કોંગ્રેસના ચાણક્ય સ્વ. અહેમદ પટેલનું 30 વર્ષથી દિલ્હીમાં નિવાસ સ્થાન 23 મધર ટેરેસા ક્રિસેન્ટમાંથી પરિવારની સત્તાવાર વિદાય
આધુનિક ભારતનું સૌથી શક્તિશાળી સરનામામુ કદી નહિ ભુલાય : ફૈઝલ પટેલ
બીછડા કુછ ઇસ અદા સે કે ઋતુ હી બદલ ગઈ, એક શખ્સ સારે શહેર કો વિરાન કર ગયા
સ્વ. અહેમદ પટેલના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને હવે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશનું નિવાસ
અહેમદ પટેલની આઇકોનીક એમ્બેસેડર કાર જુલાઈમાં જ કર્મ ભૂમિ દિલ્હીથી જન્મભૂમિ પીરામણ લવાઈ હતી
રાષ્ટ્રીય નેતા અને કોંગ્રેસના ચાણક્ય સ્વ. અહેમદ પટેલનું 30 વર્ષથી દિલ્હીમાં નિવાસ સ્થાનને સત્તાવાર વિદાય આપતા તેમના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ ભાવુક બન્યાં હતા
WatchGujarat. સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે પરિવાર વતી ટ્વીટર ઉપર 23 મધર ટેરેસા ક્રિસેન્ટમાંથી સત્તાવાર વિદાય લેતી વખતે 30 વર્ષની યાદોનો ભાવનાત્મક વિડ્યો મુક્યો છે. વિડીયોમાં તેમણે નગમે હે કિસે હે બાતે હે, બાતે ભૂલ જાતિ હે યાદે યાદ આતી હે ના ગીત સાથે બંગલામાંથી આખરી વિદાય લીધી હતી. પિતા સ્વ. અહેમદ પટેલનું 30 વર્ષથી દિલ્હીમાં નિવાસ સ્થાન 23 મધર ટેરેસા ક્રિસેન્ટમાંથી પરિવારની સત્તાવાર વિદાય લેતા તેમણે વિડીયો સાથે ટ્વીટ કર્યું હતું કે, આધુનિક ભારતનું સૌથી શક્તિશાળી સરનામામુ કદી નહિ ભુલાય.
https://twitter.com/ahmedpatel/status/1434783156431831046?s=20
સ્વ. અહેમદ પટેલની આઇકોનીક એમ્બેસેડર કાર જુલાઈમાં જ કર્મ ભૂમિ દિલ્હીથી જન્મભૂમિ પીરામણ લવાઈ હતી. તે સમયે પણ રાષ્ટ્રીય નેતાની કાર સાથે પુત્રએ ટ્વીટ કરી લખ્યું હતું કે, બીછડા કુછ ઇસ અદા સે કે ઋત હી બદલ ગઈ, એક શખ્સ સારે શહેર કો વિરાન કર ગયા.
સુરતના સાંસદ અને કેન્દ્રિય રેલ અને ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશનો ભાગ્યોદય થઈ ગયો છે. કેન્દ્રિય પ્રધાનપદુ મળ્યા પછી હવે રહેવા માટે એમને સ્વ. અહમદ પટેલનું રહેઠાણ ફાળવવામાં આવ્યું છે . 23 , ક્રિસેન્ટ રોડ , ગ્યારહ મૂર્તિ ખાતે આવેલું આ મકાન એક જમાનામાં દરેક કોંગ્રેસી માટે સત્તાસ્થાન ગણાતુ હતું.
અહમદ પટેલને મળવા માટે અહીં મુખ્યમંત્રીઓ અને સાંસદોની લાઈન લાગતી હતી. 2020 નાં નવેમ્બર મહિનામાં અહમદ પટેલના અવસાન પછી અહમદભાઈના કુટુંબિઓ આ મકાન ખાલી કરવાના જ હતાં. 30 જેટલા વર્ષો સુધી અહમદભાઈ , એમના કુટુંબ સાથે અહીં રહ્યા હતા . અહમદભાઈની ઘણી યાદો આ બંગલા સાથે સંકળાયેલી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ અહમદભાઈનાં પત્ની મેમૂનાબેન સાથે દર્શનાબેને ઔપચારિક મૂલાકાત કરી હતી અને એમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી . બંગલો ખાલી કરતાં સામાનની ચિંતા નહીં કરવાનું પણ તે સમયે જણાવ્યું હતું.
સ્વ. અહેમદ પટેલની આઇકોનીક એમ્બેસેડર કાર જુલાઈમાં જ કર્મ ભૂમિ દિલ્હીથી જન્મભૂમિ પીરામણ લવાઈ હતી. તે સમયે પણ રાષ્ટ્રીય નેતાની કાર સાથે પુત્રએ ટ્વીટ કરી લખ્યું હતું કે, બીછડા કુછ ઇસ અદા સે કે ઋત હી બદલ ગઈ, એક શખ્સ સારે શહેર કો વિરાન કર ગયા.
સુરતના સાંસદ અને કેન્દ્રિય રેલ અને ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશનો ભાગ્યોદય થઈ ગયો છે. કેન્દ્રિય પ્રધાનપદુ મળ્યા પછી હવે રહેવા માટે એમને સ્વ. અહમદ પટેલનું રહેઠાણ ફાળવવામાં આવ્યું છે . 23 , ક્રિસેન્ટ રોડ , ગ્યારહ મૂર્તિ ખાતે આવેલું આ મકાન એક જમાનામાં દરેક કોંગ્રેસી માટે સત્તાસ્થાન ગણાતુ હતું.
અહમદ પટેલને મળવા માટે અહીં મુખ્યમંત્રીઓ અને સાંસદોની લાઈન લાગતી હતી. 2020 નાં નવેમ્બર મહિનામાં અહમદ પટેલના અવસાન પછી અહમદભાઈના કુટુંબિઓ આ મકાન ખાલી કરવાના જ હતાં. 30 જેટલા વર્ષો સુધી અહમદભાઈ , એમના કુટુંબ સાથે અહીં રહ્યા હતા . અહમદભાઈની ઘણી યાદો આ બંગલા સાથે સંકળાયેલી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ અહમદભાઈનાં પત્ની મેમૂનાબેન સાથે દર્શનાબેને ઔપચારિક મૂલાકાત કરી હતી અને એમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી . બંગલો ખાલી કરતાં સામાનની ચિંતા નહીં કરવાનું પણ તે સમયે જણાવ્યું હતું.