જયેશ બાપુ સામે બળાત્કાર અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ.
સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી બેસાડી રાખ્યા બાદ મંદિરમાં કોઈ નહોતું ત્યારે શારીરિક અડપલાં કર્યાં.
શારીરિક અડપલાં કર્યા બાદ નજીક આવેલા ઘરમાં લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું.
નવસારી. નવસારી જિલ્લાના રામલામોરા ગામના લંપટ તાંત્રિકે દુઃખ દૂર કરવાના નામે વિધવા મહિલાનું શારીરિક શોષણ કર્યું હતું. આ મામલે પોલીસે તાંત્રિકની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, નવસારીના ગણદેવીની બે બહેન પર તાંત્રિકના દુષ્કર્મની ઘટનાની હજી શાહી સુકાઈ નથી ત્યાં રામલામોરા ગામની વિધવા સાથે તાંત્રિકે દુષ્કર્મ આચર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.
છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતી વિધવા મહિલાની તબિયત ઘણા સમયથી સારી રહેતી નહોતી. કોઈકના કહેવાથી તેણે રામલામોરા ગામના ભગત ઉર્ફે જયેશ બાપુને મળવા ગઈ હતી. પહેલીવાર સામાન્ય વાતચિત થયા બાદ બીજી વખત મળવા ગઈ ત્યારે જડીબુટ્ટીની દવા આપી હતી અને ફરી મળવા બોલાવી હતી.
ગત તા. 20 ઓક્ટોબરના રોજ મહિલા ત્રીજીવાર જયેશ બાપુને મળવા ગઈ હતી. સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી મંદિરમાં બેસાડી રાખ્યા બાદ મોડી સાંજે મંદિરમાં કોઈ ન હતું ત્યારે જયેશ બાપુએ શારીરિક અડપલાં કર્યા હતાં. ત્યારબાદ બાજુના ઘરમાં લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. અને આ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાંખશે એવી ધમકી આપી હતી.
બનાવ અંગે વિધવા મહિલાએ નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જયેશ બાપુ (ભગત) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બાદમાં એસપીના દરબારમાં લેખિત ફરિયાદ કરતાં પોલીસે જયેશ બાપુની ધરપકડ કરી હતી. જયેશ બાપુ વિરુદ્ધ બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગ્રામ્ય પોલીસે ભોગ બનનારી મહિલાનું મેડિકલ અને જયેશ બાપુનું મેડિકલ તપાસ કરી પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર નવસારી પંથકમાં બાપુ સામે આક્રોશ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા આ ઘટનામાં પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
જયેશ બાપુ સામે બળાત્કાર અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ.
સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી બેસાડી રાખ્યા બાદ મંદિરમાં કોઈ નહોતું ત્યારે શારીરિક અડપલાં કર્યાં.
શારીરિક અડપલાં કર્યા બાદ નજીક આવેલા ઘરમાં લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું.
નવસારી. નવસારી જિલ્લાના રામલામોરા ગામના લંપટ તાંત્રિકે દુઃખ દૂર કરવાના નામે વિધવા મહિલાનું શારીરિક શોષણ કર્યું હતું. આ મામલે પોલીસે તાંત્રિકની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, નવસારીના ગણદેવીની બે બહેન પર તાંત્રિકના દુષ્કર્મની ઘટનાની હજી શાહી સુકાઈ નથી ત્યાં રામલામોરા ગામની વિધવા સાથે તાંત્રિકે દુષ્કર્મ આચર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.
છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતી વિધવા મહિલાની તબિયત ઘણા સમયથી સારી રહેતી નહોતી. કોઈકના કહેવાથી તેણે રામલામોરા ગામના ભગત ઉર્ફે જયેશ બાપુને મળવા ગઈ હતી. પહેલીવાર સામાન્ય વાતચિત થયા બાદ બીજી વખત મળવા ગઈ ત્યારે જડીબુટ્ટીની દવા આપી હતી અને ફરી મળવા બોલાવી હતી.
ગત તા. 20 ઓક્ટોબરના રોજ મહિલા ત્રીજીવાર જયેશ બાપુને મળવા ગઈ હતી. સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી મંદિરમાં બેસાડી રાખ્યા બાદ મોડી સાંજે મંદિરમાં કોઈ ન હતું ત્યારે જયેશ બાપુએ શારીરિક અડપલાં કર્યા હતાં. ત્યારબાદ બાજુના ઘરમાં લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. અને આ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાંખશે એવી ધમકી આપી હતી.
બનાવ અંગે વિધવા મહિલાએ નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જયેશ બાપુ (ભગત) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બાદમાં એસપીના દરબારમાં લેખિત ફરિયાદ કરતાં પોલીસે જયેશ બાપુની ધરપકડ કરી હતી. જયેશ બાપુ વિરુદ્ધ બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગ્રામ્ય પોલીસે ભોગ બનનારી મહિલાનું મેડિકલ અને જયેશ બાપુનું મેડિકલ તપાસ કરી પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર નવસારી પંથકમાં બાપુ સામે આક્રોશ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા આ ઘટનામાં પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.