ગણેશ ભક્તિ સાથે આવક અર્જિત કરતી ભરૂચની મહિલાઓ ઘરેથી જ મૂર્તિનું વેચાણ કરે છે
ઇકો ફ્રેન્ડલી મૂર્તિને ઘરમાં જ વિસર્જન કરી તેની માટીમાં છોડ રોપી શકાય છે
ભાવો 40 % વધ્યા હોવા છતાં બન્ને મહિલાઓએ મૂર્તિની કિંમતમાં કોઈ વધારો કર્યો નથી
બજારો અને ગણેશ ભક્તો પણ શ્રીજી મહોત્સવની તૈયારીઓ માટે સજ્જ
[caption id="attachment_1391230" align="aligncenter" width="640"] Bharuch - case of woman empowerment[/caption]
WatchGujarat. ભરૂચમાં 5 વર્ષથી શ્રીજીની માટીની પ્રતિમાઓનું સર્જન કરી આત્મનિર્ભર બનેલી બે મહિલાઓ ગણેશ ભક્તિ સાથે આવક ઉપાર્જન કરી રહી છે. ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિનું વિસર્જન ઘરે જ થઈ શકે છે અને તેમાં છોડ પણ રોકી શકાય છે. માટી, પ્રાકૃતિક કલર સહિતની સામગ્રીના ભાવો 40 ટકા વધ્યા છતાં બન્ને મહિલાઓ દ્વારા મૂર્તિની કિંમતમાં કોઈ વધારો કરાયો નથી.
https://youtu.be/sVr4qRkxVEk
શહેરના કસક ગુરુદ્વારા પાસે રહેતી બે મહિલાઓ શ્રીજીની માટીની મૂર્તિઓ બનાવી રોજગાર મેળવી રહી છે. ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાનના માધ્યમથી માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવવાનું ગંગાબેન વસાવા અને ગીતાબેન પ્રજાપતિ શીખ્યા હતા. છેલ્લા 5 વર્ષથી બન્ને મહિલાઓ માટીની પ્રતિમાઓ બનાવી પ્રકૃતિના જતન સાથે આત્મનિર્ભર બની રોજગારી મેળવી રહી છે. ગણેશોત્સવના 2 મહિના અગાઉથી ગંગાબેન અને ગીતાબેન ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા તૈયાર કરવાના શ્રીગણેશ કરે છે. રોજની 5 જેટલી પ્રતિમાઓ તેઓ બનાવે છે.
આ વર્ષે માટી, પ્રાકૃતિક રંગ સહિતમાં 30 થી 40 ટકાનો ભાવ વધારો છે તેમ છતાં બન્ને મહિલાઓએ મૂર્તિના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. દર વર્ષે માટીકામ માટે મેળો ભરાતો હતો. જોકે કોરના કાળમાં મેળો બંધ હોય મહિલાઓને તેમના દ્વારા નિર્મિત મૂર્તિઓનું વેચાણ ભરૂચમાં જ કરવું પડી રહ્યું છે. સાથે જ આ વખતે મૂર્તિઓના વેચાણ માટે દુકાન નહિ મળતા તેઓ ઘરેથી જ વેચાણ કરી રહ્યાં છે. ખાસ માટીમાંથી બનાવાતી મૂર્તિઓની વિશેષતા એ છે કે તેનું વિસર્જન તમે ઘરે જ કુંડામાં કરી શકો છો અને તેમાં છોડ રોપી શકાય છે. પ્રકૃતિના જતન સાથે બન્ને મહિલા શ્રીજીની પ્રતિમા બનાવી આર્થિક રીતે પણ આત્મનિર્ભર બની રહી છે.
પ્રથમ પૂજનીય દેવ ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે સરકાર દ્વારા આ વર્ષે 4 ફૂટ સુધીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા સ્થપવાની પરવાનગી આપી છે. જેને લઈ ગણેશ ભક્તો અને મૂર્તિકારોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. શ્રીજી મહોત્સવનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ જવા સાથે હવે ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ મંડળો, સોસાયટીઓ, શેરીઓ, એપાર્ટમેન્ટ, ટાઉનશિપ, ગામો અને ઘરોમાં શ્રીજીને બિરાજમાન કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બજારોમાં પણ ઠેર ઠેર પ્રતિમાઓના વેચાણ અર્થે સીઝનલ વેપારીઓએ માંડવા ટાણી પડાવ નાખ્યો છે. જ્યાં મૂર્તિઓનું વેચાણ શરૂ થઈ ગયું છે.
ગણેશ ભક્તિ સાથે આવક અર્જિત કરતી ભરૂચની મહિલાઓ ઘરેથી જ મૂર્તિનું વેચાણ કરે છે
ઇકો ફ્રેન્ડલી મૂર્તિને ઘરમાં જ વિસર્જન કરી તેની માટીમાં છોડ રોપી શકાય છે
ભાવો 40 % વધ્યા હોવા છતાં બન્ને મહિલાઓએ મૂર્તિની કિંમતમાં કોઈ વધારો કર્યો નથી
બજારો અને ગણેશ ભક્તો પણ શ્રીજી મહોત્સવની તૈયારીઓ માટે સજ્જ
[caption id="attachment_1391230" align="aligncenter" width="640"] Bharuch - case of woman empowerment[/caption]
WatchGujarat. ભરૂચમાં 5 વર્ષથી શ્રીજીની માટીની પ્રતિમાઓનું સર્જન કરી આત્મનિર્ભર બનેલી બે મહિલાઓ ગણેશ ભક્તિ સાથે આવક ઉપાર્જન કરી રહી છે. ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિનું વિસર્જન ઘરે જ થઈ શકે છે અને તેમાં છોડ પણ રોકી શકાય છે. માટી, પ્રાકૃતિક કલર સહિતની સામગ્રીના ભાવો 40 ટકા વધ્યા છતાં બન્ને મહિલાઓ દ્વારા મૂર્તિની કિંમતમાં કોઈ વધારો કરાયો નથી.
શહેરના કસક ગુરુદ્વારા પાસે રહેતી બે મહિલાઓ શ્રીજીની માટીની મૂર્તિઓ બનાવી રોજગાર મેળવી રહી છે. ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાનના માધ્યમથી માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવવાનું ગંગાબેન વસાવા અને ગીતાબેન પ્રજાપતિ શીખ્યા હતા. છેલ્લા 5 વર્ષથી બન્ને મહિલાઓ માટીની પ્રતિમાઓ બનાવી પ્રકૃતિના જતન સાથે આત્મનિર્ભર બની રોજગારી મેળવી રહી છે. ગણેશોત્સવના 2 મહિના અગાઉથી ગંગાબેન અને ગીતાબેન ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા તૈયાર કરવાના શ્રીગણેશ કરે છે. રોજની 5 જેટલી પ્રતિમાઓ તેઓ બનાવે છે.
આ વર્ષે માટી, પ્રાકૃતિક રંગ સહિતમાં 30 થી 40 ટકાનો ભાવ વધારો છે તેમ છતાં બન્ને મહિલાઓએ મૂર્તિના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. દર વર્ષે માટીકામ માટે મેળો ભરાતો હતો. જોકે કોરના કાળમાં મેળો બંધ હોય મહિલાઓને તેમના દ્વારા નિર્મિત મૂર્તિઓનું વેચાણ ભરૂચમાં જ કરવું પડી રહ્યું છે. સાથે જ આ વખતે મૂર્તિઓના વેચાણ માટે દુકાન નહિ મળતા તેઓ ઘરેથી જ વેચાણ કરી રહ્યાં છે. ખાસ માટીમાંથી બનાવાતી મૂર્તિઓની વિશેષતા એ છે કે તેનું વિસર્જન તમે ઘરે જ કુંડામાં કરી શકો છો અને તેમાં છોડ રોપી શકાય છે. પ્રકૃતિના જતન સાથે બન્ને મહિલા શ્રીજીની પ્રતિમા બનાવી આર્થિક રીતે પણ આત્મનિર્ભર બની રહી છે.
પ્રથમ પૂજનીય દેવ ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે સરકાર દ્વારા આ વર્ષે 4 ફૂટ સુધીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા સ્થપવાની પરવાનગી આપી છે. જેને લઈ ગણેશ ભક્તો અને મૂર્તિકારોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. શ્રીજી મહોત્સવનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ જવા સાથે હવે ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ મંડળો, સોસાયટીઓ, શેરીઓ, એપાર્ટમેન્ટ, ટાઉનશિપ, ગામો અને ઘરોમાં શ્રીજીને બિરાજમાન કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બજારોમાં પણ ઠેર ઠેર પ્રતિમાઓના વેચાણ અર્થે સીઝનલ વેપારીઓએ માંડવા ટાણી પડાવ નાખ્યો છે. જ્યાં મૂર્તિઓનું વેચાણ શરૂ થઈ ગયું છે.