watchgujarat: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) T20 બાદ રોહિત શર્માને ODI ની કપ્તાની પણ સોંપવા જઈ રહ્યું છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર વન-ડે શ્રેણીમાં રોહિત શર્મા કેપ્ટન રહેશે. તેની સત્તાવાર જાહેરાત પણ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત દરમિયાન જ થઈ શકે છે.
બીસીસીઆઈના સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે રોહિતને વનડેની કેપ્ટન્સી સોંપવાની તૈયારી કરવામાં આવી રહી છે. ભારતીય ટીમ આ મહિને દક્ષિણ આફ્રિકા જવાની છે. જ્યાં ટીમ 3 ટેસ્ટ, 3 વન-ડે મેચ રમશે.
ન્યુઝીલેન્ડ સામે રોહિત T20માં કરી ચુક્યા છે કેપ્ટનશીપ
રોહિત શર્માએ ન્યુઝીલેન્ડ સામેની T20 ઘરઆંગણાની શ્રેણીની કેપ્ટનશીપ કરી છે. ભારતે આ શ્રેણી 3-0થી જીતી હતી. કોચ તરીકે કોચ રાહુલ દ્રવિડ માટે પણ આ શ્રેણી પ્રથમ શ્રેણી હતી.
વિરાટે છોડી દીધી હતી T20ની કેપ્ટનશીપ
વિરાટ કોહલીએ વર્લ્ડકપ બાદ T20ની કેપ્ટન્સી છોડી દેતાં રોહિતને કેપ્ટનશિપ આપવામાં આવી છે. ત્યારથી ચર્ચા છે કે વનડે ટીમની કપ્તાની પણ રોહિત શર્માને સોંપવામાં આવી શકે છે. જ્યારે વિરાટ ટેસ્ટ ટીમની કમાન સંભાળશે. પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પણ રોહિતના વખાણ કર્યા છે અને કહ્યું છે કે રોહિત T20 અને ODIનો સારો કેપ્ટન છે.
2017 પછી પ્રથમ વખત બે કેપ્ટન
ટીમ ઈન્ડિયામાં 2017 પછી પ્રથમ વખત બે કેપ્ટન હશે. આ પહેલા 2014 થી 2017 સુધી ભારતીય ટીમમાં બે કેપ્ટન હતા. ધોનીએ 2014માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને વિરાટ કોહલી ટીમનો નવો કેપ્ટન બન્યો હતો. જયારે, ધોની વનડે અને ટી-20માં કેપ્ટન તરીકે રમી રહ્યો હતો. આ પછી કોહલીએ 2017થી ત્રણેય ફોર્મેટમાં ભારતની કપ્તાની કરી છે. હવે કોહલીએ ટી-20ની કેપ્ટનશીપ છોડ્યા બાદ રોહિત અને કોહલી ભારતના બે અલગ-અલગ કેપ્ટન હશે.
દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ 26 ડિસેમ્બરથી
આ પ્રવાસમાં ભારતે 26 ડિસેમ્બરથી પ્રથમ ટેસ્ટ રમવાની છે. બીજી ટેસ્ટ 30 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી અને ત્રીજી ટેસ્ટ 11 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી રમાશે. જ્યારે પ્રથમ વનડે મેચ આવતા વર્ષે 19 જાન્યુઆરીએ રમાશે. જયારે, બીજી વનડે 21 અને ત્રીજી 23 જાન્યુઆરીએ છે.
watchgujarat: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) T20 બાદ રોહિત શર્માને ODI ની કપ્તાની પણ સોંપવા જઈ રહ્યું છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર વન-ડે શ્રેણીમાં રોહિત શર્મા કેપ્ટન રહેશે. તેની સત્તાવાર જાહેરાત પણ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત દરમિયાન જ થઈ શકે છે.
બીસીસીઆઈના સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે રોહિતને વનડેની કેપ્ટન્સી સોંપવાની તૈયારી કરવામાં આવી રહી છે. ભારતીય ટીમ આ મહિને દક્ષિણ આફ્રિકા જવાની છે. જ્યાં ટીમ 3 ટેસ્ટ, 3 વન-ડે મેચ રમશે.
ન્યુઝીલેન્ડ સામે રોહિત T20માં કરી ચુક્યા છે કેપ્ટનશીપ
રોહિત શર્માએ ન્યુઝીલેન્ડ સામેની T20 ઘરઆંગણાની શ્રેણીની કેપ્ટનશીપ કરી છે. ભારતે આ શ્રેણી 3-0થી જીતી હતી. કોચ તરીકે કોચ રાહુલ દ્રવિડ માટે પણ આ શ્રેણી પ્રથમ શ્રેણી હતી.
વિરાટે છોડી દીધી હતી T20ની કેપ્ટનશીપ
વિરાટ કોહલીએ વર્લ્ડકપ બાદ T20ની કેપ્ટન્સી છોડી દેતાં રોહિતને કેપ્ટનશિપ આપવામાં આવી છે. ત્યારથી ચર્ચા છે કે વનડે ટીમની કપ્તાની પણ રોહિત શર્માને સોંપવામાં આવી શકે છે. જ્યારે વિરાટ ટેસ્ટ ટીમની કમાન સંભાળશે. પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પણ રોહિતના વખાણ કર્યા છે અને કહ્યું છે કે રોહિત T20 અને ODIનો સારો કેપ્ટન છે.
2017 પછી પ્રથમ વખત બે કેપ્ટન
ટીમ ઈન્ડિયામાં 2017 પછી પ્રથમ વખત બે કેપ્ટન હશે. આ પહેલા 2014 થી 2017 સુધી ભારતીય ટીમમાં બે કેપ્ટન હતા. ધોનીએ 2014માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને વિરાટ કોહલી ટીમનો નવો કેપ્ટન બન્યો હતો. જયારે, ધોની વનડે અને ટી-20માં કેપ્ટન તરીકે રમી રહ્યો હતો. આ પછી કોહલીએ 2017થી ત્રણેય ફોર્મેટમાં ભારતની કપ્તાની કરી છે. હવે કોહલીએ ટી-20ની કેપ્ટનશીપ છોડ્યા બાદ રોહિત અને કોહલી ભારતના બે અલગ-અલગ કેપ્ટન હશે.
દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ 26 ડિસેમ્બરથી
આ પ્રવાસમાં ભારતે 26 ડિસેમ્બરથી પ્રથમ ટેસ્ટ રમવાની છે. બીજી ટેસ્ટ 30 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી અને ત્રીજી ટેસ્ટ 11 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી રમાશે. જ્યારે પ્રથમ વનડે મેચ આવતા વર્ષે 19 જાન્યુઆરીએ રમાશે. જયારે, બીજી વનડે 21 અને ત્રીજી 23 જાન્યુઆરીએ છે.