અંદર બ્હાર સતત પ્રવાસ ચાલ્યાં કરે છે. નવું ઉમેરણ થતાં જૂનું ભૂલાતું ભૂંસાતું જાય છે. Change is unchangeable. નદીનું પાણી પ્રવાહ બદલાતાં જાય છે. જે નદીમાં આપ ઉતરો છે સ્નાન બાદ નતો તમે એનાં એ હોવ છો કે નતો નદી. આવું કઇંક ફિલોસોફીકલ.
on line નાં સમયમાં કેટલાંક ફેરફારોએ આપણી વિચારવાની શક્તિઓ પર પડદો પાડ્યો છે. સંબંધોના મૂલ્યો બદલાતાં price અને valueનાં અંતરો સમજાવી શક્યા નથી કે સમજી શક્યા પણ નથી. એક સૂત્રતાં જ જોખમાંઇ છે. દરજી જેવાં આપણાં સમાજનાં પાયાના સેવકો જે જીવન જીવવાની કેવી ફિલોસોફી શિખવતાં હતાં! ભલે આપણું માપ એની પાસે મોજુદ હોય છતાં આપણે જ્યારે કપડાં સિવડાવવાં જતાં ત્યારે એ ફરીવાર માપ લેતો. અનાયાસે પૂવૅધારણાઓ છોડી ફરીવાર તમને એ માપી જોતો.કેમ? કારણ ફક્ત એટલું જ કે એકવાર વેતરણ થઈ જાય પછી કશું જ ન ફેરફારી શકાય. અર્થાત્ કે જો પૂવૅધારણાં ના આધારે જો વ્યવહાર કરી નાખીએ તો માણસ કે એનું મન બદલાયું હોય તો એ મનદુ:ખનું કારણ બને. આપણે ધારણાઓથી પણ સતત બદલાતાં રહેવું જોઇએ.
બિથોવન નામનાં સંગીતકારે પોતાની અદભૂત સિમ્ફની Moonlight Sonataની પાછળ એક અંધજન ગરીબ ચામડાનું કામ કરતાં ભાવકની કથા છે. તો ક્યાંક મહાન નાટ્યકાર શેક્શપિયરે life is a stage કહ્યું છે. એક સવારે forwarded messageમાં આપણ ને એવું જ્ઞાન પણ મળી આવે છે કે 'તમારું હશે એ જશે નહીં ને જે જશે એ તમારું હશે નહીં' કહેનારાંઓ ચીન વિશે એવું કહે છે કે એ દરવખત બેફિઝૂલ વાતોને લંબાવી આપણું ધ્યાન મુખ્ય બાબત પર થી બીજે દોરવી આપણી જમીનો પર કબજો જમાવી લે છે એવું કઇંક!
તમને થયું કંઇ? સ્હેજે સમજાયું કંઇ?
ઉપરોક્ત બાબત લખવાનો શું મતલબ છે? લખનાર કન્ફ્યુઝ છે? એણે ભાંગ પીધી લાગે છે!! હજુ કશું જ હાથ લાગ્યું કેમ નહીં? શું કહેવું છે આને? આ સાથે બધાને સ્ટેચ્યુ કહેવાનું મન થાય છે. શું કંટાળાજનક છે આ બધું પરંતું A+વાતે આજે એટલું જ કહેવું છે કે આજ આપણી આંગણીનાં ટેરવે what'up, facebook, Instagram, twitter કે linked in મારફતે આવું તો કંઈ કેટલુંય અસંબંધ - અસંગત નજરે ચઢે છે. કેટલું આપણાં કામનું છે? ક્યારેય નિરાંતે વિચાર્યું છે ખરું? આપણાં જીવનનું તથ્ય -સત્ય -સત્વ ક્યાં ગયું. અરે,શું કરવાનું છે? એ લક્ષ્ય ક્યાં ગયું? પોતાની અંદર ચાલતાં ઉન્માદોને સ્થાયી ભાવ આપવાનો સમય એ આ પળે જ છે. બેસો નિરાંતે આ છિછરાં એવાં handset ને કોરાણે મૂકીને અરિસા સામે બે ઘડી તાકીને આંખો બે મિનિટ માટે બંધ કરીને શાંત ચિત્તે પોતાનાં ચહેરાને જોવાની કોશિષ કરોને પોતાને હળવેકથી મનોમન પ્રશ્ર્ન પૂછો કે હું કોણ છું? ને જે જવાબ મળે એ તરફની ગતિ આરંભો ને સ્વિકારતાં જાવ જેવાં છો એને. A+વાતે આજે ફક્ત એટલું જ કે બ્હારની પરિસ્થિતિઓ ગમે એવી બદલાય પણ પોતાની અંદર રહેલી શાંતિને ક્યારેય કોઈ ખલેલ ન પહોંચે એવી સ્થિતિ રાખવી એ યોગ છે. સ્વસ્થ રહો.મસ્ત રહો.વ્યસ્ત રહો.
Share – Like – Comment
positivevaato@gmail.com
અંદર બ્હાર સતત પ્રવાસ ચાલ્યાં કરે છે. નવું ઉમેરણ થતાં જૂનું ભૂલાતું ભૂંસાતું જાય છે. Change is unchangeable. નદીનું પાણી પ્રવાહ બદલાતાં જાય છે. જે નદીમાં આપ ઉતરો છે સ્નાન બાદ નતો તમે એનાં એ હોવ છો કે નતો નદી. આવું કઇંક ફિલોસોફીકલ.
on line નાં સમયમાં કેટલાંક ફેરફારોએ આપણી વિચારવાની શક્તિઓ પર પડદો પાડ્યો છે. સંબંધોના મૂલ્યો બદલાતાં price અને valueનાં અંતરો સમજાવી શક્યા નથી કે સમજી શક્યા પણ નથી. એક સૂત્રતાં જ જોખમાંઇ છે. દરજી જેવાં આપણાં સમાજનાં પાયાના સેવકો જે જીવન જીવવાની કેવી ફિલોસોફી શિખવતાં હતાં! ભલે આપણું માપ એની પાસે મોજુદ હોય છતાં આપણે જ્યારે કપડાં સિવડાવવાં જતાં ત્યારે એ ફરીવાર માપ લેતો. અનાયાસે પૂવૅધારણાઓ છોડી ફરીવાર તમને એ માપી જોતો.કેમ? કારણ ફક્ત એટલું જ કે એકવાર વેતરણ થઈ જાય પછી કશું જ ન ફેરફારી શકાય. અર્થાત્ કે જો પૂવૅધારણાં ના આધારે જો વ્યવહાર કરી નાખીએ તો માણસ કે એનું મન બદલાયું હોય તો એ મનદુ:ખનું કારણ બને. આપણે ધારણાઓથી પણ સતત બદલાતાં રહેવું જોઇએ.
બિથોવન નામનાં સંગીતકારે પોતાની અદભૂત સિમ્ફની Moonlight Sonataની પાછળ એક અંધજન ગરીબ ચામડાનું કામ કરતાં ભાવકની કથા છે. તો ક્યાંક મહાન નાટ્યકાર શેક્શપિયરે life is a stage કહ્યું છે. એક સવારે forwarded messageમાં આપણ ને એવું જ્ઞાન પણ મળી આવે છે કે 'તમારું હશે એ જશે નહીં ને જે જશે એ તમારું હશે નહીં' કહેનારાંઓ ચીન વિશે એવું કહે છે કે એ દરવખત બેફિઝૂલ વાતોને લંબાવી આપણું ધ્યાન મુખ્ય બાબત પર થી બીજે દોરવી આપણી જમીનો પર કબજો જમાવી લે છે એવું કઇંક!
તમને થયું કંઇ? સ્હેજે સમજાયું કંઇ?
ઉપરોક્ત બાબત લખવાનો શું મતલબ છે? લખનાર કન્ફ્યુઝ છે? એણે ભાંગ પીધી લાગે છે!! હજુ કશું જ હાથ લાગ્યું કેમ નહીં? શું કહેવું છે આને? આ સાથે બધાને સ્ટેચ્યુ કહેવાનું મન થાય છે. શું કંટાળાજનક છે આ બધું પરંતું A+વાતે આજે એટલું જ કહેવું છે કે આજ આપણી આંગણીનાં ટેરવે what'up, facebook, Instagram, twitter કે linked in મારફતે આવું તો કંઈ કેટલુંય અસંબંધ - અસંગત નજરે ચઢે છે. કેટલું આપણાં કામનું છે? ક્યારેય નિરાંતે વિચાર્યું છે ખરું? આપણાં જીવનનું તથ્ય -સત્ય -સત્વ ક્યાં ગયું. અરે,શું કરવાનું છે? એ લક્ષ્ય ક્યાં ગયું? પોતાની અંદર ચાલતાં ઉન્માદોને સ્થાયી ભાવ આપવાનો સમય એ આ પળે જ છે. બેસો નિરાંતે આ છિછરાં એવાં handset ને કોરાણે મૂકીને અરિસા સામે બે ઘડી તાકીને આંખો બે મિનિટ માટે બંધ કરીને શાંત ચિત્તે પોતાનાં ચહેરાને જોવાની કોશિષ કરોને પોતાને હળવેકથી મનોમન પ્રશ્ર્ન પૂછો કે હું કોણ છું? ને જે જવાબ મળે એ તરફની ગતિ આરંભો ને સ્વિકારતાં જાવ જેવાં છો એને. A+વાતે આજે ફક્ત એટલું જ કે બ્હારની પરિસ્થિતિઓ ગમે એવી બદલાય પણ પોતાની અંદર રહેલી શાંતિને ક્યારેય કોઈ ખલેલ ન પહોંચે એવી સ્થિતિ રાખવી એ યોગ છે. સ્વસ્થ રહો.મસ્ત રહો.વ્યસ્ત રહો.