ગુજરાત સરકાર કોરોના મૃત્યુના સાચા આંકડા છીપાવી રહી હોય અમે જનતા સમક્ષ સામે લાવીશું : મહેશ સવાણી
આપની જનસંવેદના મુલાકાત બાદ BJP એ જન આશીર્વાદ અને કોંગ્રેસે ન્યાયયાત્રા કાઢવી પડી હોવાની કેફિયત
ભરૂચ આત્મીય સંસ્કાર હોલ ખાતે આમ આદમી પાર્ટીની જન સંવેદના મુલાકાત હેઠળ સભા યોજાઈ
[caption id="attachment_1393133" align="aligncenter" width="640"] Bharuch - AAP party[/caption]
WatchGujarat. ભરૂચમાં આમ આદમી પાર્ટીની આત્મીય સંસ્કાર હોલ ખાતે જન સંવેદના મુલાકાત હેઠળ સભા યોજાઈ હતી. 2022 જો AAP ની સરકાર બની તો કોરોના મૃતકના પરિવારના ખાતામાં રોકડા 50000 સહાય જમા કરાવવાની ચૂંટણીલક્ષી જાહેરાત ઈસુદાન ગઢવીએ કરી હતી. કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી આપના ઈસુદાન ગઢવીએ ભાજપ અને કોંગ્રેસને મિલીભગત પાર્ટી ગણાવી હતી. આપે જન સંવેદના યાત્રા કાઢી એટલે ભાજપે જન આશીર્વાદ અને કોંગ્રેસે ન્યાય યાત્રા કાઢવાની ફરજ પડી હોવાનો આક્ષેપ કરાયો હતો.
જો દિલ્હીની કેજરીવાલ સરકાર કોરોના મૃતકોના પરિવારના ખાતામાં રોકડા 50000 ની સહાય જમા કરાવી શકતી હોય તો ગુજરાતની ભાજપ સરકાર કેમ નહિ. જન સંવેદના મુલાકાત થકી આપે 61 દિવસમાં 450 થી વધુ ગામોની મુલાકાત લઈ કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના ડેટા એકત્ર કર્યા છે. જો ગુજરાત સરકાર કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના નહીં બતાવે તો 2022 ની ચૂંટણીમાં ગુજરાતમાં આપની સરકાર બની તો પ્રત્યેક પરિવારના ખાતામાં 50000 સહાય જમા કરાવવાની પણ જાહેરાત કરાઈ છે.
ભરૂચ પેહલા રવિવારે સાંજે આપે અંકલેશ્વરમાં પણ સભા સંબોધી હતી, જેમાં ભાજપ અને કોંગ્રેસને કમિશનની પાર્ટી જ્યારે આપને મિશનની પાર્ટી ગણાવાઈ હતી. આપની જન સંવેદના યાત્રામાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, મહેશ સવાણી સહિતના હાજર રહ્યાં હતાં. જેમાં ગુજરાતમાં કોરોનાનો સાચો મૃત્યુ આંક પણ આપ બહાર લાવશે તેવો દાવો કરાયો હતો. AAP ના મહેશ સવાણીએ કહ્યું હતું કે કોરોના મૃત્યુનો સાચો આંકડો ગુજરાત સરકાર છુપાવી રહી છે, અમે સોમનાથથી શરૂ કરેલી યાત્રામાં રાજ્યના ગામે ગામ ફરી ડેટા એકત્ર કરી રહ્યા છે. ગુજરાતમાં કોરોનામાં અઢી લાખથી વધુના મૃત્યુ થયા છે. જે પ્રજા સમક્ષ સાચો આંક અમે બહાર લાવીને રહીશું.
નર્મદા જિલ્લામાંથી ભરૂચમાં પ્રવેશેલી યાત્રા નેત્રંગ, વાલિયા, ઝઘડિયા, અંકલેશ્વર, શુકલતીર્થ બાદ સોમવારે ભરૂચ શહેરથી ત્રાલસા, આમોદ અને જંબુસર ખાતે પ્રવેશી ત્યાં કોરોના મૃતકોમે શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સભાઓ યોજવામાં આવી હતી.
ગુજરાત સરકાર કોરોના મૃત્યુના સાચા આંકડા છીપાવી રહી હોય અમે જનતા સમક્ષ સામે લાવીશું : મહેશ સવાણી
આપની જનસંવેદના મુલાકાત બાદ BJP એ જન આશીર્વાદ અને કોંગ્રેસે ન્યાયયાત્રા કાઢવી પડી હોવાની કેફિયત
ભરૂચ આત્મીય સંસ્કાર હોલ ખાતે આમ આદમી પાર્ટીની જન સંવેદના મુલાકાત હેઠળ સભા યોજાઈ
WatchGujarat. ભરૂચમાં આમ આદમી પાર્ટીની આત્મીય સંસ્કાર હોલ ખાતે જન સંવેદના મુલાકાત હેઠળ સભા યોજાઈ હતી. 2022 જો AAP ની સરકાર બની તો કોરોના મૃતકના પરિવારના ખાતામાં રોકડા 50000 સહાય જમા કરાવવાની ચૂંટણીલક્ષી જાહેરાત ઈસુદાન ગઢવીએ કરી હતી. કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી આપના ઈસુદાન ગઢવીએ ભાજપ અને કોંગ્રેસને મિલીભગત પાર્ટી ગણાવી હતી. આપે જન સંવેદના યાત્રા કાઢી એટલે ભાજપે જન આશીર્વાદ અને કોંગ્રેસે ન્યાય યાત્રા કાઢવાની ફરજ પડી હોવાનો આક્ષેપ કરાયો હતો.
જો દિલ્હીની કેજરીવાલ સરકાર કોરોના મૃતકોના પરિવારના ખાતામાં રોકડા 50000 ની સહાય જમા કરાવી શકતી હોય તો ગુજરાતની ભાજપ સરકાર કેમ નહિ. જન સંવેદના મુલાકાત થકી આપે 61 દિવસમાં 450 થી વધુ ગામોની મુલાકાત લઈ કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના ડેટા એકત્ર કર્યા છે. જો ગુજરાત સરકાર કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના નહીં બતાવે તો 2022 ની ચૂંટણીમાં ગુજરાતમાં આપની સરકાર બની તો પ્રત્યેક પરિવારના ખાતામાં 50000 સહાય જમા કરાવવાની પણ જાહેરાત કરાઈ છે.
ભરૂચ પેહલા રવિવારે સાંજે આપે અંકલેશ્વરમાં પણ સભા સંબોધી હતી, જેમાં ભાજપ અને કોંગ્રેસને કમિશનની પાર્ટી જ્યારે આપને મિશનની પાર્ટી ગણાવાઈ હતી. આપની જન સંવેદના યાત્રામાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, મહેશ સવાણી સહિતના હાજર રહ્યાં હતાં. જેમાં ગુજરાતમાં કોરોનાનો સાચો મૃત્યુ આંક પણ આપ બહાર લાવશે તેવો દાવો કરાયો હતો. AAP ના મહેશ સવાણીએ કહ્યું હતું કે કોરોના મૃત્યુનો સાચો આંકડો ગુજરાત સરકાર છુપાવી રહી છે, અમે સોમનાથથી શરૂ કરેલી યાત્રામાં રાજ્યના ગામે ગામ ફરી ડેટા એકત્ર કરી રહ્યા છે. ગુજરાતમાં કોરોનામાં અઢી લાખથી વધુના મૃત્યુ થયા છે. જે પ્રજા સમક્ષ સાચો આંક અમે બહાર લાવીને રહીશું.
નર્મદા જિલ્લામાંથી ભરૂચમાં પ્રવેશેલી યાત્રા નેત્રંગ, વાલિયા, ઝઘડિયા, અંકલેશ્વર, શુકલતીર્થ બાદ સોમવારે ભરૂચ શહેરથી ત્રાલસા, આમોદ અને જંબુસર ખાતે પ્રવેશી ત્યાં કોરોના મૃતકોમે શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સભાઓ યોજવામાં આવી હતી.