સુરતના અમરોલી વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલી મનપાની ટીમ અને ફેરીયાવાળા લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું
બનાવની જાણ પોલીસને થતા કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો
પોલીસે ત્યાંથી એક વ્યક્તિની અટકાયત કરી હોવાની માહિતી સામે આવી
આ બનાવને પગલે પલભર માટે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો
WatchGujarat. સુરતના અમરોલી વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલી મનપાની ટીમ અને ફેરીયાવાળા લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. બીજી તરફ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે ત્યાંથી એક વ્યક્તિની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું હતું.
સુરતમાં છાશવારે મનપાની દબાણખાતાની ટીમ અને લારીવાળા લોકો વચ્ચે ઘર્ષણ સર્જાતું રહે છે. ત્યારે આવી જ એક વઘુ ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ અમરોલી વિસ્તારમાં મનપાની દબાણખાતાની ટીમ દબાણ હટાવવા ગયી હતી. જેથી ત્યાં લારી વાળાઓ વચ્ચે નાસભાગ મચી ગયી હતી. આ ઉપરાંત દબાણખાતાની ટીમે લારીઓ જપ્ત કરવાની કાર્યવાહી શરુ કરી હતી. જેથી લારીવાળા અને દબાણખાતાના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. અહી મામલો બીચકતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી અમરોલી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘર્ષણમાં ઉતરનાર કેટલાક લારીવાળાની અટકાયત કરી હતી. આ બનાવને પગલે પલભર માટે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારીને લઈને ખાસ કરીને એક ટાઈમનું કમાઈને પેટીયું રળતા લોકોની હાલત કફોડી બની છે. ત્યારે રસ્તાઓ પર લારી ઉભી રાખી ગુજરાન ચલાવતા લારીવાળાઓની લારીઓ ઉચકી લેતા ફેરિયાઓ હવે અધિકારીઓ સાથે ઘર્ષણ પર ઉતરી રહ્યા છે. બીજી તરફ અધિકારીઓ ખોટી રીતે હેરાનગતી કરતા હોવાનો આક્ષેપ પણ થઇ રહ્યો છે.
સુરતના અમરોલી વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલી મનપાની ટીમ અને ફેરીયાવાળા લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું
બનાવની જાણ પોલીસને થતા કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો
પોલીસે ત્યાંથી એક વ્યક્તિની અટકાયત કરી હોવાની માહિતી સામે આવી
આ બનાવને પગલે પલભર માટે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો
WatchGujarat. સુરતના અમરોલી વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલી મનપાની ટીમ અને ફેરીયાવાળા લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. બીજી તરફ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે ત્યાંથી એક વ્યક્તિની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું હતું.
સુરતમાં છાશવારે મનપાની દબાણખાતાની ટીમ અને લારીવાળા લોકો વચ્ચે ઘર્ષણ સર્જાતું રહે છે. ત્યારે આવી જ એક વઘુ ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ અમરોલી વિસ્તારમાં મનપાની દબાણખાતાની ટીમ દબાણ હટાવવા ગયી હતી. જેથી ત્યાં લારી વાળાઓ વચ્ચે નાસભાગ મચી ગયી હતી. આ ઉપરાંત દબાણખાતાની ટીમે લારીઓ જપ્ત કરવાની કાર્યવાહી શરુ કરી હતી. જેથી લારીવાળા અને દબાણખાતાના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. અહી મામલો બીચકતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી અમરોલી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘર્ષણમાં ઉતરનાર કેટલાક લારીવાળાની અટકાયત કરી હતી. આ બનાવને પગલે પલભર માટે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારીને લઈને ખાસ કરીને એક ટાઈમનું કમાઈને પેટીયું રળતા લોકોની હાલત કફોડી બની છે. ત્યારે રસ્તાઓ પર લારી ઉભી રાખી ગુજરાન ચલાવતા લારીવાળાઓની લારીઓ ઉચકી લેતા ફેરિયાઓ હવે અધિકારીઓ સાથે ઘર્ષણ પર ઉતરી રહ્યા છે. બીજી તરફ અધિકારીઓ ખોટી રીતે હેરાનગતી કરતા હોવાનો આક્ષેપ પણ થઇ રહ્યો છે.