખ મળી આવે છે.
આ બધી વાત તમને સહુને એટલા માટે કરી રહ્યો છું જેથી એ જાણી શકાય કે "શતરંજ" ની રમત એ કોઈ આજકાલની રમત નથી, કટાક્ષ નથી કરી રહ્યો, પણ એટલું ચોક્કસ કહીશ કે આજકાલની રમત એટલે હોકી, ફૂટબોલ, ક્રિકેટ વગેરે વગેરે રમત તરફ અમીષનો ઈશારો અવશ્ય છે. કહેવાય છે કે શતરંજની રમત એ બુદ્ધિશાળી લોકોની રમત છે, પણ શું આ વાત અયોગ્ય નથી જણાતી...? જો જીવન એક શતરંજની રમત છે તો પછી જીવન તો આપણે બધા જીવી જ રહ્યા છે... ખરું ને...? તો પછી બુદ્ધિશાળીઓની જ રમત છે એમ કેમ કહી શકાય અથવા તો એમ સમજવું પડે કે આપણામાંના કેટલાક બુદ્ધિશાળી નથી...! સીમિત વિકલ્પોમાંથી પસંદગી કરવી થોડી કપરી છે... એટલે એવું માની લઉં છું કે, આપણે બધા બુદ્ધિશાળી છીએ અને કોઈ વિવાદ ન છેડતાં અમિષની રોજનીશી આગળ વધારું છું.
તો શતરંજની રમત કુલ ૬૪ ખાનાની રમત છે... વેદવ્યાસજી, ૬૪ અને જીવન; આ ત્રણ શબ્દો એકસાથે અમિષના ધ્યાને આવે અને અમિષને એનો "કૃષ્ણ" યાદ ન આવે એવું બને ખરું...!? ના બને... કદાપી ના બને…! તો પેહલા થોડી કૃષ્ણની વાત કરી લઈએ વાસુદેવ શ્રીકૃષ્ણની પ્રિય રમત કઈ...? રમત શબ્દ સીધેસીધો બે અર્થમાં લઇ શકાય એમ છે... બાળપણના સંદર્ભમાં રમત એટલે ધમાલ - મસ્તી - ખેલકૂદ અને જીવનના બાકીના તબક્કમાં "રમત" એટલે ગરબડ - ચાલ – છળ – છેતરપીંડી; કેવી અજબગજબ વાત છે ને, શબ્દના અર્થનું પણ ઉંમર સાથે બદલાવવું...! હશે, આપણે તો આપણા "લાલા" ની વાત કરવાની છે અને મારો લાલો તો આજે પાંચ હજાર વર્ષ પછી પણ “લાલો” જ છે... એટલે આપણે લાલાનાં સંદર્ભમાં "રમત" એટલે ખેલકૂદ જ લઇશું. તો લાલાની પેહલી પસંદની રમત એટલે “ગેડીદડો” અને બીજી મનગમતી રમત એટલે "સોગઠાં" ની રમત... તમને જાણીને નવાઈ લાગશે કે શતરંજ અને સોગઠાંની રમતમાં રમી શકાય એવા ખાનાની સંખ્યા એક સરખી છે "૬૪". રમી શકાય એવો શબ્દપ્રયોગ એટલા માટે કર્યો કારણ કે સોગઠાંની રમતમાં "૪" ખાનાં એવા હોય છે કે જ્યાં "માત" આપી શકતી નથી. હા, સોગઠાંની રમતમાં કુલ ખાનાં ૬૪ + ૪ એમ “અડસઠ” ખાનાં હોય છે. તો શતરંજ અને સોગઠાંની રમતમાં આમ જોવા જઈએ તો એક બાબતની સામ્યતા છે કે બન્ને રમતમાં હારનારને "રાજપાઠ" ખોવાનો વારો આવતો હોય છે. એક આડવાત... ગુજરાતીમાં નજીક નજીકના બે શબ્દો છે... "રાજપાટ" અને "રાજપાઠ", રાજપાટનો અર્થ "સિંહાસન" અથવા "સરકાર" થાય છે અને રાજપાઠનો અર્થ "રાજાનું પાત્ર" એવો થાય છે. સિંહાસન કે સરકાર એક વખત જતા રહે તો કુનેહ અને કળથી પાછા મેળવી શકાય છે, પણ જો રાજા તરીકેની "પાત્રતા" જ જતી રહે તો... ૐ નમઃ શિવાય.
આ વાત ખાસ યાદ રાખજો કારણ કે "રાજપાટ" - "રાજપાઠ" અને શતરંજની રમત વચ્ચેનો સ્પષ્ટ સંબંધ અમિષની આજની રોજનીશીના છેલ્લા શબ્દો હશે.
તો, જીવન અને શતરંજ; હા, મારા મતે આ બન્ને એકજ વાત છે... જીવન જીવવું એક વાત છે અને જીવન ગોઠવવું બીજી. અમિષે તમને જેમ આગળ કહ્યું કે, આજે જીવન ગોઠવવાની વાત કરવી છે, કારણ કે યેનકેન પ્રકારે આપણામાંના ઘણા જીવન તો જીવી જ રહ્યા છે. કોઈપણ વસ્તુ અસ્તવ્યસ્ત હોય અને એને વ્યવસ્થિત રીતે ગોઠવવાનું કામ કપરું છે. યાદ છે, પેલા એક ચિત્રના અનેક ટુકડા યોગ્ય જગ્યા પર ગોઠવીને વળી પાછું એનું એજ ચિત્ર બનવવા વાળી "રમત". ટુકડા ગોઠવવાનું કામ આમ ભલે કપરું લાગે પણ એક વખત આખું ચિત્ર મનમાં સ્પષ્ટ થઇ જાય એટલે પત્યું. જયારે, શતરંજની રમત તો બુદ્ધિશાળીઓની રમત છે કારણ કે, શતરંજની રમત વ્યવસ્થિત ગોઠવણમાંથી અસ્તવ્યસ્ત થઈને "સફળ" થવાની દિશામાં સતત પ્રયત્નશીલ રહેવાની માનવીય પ્રયત્નની રમત છે. શતરંજની રમતમાં તમારા મનમાં જે ચિત્ર છે એને તમારું જ મગજ સતત "પ્રતિસ્પર્ધા" આપી રહ્યું છે, એટલે વારંવાર ટુકડાઓ આઘાં-પાછા કરવા પડે અને સતત પરિસ્થિતિને અનુરૂપ “ચાલ” બદલતા રહેવી પડે. આમતો, આપણું માનવીય જીવન પણ એક પ્રકારે ગોઠવેલુ જ હોય છે ને... તબક્કાવાર એક પછી એક પરિસ્થિતિ આવતી જાય છે અને સહાય મળી રહે છે. હા, શતરંજની રમત પણ બે પ્રકારની હોય છે, "જોરી" અને "નજોરી". જોરી એટલે હાલની "ચેસ" ની રમતમાં જેમ એક સોગઠી બીજી સોગઠીની મદદ કરી શકે છે; એને "જોરી" ની રમત કહેવાય અને "નજોરી" એટલે એક સોગઠી બીજી સોગઠીની મદદ ના કરી શકે તેવી શતરંજની રમત. તમને એમ નથી લાગી રહયું કે જેમ જેમ અમિષ તમને "શતરંજ" ની રમતની વાત આગળ વધારી રહ્યો છે તેમ તેમ જીવન અને શતરંજની રમત વચ્ચેનું કાળું - ધોળું "ઉજળું" થઇ રહ્યું છે...? જો તમને શંકા હોય તો કોઈ વાંધો નથી; તમારી શંકા અસ્થાને નથી. આમપણ જીવન ભલે શતરંજની રમત હશે, પણ જીવન એ કોઈ એકલી રમત તો નથીજ... એટલે જ તો આજની અમિષની રોજનીશી તમારી બધાની વચ્ચે મૂકી રહ્યો છું.
તો મુળ વિચાર એવો છે કે, શું આ જીવન આપણે શતરંજની રમતની જેમ ગોઠવીને જીવી અને જીતી ન શકીએ...? મારા મતે જીવન જીવવાની આ રીત શક્ય છે, જરૂર છે થોડી કૂનેહ અને કળથી કામ લેવાની. તો ચાલો માનવીય જીવનને "ચેસ" ની રમતની જેમ તબક્કાવાર ગોઠવવાની શરૂઆત કરીએ.
સહુથી પેહલા રમતનો પ્રકાર નક્કી કરીએ; "જોરી" કે "નજોરી". તો આ સંસારમાં "નજોરી" પ્રકારની રમતનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. દરેક માનવીને "મન" સાથે "ભક્તિ" અને "મગજ" સાથે "તર્ક" એમ નૈસર્ગીક મદદની ગોઠવણ શ્રીહરીએ પહેલેથીજ કરી આપી છે. હવે બે ખેલાડીની પસંદગી, તો માનવીય જીવનમાં કાયમ "દિલ" અને "દિમાગ" વચ્ચે જ "તાણ" અથવા "ટકરાવ" થતો આવ્યો છે, બરાબર છે ને...? તો બે ખેલાડી એટલે "મન" અને "મગજ" સામસામે ગોઠવાઈ ગયા. રમતનો પ્રકાર અને પક્ષકાર બની ગયા હવે નિયમ; નિયમ જે "પરંપરા" છે એ જ રાખવાની જરૂર છે કારણ કે, જીવનના સંદર્ભમાં "પરંપરા" જ નિયમ છે. આ બાબતમાં કોઈ છટકબારી રાખવી હિતાવહ નથી... મારુંજ લખેલું છે "બચો યમથી, ચાલો નિયમથી". કાયદાશાસ્ત્ર પણ એમ કહે છે કે, કાયદો દરેક માટે "સમાન" હોવો જોઈએ; જેથી કરીને કાયદો કોઈ એક માટે નહીં પણ સમગ્ર સમાજ માટે ઉપયોગી બની રહે. હોદ્દો, સ્થાન, ચાલ અને ઉદેશ્યની બાબતમાં એકવાત નક્કી કે જીવન હોય કે રમત નિયમો "પરંપરા" મુજબનાં જ.
હવે વારો સોગઠીઓના રંગનો તો, સફેદ રંગ "મન" નો અને કાળો "મગજ" નો... રંગ પસંદગીની બાબતમાં અમિષની "રમત" સમજી જવા બદલ તમને બધાને મનમાં મલકાવવાની છુટ છે, આમ પણ મને "લાલો" કેહવાવાળી "ગઈ". એક રાજા, એક વઝીર, બે ઊંટ, બે અશ્વ, બે હાથી અને આઠ પ્યાદા. હવે તમે થોડી અમિષને મદદ કરો તમારા જીવનમાં ઘણા લોકો હશે એ બધા લોકોને ઉપર મુજબના હોદ્દા આપી દો એટલે તમારા જીવનમાં એ દરેક વ્યક્તિના હોદ્દો, સ્થાન અને ચાલ નક્કી થઇ જાય... ઉદેશ્ય તો બધાનો એક છે, “જીતવાનો”. એટલે અમિષનું તમને કેહવું એટલું જ છે કે તમારે તમારા જીવનમાં કોને કેટલું મહત્વ આપવાનું છે, એ તમે એક રાજા તરીકે જાતે પોતે નક્કી કરો. થોડું કપરું કામ છે પણ બાજી ક્યાં એક જ વખત રમવાની છે... ખરું ને...? એકાદ બે બાજી "પરખ" માટે પણ રમી શક્ય એમ છે, શ્રીહરીએ આપણને, મનુષ્યોને એટલી છુટ તો આપીજ છે. ચાલો તમે મને "સેવકી" કરી એટલે અમિષ તમારી એક મદદ કરી શકે એમ છે... મારા શતરંજમાં મારે મનનો અને મગજનો એક - એક "વઝીર" નીમવાનો છે. તો મારો મનનો વજીર "પુસ્તક" છે અને મગજનો વઝીર મારો "વેપાર" છે. એક આડવાત કોઈ વ્યક્તિનું નામ લખીને મારે કોઈ તકરાર ઉભી નથી કરવી એટલે નામને બદલે અન્યનો "પ્રયોગ" કર્યો. હા, એકવાત જરૂર કહીશ કે જીવનની "ચેસ" ની રમત આંતરિક અને બાહ્ય બન્ને સ્તરે રમી અને ગોઠવી શકાય એમ છે, આંતરિકમાં પુસ્તક અને વેપાર જેવી અંગત પસંદને આવરી શકાય એમ છે અને બાહ્ય જીવનની વાત હોય ત્યારે લોકોને. બસ, તો આમ ધીરેધીરે આગળ વાંધો અને તમારા જીવનમાં બધાના "હોદ્દા" (ROLE) નક્કી કરી નાખો અને ચેસ કહો કે જીવન કહો; આ તબક્કે તમને જે યોગ્ય લાગે એ શબ્દનો પ્રયોગ કરો અને પૂર્વનિર્ધારતી નિયમો, ચાલો અને ઉદેશ્યને અનુલક્ષીને "ગોઠવવાનું" કહો કે "જીવવાનું" કહો બસ, શરુ કરી દો. હાથી ઉભો અને આડો જ ચાલી શકે, ઘોડો અઢી ઘર કોઈપણ દિશામાં ચાલી શકે, ઊંટ આડું જ ચાલી શકે, વઝીર ઉભું આડું કોઈપણ દિશામાં ચાલી શકે અને એની જવાબદારી પણ પ્રમુખ રાખો. પ્યાદા ઘણા રાખો જે તમારા જીવનની બાજીની "લાઈન ઓફ કંટ્રોલ" જેવા હોય અને ત્યારબાદ "લાઈન ઓફ ડિફેન્સ" તમારા હાથી, ઊંટ અને ઘોડાને સોંપી દો. વઝીરને સંકટ સમયની લાઠી અને "ગેમ ચેન્જર" તરીકે ગોઠવો. અનિવાર્ય સંજોગો સિવાય "રાજા" ને હલાવવાની કોશિષ ન કરશો અને બને તેટલું રાજાને "સ્થિર" રાખવાનો પ્રયત્ન કરો. હા, ચેસની રમતમાં જેમ "કેસલીંગ" નો વિકલ્પ છે એને પણ જીવનમાં અપનાવો... "કેસલીંગ" વિષે થોડો જાતે અભ્યાસ કરી લેશો એવી નમ્ર વિનંતી છે.
તો આમ, તમારા જીવનની "આંતરિક" અને "બાહ્ય" બાબતોને શતરંજના પટ ઉપર ગોઠવો અને વ્યસ્ત થઈ જાઓ, વ્યવસ્થિતમાંથી અસ્તવ્યસ્ત ચાલીને "જીત" તરફ ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધો. આગલી હારમાંથી નવી જીતની "રાહ" શોધો, મનની ભુલ જાણી એ કામ મગજને સુપરત કરો અને મગજની ખામી, મનને દૂર કરવાની જવાબદારી આપી જુઓ. એમ કરવાથી પણ જો જામે નહીં તો સોગઠીઓ બદલો, હાથીનું કામ ઘોડા પાસે કરાવી જુઓ અને પ્યાદાને એકને બદલે બે ચોકઠાં કુદાવો, કોશિષ કરો કે પ્યાદું "વઝીર" ને ઘેરીને માત આપે, અગાઉથી નક્કી કરેલ નિયમોમાં રહીને નવા યત્નો અને પ્રયત્નો કરો. એકવાત ખાસ યાદ રાખજો, અમિષ તમને યત્ન અને પ્રયત્ન કરવાનું કહી રહ્યો છે, "અખતરા" કરવાનું નહીં. અખતરા શબ્દમાંજ "ખતરો" પહેલેથી ઉમેરાયેલો છે અને શતરંજની રમતમાં "સોગઠાં" ની રમતની જેમ ચાર "અમાત" ચોકઠાં (Safe House) આવતા નથી એટલે સાચવીને રમો, સોગઠાંબાજીમાં "પાસા" ચાલ નક્કી કરે છે અને શતરંજમાં "તમે" ચાલ નક્કી કરો છો. એટલેજ શતરંજ ને "રમત" અને સોગઠાંબાજીને "બાજી" કહેવામાં આવે છે. આજની છેલ્લી એક આડવાત, મારા મતે "બાજી" ઈશ્વરીય હોય છે અને "રમત" માનવીય. બાજીમાં "માત" ઈશ્વર આપે એવો સહજ નિયમ અપનાવવો હિતાવહ છે અને રમતમાં માનવી. વેદવ્યાસજી પાસેથી યુધિષ્ઠિર "રમત" અને "બાજી" બન્ને વચ્ચેનો ભેદ તો જાણીજ લીધો હશે પણ "ધર્મરાજ" હોવાના કારણે એમણે "બાજી" અને "રમત" બન્નેના પરંપરાગત નિયમો અવગણ્યા અને પરિણામ આપણે સહુ જાણીએજ છીએ. એટલે ફરી એક વખત કહું છું નિયમોની બાબતમાં "પરંપરા" જાળવવી જેટલી હિતાવહ છે એટલું હિતાવહ બીજું કશું નથી.
હવે પેલી "રાજપાટ" અને "રાજપાઠ" વળી અધૂરી વાત પુરી કરવાનો સમય આવી ગયો છે. "શતરંજ" ની રમતમાં કેટલીયે સોગઠીઓ "માત" ખાશે અને કેટલીયે સોગઠીઓ "માત" આપશે, સાથે સાથે એ વાત પણ એટલીજ મહત્વની છે કે તમારું મન કે મગજ સામે પક્ષના રાજાને કેટલું વેહલું અને સહુથી ઓછા સોગઠીઓના નુકસાન સાથે તથા સહુથી વધારે સોગઠીઓને સાથે રાખીને, ઘેરીને "માત" આપે છે. “પટ” અને “પાઠ” વચ્ચે ભેદ એટલોજ છે કે ભલે વાસુદેવ શ્રીકૃષ્ણની જેમ આપણે ચોસઠે ચોસઠ ખાનાં સર ના કરી શકીએ, પણ બુદ્ધિશાળી હોવા કાજે એટલો પ્રયત્ન તો કરવોજ રહ્યો કે "પટ" જતું કરવું પડે તો કરીને પણ "પાઠ" બચાવી શકીએ.
એ વાત તો રમત શરુ કરતાં પેહલાથી જ નક્કી છે કે રમત પુરી થતા સુધીમાં બેમાંથી કોઈ એક જ જીતશે અને બીજો હારશે, પણ મન અને મગજ બન્ને રાજા છે અને રાજા રહેવાના છે; બન્ને "રાજા" કાયમ માટે "પટ" પર રહેવાના છે. એ વાત પણ ખરી કે જયારે “જીવનપટ” બંધ થઇ જશે, ત્યારે કોઈ રાજા નહીં રહે, નહીં કોઈ સોગઠી બાકી રહે.
"શતરંજ" ની રમતમાં બન્ને ખેલાડી સક્ષમ હશે તો રમતમાં હાર - જીત સિવાય "ડ્રો" પણ થઇ શકે છે; પણ એ "સંઘર્ષ" બાદ જ શક્ય છે. જયારે જીવનની "શતરંજ" માં "ડ્રો" નો વિકલ્પ રમત શરુ થતાં પહેલા જ વિના કોઈ "સંઘર્ષે" હાથવગો શ્રીહરીએ ગોઠવી આપ્યો છે.