કેવડિયા ખાતે 31 ઓક્ટોબરે વડાપ્રધાનના આગમનને લઈ બેઠકોનો ધમધમાટ
નર્મદા કલેકટર ડી.એ.શાહની રાષ્ટ્રીય એકતા દિવસને અનુલક્ષી 32 સમિતિઓની રચના
સોમવારે નર્મદા કલેક્ટર કચેરીના કોન્ફ્રરન્સ હોલ ખાતે બેઠક
[caption id="attachment_5258" align="aligncenter" width="1280"] Statue of Unity[/caption]
કેવડીયા. આગામી 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ એકતા દિવસની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, 31 ઓક્ટોબર 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું.
31મી ઓક્ટોબરે દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે પણ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે PM મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. નર્મદા, ભરૂચ, વડોદરા રૂરલ અને છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે તમામ તૈયારીઓ આરંભી દેવાઈ છે.
PM મોદીની સુરક્ષા માટે કેવડિયા ખાતે 5 થી 6 હજાર પોલીસનો કાફલો ઉતારી દેવાશે.કેવડિયા ખાતે PMO ના અધિકારીઓ સાથે સંકલન કરી રાજ્યના ઉચ્ચ અધિકારીઓએ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા બેઠકોનો દોર પણ આરંભી દીધો છે. બીજી બાજુ નર્મદા જિલ્લા કલેકટર દ્વારા PM મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર આ કાર્યક્રમને સફળ બનાવવા વિવિધ અધિકારીઓની આગેવાની હેઠળની 32 સમિતિઓની રચના કરાઈ છે.
ઉચ્ચ અધિકારીઓનો બેઠકોનો દૌર
સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કરનારા કેવડિયા ખાતેના સ્થાનિક આદિવાસીઓએ PM મોદીના કાર્યક્રમ દરમિયાન જોરદાર વિરોધ કર્યો હતો. સાથે જ કેવડિયા બંધનું એલાન રાખ્યું હતું. આ વખતે વિરોધને ખાળવા પણ તંત્ર મથી રહ્યું છે. કેવડિયા વિસ્તારના આદિવાસીઓના જે પ્રશ્નો અને માંગણીઓ છે એ સરકાર નિયમો મુજબ લગભગ પૂરી કરી દેવાના મૂળમાં હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
કલેક્ટર દ્વારા રચાયેલી 32 સમિતિ
નર્મદા કલેકટર ડી.એ.શાહ દ્વારા સંકલન સમિતિ, પૂજા વિધિ સમિતિ, પરેડ કલ્ચર સમિતિ, સ્ટેજ ઇવેન્ટ સમિતિ, PM મોદીના ઉદબોધનને લગતી સમિતિ, આમંત્રણ બેઠક વ્યવસ્થા અને રિસેપ્સન અંગેની સંકલન સમિતિ, માહિતી-પ્રસારણ સમિતિ, કાયદો-વ્યવસ્થા સમિતિ, એકોમોડેશન સમિતિ, પાર્કિંગ સમિતિ, ટ્રાફિક વાહન વ્યવહાર સમિતિ, ભોજન અંગેની કામગીરી સંકલન સમિતિ, સાફ સફાઈ સમિતિ, હેલિપેડ સમિતિ, SPG લાયઝન સમિતિ, લાઈટ/સાઉન્ડ વ્યવસ્થા સમિતિ, પ્રોટોકોલ સમિતિ, વાહન વ્યવસ્થા સમિતિ, મંડપ/હેલિપેડ વ્યવસ્થા સમિતિ, આરોગ્ય સમિતિ, પાણી સમિતિ, વીજ પુરવઠા સમિતિ, પાસ વિતરણ સમિતિ, સંદેશા વ્યવહાર સમિતિ, ફૂડ ચેકિંગ સમિતિ, ક્રૂ-મેમ્બર્સ સમિતિ, VVIP સર્કિટ હાઉસ ખાતે વ્યવસ્થાપન સમિતિ, ફાયર સેફટી સંકલન સમિતિ, પોલીસ એકોમોડેશન વ્યવસ્થાપન સમિતિ, કોવીડ/સેનીટેશન સુપરવિઝન સમિતિ, હોમ સ્ટે સમિતિ અને અનામત સમિતિની રચના કરી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવશે.
કેવડિયા ખાતે 31 ઓક્ટોબરે વડાપ્રધાનના આગમનને લઈ બેઠકોનો ધમધમાટ
નર્મદા કલેકટર ડી.એ.શાહની રાષ્ટ્રીય એકતા દિવસને અનુલક્ષી 32 સમિતિઓની રચના
સોમવારે નર્મદા કલેક્ટર કચેરીના કોન્ફ્રરન્સ હોલ ખાતે બેઠક
[caption id="attachment_5258" align="aligncenter" width="1280"] Statue of Unity[/caption]
કેવડીયા. આગામી 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ એકતા દિવસની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, 31 ઓક્ટોબર 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું.
31મી ઓક્ટોબરે દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે પણ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે PM મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. નર્મદા, ભરૂચ, વડોદરા રૂરલ અને છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે તમામ તૈયારીઓ આરંભી દેવાઈ છે.
PM મોદીની સુરક્ષા માટે કેવડિયા ખાતે 5 થી 6 હજાર પોલીસનો કાફલો ઉતારી દેવાશે.કેવડિયા ખાતે PMO ના અધિકારીઓ સાથે સંકલન કરી રાજ્યના ઉચ્ચ અધિકારીઓએ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા બેઠકોનો દોર પણ આરંભી દીધો છે. બીજી બાજુ નર્મદા જિલ્લા કલેકટર દ્વારા PM મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર આ કાર્યક્રમને સફળ બનાવવા વિવિધ અધિકારીઓની આગેવાની હેઠળની 32 સમિતિઓની રચના કરાઈ છે.
ઉચ્ચ અધિકારીઓનો બેઠકોનો દૌર
સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કરનારા કેવડિયા ખાતેના સ્થાનિક આદિવાસીઓએ PM મોદીના કાર્યક્રમ દરમિયાન જોરદાર વિરોધ કર્યો હતો. સાથે જ કેવડિયા બંધનું એલાન રાખ્યું હતું. આ વખતે વિરોધને ખાળવા પણ તંત્ર મથી રહ્યું છે. કેવડિયા વિસ્તારના આદિવાસીઓના જે પ્રશ્નો અને માંગણીઓ છે એ સરકાર નિયમો મુજબ લગભગ પૂરી કરી દેવાના મૂળમાં હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.