પશ્ચિમ રેલવેનો મહત્વનો નિર્ણય, મુસાફરોની સુવિધામાં થશે વધારો
હવે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ જોડી ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના કોચ જોડવામાં આવશે
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફએ જાણકારી આપી
ટ્રેનોમાં વધારાના સેકન્ડ એસી કોચ જોડવામાં આવશે
WatchGujarat. મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ જોડી ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના કોચ જોડવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફએ આ અંગેની જાણકારી આપી હતી. તેમના જણાવ્યા મુજબ જે ટ્રેનોમાં વધારાના સેકન્ડ એસી કોચ જોડવામાં આવનાર છે તેની વિગતો આ પ્રમાણે છે.
1. ટ્રેન નંબર 22946/22945
ઓખા - મુંબઈ સેન્ટ્રલ - ઓખા સૌરાષ્ટ્ર મેલ માં ઓખા થી 18.01.2022 થી 17.02.2022 સુધી અને મુંબઈ સેન્ટ્રલ થી 15.01.2022 થી 14.02.2022 સુધી એક વધારાનો સેકન્ડ એસી કોચ જોડવામાં આવશે.
2. ટ્રેન નંબર 19251/19252
સોમનાથ-ઓખા-સોમનાથ એક્સપ્રેસને માં સોમનાથથી 17.01.2022 થી 16.02.2022 સુધી અને ઓખાથી 16.01.2022 થી 15.02.2022 સુધી એક વધારાનો સેકન્ડ એસી કોચ જોડવામાં આવશે.
3. ટ્રેન નંબર 19218/19217
વેરાવળ - બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં વેરાવળથી 19.01.2022 થી 02.02.2022 સુધી (22.01.2022, 23.01.2022, 27.01.2022 અને 01.02.2022 સિવાય) અને બાંદ્રા થી 18.01.2022 થી 01.02.2022 સુધી (21.01.2022, 22.01.2022, 26.01.2022 અને 31.01.2022 સિવાય) એક વધારાનો સ્લીપર કોચ જોડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત ત્રણેય ટ્રેનોમાં વધુ પડતો ટ્રાફિક રહેતો હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવેથી આ ત્રણેય ટ્રેનોમાં વધુ એક સેકન્ડ એસી કોચ જોડવામાં આવતા લોકોને મોટી રાહત મળશે. આવનારા સમયમાં જે રૂટ પર વધુ ટ્રાફિક રહેતો હોય તેવી અન્ય ટ્રેનોમાં પણ વધારાનાં કોચ જોડવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી. પશ્ચિમ રેલવેનાં આ નિર્ણયથી મુસાફરોને મોટી રાહત મળવાની સાથે રેલવેની આવકમાં પણ વધારો થશે.
પશ્ચિમ રેલવેનો મહત્વનો નિર્ણય, મુસાફરોની સુવિધામાં થશે વધારો
હવે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ જોડી ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના કોચ જોડવામાં આવશે
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફએ જાણકારી આપી
ટ્રેનોમાં વધારાના સેકન્ડ એસી કોચ જોડવામાં આવશે
WatchGujarat. મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ જોડી ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના કોચ જોડવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફએ આ અંગેની જાણકારી આપી હતી. તેમના જણાવ્યા મુજબ જે ટ્રેનોમાં વધારાના સેકન્ડ એસી કોચ જોડવામાં આવનાર છે તેની વિગતો આ પ્રમાણે છે.
1. ટ્રેન નંબર 22946/22945
ઓખા - મુંબઈ સેન્ટ્રલ - ઓખા સૌરાષ્ટ્ર મેલ માં ઓખા થી 18.01.2022 થી 17.02.2022 સુધી અને મુંબઈ સેન્ટ્રલ થી 15.01.2022 થી 14.02.2022 સુધી એક વધારાનો સેકન્ડ એસી કોચ જોડવામાં આવશે.
2. ટ્રેન નંબર 19251/19252
સોમનાથ-ઓખા-સોમનાથ એક્સપ્રેસને માં સોમનાથથી 17.01.2022 થી 16.02.2022 સુધી અને ઓખાથી 16.01.2022 થી 15.02.2022 સુધી એક વધારાનો સેકન્ડ એસી કોચ જોડવામાં આવશે.
3. ટ્રેન નંબર 19218/19217
વેરાવળ - બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં વેરાવળથી 19.01.2022 થી 02.02.2022 સુધી (22.01.2022, 23.01.2022, 27.01.2022 અને 01.02.2022 સિવાય) અને બાંદ્રા થી 18.01.2022 થી 01.02.2022 સુધી (21.01.2022, 22.01.2022, 26.01.2022 અને 31.01.2022 સિવાય) એક વધારાનો સ્લીપર કોચ જોડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત ત્રણેય ટ્રેનોમાં વધુ પડતો ટ્રાફિક રહેતો હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવેથી આ ત્રણેય ટ્રેનોમાં વધુ એક સેકન્ડ એસી કોચ જોડવામાં આવતા લોકોને મોટી રાહત મળશે. આવનારા સમયમાં જે રૂટ પર વધુ ટ્રાફિક રહેતો હોય તેવી અન્ય ટ્રેનોમાં પણ વધારાનાં કોચ જોડવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી. પશ્ચિમ રેલવેનાં આ નિર્ણયથી મુસાફરોને મોટી રાહત મળવાની સાથે રેલવેની આવકમાં પણ વધારો થશે.