નર્મદા જિલ્લા અને ઝઘડિયા વિધાનસભામાં કોંગ્રેસ અને BTP કાર્યકરોની ફોજ ઉભી કરવા ભાજપના રસ્તે હોય વધુ જાગૃત થવા સાંસદ મનસુખ વસાવાનું આહવાન
બેઠકમાં પુર્વ મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણા, રમેશભાઈ મિસ્ત્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું
WatchGujarat. ભારતીય જનતા પાર્ટી ની ભરૂચ જિલ્લા સ્તરની મહત્વની કારોબારી બેઠક આત્મીય હોલ ભરૂચ ખાતે યોજાઈ હતી. રાજકીય દ્રષ્ટિએ મહત્વની આ બેઠકમાં 25 કરતા વધુ આપ પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાતા આવકારવામાં આવ્યા હતાં.
કારોબારી બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ કરી આવનાર ચૂંટણીઓ માટે સૌને સંગઠન મજબૂત કરવા હાકલ કરી હતી. સાંસદ મનસુખ વસાવાએ BTP અને કોંગ્રેસ ઝઘડિયા તેમજ નર્મદા જિલ્લામાં ભાજપની જ રાહ પર ચાલી રહ્યું હોય આગેવાનોને વધુ સજાગ થવા ઉપર ભાર મુક્યો હતો.
બેઠકમાં પુર્વ મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણા, રમેશભાઈ મિસ્ત્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કારોબારીમાં મુખ્યત્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલ વિક્રમ જનક કોરોના રસીકરણ, ખેડૂતોના હિતમાં કાર્યો તેમજ દેશને સશક્ત બનાવવાના અવિરત કાર્યોને આવકારવા અંગે ઠરાવ સર્વાનુમતે પસાર કરાયો હતો.
આ પ્રસંગે 25 કરતા વધુ આપ પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાતા તેમને આવકાર અપાયો હતો. સમગ્ર કારોબારી સભાનું સંચાલન ભાજપના જિલ્લા ઉપ પ્રમુખ દિવ્યેશભાઈ પટેલે કર્યું હતું. કારોબારી સભામાં ભાજપ જિલ્લા મહામંત્રી નિરલભાઈ પટેલે પાર્ટીના આગામી કાર્યક્રમોની વિગત આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન મહામંત્રી, ફતેસિંહ ગોહિલ તેમજ અન્ય અપેક્ષિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
નર્મદા જિલ્લા અને ઝઘડિયા વિધાનસભામાં કોંગ્રેસ અને BTP કાર્યકરોની ફોજ ઉભી કરવા ભાજપના રસ્તે હોય વધુ જાગૃત થવા સાંસદ મનસુખ વસાવાનું આહવાન
WatchGujarat. ભારતીય જનતા પાર્ટી ની ભરૂચ જિલ્લા સ્તરની મહત્વની કારોબારી બેઠક આત્મીય હોલ ભરૂચ ખાતે યોજાઈ હતી. રાજકીય દ્રષ્ટિએ મહત્વની આ બેઠકમાં 25 કરતા વધુ આપ પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાતા આવકારવામાં આવ્યા હતાં.
કારોબારી બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ કરી આવનાર ચૂંટણીઓ માટે સૌને સંગઠન મજબૂત કરવા હાકલ કરી હતી. સાંસદ મનસુખ વસાવાએ BTP અને કોંગ્રેસ ઝઘડિયા તેમજ નર્મદા જિલ્લામાં ભાજપની જ રાહ પર ચાલી રહ્યું હોય આગેવાનોને વધુ સજાગ થવા ઉપર ભાર મુક્યો હતો.
બેઠકમાં પુર્વ મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણા, રમેશભાઈ મિસ્ત્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કારોબારીમાં મુખ્યત્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલ વિક્રમ જનક કોરોના રસીકરણ, ખેડૂતોના હિતમાં કાર્યો તેમજ દેશને સશક્ત બનાવવાના અવિરત કાર્યોને આવકારવા અંગે ઠરાવ સર્વાનુમતે પસાર કરાયો હતો.
આ પ્રસંગે 25 કરતા વધુ આપ પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાતા તેમને આવકાર અપાયો હતો. સમગ્ર કારોબારી સભાનું સંચાલન ભાજપના જિલ્લા ઉપ પ્રમુખ દિવ્યેશભાઈ પટેલે કર્યું હતું. કારોબારી સભામાં ભાજપ જિલ્લા મહામંત્રી નિરલભાઈ પટેલે પાર્ટીના આગામી કાર્યક્રમોની વિગત આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન મહામંત્રી, ફતેસિંહ ગોહિલ તેમજ અન્ય અપેક્ષિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.