જાણતાં કે અજાણતાં સમગ્ર જીવશ્રુષ્ટિ ક્યારેક ને કયારેક તો શ્રીકૃષ્ણના ચરણે ગઈ જ છે. અજાણતાં એટલા માટે કારણકે, કૃષ્ણને જોવા, સાંભળવા અને ભજવા એ થોડું કપરું કામ છે, કૃષ્ણ એમ કઈ સહેલાઈથી પામી શકાતા નથી. અમારો લાલો તો હજી લાલો જ છે, કઈ કેટલીયે સદીઓ વીતી ગઈ પણ અમારો લાલો આજે પણ ઘુંટણીયે જ છે... "લાલાને લાડ લડાવો" આ શબ્દો દ્વારા કોઈ પ્રાસ બેસાડવાની કોશિષ નથી કરેલી... આ શબ્દો તો વાહલાંના, વહાલાંના હૃદયેથી લખાયેલા "બીડા" જેવા, લીલા પાનમાં ગોળ વાળેલા, બરાસ અને કાથાથી ભરપુર શબ્દો છે. કોઈક દિવસ લાલાને ઝુલાવતા ઝુલાવતા આ ચાર શબ્દો ગાઈ જો જો પછી અમીષ શું અનુભવી રહ્યો છે એ તમને સમજાઈ જશે.
ચાલો, કૃષ્ણને જીવશ્રુષ્ટિ કેમ અને કયારે નમી એ બાબત થોડી અળગી કરી, કૃષ્ણના માથે કેમ "મોરપંખ" વિષય તરફ આગળ વધીએ. મોરપંખ માટે જાત જાતની વાતો પ્રચલિત છે... કોઈ કહે છે કે મોરપંખ "નકારત્મકતા" ને અળગી રાખે છે... તો કોઈ કહે છે કૃષ્ણના માથે મોરપંખ એટલે માટે હતા કે મોર "સ્ત્રીગમન" નથી કરતો... મારા મને આ બધી કેટલીક હકીકત છે અને કેટલીક લોકવાયકા. હા, એકવાત જરૂર કબુલીશ, મારી ગાડીનાં (૩૨૫૦) ડેશબોર્ડ ઉપર, ગાડી લીધી ત્યારથી કેટલાક મોરપંખ ગોઠવેલા છે અને આજ સુધી ૩૨૫૦ નો એક પણ અકસ્માત નથી થયો, ભલેને એ કેદારનાથ, બદ્રીનાથનો પહાડી રસ્તો હોય કે પછી લેહ લદ્દાખની દુર્ગમ ચોટીઓ હોય કે પછી નેપાળ અને ભુતાન જેવા પારકા દેશોની સડકો હોય. આને તમે મારી અંધશ્રદ્ધા કહી શકો છો પણ મારે માટે આ નરી વાસ્તવિકતા છે અને બીજું કશું નહીં.
તો કૃષ્ણના માથે મોર પંખ... જેની સન્મુખ સમગ્ર વિશ્વ શીશ ઝુકાવે છે એણે પોતાનાં શીશ ઉપર મોરપંખ કેમ સજાવ્યું હશે...? જે કૃષ્ણ ભકત છે એને આ પ્રશ્ન કદી નહીં થયો હોય. હા, તમે બરાબર વાંચ્યું જે કૃષ્ણ ભક્ત હોય એને આવો પ્રશ્ન કદી નહીં થયો હોય... કૃષ્ણ ભકત પાસે કૃષ્ણભક્તિમાંથી ઉપર જોવાનો સમય જ ક્યાં છે કે એ છેક કૃષ્ણના માથે મોરપંખ જોવે... એને તો લાલાના ચરણોમાં જ સમગ્ર શ્રુષ્ટિ દેખાઈ જાય છે અને ત્યાંજ એ વસી જાય છે... આવાજ કોઈ કૃષ્ણ ચરણવાસી એ ખુબ સરસ લખ્યું છે,
"लाली मेरे लाल की जित देखु तित लाल,
लाली देखन में गई में भी हो गई लाल।"
હવે આવા ભક્ત પાસેથી તમે કૃષ્ણના માથે મોરપંખની વાત કરીને પણ શું કરો... એ તો પેહલેથી "લાલા" ની "લાલી" માં રંગાઈ ચુક્યો છે. હા હા... આપણું ગુજરાતી ભજન પણ છે,
"તું રંગાઈ જા ને રંગમાં,
સીતા રામ તણાં સત્સંગમાં,
રાધે શ્યામ તણાં તું રંગમાં..."
તો કૃષ્ણભક્ત પાસેથી આવી કોઈ આશા રાખવી એટલે "નરસિંહ" કે "મીરા" પાસેથી એના કૃષ્ણની મોરલી છીનવી લેવા જેવી વાત છે, એટલે આ વાત અહીંયા જ પડતી મુકી દેવામાં સજ્જનતા છે.
તો પછી આ પ્રશ્ન થાય કોને...?
જેને વાસુદેવ શ્રીકૃષ્ણને પામવા છે એને..,
જેને ફકત લાલાની "લાલી" નહીં, પણ આખે-આખા લાલાને ભજવા છે એને...
જેને ગીતાનો ઉપદેશ આપતા કે મથુરાની ગલીઓમાં માખણ ચોરતા "શાશ્વત" સ્વરૂપ કૃષ્ણને માથે ટોપલીમાં લઈને ગામે ગામ ફરવું છે એને...
જેને કૃષ્ણ બાળ સ્વરૂપ અને વિશ્વરૂપ બન્નેને એકતારે ભજવા છે એને...
જેને દ્રુતક્રિડામા "અપ્રત્યક્ષ" પણ એજ દ્રુતક્રિડા ભવનમાં દ્રૌપદીના ચીરહરણને રોકાતા "પ્રત્યક્ષ" કૃષ્ણને જાણવા છે એને...
જેને ભીષ્મ, દ્રોણ અને વિદુરની જેમ વિના કોઈ "વિશિષ્ટ ચક્ષુએ" કૃષ્ણનાં વિરાટ સ્વરૂપને બે હાથ જોડીને નિહાળવું છે એને...
જેને અર્જુન બની પોતાના કૃષ્ણને નિઃસંકોચ સવાલ પુછવા છે એને...
એવા કોઈ વિરલાનું આ કામ છે...
તો કૃષ્ણનાં માથે મોરપંખ કેમ...? સવાલ જેટલો પેચીદો છે જવાબ એટલોજ સરળ છે... વાતને બહુ આગળ ન ખેંચતા મારી અનુભુતી સાદર પ્રત કરું છું, મનુષ્યનો સહજ સ્વભાવ છે "ખુશ" રહેવાનો... "દુઃખી" થવા માટે મનુષ્યે પ્રયાસ કરવા પડતા હોય છે. એજ પ્રમાણે "ઉત્સવ" મનાવવા માટે પણ પ્રયાસ કરવા પડતા હોય છે. તમે કશું "ના" કરો એટલે તમે ખુશ જ છો... જેવું તમે કશું શરૂ કર્યું એટલે તમે કેન્દ્ર બિંદુમાંથી ખસ્યાં... મનને ગમતું પરિણામ આવે એટલે આપણે મન "ઉત્સવ" અને મનને ન ગમતું પરિણામ આવે એટલે આપણે મન "દુઃખ"... બસ, આટલું સરળ છે. ખુશીના કેંદ્રબિન્દુની ઉપર "ઉત્સવ" બિરાજમાન છે અને નીચે "દુઃખ" દૈદિપ્યમાન છે. તમે મોર અને ઢેલ વિષે એકવાત જાણતાં હશો કે, મોર જયારે રડે છે ત્યારે "ઢેલ" મોરના આંસુ પોતાના "મોહ" માં ઝીલી લે છે અને ત્યારબાદ "ઢેલ" ને ગર્ભ રહે છે અને આમ કરતાં કરતાં મોર અને ઢેલનો સંસાર ચાલ્યા કરે છે...! જાણો છોને આ વાત...?
વાસુદેવ શ્રીકૃષ્ણ આ સંસાર જમણે પડખે સુતા સુતા ચલાવે છે, સંસાર ચલાવવાનું કામ "સતત" અને "કપરું" છે, એટલે આરામ કરતાં કરતાં પોતાની મસ્તીમાં મસ્ત રહેતા રહેતા વાસુદેવ શ્રીકૃષ્ણ પોતાંનું "કર્તવ્ય" રાજીખુશીથી નિભાવે છે. પોતાના સંસારને ચલાવવાનું કામ મોરને કપરું લાગે છે એટલે જ એ સંસારનો "ઉદય" આંસુથી થાય છે. કદાચ મોરને આ સંસાર "માયા" લાગતો હશે. કૃષ્ણ બનીને મારો અને તમારો સંસાર ચલાવવાનું કામ "અલૌકિક" છે. જયારે મોર બનીને પોતાનો સંસાર ચલાવવાનું કામ "લૌકિક" છે. મનુષ્યો માટે આંસુ એ દુઃખ અને સુખ બન્નેનું પ્રતીક છે... પણ મોરના કિસ્સામાં એના આંસુ ફક્ત એના "દુઃખ" નું પ્રતીક છે... કારણ કે, મોરને જયારે "ઉત્સવ" મનાવવાનો હોય છે ત્યારે એ એના "પંખ" ખોલીને "નૃત્ય" કરતો હોય છે, મન ભરીને ઉજવણી કરતો હોય છે... જાણે કૃષ્ણ સાથે "રાસલીલા" રમતો હોય એમ. સમયનું, જગ્યાનું, અસ્તિત્વનું તમામ દુન્યવી બાબતોનું - લૌકિક બાબતોનું ભાન ભુલીને મોર પોતાની મસ્તીમાં મસ્ત એકલો અટુલો વિચલિત થયા વગર "સોળેકળાએ" ખીલીને ઉત્સવ મનાવતો હોય છે...
એક સામાન્ય પક્ષી જે બહુ લાબું ઉડી નથી શકતું અચાનક પોતાના "પંખ" ને કારણે "વિરાટ" બની જાય છે એટલું વિશાળ બની જાય છે કે એને કોઈ છેડવાની હિંમત પણ નથી કરી શકતું. અરે, એ દ્રષ્યજ એટલું "મનોહર" હોય છે કે કોઈપણ "જીવ" એ સમયમાં, સમયને રોકી દેવાં તત્પર હોય છે... નૃત્ય સમયનો મોરનો ટહુકો સમગ્ર જીવશ્રુષ્ટિને "મંત્રમુગ્ધ" કરી દે છે અને એવામાં જ ક્યાંકથી દબાયેલા પગે હળવેકથી અમીષને "મેહુલિયો" ભીંજવી જાય છે; ગ્રીષ્મ કોણ જાણે કેવી રીતે અચાનક જ "વર્ષા" બની જાય છે; જાણે કે, વિરહની તલપ અચાનક જ "મિલનની" વેળા બની જાય છે.
જરાક ધ્યાનથી વિચારો "મોર" સિવાય આ સંસારનું આનાથી ઉત્તમ નિરૂપણ કોણ કરી શકે, એ પણ વિના કોઈ ઊથલપાથલે...!? સમગ્ર શ્રુષ્ટિના, સંસારની અને ક્રમની "ઝાંખી" મોર એના રોજિંદા આચરણ દ્વારા આપણને સહુને આજે પણ કરાવી જાય છે.
ફરી એક વખત યાદ અપાવી દઉં...
ખુશ રેહવું એ મનુષ્યનો સ્વભાવ છે...
દુઃખી થવા; સંસાર ચલાવવા "પ્રયાસ" કરવો પડે છે, "કષ્ટ" વેઠવું પડે છે... "આંસુ" સારવા પડે છે... અને
ઉત્સવ મનાવવા પોતાના "પંખ" ફેલાવવા પડે છે...
પોતાની અંદર છુપાયેલી "વિરાટતા" ફેલાવવી પડે છે... બિલકુલ મોરની જેમ...! કદાચ એટલેજ કૃષ્ણે એના માથે "મોરપંખ" શોભાવ્યું હશે...
લૌકિકમાં "મોર" અને અલૌકિકમાં "કૃષ્ણ"; એટલેજ જયારે મારા કૃષ્ણ લૌકિકમાં અવતર્યા ત્યારે એમના માથે "મોરપંખ" બિરાજે છે અથવા એમ કહો, વાસુદેવ શ્રીકૃષ્ણના માથે "કૃષ્ણ" બિરાજે છે.
આપ સહુને મારા જય શ્રીકૃષ્ણ
અમીષ જે. દાદાવાલા
Share – Like – Comment
જાણતાં કે અજાણતાં સમગ્ર જીવશ્રુષ્ટિ ક્યારેક ને કયારેક તો શ્રીકૃષ્ણના ચરણે ગઈ જ છે. અજાણતાં એટલા માટે કારણકે, કૃષ્ણને જોવા, સાંભળવા અને ભજવા એ થોડું કપરું કામ છે, કૃષ્ણ એમ કઈ સહેલાઈથી પામી શકાતા નથી. અમારો લાલો તો હજી લાલો જ છે, કઈ કેટલીયે સદીઓ વીતી ગઈ પણ અમારો લાલો આજે પણ ઘુંટણીયે જ છે... "લાલાને લાડ લડાવો" આ શબ્દો દ્વારા કોઈ પ્રાસ બેસાડવાની કોશિષ નથી કરેલી... આ શબ્દો તો વાહલાંના, વહાલાંના હૃદયેથી લખાયેલા "બીડા" જેવા, લીલા પાનમાં ગોળ વાળેલા, બરાસ અને કાથાથી ભરપુર શબ્દો છે. કોઈક દિવસ લાલાને ઝુલાવતા ઝુલાવતા આ ચાર શબ્દો ગાઈ જો જો પછી અમીષ શું અનુભવી રહ્યો છે એ તમને સમજાઈ જશે.
ચાલો, કૃષ્ણને જીવશ્રુષ્ટિ કેમ અને કયારે નમી એ બાબત થોડી અળગી કરી, કૃષ્ણના માથે કેમ "મોરપંખ" વિષય તરફ આગળ વધીએ. મોરપંખ માટે જાત જાતની વાતો પ્રચલિત છે... કોઈ કહે છે કે મોરપંખ "નકારત્મકતા" ને અળગી રાખે છે... તો કોઈ કહે છે કૃષ્ણના માથે મોરપંખ એટલે માટે હતા કે મોર "સ્ત્રીગમન" નથી કરતો... મારા મને આ બધી કેટલીક હકીકત છે અને કેટલીક લોકવાયકા. હા, એકવાત જરૂર કબુલીશ, મારી ગાડીનાં (૩૨૫૦) ડેશબોર્ડ ઉપર, ગાડી લીધી ત્યારથી કેટલાક મોરપંખ ગોઠવેલા છે અને આજ સુધી ૩૨૫૦ નો એક પણ અકસ્માત નથી થયો, ભલેને એ કેદારનાથ, બદ્રીનાથનો પહાડી રસ્તો હોય કે પછી લેહ લદ્દાખની દુર્ગમ ચોટીઓ હોય કે પછી નેપાળ અને ભુતાન જેવા પારકા દેશોની સડકો હોય. આને તમે મારી અંધશ્રદ્ધા કહી શકો છો પણ મારે માટે આ નરી વાસ્તવિકતા છે અને બીજું કશું નહીં.
તો કૃષ્ણના માથે મોર પંખ... જેની સન્મુખ સમગ્ર વિશ્વ શીશ ઝુકાવે છે એણે પોતાનાં શીશ ઉપર મોરપંખ કેમ સજાવ્યું હશે...? જે કૃષ્ણ ભકત છે એને આ પ્રશ્ન કદી નહીં થયો હોય. હા, તમે બરાબર વાંચ્યું જે કૃષ્ણ ભક્ત હોય એને આવો પ્રશ્ન કદી નહીં થયો હોય... કૃષ્ણ ભકત પાસે કૃષ્ણભક્તિમાંથી ઉપર જોવાનો સમય જ ક્યાં છે કે એ છેક કૃષ્ણના માથે મોરપંખ જોવે... એને તો લાલાના ચરણોમાં જ સમગ્ર શ્રુષ્ટિ દેખાઈ જાય છે અને ત્યાંજ એ વસી જાય છે... આવાજ કોઈ કૃષ્ણ ચરણવાસી એ ખુબ સરસ લખ્યું છે,
"लाली मेरे लाल की जित देखु तित लाल,
लाली देखन में गई में भी हो गई लाल।"
હવે આવા ભક્ત પાસેથી તમે કૃષ્ણના માથે મોરપંખની વાત કરીને પણ શું કરો... એ તો પેહલેથી "લાલા" ની "લાલી" માં રંગાઈ ચુક્યો છે. હા હા... આપણું ગુજરાતી ભજન પણ છે,
"તું રંગાઈ જા ને રંગમાં,
સીતા રામ તણાં સત્સંગમાં,
રાધે શ્યામ તણાં તું રંગમાં..."
તો કૃષ્ણભક્ત પાસેથી આવી કોઈ આશા રાખવી એટલે "નરસિંહ" કે "મીરા" પાસેથી એના કૃષ્ણની મોરલી છીનવી લેવા જેવી વાત છે, એટલે આ વાત અહીંયા જ પડતી મુકી દેવામાં સજ્જનતા છે.
તો પછી આ પ્રશ્ન થાય કોને...?
જેને વાસુદેવ શ્રીકૃષ્ણને પામવા છે એને..,
જેને ફકત લાલાની "લાલી" નહીં, પણ આખે-આખા લાલાને ભજવા છે એને...
જેને ગીતાનો ઉપદેશ આપતા કે મથુરાની ગલીઓમાં માખણ ચોરતા "શાશ્વત" સ્વરૂપ કૃષ્ણને માથે ટોપલીમાં લઈને ગામે ગામ ફરવું છે એને...
જેને કૃષ્ણ બાળ સ્વરૂપ અને વિશ્વરૂપ બન્નેને એકતારે ભજવા છે એને...
જેને દ્રુતક્રિડામા "અપ્રત્યક્ષ" પણ એજ દ્રુતક્રિડા ભવનમાં દ્રૌપદીના ચીરહરણને રોકાતા "પ્રત્યક્ષ" કૃષ્ણને જાણવા છે એને...
જેને ભીષ્મ, દ્રોણ અને વિદુરની જેમ વિના કોઈ "વિશિષ્ટ ચક્ષુએ" કૃષ્ણનાં વિરાટ સ્વરૂપને બે હાથ જોડીને નિહાળવું છે એને...
જેને અર્જુન બની પોતાના કૃષ્ણને નિઃસંકોચ સવાલ પુછવા છે એને...
એવા કોઈ વિરલાનું આ કામ છે...
તો કૃષ્ણનાં માથે મોરપંખ કેમ...? સવાલ જેટલો પેચીદો છે જવાબ એટલોજ સરળ છે... વાતને બહુ આગળ ન ખેંચતા મારી અનુભુતી સાદર પ્રત કરું છું, મનુષ્યનો સહજ સ્વભાવ છે "ખુશ" રહેવાનો... "દુઃખી" થવા માટે મનુષ્યે પ્રયાસ કરવા પડતા હોય છે. એજ પ્રમાણે "ઉત્સવ" મનાવવા માટે પણ પ્રયાસ કરવા પડતા હોય છે. તમે કશું "ના" કરો એટલે તમે ખુશ જ છો... જેવું તમે કશું શરૂ કર્યું એટલે તમે કેન્દ્ર બિંદુમાંથી ખસ્યાં... મનને ગમતું પરિણામ આવે એટલે આપણે મન "ઉત્સવ" અને મનને ન ગમતું પરિણામ આવે એટલે આપણે મન "દુઃખ"... બસ, આટલું સરળ છે. ખુશીના કેંદ્રબિન્દુની ઉપર "ઉત્સવ" બિરાજમાન છે અને નીચે "દુઃખ" દૈદિપ્યમાન છે. તમે મોર અને ઢેલ વિષે એકવાત જાણતાં હશો કે, મોર જયારે રડે છે ત્યારે "ઢેલ" મોરના આંસુ પોતાના "મોહ" માં ઝીલી લે છે અને ત્યારબાદ "ઢેલ" ને ગર્ભ રહે છે અને આમ કરતાં કરતાં મોર અને ઢેલનો સંસાર ચાલ્યા કરે છે...! જાણો છોને આ વાત...?
વાસુદેવ શ્રીકૃષ્ણ આ સંસાર જમણે પડખે સુતા સુતા ચલાવે છે, સંસાર ચલાવવાનું કામ "સતત" અને "કપરું" છે, એટલે આરામ કરતાં કરતાં પોતાની મસ્તીમાં મસ્ત રહેતા રહેતા વાસુદેવ શ્રીકૃષ્ણ પોતાંનું "કર્તવ્ય" રાજીખુશીથી નિભાવે છે. પોતાના સંસારને ચલાવવાનું કામ મોરને કપરું લાગે છે એટલે જ એ સંસારનો "ઉદય" આંસુથી થાય છે. કદાચ મોરને આ સંસાર "માયા" લાગતો હશે. કૃષ્ણ બનીને મારો અને તમારો સંસાર ચલાવવાનું કામ "અલૌકિક" છે. જયારે મોર બનીને પોતાનો સંસાર ચલાવવાનું કામ "લૌકિક" છે. મનુષ્યો માટે આંસુ એ દુઃખ અને સુખ બન્નેનું પ્રતીક છે... પણ મોરના કિસ્સામાં એના આંસુ ફક્ત એના "દુઃખ" નું પ્રતીક છે... કારણ કે, મોરને જયારે "ઉત્સવ" મનાવવાનો હોય છે ત્યારે એ એના "પંખ" ખોલીને "નૃત્ય" કરતો હોય છે, મન ભરીને ઉજવણી કરતો હોય છે... જાણે કૃષ્ણ સાથે "રાસલીલા" રમતો હોય એમ. સમયનું, જગ્યાનું, અસ્તિત્વનું તમામ દુન્યવી બાબતોનું - લૌકિક બાબતોનું ભાન ભુલીને મોર પોતાની મસ્તીમાં મસ્ત એકલો અટુલો વિચલિત થયા વગર "સોળેકળાએ" ખીલીને ઉત્સવ મનાવતો હોય છે...
એક સામાન્ય પક્ષી જે બહુ લાબું ઉડી નથી શકતું અચાનક પોતાના "પંખ" ને કારણે "વિરાટ" બની જાય છે એટલું વિશાળ બની જાય છે કે એને કોઈ છેડવાની હિંમત પણ નથી કરી શકતું. અરે, એ દ્રષ્યજ એટલું "મનોહર" હોય છે કે કોઈપણ "જીવ" એ સમયમાં, સમયને રોકી દેવાં તત્પર હોય છે... નૃત્ય સમયનો મોરનો ટહુકો સમગ્ર જીવશ્રુષ્ટિને "મંત્રમુગ્ધ" કરી દે છે અને એવામાં જ ક્યાંકથી દબાયેલા પગે હળવેકથી અમીષને "મેહુલિયો" ભીંજવી જાય છે; ગ્રીષ્મ કોણ જાણે કેવી રીતે અચાનક જ "વર્ષા" બની જાય છે; જાણે કે, વિરહની તલપ અચાનક જ "મિલનની" વેળા બની જાય છે.
જરાક ધ્યાનથી વિચારો "મોર" સિવાય આ સંસારનું આનાથી ઉત્તમ નિરૂપણ કોણ કરી શકે, એ પણ વિના કોઈ ઊથલપાથલે...!? સમગ્ર શ્રુષ્ટિના, સંસારની અને ક્રમની "ઝાંખી" મોર એના રોજિંદા આચરણ દ્વારા આપણને સહુને આજે પણ કરાવી જાય છે.
ફરી એક વખત યાદ અપાવી દઉં...
ખુશ રેહવું એ મનુષ્યનો સ્વભાવ છે...
દુઃખી થવા; સંસાર ચલાવવા "પ્રયાસ" કરવો પડે છે, "કષ્ટ" વેઠવું પડે છે... "આંસુ" સારવા પડે છે... અને
ઉત્સવ મનાવવા પોતાના "પંખ" ફેલાવવા પડે છે...
પોતાની અંદર છુપાયેલી "વિરાટતા" ફેલાવવી પડે છે... બિલકુલ મોરની જેમ...! કદાચ એટલેજ કૃષ્ણે એના માથે "મોરપંખ" શોભાવ્યું હશે...
લૌકિકમાં "મોર" અને અલૌકિકમાં "કૃષ્ણ"; એટલેજ જયારે મારા કૃષ્ણ લૌકિકમાં અવતર્યા ત્યારે એમના માથે "મોરપંખ" બિરાજે છે અથવા એમ કહો, વાસુદેવ શ્રીકૃષ્ણના માથે "કૃષ્ણ" બિરાજે છે.