સંબંધ કેવા હોવા જોઈએ...?
હમણાં થોડા દિવસ પેહલા ફેસબુક પર એક વિચાર રજુ કર્યો હતો...
સંબંધોનું "ગણિત" પણ "અણુવિજ્ઞાન" જેવું છે,
"બે" માંથી "એક" જાય એટલે "શૂન્ય" રહી જાય...!
મારા ઘણા મિત્રો અને પરિચીત લોકોએ મારી આ પોસ્ટને પસંદ કરી અને અમુકે કોમેન્ટ પણ કરી, કેટલાકે વૉટ્સ એપ કર્યું તો એકલ દોકલે ફોન કર્યા. ચાલો જે પણ થયું સારું થયું અને મને આનંદ છે કે આમાંના કેટલાકના હૃદયને સ્પર્શી શક્યો.
[caption id="attachment_5470" align="aligncenter" width="1366"] ConnectDilse[/caption]
આજની અમિષની વાત આપ સહુની વચ્ચે મુકવાનું કારણ મારા એ ૧૫-૨૦ મિત્રો અને પરીચીતો છે કે જેમણે મારી સાથે મારા વિચાર પર મુક્ત મને વાત કરવાનું પસંદ કર્યું અને મારા એ મિત્રો અને પરીચીતો માટે પણ ખરી કે જેઓ મારી ફેસબૂકની પોસ્ટને વાંચે તો છે, સમજે પણ છે પણ કોઈ પ્રતિક્રિયા (React) નથી કરતા. અમિષની આજની વાત આ બંને ઉપરાંત ત્રીજા પ્રકારના મારા ફેસબુક મિત્રો અને પરીચીતોને પણ એટલીજ સમર્પિત છે જેટલી પ્રથમ બે પ્રકારનાઓ માટે.#ConnectDilse
બહુ વિશાળ વિષય છે એટલે એક પોસ્ટને શોભે એટલું જ લખવાનો પ્રયાશ કરીશ પણ જો થોડું લંબાઈ જાય તો દરગુજર કરશોજી. આ દરગુજર શબ્દનો પ્રયોગ પણ સંબંધો સાચવવા માટે કર્યો છે, ખરેખર… સાચું કહું છું...! બે ઘડીની ટીખળ સમજો કે સમાજનો ક્રમ, જયારે જયારે સંબંધોની વાત આવે ત્યારે ત્યારે મને મારા ચંપાબા, એટલે મારા મમ્મીના મમ્મી; એટલે મારા "નાનીના" હાથનું સુરતી ઢબનું રાજાપુરી કેરીનું ખાટું અથાણું યાદ આવે...! #ConnectDilse
જુવો વાત વાતમાં કેટલા બધા સંબંધો એક જ વાક્યમાં ઉભરી આવ્યા...! મારો અને મારી બા સાથેનો સંબંધ, મારો અને મારી બાના હાથની રસોઈ સાથેનો સંબંધ, મારો અને રાજાપુરી કેરી સાથેનો સંબંધ, મારો અને કેરીના ખાટાં આથણાં સાથેનો સંબંધ અને અંતે મારો અને મારા ખાવા પ્રત્યેના શોખનો અનોખો સંબંધ. જો મારા એક વાક્યમાંથી આટ-આટલા સંબંધો ઉભરી શકતા હોય તો દિવસ દરમિયાન તો આપણે કેટલા બધા વાક્યો બોલતા હોઈએ છીએ... ખરું ને...? તો જરાક વિચાર જો કે જયારે તમે બે વાક્ય બોલો છો ત્યારે, તમે કેવા અને કેટલા સંબંધો ઉજાગર કરો છો... (સારા અને ખરાબ). ઉપરના એક વાક્યથી તમને અમીષના ગમા અને અણગમા વિષે થોડો ખ્યાલ આવી ગયો હશે અને સાથે સાથે તમે બીજી એક વાત પણ જાણી લીધી હશે કે આ પણ એક રીત છે જેના થકી આપણે આપણા મિત્રો અને પરીચીતો વિષે થોડું વધુ જાણી શક્યે છીએ, વિના કોઈ ખણખોદ કરીએ. તો ચાલો પૂર્વભૂમિકા અને ઉદાહરણ પછી મૂળ વિષયમાં થોડા ઊંડા ઉતરવાનો પ્રયાસ કરીએ.
સંબંધો વિષે એક વાત ઘણી પ્રચીલિત છે, જ્યાં સંબંધ હોય ત્યાં ગણિત ક્યાંથી હોય અને જ્યાં ગણિત હોય ત્યાં સંબંધ કેવી રીતે હોય...? બરાબર છે Pruthvi Patel...? જો પૃથ્વી, અમીષ કોઈ એક વિષયની વાત નથી કરી રહ્યો અને તને ફેસબુક પર જવાબ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે, તેમ છતાં આજે એજ વિચાર ફરી લખી રહ્યો છું. જેમ મારુ આખું નામ અમીષ જયેશભાઇ દાદાવાલા, સંપૂર્ણ રીતે એકબીજાનું પૂરક છે, તેમ સંબંધોમાં ગણિત પણ પૂરક છે. મારા આખા નામમાંથી “દાદાવાલા” કાઢી નાખો તો મારી પારિવારિક ઓળખાણ જતી રહે છે અને સાથે સાથે મારી જ્ઞાતિની ઓળખ પણ ખોવાય જાય છે. જો મારા નામમાંથી મારા પપ્પાનું નામ હટાવી દઈએ તો અમીષ એકલો રહી જાય ટૂંકમાં, એક અનાથ બાળક જેવું મારુ અસ્તિત્વ બની જાય. બીજું જયારે આપણે આપણું આખું નામ બોલીયે ત્યારે પ્રથમ વખત મળતાં વ્યક્તિઓને માટે ઘણી બાબતો જાણવી અને સમજવી સરળ બની જતી હોય છે. આટલું લાબું ભાષણ કરવા પાછળનો મારો ઈરાદો એટલોજ છે કે શબ્દોના અર્થથી આગળ વધીને શબ્દોની એક બીજાના પૂરક તરીકે જોવાની શૈલી અપનાવી પડે, જો સાહિત્યના સથવારે અને ઓછા શબ્દોમાં ઘણું કેહવું હોય તો…! પૃથ્વી તને હજી કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે, અમીષ કોશિષ કરીને તને જવાબ આપશે. #ConnectDilse
તો સંબંધોની વાતમાં "ગણિત" શબ્દ કેમ લખવો પડે છે, એ વાત આપ સહુને સમજાઈ ગઈ હશે એમ સમજીને આગળ વધુ છું.
મારે મારા આ વિચાર દ્વારા સંબંધોની વાતને ફક્ત "ગણિત" સાથે નહિ અને "વિજ્ઞાન" સાથે પણ જોડવી હતી એટલે "અણુવિજ્ઞાન" એવો શબ્દનો પ્રયોગ કર્યો. તમને થશે સંબંધોની વાત થાય ત્યારે "ગણિત" શબ્દ પૂરક છે એ સમજાઈ ગયું પણ "અણુવિજ્ઞાન" ક્યાંથી... આ પાછું નવું...? હા, તો જ્યાં ગણિત હોય ત્યાં પૂરક રીતે "વિજ્ઞાન" હોય અને જ્યાં "વિજ્ઞાન" હોય ત્યાં "ગણિત" તો હોવાનુંજ. એક આડવાત... મારી પ્રાથમિક શાળા શાંતિનિકેતન હતી, અમારી શાળામાં તાસનો એક ખાસ ક્રમ હતો, પેહલા ધોરણથી લઈને સાતમા ધોરણ સુધી એકસરખો... પેહલો તાસ ગુજરાતી એટલે ભાષા, બીજો તાસ એટલે ગણિત, ત્રીજો તાસ એટલે વિજ્ઞાન, ચોથો તાસ એટલે સમાજવિદ્યા, પાંચમો તાસ એટલે હિન્દી, છઠ્ઠો તાસ એટલે અંગ્રેજી, સાતમો તાસ એટલે સંસ્કૃત અને આઠમો તાસ ચિત્ર અથવા સંગીત અથવા શારીરિક શિક્ષણ. મારા શાંતિનિકેતનના મિત્રો બરાબર છે...? લો બોલો, વાત વાતમાં ભણતરના અલગ અલગ વિષયો વચ્ચેનો આ અનોખા ક્રમનો સંબંધ, શાળા છોડ્યાના આટલા વર્ષે સમજાય છે. અમારી શાળા એ ગુજરાતી માધ્યમની શાળા હતી એટલે જો ભાષા ના આવડે તો શીખવાડીશું શું...? એટલે મૂળ ભાષાનો તાસ પેહલો રાખ્યો પછી ગણિતનો, આંકડા અને આંકડાની માયાજાળ વગર આગળ વધવું કેમ... એટલે બીજો તાસ ગણિત. ગણિત આવડી ગયું એટલે એ ગણિતની પાછળનું વિજ્ઞાન અને એમ કરતા કરતા છેક ઈતરપ્રવૃત્તિ સુધી. ટૂંકમાં જ્ઞાનથી શરુ કરી છેક ઈતરપ્રવૃત્તિ સુધીનો લયબદ્ધ ક્રમ ગોઠવેલ હતો. ભણતર સાથે જે ગણતર અમને શાંતિનિકેતનમાંથી મળ્યું છે, એની પાછળ કદાચ આવી ઝીણી ઝીણી ચોકસાઈઓએ જ મહત્વનો ભાગ ભજવ્યો લાગે છે. જો આ પ્રકારે આપણે "શબ્દો" પછી "વિષયોના", ક્રમ અને એમના એક બીજાના પૂરક હોવાનું સમજી લઇએ તો તમને મારા વિચારમાં "ગણિત" પછી "અણુવિજ્ઞાન" નું ગણિત અને વિજ્ઞાન બંને સમજાઈ જશે, તો હવે આગળ વધુ છું. હા, પણ આગળ વધતા પેહલા બીજી એક આડવાત, આજે પેહલી વખત એવું બન્યું કે અમિષની આડવાતે મૂળવાતમાં પોતાની પૂરકતા સાબિત કરી આપી. વિનંતી "પૂરક" એટલે "Complimentary" એવો અર્થ લેવાનો છે. આટ આટલું કહ્યાં પછી સંબંધોની પૂરકતા વિષે વાત કરીશ તો તમારા કિંમતી સમયનો દુરુપયોગ કરીશ એવું મને લાગે છે એટલે પૂરકતાને સાબિત કરવાનું માંડીવાળીને પૂરકતા વિષે વાત કરીએ.
પૂરકતા એટલે શું...?
પૂરકતા એટલે એક બીજામાની ખોટ પુરી કરી શકવાની ક્ષમતા. વિનંતી ક્ષમતા એટલે (Quality) એવો અર્થ કરવાનો છે. આધ્યાત્મિક દુનિયાની વાત ન કરીએ તો "એકની" કોઈ ખાસ કિંમત આપણી આજની "ભૌતિકવાદ" ને વરેલી દુનિયામાં જોવા મળશે નહિ. ભૌતિક એટલે "લૌલિક" અને આધ્યાત્મિક એટલે "અલૌકિક". જન્મથી લઈને મૃત્યુ સુધી લૌકિક સંસારમાં અસ્તિત્વ ધરાવતું બધુજ; બે કે બેથી વધુ વ્યક્તિઓની હાજરીને લીધે અસ્તિત્વમાં આવે છે. દાદા-દાદી, બા-બાપુજી, માતા-પિતા, આ બધાને લીધે એક સંતાન, આવા અનેક સંતાન એટલે મિત્રવર્તુળ, મિત્રવર્તુળ એટલે સામાજિક સંબંધો, સામાજિક સંબંધો એટલે વળી પાછું લગ્ન અને વળી પાછા એના એજ પારિવારિક સંબંધોની હારમાળા. એટલે લૌકિકમાં બધું અસ્તિત્વ "બે" ના સંયોજનથી સંભવ છે. વળી પાછું "Complimentary" વાળી વાત આવી ગઈ. તે એતો આવેજને "બે" ને લીધે તો આજે આ સમગ્ર વિશ્વ આસ્તિત્વમા છે. હજુ આગળ વધુ તો "મન", "સ્વભાવ", "લાગણીઓ", સંવેદનાઓ", "ઈચ્છઓ", મહેચ્છઓ" આ બધું પણ લૈકિક દુનિયામાં આજના માનવીને રીતસરના "બે" ભાગમાં વેહચી રહ્યું છે. ઘણી વખત તમે એ જાણ્યું હશે કે તમારું મન કંઈક કહી રહ્યું છે અને તમારી જરૂરિયાત કંઈક કહી રહી છે. આ સમયે તમને તમારી અંદર પણ "બે" હોવાનો ભાસ થશે. જો "પૂરક" અને "લૌકિકના" અંતિમ ચરણમાં પ્રવેશ કરીએ તો આ શરીરની અંદર અને બહાર તમને "બે" નું અસ્તિત્વ અને બાકી બધું જ એક બીજાને પૂરક હોવાનું જણાશે. ગુરુદેવ પરમ પૂજ્ય શ્રી શ્રી રવિશંકરે એમની “જીવન જીવવાની કાળાની” પાંચ શીખમાં આ એક શીખને બહુજ સુંદર રીતે વણી લીધી છે, તેઓ સમજાવે છે કે, "Opposite Values are Complimentary".
હવે લૌકિક મૂકીને આધ્યાત્મિકમાં એટલે "અલૌકિક" દુનિયામાં આજ સિદ્ધાંતની સાથે આગળ વધીએ તો... વિચારોના આધ્યત્મિક પ્રવાસના પ્રથમ ચરણમાં; શ્રીમદ્ભાગવદ ગીતામાં શ્રીકૃષ્ણ પણ અર્જુનને આત્મા અને શરીરના સંબંધથી લઈને કર્મના સિદ્ધાંત સુધીની સફરમાં, અર્જુન "તું" અને "હું" કૃષ્ણ એમ "બે" થી શરૂ કરીને "હું" પણ "હું" અને "તું" પણ "હું" સુધીનો આધ્યાત્મિક પ્રવાસ કરાવે છે. અને વાસ્તવમાં "એક" ની વ્યાખ્યા કરે છે, સાથે સાથે એ "એક" પેલા "બીજા" વગર અધૂરો છે, એવું પણ વારંવાર સૂચવી રહ્યાં છે. શ્રીમદ્ભાગવદ ગીતા જ્યાં અટકે છે ત્યાંથી "અષ્ટવક્ર ગીતા" ઝીલે છે. ઋષિ અષ્ટવક્ર "દર્શક" અને "દ્રષ્ટા" નો ભેદ કરી આપે છે. "દર્શક" એટલે જે ભાગ લઇ રહ્યો છે તે અને "દ્રષ્ટા" એટલે જે ભાગ તો લઇ રહ્યો છે, છતાં કશું ભજવી નથી રહ્યો એવા જ્ઞાન સાથે જીવી રહ્યો છે તે. પોતાના આત્મજ્ઞાન, “સ્મૃતિના” આધારે ઋષિ અષ્ટવક્ર "દર્શક" અને "દ્રષ્ટા" વચ્ચેનો ભેદ આપણને સ્પષ્ટ કરી આપે છે. એટલે વાળી પાછું "એક" અને "બે" ની વાત આવી, "એક" અને "બેની" વાત આવી તેમ છતાં આ વાત અલૌકિક દુનિયાની છે એટલે "એક" ની અંદરના "એક" અને "બીજાની" વાત કરવામાં આવી રહી છે એટલું યાદ રાખજો.
“એક” અને “બેના” ગાણિતિક વિજ્ઞાનના પ્રખર વિદ્વાનની વાત કર્યા વગર આજનો મારો વિચાર અને આજની મારી વાત આપ સહુને સમજાવી નહિ શકું. એટલે ચાલો આપણે સહુ વેદાંતની દુનિયા તરફ એક આંટો મારી આવીએ... "વેદાંત" એટલે "દ્વૈત" "અદ્વૈત" અને "વિશિષ્ટઅદ્વૈત" ની વાત. "દ્વૈત" એટલે બધું "બે", "અદ્વૈત" એટલે બધું "એક" અને "વિશિષ્ટઅદ્વૈત" એટલે "એક" ની અંદર આવેલ "બે" અને "બે" ની અંદર આવેલ "એક". વેદાંતવાદ સમજવો થોડો કપરો છે, પણ ઉદાહરણ સાથે સમજવામાં સરળતા થશે એટલે એક ઉદાહરણ સાદર પ્રસ્તુત છે. લાકડું અને માનવ શરીરની વચ્ચે તુલના કરીને વેદાંતવાદ સમજવાની કોશિષ કરીએ. લાકડું "પંચમહાભૂતમાંથી" બનેલ છે અને આપણું માનવ શરીર પણ "પંચમહાભૂતમાંથી" બનેલ છે. તો પછી "લાકડું" લાકડું કેમ છે અને "માનવ શરીર" માનવ શરીર કેમ છે...? "દ્વૈતવાદ" લાકડાને અને માનવશરીરને" અલગ અલગ જુએ છે, એટલે "બે" અલગ અલગ સર્જન તરીકે રજુ કરે છે. "અદ્વૈતવાદ" "લાકડાને" અને "માનવશરીરને" "પંચમહાભૂત" તરીકે જાણે છે અને "એક" કહે છે. જયારે "વિશિષ્ટઅદ્વૈત" "લાકડાને" લાકડું અને "માનવશરીરને" એક સાથે "એક", "બે" અને "પંચમહાભૂત" એમ ત્રણવે સમજાવે છે. જે “વાદ” આપણને આ ભેદ સમજાવી શકે એ "વેદાંતવાદ" કહેવાય એટલું સમજો એટલે ઘણું છે, બાકી "વેદાંતી" બનવું ઘણું કપરું કાર્ય છે. "સનાતની" અને "વેદાંતી" વચ્ચે પણ અંતર છે, આજે મૂળ વિષયને વળગીને રહેવાનો પ્રયાસ કરવાનો છે, એટલે "સનાતની" અને "વેદાંતી" ફરી કોઈક વાર... નક્કી...!
તમને થશે આજે અમિષનું છટકી ગયું લાગે છે...! હજી "એક" અને "બેની" વાતો ચાલે છે ત્યાં આ "ત્રીજું" (વિશિષ્ટ) ક્યાંથી આવી ગયું...? તો, મિત્રો મારે જે સમજાવવાનું હતું એ "એક", "બે" અને "શુન્ય" વચ્ચેનો સંબંધ જ સમજાવવાનો હતો. મારો વિચાર યાદ કરો... "બે" માંથી "એક" જતો રહે એટલે "શૂન્ય" રહી જાય...! "શૂન્ય" એટલે "સ્થિર", જે છે તો ખરું પણ કોઈ "સર્જન" નથી કરી શકતું એ. અંદરથી ભરેલ તો છે પણ બહારથી ખાલીખમ છે એ "શૂન્ય". મમ્મી અને પપ્પા વગરનો એક દીકરો કે દીકરી... એટલે "શૂન્ય". મિત્રો વગરનો એક એકલો અટૂલો માનવદેહ... એટલે "શૂન્ય". મન/સ્વભાવ/લાગણીઓ/સંવેદનાઓ/ઈચ્છઓ/મહેચ્છઓ વગરનો માનવદેહ... એટલે "શૂન્ય". આત્મા વગરનો દેહ અને દેહ વગરનો આત્મા એટલે શૂન્ય. અને અંતે "શ્રીકૃષ્ણ" વગરનો "અર્જુન" અથવા "અમીષ"... એટલે પણ "શૂન્ય".
અમિષનો કહેવાનો મતલબ એટલોજ છે કે આ "બે" વગર જે ગુમસુમ અને ચુપચાપ, જે "એક" રહી જાય છે ને તે સંબંધોના ગણિત અને વિજ્ઞાનની દ્રષ્ટિએ અને હકીકતે “એક” નથી પણ "શૂન્ય" છે. એ છે તો ખરો પણ એનું કોઈ વિશિષ્ટ કે ખાસ અસ્તિત્વ નથી... એની હાજરી તો છે પણ એનું કોઈ વજૂદ નથી તેમ છતાં એ છે.
જો આજની અમિષની વાતને આંકડામાં દર્શાવવી હોય તો, "૨ - ૧ = ૦"... સંબંધોનું ગણિત, સામાન્ય ગણિત જેવું નથી પણ વિશિષ્ટગણિત જેવું છે. જેમાં ૧ + ૧ = ૧૧ પણ શક્ય છે અને ૨ + ૨ = તમારી વિચાર અને આધ્યાત્મિક શક્તિ પર આધાર રાખે છે.
આજે "જય શ્રીકૃષ્ણ", "સાધો-સાધો" અને "અહં બ્રહ્માસ્મિ", ત્રણવે કહીને મારી વાતને અહિયાંથીજ થંભાવ છું.
અમીષ જે. દાદાવાલા
(લખ્યા તારીખ – 11 ઓક્ટોબર 2019)
Share – Like – Comment
More #ConnectDilse #Amish dadawala #12-01-2021 #Positive #talk #Watchgujarat
સંબંધ કેવા હોવા જોઈએ...?
હમણાં થોડા દિવસ પેહલા ફેસબુક પર એક વિચાર રજુ કર્યો હતો...
સંબંધોનું "ગણિત" પણ "અણુવિજ્ઞાન" જેવું છે,
"બે" માંથી "એક" જાય એટલે "શૂન્ય" રહી જાય...!
મારા ઘણા મિત્રો અને પરિચીત લોકોએ મારી આ પોસ્ટને પસંદ કરી અને અમુકે કોમેન્ટ પણ કરી, કેટલાકે વૉટ્સ એપ કર્યું તો એકલ દોકલે ફોન કર્યા. ચાલો જે પણ થયું સારું થયું અને મને આનંદ છે કે આમાંના કેટલાકના હૃદયને સ્પર્શી શક્યો.
આજની અમિષની વાત આપ સહુની વચ્ચે મુકવાનું કારણ મારા એ ૧૫-૨૦ મિત્રો અને પરીચીતો છે કે જેમણે મારી સાથે મારા વિચાર પર મુક્ત મને વાત કરવાનું પસંદ કર્યું અને મારા એ મિત્રો અને પરીચીતો માટે પણ ખરી કે જેઓ મારી ફેસબૂકની પોસ્ટને વાંચે તો છે, સમજે પણ છે પણ કોઈ પ્રતિક્રિયા (React) નથી કરતા. અમિષની આજની વાત આ બંને ઉપરાંત ત્રીજા પ્રકારના મારા ફેસબુક મિત્રો અને પરીચીતોને પણ એટલીજ સમર્પિત છે જેટલી પ્રથમ બે પ્રકારનાઓ માટે.#ConnectDilse
બહુ વિશાળ વિષય છે એટલે એક પોસ્ટને શોભે એટલું જ લખવાનો પ્રયાશ કરીશ પણ જો થોડું લંબાઈ જાય તો દરગુજર કરશોજી. આ દરગુજર શબ્દનો પ્રયોગ પણ સંબંધો સાચવવા માટે કર્યો છે, ખરેખર… સાચું કહું છું...! બે ઘડીની ટીખળ સમજો કે સમાજનો ક્રમ, જયારે જયારે સંબંધોની વાત આવે ત્યારે ત્યારે મને મારા ચંપાબા, એટલે મારા મમ્મીના મમ્મી; એટલે મારા "નાનીના" હાથનું સુરતી ઢબનું રાજાપુરી કેરીનું ખાટું અથાણું યાદ આવે...! #ConnectDilse
જુવો વાત વાતમાં કેટલા બધા સંબંધો એક જ વાક્યમાં ઉભરી આવ્યા...! મારો અને મારી બા સાથેનો સંબંધ, મારો અને મારી બાના હાથની રસોઈ સાથેનો સંબંધ, મારો અને રાજાપુરી કેરી સાથેનો સંબંધ, મારો અને કેરીના ખાટાં આથણાં સાથેનો સંબંધ અને અંતે મારો અને મારા ખાવા પ્રત્યેના શોખનો અનોખો સંબંધ. જો મારા એક વાક્યમાંથી આટ-આટલા સંબંધો ઉભરી શકતા હોય તો દિવસ દરમિયાન તો આપણે કેટલા બધા વાક્યો બોલતા હોઈએ છીએ... ખરું ને...? તો જરાક વિચાર જો કે જયારે તમે બે વાક્ય બોલો છો ત્યારે, તમે કેવા અને કેટલા સંબંધો ઉજાગર કરો છો... (સારા અને ખરાબ). ઉપરના એક વાક્યથી તમને અમીષના ગમા અને અણગમા વિષે થોડો ખ્યાલ આવી ગયો હશે અને સાથે સાથે તમે બીજી એક વાત પણ જાણી લીધી હશે કે આ પણ એક રીત છે જેના થકી આપણે આપણા મિત્રો અને પરીચીતો વિષે થોડું વધુ જાણી શક્યે છીએ, વિના કોઈ ખણખોદ કરીએ. તો ચાલો પૂર્વભૂમિકા અને ઉદાહરણ પછી મૂળ વિષયમાં થોડા ઊંડા ઉતરવાનો પ્રયાસ કરીએ.
સંબંધો વિષે એક વાત ઘણી પ્રચીલિત છે, જ્યાં સંબંધ હોય ત્યાં ગણિત ક્યાંથી હોય અને જ્યાં ગણિત હોય ત્યાં સંબંધ કેવી રીતે હોય...? બરાબર છે Pruthvi Patel...? જો પૃથ્વી, અમીષ કોઈ એક વિષયની વાત નથી કરી રહ્યો અને તને ફેસબુક પર જવાબ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે, તેમ છતાં આજે એજ વિચાર ફરી લખી રહ્યો છું. જેમ મારુ આખું નામ અમીષ જયેશભાઇ દાદાવાલા, સંપૂર્ણ રીતે એકબીજાનું પૂરક છે, તેમ સંબંધોમાં ગણિત પણ પૂરક છે. મારા આખા નામમાંથી “દાદાવાલા” કાઢી નાખો તો મારી પારિવારિક ઓળખાણ જતી રહે છે અને સાથે સાથે મારી જ્ઞાતિની ઓળખ પણ ખોવાય જાય છે. જો મારા નામમાંથી મારા પપ્પાનું નામ હટાવી દઈએ તો અમીષ એકલો રહી જાય ટૂંકમાં, એક અનાથ બાળક જેવું મારુ અસ્તિત્વ બની જાય. બીજું જયારે આપણે આપણું આખું નામ બોલીયે ત્યારે પ્રથમ વખત મળતાં વ્યક્તિઓને માટે ઘણી બાબતો જાણવી અને સમજવી સરળ બની જતી હોય છે. આટલું લાબું ભાષણ કરવા પાછળનો મારો ઈરાદો એટલોજ છે કે શબ્દોના અર્થથી આગળ વધીને શબ્દોની એક બીજાના પૂરક તરીકે જોવાની શૈલી અપનાવી પડે, જો સાહિત્યના સથવારે અને ઓછા શબ્દોમાં ઘણું કેહવું હોય તો…! પૃથ્વી તને હજી કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે, અમીષ કોશિષ કરીને તને જવાબ આપશે. #ConnectDilse
તો સંબંધોની વાતમાં "ગણિત" શબ્દ કેમ લખવો પડે છે, એ વાત આપ સહુને સમજાઈ ગઈ હશે એમ સમજીને આગળ વધુ છું.
મારે મારા આ વિચાર દ્વારા સંબંધોની વાતને ફક્ત "ગણિત" સાથે નહિ અને "વિજ્ઞાન" સાથે પણ જોડવી હતી એટલે "અણુવિજ્ઞાન" એવો શબ્દનો પ્રયોગ કર્યો. તમને થશે સંબંધોની વાત થાય ત્યારે "ગણિત" શબ્દ પૂરક છે એ સમજાઈ ગયું પણ "અણુવિજ્ઞાન" ક્યાંથી... આ પાછું નવું...? હા, તો જ્યાં ગણિત હોય ત્યાં પૂરક રીતે "વિજ્ઞાન" હોય અને જ્યાં "વિજ્ઞાન" હોય ત્યાં "ગણિત" તો હોવાનુંજ. એક આડવાત... મારી પ્રાથમિક શાળા શાંતિનિકેતન હતી, અમારી શાળામાં તાસનો એક ખાસ ક્રમ હતો, પેહલા ધોરણથી લઈને સાતમા ધોરણ સુધી એકસરખો... પેહલો તાસ ગુજરાતી એટલે ભાષા, બીજો તાસ એટલે ગણિત, ત્રીજો તાસ એટલે વિજ્ઞાન, ચોથો તાસ એટલે સમાજવિદ્યા, પાંચમો તાસ એટલે હિન્દી, છઠ્ઠો તાસ એટલે અંગ્રેજી, સાતમો તાસ એટલે સંસ્કૃત અને આઠમો તાસ ચિત્ર અથવા સંગીત અથવા શારીરિક શિક્ષણ. મારા શાંતિનિકેતનના મિત્રો બરાબર છે...? લો બોલો, વાત વાતમાં ભણતરના અલગ અલગ વિષયો વચ્ચેનો આ અનોખા ક્રમનો સંબંધ, શાળા છોડ્યાના આટલા વર્ષે સમજાય છે. અમારી શાળા એ ગુજરાતી માધ્યમની શાળા હતી એટલે જો ભાષા ના આવડે તો શીખવાડીશું શું...? એટલે મૂળ ભાષાનો તાસ પેહલો રાખ્યો પછી ગણિતનો, આંકડા અને આંકડાની માયાજાળ વગર આગળ વધવું કેમ... એટલે બીજો તાસ ગણિત. ગણિત આવડી ગયું એટલે એ ગણિતની પાછળનું વિજ્ઞાન અને એમ કરતા કરતા છેક ઈતરપ્રવૃત્તિ સુધી. ટૂંકમાં જ્ઞાનથી શરુ કરી છેક ઈતરપ્રવૃત્તિ સુધીનો લયબદ્ધ ક્રમ ગોઠવેલ હતો. ભણતર સાથે જે ગણતર અમને શાંતિનિકેતનમાંથી મળ્યું છે, એની પાછળ કદાચ આવી ઝીણી ઝીણી ચોકસાઈઓએ જ મહત્વનો ભાગ ભજવ્યો લાગે છે. જો આ પ્રકારે આપણે "શબ્દો" પછી "વિષયોના", ક્રમ અને એમના એક બીજાના પૂરક હોવાનું સમજી લઇએ તો તમને મારા વિચારમાં "ગણિત" પછી "અણુવિજ્ઞાન" નું ગણિત અને વિજ્ઞાન બંને સમજાઈ જશે, તો હવે આગળ વધુ છું. હા, પણ આગળ વધતા પેહલા બીજી એક આડવાત, આજે પેહલી વખત એવું બન્યું કે અમિષની આડવાતે મૂળવાતમાં પોતાની પૂરકતા સાબિત કરી આપી. વિનંતી "પૂરક" એટલે "Complimentary" એવો અર્થ લેવાનો છે. આટ આટલું કહ્યાં પછી સંબંધોની પૂરકતા વિષે વાત કરીશ તો તમારા કિંમતી સમયનો દુરુપયોગ કરીશ એવું મને લાગે છે એટલે પૂરકતાને સાબિત કરવાનું માંડીવાળીને પૂરકતા વિષે વાત કરીએ.
પૂરકતા એટલે શું...?
પૂરકતા એટલે એક બીજામાની ખોટ પુરી કરી શકવાની ક્ષમતા. વિનંતી ક્ષમતા એટલે (Quality) એવો અર્થ કરવાનો છે. આધ્યાત્મિક દુનિયાની વાત ન કરીએ તો "એકની" કોઈ ખાસ કિંમત આપણી આજની "ભૌતિકવાદ" ને વરેલી દુનિયામાં જોવા મળશે નહિ. ભૌતિક એટલે "લૌલિક" અને આધ્યાત્મિક એટલે "અલૌકિક". જન્મથી લઈને મૃત્યુ સુધી લૌકિક સંસારમાં અસ્તિત્વ ધરાવતું બધુજ; બે કે બેથી વધુ વ્યક્તિઓની હાજરીને લીધે અસ્તિત્વમાં આવે છે. દાદા-દાદી, બા-બાપુજી, માતા-પિતા, આ બધાને લીધે એક સંતાન, આવા અનેક સંતાન એટલે મિત્રવર્તુળ, મિત્રવર્તુળ એટલે સામાજિક સંબંધો, સામાજિક સંબંધો એટલે વળી પાછું લગ્ન અને વળી પાછા એના એજ પારિવારિક સંબંધોની હારમાળા. એટલે લૌકિકમાં બધું અસ્તિત્વ "બે" ના સંયોજનથી સંભવ છે. વળી પાછું "Complimentary" વાળી વાત આવી ગઈ. તે એતો આવેજને "બે" ને લીધે તો આજે આ સમગ્ર વિશ્વ આસ્તિત્વમા છે. હજુ આગળ વધુ તો "મન", "સ્વભાવ", "લાગણીઓ", સંવેદનાઓ", "ઈચ્છઓ", મહેચ્છઓ" આ બધું પણ લૈકિક દુનિયામાં આજના માનવીને રીતસરના "બે" ભાગમાં વેહચી રહ્યું છે. ઘણી વખત તમે એ જાણ્યું હશે કે તમારું મન કંઈક કહી રહ્યું છે અને તમારી જરૂરિયાત કંઈક કહી રહી છે. આ સમયે તમને તમારી અંદર પણ "બે" હોવાનો ભાસ થશે. જો "પૂરક" અને "લૌકિકના" અંતિમ ચરણમાં પ્રવેશ કરીએ તો આ શરીરની અંદર અને બહાર તમને "બે" નું અસ્તિત્વ અને બાકી બધું જ એક બીજાને પૂરક હોવાનું જણાશે. ગુરુદેવ પરમ પૂજ્ય શ્રી શ્રી રવિશંકરે એમની “જીવન જીવવાની કાળાની” પાંચ શીખમાં આ એક શીખને બહુજ સુંદર રીતે વણી લીધી છે, તેઓ સમજાવે છે કે, "Opposite Values are Complimentary".
હવે લૌકિક મૂકીને આધ્યાત્મિકમાં એટલે "અલૌકિક" દુનિયામાં આજ સિદ્ધાંતની સાથે આગળ વધીએ તો... વિચારોના આધ્યત્મિક પ્રવાસના પ્રથમ ચરણમાં; શ્રીમદ્ભાગવદ ગીતામાં શ્રીકૃષ્ણ પણ અર્જુનને આત્મા અને શરીરના સંબંધથી લઈને કર્મના સિદ્ધાંત સુધીની સફરમાં, અર્જુન "તું" અને "હું" કૃષ્ણ એમ "બે" થી શરૂ કરીને "હું" પણ "હું" અને "તું" પણ "હું" સુધીનો આધ્યાત્મિક પ્રવાસ કરાવે છે. અને વાસ્તવમાં "એક" ની વ્યાખ્યા કરે છે, સાથે સાથે એ "એક" પેલા "બીજા" વગર અધૂરો છે, એવું પણ વારંવાર સૂચવી રહ્યાં છે. શ્રીમદ્ભાગવદ ગીતા જ્યાં અટકે છે ત્યાંથી "અષ્ટવક્ર ગીતા" ઝીલે છે. ઋષિ અષ્ટવક્ર "દર્શક" અને "દ્રષ્ટા" નો ભેદ કરી આપે છે. "દર્શક" એટલે જે ભાગ લઇ રહ્યો છે તે અને "દ્રષ્ટા" એટલે જે ભાગ તો લઇ રહ્યો છે, છતાં કશું ભજવી નથી રહ્યો એવા જ્ઞાન સાથે જીવી રહ્યો છે તે. પોતાના આત્મજ્ઞાન, “સ્મૃતિના” આધારે ઋષિ અષ્ટવક્ર "દર્શક" અને "દ્રષ્ટા" વચ્ચેનો ભેદ આપણને સ્પષ્ટ કરી આપે છે. એટલે વાળી પાછું "એક" અને "બે" ની વાત આવી, "એક" અને "બેની" વાત આવી તેમ છતાં આ વાત અલૌકિક દુનિયાની છે એટલે "એક" ની અંદરના "એક" અને "બીજાની" વાત કરવામાં આવી રહી છે એટલું યાદ રાખજો.
“એક” અને “બેના” ગાણિતિક વિજ્ઞાનના પ્રખર વિદ્વાનની વાત કર્યા વગર આજનો મારો વિચાર અને આજની મારી વાત આપ સહુને સમજાવી નહિ શકું. એટલે ચાલો આપણે સહુ વેદાંતની દુનિયા તરફ એક આંટો મારી આવીએ... "વેદાંત" એટલે "દ્વૈત" "અદ્વૈત" અને "વિશિષ્ટઅદ્વૈત" ની વાત. "દ્વૈત" એટલે બધું "બે", "અદ્વૈત" એટલે બધું "એક" અને "વિશિષ્ટઅદ્વૈત" એટલે "એક" ની અંદર આવેલ "બે" અને "બે" ની અંદર આવેલ "એક". વેદાંતવાદ સમજવો થોડો કપરો છે, પણ ઉદાહરણ સાથે સમજવામાં સરળતા થશે એટલે એક ઉદાહરણ સાદર પ્રસ્તુત છે. લાકડું અને માનવ શરીરની વચ્ચે તુલના કરીને વેદાંતવાદ સમજવાની કોશિષ કરીએ. લાકડું "પંચમહાભૂતમાંથી" બનેલ છે અને આપણું માનવ શરીર પણ "પંચમહાભૂતમાંથી" બનેલ છે. તો પછી "લાકડું" લાકડું કેમ છે અને "માનવ શરીર" માનવ શરીર કેમ છે...? "દ્વૈતવાદ" લાકડાને અને માનવશરીરને" અલગ અલગ જુએ છે, એટલે "બે" અલગ અલગ સર્જન તરીકે રજુ કરે છે. "અદ્વૈતવાદ" "લાકડાને" અને "માનવશરીરને" "પંચમહાભૂત" તરીકે જાણે છે અને "એક" કહે છે. જયારે "વિશિષ્ટઅદ્વૈત" "લાકડાને" લાકડું અને "માનવશરીરને" એક સાથે "એક", "બે" અને "પંચમહાભૂત" એમ ત્રણવે સમજાવે છે. જે “વાદ” આપણને આ ભેદ સમજાવી શકે એ "વેદાંતવાદ" કહેવાય એટલું સમજો એટલે ઘણું છે, બાકી "વેદાંતી" બનવું ઘણું કપરું કાર્ય છે. "સનાતની" અને "વેદાંતી" વચ્ચે પણ અંતર છે, આજે મૂળ વિષયને વળગીને રહેવાનો પ્રયાસ કરવાનો છે, એટલે "સનાતની" અને "વેદાંતી" ફરી કોઈક વાર... નક્કી...!
તમને થશે આજે અમિષનું છટકી ગયું લાગે છે...! હજી "એક" અને "બેની" વાતો ચાલે છે ત્યાં આ "ત્રીજું" (વિશિષ્ટ) ક્યાંથી આવી ગયું...? તો, મિત્રો મારે જે સમજાવવાનું હતું એ "એક", "બે" અને "શુન્ય" વચ્ચેનો સંબંધ જ સમજાવવાનો હતો. મારો વિચાર યાદ કરો... "બે" માંથી "એક" જતો રહે એટલે "શૂન્ય" રહી જાય...! "શૂન્ય" એટલે "સ્થિર", જે છે તો ખરું પણ કોઈ "સર્જન" નથી કરી શકતું એ. અંદરથી ભરેલ તો છે પણ બહારથી ખાલીખમ છે એ "શૂન્ય". મમ્મી અને પપ્પા વગરનો એક દીકરો કે દીકરી... એટલે "શૂન્ય". મિત્રો વગરનો એક એકલો અટૂલો માનવદેહ... એટલે "શૂન્ય". મન/સ્વભાવ/લાગણીઓ/સંવેદનાઓ/ઈચ્છઓ/મહેચ્છઓ વગરનો માનવદેહ... એટલે "શૂન્ય". આત્મા વગરનો દેહ અને દેહ વગરનો આત્મા એટલે શૂન્ય. અને અંતે "શ્રીકૃષ્ણ" વગરનો "અર્જુન" અથવા "અમીષ"... એટલે પણ "શૂન્ય".
અમિષનો કહેવાનો મતલબ એટલોજ છે કે આ "બે" વગર જે ગુમસુમ અને ચુપચાપ, જે "એક" રહી જાય છે ને તે સંબંધોના ગણિત અને વિજ્ઞાનની દ્રષ્ટિએ અને હકીકતે “એક” નથી પણ "શૂન્ય" છે. એ છે તો ખરો પણ એનું કોઈ વિશિષ્ટ કે ખાસ અસ્તિત્વ નથી... એની હાજરી તો છે પણ એનું કોઈ વજૂદ નથી તેમ છતાં એ છે.
જો આજની અમિષની વાતને આંકડામાં દર્શાવવી હોય તો, "૨ - ૧ = ૦"... સંબંધોનું ગણિત, સામાન્ય ગણિત જેવું નથી પણ વિશિષ્ટગણિત જેવું છે. જેમાં ૧ + ૧ = ૧૧ પણ શક્ય છે અને ૨ + ૨ = તમારી વિચાર અને આધ્યાત્મિક શક્તિ પર આધાર રાખે છે.