ભરૂચના ત્રાલસા ગામે આમ આદમી પાર્ટી જનસંવેદના મુલાકાતે પોહચી અને ગામ જોવા મળ્યું ખાલી
વાગરા ભાજપ ધારાસભ્ય અરૂણસિંહ રણાને આપના ગોપાલ ઇટાલીયાએ કહ્યા ગુંડા અને અસામાજિક તત્વ
આખી ભાજપ અને તેના બેનંબરીઓને આપે આપી ચીમકી, બિસ્તરા-પોટલાં તૈયાર કરો તમારા દિવસો ભરાઈ ગયા, 2022 પછી થશો જેલભેગા
ગામના 200-300 યુવાનોને આખી રાત ડરાવી-ધમકાવી સત્તાના જોરે બસોમાં બેસાડી પર પ્રવાસે મોકલી આપ્યા હોવાનો AAP અધ્યક્ષનો આક્ષેપ
WatchGujarat. આમ આદમી પાર્ટી AAP જન સંવેદના મુલાકાતે ભરૂચ તાલુકાના ત્રાલસા ગામે પહોંચતા ગામ ખાલી જોઈ ચોંકી ઉઠી હતી. ગામમાં સન્નાટા વચ્ચે તમામ ઘરો બંધ અને શેરીઓ ઉજ્જડ ભાસતી હતી. AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયાએ સુમસામ ત્રાલસા ગામનો આ નજારો જોઈ તેના માટે વાગરા BJP ધારાસભ્ય અરૂણસિંહ રણાને જવાબદાર ગણાવ્યા હતા. આમ આદમી પાર્ટી વાગરા વિધાનસભા મત વિસ્તારના ગામે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ - બેસણું કરવા આવી છે ત્યારે ભાજપના વાગરાના ગુંડા અને અસામાજિક ધારાસભ્યએ ગામના યુવાનોને ડરાવી-ધમકાવી બસમાં પર પ્રવાસે મોકલી આપવાનો ગંભીર અને ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો.
ગોપાલ ઇટાલિયાએ આટલેથી નહિ અટકી કહ્યું હતું કે, AAP નો ભાજપ સરકારની કોરોના કાળમાં નિષફળતા દરમિયાન મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અને બેસણાનો કાર્યક્રમ કરી રહી છે. ત્યારે ભાજપના ગુંડા ધારાસભ્યએ આખું ગામ ખાલી કરાવી દીધું છે અને બેસનાનો કાર્યક્રમ બંધ રખાવ્યો છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં કોઈ ચૂંટણી નથી કે અમે ચૂંટણી પ્રચાર કરવા આવ્યા હોઈએ.
આજે ચૂંટણીની કોઈ અમે ચર્ચા કરવા પણ અહીં આવ્યા નથી. સમગ્ર ગ્રામજનોને AAP અધ્યક્ષે જણાવ્યું હતું કે, ભાજપના આવા ગુંડાઓથી કોઈએ ડરવાની જરૂર નથી. આપ જેવી ઈમાનદાર પાર્ટીને સપોર્ટ કરો. ગામના 200 થી 300 યુવાનોને આખી રાત ડરાવી-ધમકાવી પોલીસના જોરે ગામ બહાર પ્રવાસે મોકલી આપ્યા હોવાનો આક્ષેપ કરી આપ પ્રદેશ પ્રમુખે ચેતવણી આપી હતી કે, આખી ભાજપ અને તેના બે નંબરી અસામાજિક તત્વો, તમામને કહી દઈએ છીએ કે, તમારા દિવસો ભરાઈ ગયા છે. બિસ્તરા-પોટલાં તૈયાર રાખજો 2022 માં ગુજરાતમાં AAP ની સરકાર આવતા તેઓ જેલભેગા થવાના છે.
શ્રાવણના સોમવારે શિવજીના માથે હાથ રાખી કહું છું, સરમુખત્યાર કે હિટલરશાહી અમારા લોહીમાં નહિ : અરૂણસિંહ રણા
આપ અધ્યક્ષનો વાણી વિલાસ દુઃખદ, ભાજપ સૌના સાથ સૌના વિકાસને વરેલું છે. તેમ વાગરા MLA અરૂણસિંહ રણાએ કહ્યું હતું. વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ આપ અધ્યક્ષના નિવેદનને દુઃખદ ગણાવ્યું છે. આપના અધ્યક્ષે જે વાણી વિલાસ કર્યો છે આવું નિવેદન દુખદ છે. ભાજપ સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે કામ કરે છે.
શ્રાવણ માસના છેલ્લા સોમવારના રોજ આજે શિવજી મને જોવે કે હું કોઈની શોકસભા અટકાવું, હું એટલો કમજોર નથી, આપ સાચી તપાસ કરે. શિવજીને માથે હાથ રાખી કહું છું કે, સરમુખત્યાર શાહી કે હિટલર શાહી અમારા લોહીમાં નહિ. લોકશાહીમાં ગંદી રાજનીતિ કરી કોઈને રોકવાનું કામ અમારું નહિ. આપ સત્તા મેળવવા આવો વાણી વિલાસ કરે તે અયોગ્ય. આજે તેઓ ગામમાં ફર્યા ત્યારે વિકાસ જોયો જ હશે.
આપ બોખલાઈ ગયું છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
ભાજપ અને કોંગ્રેસને મિલીભગત પાર્ટીના આપના નિવેદન સામે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ ભાજપના ધારાસભ્ય અંગે કરાયેલ નિવેદનને વખોડયું હતું અને જણાવ્યુ હતું કે આમ આદમી પાર્ટી બોખલાય ગઈ છે, માટે આપ નેતાઓ આ પ્રકારના નિવેદનો કરે છે.
ભરૂચના ત્રાલસા ગામે આમ આદમી પાર્ટી જનસંવેદના મુલાકાતે પોહચી અને ગામ જોવા મળ્યું ખાલી
આખી ભાજપ અને તેના બેનંબરીઓને આપે આપી ચીમકી, બિસ્તરા-પોટલાં તૈયાર કરો તમારા દિવસો ભરાઈ ગયા, 2022 પછી થશો જેલભેગા
ગામના 200-300 યુવાનોને આખી રાત ડરાવી-ધમકાવી સત્તાના જોરે બસોમાં બેસાડી પર પ્રવાસે મોકલી આપ્યા હોવાનો AAP અધ્યક્ષનો આક્ષેપ
WatchGujarat. આમ આદમી પાર્ટી AAP જન સંવેદના મુલાકાતે ભરૂચ તાલુકાના ત્રાલસા ગામે પહોંચતા ગામ ખાલી જોઈ ચોંકી ઉઠી હતી. ગામમાં સન્નાટા વચ્ચે તમામ ઘરો બંધ અને શેરીઓ ઉજ્જડ ભાસતી હતી. AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયાએ સુમસામ ત્રાલસા ગામનો આ નજારો જોઈ તેના માટે વાગરા BJP ધારાસભ્ય અરૂણસિંહ રણાને જવાબદાર ગણાવ્યા હતા. આમ આદમી પાર્ટી વાગરા વિધાનસભા મત વિસ્તારના ગામે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ - બેસણું કરવા આવી છે ત્યારે ભાજપના વાગરાના ગુંડા અને અસામાજિક ધારાસભ્યએ ગામના યુવાનોને ડરાવી-ધમકાવી બસમાં પર પ્રવાસે મોકલી આપવાનો ગંભીર અને ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો.
ગોપાલ ઇટાલિયાએ આટલેથી નહિ અટકી કહ્યું હતું કે, AAP નો ભાજપ સરકારની કોરોના કાળમાં નિષફળતા દરમિયાન મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અને બેસણાનો કાર્યક્રમ કરી રહી છે. ત્યારે ભાજપના ગુંડા ધારાસભ્યએ આખું ગામ ખાલી કરાવી દીધું છે અને બેસનાનો કાર્યક્રમ બંધ રખાવ્યો છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં કોઈ ચૂંટણી નથી કે અમે ચૂંટણી પ્રચાર કરવા આવ્યા હોઈએ.
આજે ચૂંટણીની કોઈ અમે ચર્ચા કરવા પણ અહીં આવ્યા નથી. સમગ્ર ગ્રામજનોને AAP અધ્યક્ષે જણાવ્યું હતું કે, ભાજપના આવા ગુંડાઓથી કોઈએ ડરવાની જરૂર નથી. આપ જેવી ઈમાનદાર પાર્ટીને સપોર્ટ કરો. ગામના 200 થી 300 યુવાનોને આખી રાત ડરાવી-ધમકાવી પોલીસના જોરે ગામ બહાર પ્રવાસે મોકલી આપ્યા હોવાનો આક્ષેપ કરી આપ પ્રદેશ પ્રમુખે ચેતવણી આપી હતી કે, આખી ભાજપ અને તેના બે નંબરી અસામાજિક તત્વો, તમામને કહી દઈએ છીએ કે, તમારા દિવસો ભરાઈ ગયા છે. બિસ્તરા-પોટલાં તૈયાર રાખજો 2022 માં ગુજરાતમાં AAP ની સરકાર આવતા તેઓ જેલભેગા થવાના છે.
આપ અધ્યક્ષનો વાણી વિલાસ દુઃખદ, ભાજપ સૌના સાથ સૌના વિકાસને વરેલું છે. તેમ વાગરા MLA અરૂણસિંહ રણાએ કહ્યું હતું. વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ આપ અધ્યક્ષના નિવેદનને દુઃખદ ગણાવ્યું છે. આપના અધ્યક્ષે જે વાણી વિલાસ કર્યો છે આવું નિવેદન દુખદ છે. ભાજપ સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે કામ કરે છે.
શ્રાવણ માસના છેલ્લા સોમવારના રોજ આજે શિવજી મને જોવે કે હું કોઈની શોકસભા અટકાવું, હું એટલો કમજોર નથી, આપ સાચી તપાસ કરે. શિવજીને માથે હાથ રાખી કહું છું કે, સરમુખત્યાર શાહી કે હિટલર શાહી અમારા લોહીમાં નહિ. લોકશાહીમાં ગંદી રાજનીતિ કરી કોઈને રોકવાનું કામ અમારું નહિ. આપ સત્તા મેળવવા આવો વાણી વિલાસ કરે તે અયોગ્ય. આજે તેઓ ગામમાં ફર્યા ત્યારે વિકાસ જોયો જ હશે.
આપ બોખલાઈ ગયું છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
ભાજપ અને કોંગ્રેસને મિલીભગત પાર્ટીના આપના નિવેદન સામે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ ભાજપના ધારાસભ્ય અંગે કરાયેલ નિવેદનને વખોડયું હતું અને જણાવ્યુ હતું કે આમ આદમી પાર્ટી બોખલાય ગઈ છે, માટે આપ નેતાઓ આ પ્રકારના નિવેદનો કરે છે.