અંબાજી ભાદરવી પૂનમના મેળાને વિધિવત રીતે મંજૂરી આપવામાં આવી નથી
માઈ ભક્તો ચાલીને અંબાજી પહોંચી રહ્યા છે
રાણપુર વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે પગપાળા જતા યાત્રીઓને ટક્કર મારતા ત્રણ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા
WatchGujarat. કોરોનાની બીજી ઘાતક લહેર કાબુમાં આવતા જ હવે પુન વેપાર, ધંધા અને જનજીવન સામાન્ય થઇ રહ્યું છે. આગામી સમયમાં યોજાનાર ભાદરવી પૂનમનો મેળો રદ્દ કરી દેવામાં આવ્યો છે. પરંતુ ભાદરવી પુનમે અંબાજી માતાના દર્શનનું મહત્વ હોવાને કારણે શ્રદ્ધાળુઓ પગપાળા પ્રવાસ શરૂ કર્યો છે. ત્યારે આજરોજ વહેલી સવારે અંબાજીમાં હિટ એન્ડ રનની કમકમાટીભરી ઘટના સામે આવી છે. જેમાં પગપાળા યાત્રા કરી રહેલા શ્રદ્ધાળુને અજાણ્યા વાહને ટક્કર મારતા ત્રણના મોત થયા છે.
કમકમાટીભરી ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક માહિતી પ્રમાણે, રાણપુર વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે પગપાળા જતા યાત્રીઓને ટક્કર મારી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના બાદ ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અંબાજી નજીક 5 લોકોને વાહને ટક્કર મારી હતી, જેમાં 3 લોકોના મોત નિપજ્યા છે. આ ઘટનામાં ભોગ બનનાર 2 યુવક અને 1 યુવતીના મોત થયા છે, જેના કારણે તેમના પરિવારજનોમાં માતમની કાલિમા ફેલાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અંબાજી ભાદરવી પૂનમના મેળાને વિધિવત રીતે મંજૂરી આપવામાં આવી નથી. તેમ છતાં માઈ ભક્તો ચાલીને અંબાજી પહોંચી રહ્યા છે. તેવામાં શુક્રવારે સાંજે અંધારામાં હાઈવે પર પગપાળા જતા પદયાત્રીઓને એક અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેમાં 3 પદયાત્રીના મોત નિપજ્યા છે.
મૃતકો ના નામ:-
નરેશ બચુભાઈ ડામોર, ઉ.વ. 16
હરીશ શંકર ભાઈ ડામોર, ઉ.વ. 15
રેશમી બેન ભોઈ, ઉં.વ. 12
ઘાયલોના નામ:-
ઈન્દ્રા સોમાજી તબીયાડ, ઉં.વ 14 વર્ષ
રાકેશ ડામોર, ઉંમર 12 વર્ષ
- અંબાજી ભાદરવી પૂનમના મેળાને વિધિવત રીતે મંજૂરી આપવામાં આવી નથી
- માઈ ભક્તો ચાલીને અંબાજી પહોંચી રહ્યા છે
- રાણપુર વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે પગપાળા જતા યાત્રીઓને ટક્કર મારતા ત્રણ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા
WatchGujarat. કોરોનાની બીજી ઘાતક લહેર કાબુમાં આવતા જ હવે પુન વેપાર, ધંધા અને જનજીવન સામાન્ય થઇ રહ્યું છે. આગામી સમયમાં યોજાનાર ભાદરવી પૂનમનો મેળો રદ્દ કરી દેવામાં આવ્યો છે. પરંતુ ભાદરવી પુનમે અંબાજી માતાના દર્શનનું મહત્વ હોવાને કારણે શ્રદ્ધાળુઓ પગપાળા પ્રવાસ શરૂ કર્યો છે. ત્યારે આજરોજ વહેલી સવારે અંબાજીમાં હિટ એન્ડ રનની કમકમાટીભરી ઘટના સામે આવી છે. જેમાં પગપાળા યાત્રા કરી રહેલા શ્રદ્ધાળુને અજાણ્યા વાહને ટક્કર મારતા ત્રણના મોત થયા છે.
કમકમાટીભરી ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક માહિતી પ્રમાણે, રાણપુર વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે પગપાળા જતા યાત્રીઓને ટક્કર મારી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના બાદ ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અંબાજી નજીક 5 લોકોને વાહને ટક્કર મારી હતી, જેમાં 3 લોકોના મોત નિપજ્યા છે. આ ઘટનામાં ભોગ બનનાર 2 યુવક અને 1 યુવતીના મોત થયા છે, જેના કારણે તેમના પરિવારજનોમાં માતમની કાલિમા ફેલાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અંબાજી ભાદરવી પૂનમના મેળાને વિધિવત રીતે મંજૂરી આપવામાં આવી નથી. તેમ છતાં માઈ ભક્તો ચાલીને અંબાજી પહોંચી રહ્યા છે. તેવામાં શુક્રવારે સાંજે અંધારામાં હાઈવે પર પગપાળા જતા પદયાત્રીઓને એક અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેમાં 3 પદયાત્રીના મોત નિપજ્યા છે.
મૃતકો ના નામ:-
નરેશ બચુભાઈ ડામોર, ઉ.વ. 16
હરીશ શંકર ભાઈ ડામોર, ઉ.વ. 15
રેશમી બેન ભોઈ, ઉં.વ. 12
ઘાયલોના નામ:-
ઈન્દ્રા સોમાજી તબીયાડ, ઉં.વ 14 વર્ષ
રાકેશ ડામોર, ઉંમર 12 વર્ષ