તાજેતરમાં રાજ્યભરમાં યોજાયેલી પાલિકાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીઓ પોતાનું ખાતું ખોલાવ્યું છે
છેલ્લા 7 મહિનાથી આમ આદમી પાર્ટીમાં રહીને ભાજપ વિરોધી પ્રચાર કરનારા વિજય સુવાળા ભાજપમાં જોડાયા
મારી સાથે 5 હજાર જેટલા કાર્યકરો ભાજપમાં જોડાઇ રહ્યા છે. પરંતુ કોરોનાની ગાઇડલાઇન લાગુ હોવાને કારણે ભીડ એકત્ર કરી નથી. નહિ તો શક્તિ પ્રદર્શન જેવું થઇ જાત - વિજય સુવાળા
WatchGujarat. રાજકારણમાં કોઇ કાયમી શત્રુ કે મિત્રો હોતો નથી. આ વાક્ય આજે વધુ એક વખત સાચું પડ્યું છે. છેલ્લા 7 મહિનાથી આમ આદમી પાર્ટીમાં રહીને ભાજપ વિરોધી પ્રચાર કરનારા વિજય સુવાળા આજે ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા છે. તેઓએ આ પાછળનું કારણ લોકોની સેવા કરવાનો વધુ સારો મોકો ભાજપમાં મળતો હોવાથી આ નિર્ણય લીધો હોવાનું પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે. આખરે તેઓ બોલ્યા કે, હું તો પહેલાથી કહેતો આવ્યો છું મોજમાં રહેવું રે, ભાજપની ફોજમાં રહેવું રે.
તાજેતરમાં રાજ્યભરમાં યોજાયેલી પાલિકાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીઓ પોતાનું ખાતું ખોલાવ્યું છે. સુરતમાં તો વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી કામ કરી રહી છે. છેલ્લા 7 મહિનાથી આમ આદમી પાર્ટીમાં જોડાઇને જાણીતા લોકગાયક વિજય સુવાળા ભાજપ વિરોધી પ્રચાર કરતા હતા. જો કે હવે તેઓ છેલ્લા 7 મહિનાથી જે પાર્ટીનો વિરોધ કરતા હતા તેની સાથે જોડાયા છે. અને તેમને ભાજપનું બધું જ સારૂ દેખાવવા માંડ્યું છે. સત્તાવાર રીતે જોડાતા પહેલા તેઓએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારી સાથે 5 હજાર જેટલા કાર્યકરો ભાજપમાં જોડાઇ રહ્યા છે. પરંતુ કોરોનાની ગાઇડલાઇન લાગુ હોવાને કારણે ભીડ એકત્ર કરી નથી. નહિ તો શક્તિ પ્રદર્શન જેવું થઇ જાત.
આજરોજ ગાંધીનગરના કમલમ ખાતે વિજય સુવાળાએ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સહિતના આગેવાનોની હાજરીમાં કેસરીયો ધારણ કર્યો છે. કેસરીયો ધારણ કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં ગણતરીના સવાલોના તેઓએ જવાબ આપ્યા હતા. મીડિયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે, ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. અન્ય કોઇ પાર્ટી કરતા લોકોની સેવા કરવાનો વધારે મોકો ભાજપમાં મળતો હોવાથી આ નિર્ણય લીધો છે. મારા પરિવારની ત્રણ પેઢીઓ ભાજપની વિચારધારા સાથે જોડાયેલું છે. આખરે પ્રેસ કોન્ફરન્સને પુરી કરતા તેઓએ ગીતની બે લાઇન ગાઇ કહ્યું કે, મોજમાં રહેવું રે, ભાજપની ફોજમાં રહેવું રે
તાજેતરમાં રાજ્યભરમાં યોજાયેલી પાલિકાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીઓ પોતાનું ખાતું ખોલાવ્યું છે
મારી સાથે 5 હજાર જેટલા કાર્યકરો ભાજપમાં જોડાઇ રહ્યા છે. પરંતુ કોરોનાની ગાઇડલાઇન લાગુ હોવાને કારણે ભીડ એકત્ર કરી નથી. નહિ તો શક્તિ પ્રદર્શન જેવું થઇ જાત - વિજય સુવાળા
WatchGujarat. રાજકારણમાં કોઇ કાયમી શત્રુ કે મિત્રો હોતો નથી. આ વાક્ય આજે વધુ એક વખત સાચું પડ્યું છે. છેલ્લા 7 મહિનાથી આમ આદમી પાર્ટીમાં રહીને ભાજપ વિરોધી પ્રચાર કરનારા વિજય સુવાળા આજે ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા છે. તેઓએ આ પાછળનું કારણ લોકોની સેવા કરવાનો વધુ સારો મોકો ભાજપમાં મળતો હોવાથી આ નિર્ણય લીધો હોવાનું પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે. આખરે તેઓ બોલ્યા કે, હું તો પહેલાથી કહેતો આવ્યો છું મોજમાં રહેવું રે, ભાજપની ફોજમાં રહેવું રે.
તાજેતરમાં રાજ્યભરમાં યોજાયેલી પાલિકાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીઓ પોતાનું ખાતું ખોલાવ્યું છે. સુરતમાં તો વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી કામ કરી રહી છે. છેલ્લા 7 મહિનાથી આમ આદમી પાર્ટીમાં જોડાઇને જાણીતા લોકગાયક વિજય સુવાળા ભાજપ વિરોધી પ્રચાર કરતા હતા. જો કે હવે તેઓ છેલ્લા 7 મહિનાથી જે પાર્ટીનો વિરોધ કરતા હતા તેની સાથે જોડાયા છે. અને તેમને ભાજપનું બધું જ સારૂ દેખાવવા માંડ્યું છે. સત્તાવાર રીતે જોડાતા પહેલા તેઓએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારી સાથે 5 હજાર જેટલા કાર્યકરો ભાજપમાં જોડાઇ રહ્યા છે. પરંતુ કોરોનાની ગાઇડલાઇન લાગુ હોવાને કારણે ભીડ એકત્ર કરી નથી. નહિ તો શક્તિ પ્રદર્શન જેવું થઇ જાત.
આજરોજ ગાંધીનગરના કમલમ ખાતે વિજય સુવાળાએ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સહિતના આગેવાનોની હાજરીમાં કેસરીયો ધારણ કર્યો છે. કેસરીયો ધારણ કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં ગણતરીના સવાલોના તેઓએ જવાબ આપ્યા હતા. મીડિયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે, ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. અન્ય કોઇ પાર્ટી કરતા લોકોની સેવા કરવાનો વધારે મોકો ભાજપમાં મળતો હોવાથી આ નિર્ણય લીધો છે. મારા પરિવારની ત્રણ પેઢીઓ ભાજપની વિચારધારા સાથે જોડાયેલું છે. આખરે પ્રેસ કોન્ફરન્સને પુરી કરતા તેઓએ ગીતની બે લાઇન ગાઇ કહ્યું કે, મોજમાં રહેવું રે, ભાજપની ફોજમાં રહેવું રે