ચાલુ વર્ષો કોરોનાને કારણે બોર્ડની પરિક્ષામાં રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું
માસ પ્રમોશનથી નિરાશ વિદ્યાર્થીઓ માટે પુન પરીક્ષા લેવાનો નિર્ણય અગાઉ જાહેર કરાયો હતો
હવે સામાન્ય પ્રવાહને 19 વિદ્યાર્થીઓએ પરિણામ જમા કરાવતા તેમની માટે ખાસ પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો
WatchGujarat. કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થઇ રહી છે તો આ બાજુ તેના પરિણામે GSEB એ ધો.10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. પરંતુ માસ પ્રમોશનના પરિણામથી અસંતુષ્ટ થયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહના માત્ર 19 વિદ્યાર્થીઓ માટે અલગથી પરીક્ષાનું આયોજન કરવાની ફરજ પડી છે. બોર્ડે પરિણામથી અસંતુષ્ટ હોય તેવા નિયમિત વિદ્યાર્થીઓ માટે ફરી પરીક્ષા લેવાની જાહેરાત કરાઈ હતી. જેના પગલે રાજ્યના 19 વિદ્યાર્થીઓ પરિણામથી નાખુશ હોવાથી શાળામાં માર્કશીટ જમા કરાવી દીધી હતી. હવે આ વિદ્યાર્થીઓની બોર્ડ દ્વારા 27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર દરમિયાન પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ ગુજરાત શિક્ષણ બોર્ડ વૈકલ્પિક પરીક્ષા લેશે. પરીક્ષા વહેલી પૂરી કરવા માટે એક દિવસમાં બે સેશનમાં પરીક્ષા યોજવાનું નક્કી કરાયું છે.
વધુમાં, બોર્ડ દ્વારા પરિણામથી અંસતુષ્ટ હોય તેવા વિદ્યાર્થીઓ માટે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ 27 સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યાથી 1.15 વાગ્યા સુધીના સેશનમાં અંગ્રેજી પ્રથમ અને દ્વિતિય ભાષાની પરીક્ષા લેવાશે. જ્યારે બપોરના સેશનમાં 2.30થી 5.45 સુધીમાં ગુજરાતી અને હિન્દી પ્રથમ ભાષા તેમજ ગુજરાતી દ્વિતિય ભાષાની પરીક્ષા લેવાશે.
આ જ રીતે 28 સપ્ટેમ્બરના રોજ સવારના સેશનમાં અર્થશાસ્ત્ર, તત્વજ્ઞાન અને બપોરના સેશનમાં નામાના એકાઉંટ , મનોવિજ્ઞાન અને રાજ્યશાસ્ત્ર, 29 સપ્ટેમ્બરના રોજ સવારના સેશનમાં સ્ટેટ , હિસ્ટ્રી, હિન્દી દ્વિતિય ભાષા તેમજ બપોરના સેશનમાં સેક્રેટરીયલ પ્રેક્ટિસ, વાણિજ્ય પત્રવ્યવહાર, સંસ્કૃત અને 30 સપ્ટેમ્બરના રોજ સવારના સેશનમાં વાણિજ્ય વ્યવસ્થા, ભૂગોળ તેમજ બપોરના સેશનમાં કમ્પ્યૂટર તેમજ સમાજશાસ્ત્રની પરીક્ષા લેવામાં આવશે. આમ, 27 સપ્ટેમ્બરના રોજ શરૂ થનારી પરીક્ષા 4 દિવસમાં પૂર્ણ કરવા માટે એક દિવસમાં બે સેશનમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે 12 સાયન્સમાં માત્ર 65 વિદ્યાર્થીઓએ માર્કશીટ જમા કરાવી હતી અને પરીક્ષા માત્ર 54 વિદ્યાર્થીએ જ આપી હતી. ત્યારે 12 સામાન્ય પ્રવાહમાં માત્ર 19 જ વિદ્યાર્થીએ માર્કશીટ જમા કરાવી છે. 12 સાયન્સ માટે અમદાવાદમાં જ સેન્ટર હતુ અને 12 સામાન્ય પ્રવાહ માટે ગાંધીનગર એક જ સેન્ટર રાખવામાં આવ્યું છે.
- ચાલુ વર્ષો કોરોનાને કારણે બોર્ડની પરિક્ષામાં રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું
- માસ પ્રમોશનથી નિરાશ વિદ્યાર્થીઓ માટે પુન પરીક્ષા લેવાનો નિર્ણય અગાઉ જાહેર કરાયો હતો
- હવે સામાન્ય પ્રવાહને 19 વિદ્યાર્થીઓએ પરિણામ જમા કરાવતા તેમની માટે ખાસ પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો
WatchGujarat. કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થઇ રહી છે તો આ બાજુ તેના પરિણામે GSEB એ ધો.10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. પરંતુ માસ પ્રમોશનના પરિણામથી અસંતુષ્ટ થયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહના માત્ર 19 વિદ્યાર્થીઓ માટે અલગથી પરીક્ષાનું આયોજન કરવાની ફરજ પડી છે. બોર્ડે પરિણામથી અસંતુષ્ટ હોય તેવા નિયમિત વિદ્યાર્થીઓ માટે ફરી પરીક્ષા લેવાની જાહેરાત કરાઈ હતી. જેના પગલે રાજ્યના 19 વિદ્યાર્થીઓ પરિણામથી નાખુશ હોવાથી શાળામાં માર્કશીટ જમા કરાવી દીધી હતી. હવે આ વિદ્યાર્થીઓની બોર્ડ દ્વારા 27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર દરમિયાન પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ ગુજરાત શિક્ષણ બોર્ડ વૈકલ્પિક પરીક્ષા લેશે. પરીક્ષા વહેલી પૂરી કરવા માટે એક દિવસમાં બે સેશનમાં પરીક્ષા યોજવાનું નક્કી કરાયું છે.
વધુમાં, બોર્ડ દ્વારા પરિણામથી અંસતુષ્ટ હોય તેવા વિદ્યાર્થીઓ માટે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ 27 સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યાથી 1.15 વાગ્યા સુધીના સેશનમાં અંગ્રેજી પ્રથમ અને દ્વિતિય ભાષાની પરીક્ષા લેવાશે. જ્યારે બપોરના સેશનમાં 2.30થી 5.45 સુધીમાં ગુજરાતી અને હિન્દી પ્રથમ ભાષા તેમજ ગુજરાતી દ્વિતિય ભાષાની પરીક્ષા લેવાશે.
આ જ રીતે 28 સપ્ટેમ્બરના રોજ સવારના સેશનમાં અર્થશાસ્ત્ર, તત્વજ્ઞાન અને બપોરના સેશનમાં નામાના એકાઉંટ , મનોવિજ્ઞાન અને રાજ્યશાસ્ત્ર, 29 સપ્ટેમ્બરના રોજ સવારના સેશનમાં સ્ટેટ , હિસ્ટ્રી, હિન્દી દ્વિતિય ભાષા તેમજ બપોરના સેશનમાં સેક્રેટરીયલ પ્રેક્ટિસ, વાણિજ્ય પત્રવ્યવહાર, સંસ્કૃત અને 30 સપ્ટેમ્બરના રોજ સવારના સેશનમાં વાણિજ્ય વ્યવસ્થા, ભૂગોળ તેમજ બપોરના સેશનમાં કમ્પ્યૂટર તેમજ સમાજશાસ્ત્રની પરીક્ષા લેવામાં આવશે. આમ, 27 સપ્ટેમ્બરના રોજ શરૂ થનારી પરીક્ષા 4 દિવસમાં પૂર્ણ કરવા માટે એક દિવસમાં બે સેશનમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે 12 સાયન્સમાં માત્ર 65 વિદ્યાર્થીઓએ માર્કશીટ જમા કરાવી હતી અને પરીક્ષા માત્ર 54 વિદ્યાર્થીએ જ આપી હતી. ત્યારે 12 સામાન્ય પ્રવાહમાં માત્ર 19 જ વિદ્યાર્થીએ માર્કશીટ જમા કરાવી છે. 12 સાયન્સ માટે અમદાવાદમાં જ સેન્ટર હતુ અને 12 સામાન્ય પ્રવાહ માટે ગાંધીનગર એક જ સેન્ટર રાખવામાં આવ્યું છે.