102 આદિવાસી ખેડૂતોને અંધારામાં રાખી વેચાયેલી જમીન, સિવિલ હોસ્પિટલનું કામચલાઉ સ્થળાંતર, ભરૂચમાં ચાલતી રાજપીપળા ઇજનેરી કોલેજ, ઉકાઈ-કરજણ યોજનાના પાણી, કન્યા છાત્રાલયનું 3 વર્ષથી ચાલતું બાંધકામ મુદ્દે માંગ્યો જવાબ
નર્મદા જિલ્લામાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી સંકલન મિટીંગમાં આરોગ્ય, શિક્ષણ, પીવા-સિંચાઈના પાણી, કર્મચારીઓને થતો અન્યાય અને ગુરુડેશ્વર SOU વિસ્તારમાં ખેડૂતોની જમીન વેચાણ ના પ્રશ્નો હલ કરવા ચર્ચા કરાઈ
WatchGujarat. નર્મદા જિલ્લા સંકલન સમિતિની કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ભરૂચ-નર્મદા લોકસભા મતવિસ્તારના સાંસદ મનસુખ વસાવાએ 7 સળગતા સવાલો ઉઠાવ્યા હતા. જેના નિરાકરણ માટે જિલ્લા વહીવટી તંત્રે હકારાત્મક ચર્ચા કરી હતી.
રાજપીપલા સિવિલ હોસ્પિટલ કામચલાઉ ધોરણે કોવિડમાં ખસેડવાના છે , પરંતુ હાલ સિવિલ હોસ્પિટલ જયાં છે , ત્યાં પણ પ્રાથમિક સારવાર માટે ડોકટરોની એક ટીમ ચાલુ રાખવા MP મનસુખ વસાવાએ સંકલન બેઠકમાં રજુઆત કરી હતી. જેનાથી રાજપીપલા શહેરના ગરીબ પરીવારો તથા આજુબાજુના ગામડાઓના દર્દીઓને દુર જવું ના પડે અને ભાડા ખર્ચ બચે.
https://twitter.com/MansukhbhaiMp/status/1439191606947573763?s=08
રાજપીપલા સરકારી નર્સિંગ કોલેજ ચાલુ છે , તેમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને અનેક પ્રકારની પારવાર મુશ્કેલીઓ પડી રહી છે , સરકારી નર્સિંગ કોલેજ હોસ્ટેલની સુવિધા નવાવાઘપુરા ખાનગી નર્સિંગ કોલેજમાં પુરી પાડવામાં આવે છે , અહિયા હેડ નર્સ ખાનગી નર્સિંગ કોલજનો વહીવટ પણ તેઓ જાતે કરે છે. નવાવાઘપુરાની નર્સિંગ કોલેજમાં જે પ્રકારની સુવિધાઓ હોવી જોઈએ સ્ટાફ સહિતની તે ત્યાં નથી , બન્ને જગ્યાઓનો વહીવટ એક જ વ્યકિત કરે છે . જે પૂર્ણ ન્યાય આપી શકે નહી તેના ઉપર પણ સાંસદે ધ્યાન દોર્યું હતું.
કોવીડ 19 તથા સિવિલ હોસ્પિટલમાં લેબ ટેકનીશ્યન સ્ટાફ છેલ્લા 85 મહીનાથી સેવા આપે છે , અત્યાર સુધીમાં ફકત 2 મહિનાનો જ પગાર આપવામાં આવ્યો છે , જયારે પગારની માંગણી સ્ટાફ કરે છે , તો તેઓને છુટા કરી દેવાની ધમકીઓ આપવામાં આવે છે. સફાઈ કામદારો સાથે પણ આજ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું હતું , તેવી MP સમક્ષ રજુઆત આવી હતી , તો સાચુ શુ છે , તે માહીતી બેઠકમાં સાંસદે માંગી હતી. નર્મદા જિલ્લામાં એન્જીનીયરીંગ કોલેજ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં ચાલે છે , નર્મદા જિલ્લા વહીવટી તંત્રને વારંવાર રજુઆત આ બાબતે કરવામાં આવી છે . પરંતુ કોઈ નિર્ણય આવ્યો નથી , તો કયાર સુધીમાં કોલેજનું બાંધકામ ચાલુ થશે.
આ ઉપરાંત સરકારી કન્યા છાત્રાલય ( કોલેજ હોસ્ટેલ ) ખાત મુહંત થયાને 3 વર્ષ પૂર્ણ થયા છે , તો આ કોલેજ હોસ્ટેલ કન્યાનું બિલ્ડીંગ કયારે પૂર્ણ થશે. ઉકાઈ જળાશય આધારીત શુદ્ધ પીવાના પાણીનો પ્રોજેકટ હેઠળ સાગબારા - ડેડીયાપાડા તાલુકાના બધા જ ગામોને ઘર - ઘર સુધી પાણી મળતું નથી. કરજણ ડેમ વિશલખાડી પાઈપલાઈન સિંચાઈ પ્રોજેકટથી નાંદોદ તાલુકાના પલસી , બીતાડા , મોટી ભમરી જેવા ગામોને સિંચાઈનું પાણી મળતું નથી , તો કયાર સુધીમાં સિંચાઈનું પાણી આપવામાં આવશે તેવો સવાલ પણ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી સંકલન સમિતિમાં સાંસદે ઉઠાવ્યો હતો.
પીછીપુરા ગામ તાલુકો ગરૂડેશ્વરની સર્વે નંબર 55 પૈકીવાળી જમીનોમાં રજીસ્ટર દસ્તાવેજથી વેચાણના આધારે કાચી નોંધ નંબર 457 થી 469 વગેરે પ્રમાણીત કરવા સામે મામલતદાર ગરૂડેશ્વરમાં વાંધા અરજી આપી છે, સર્વે નંબર 55 વાળી જમીન 102 ખેડુતો વર્ષોથી ખેડતા આવ્યા છે. કબજો ભોગવટો પણ કરે છે , વિનોબા ભાવેના ભુમીદાન લેખ વનખાતાની પાવતી વગેરે આધાર પુરાવા છે , છતા આ જમીન કઈ રીતે આદિવાસી ખેડુતોને અંધારામાં રાખી વેચાણ કરી છે તેની સ્પષ્ટતા કરવા પણ સંકલનમાં સવાલ કરાયો હતો. કલેકટર ડી.એ. શાહે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં સાંસદ સહિતના રજૂ થયેલા તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
નર્મદા જિલ્લામાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી સંકલન મિટીંગમાં આરોગ્ય, શિક્ષણ, પીવા-સિંચાઈના પાણી, કર્મચારીઓને થતો અન્યાય અને ગુરુડેશ્વર SOU વિસ્તારમાં ખેડૂતોની જમીન વેચાણ ના પ્રશ્નો હલ કરવા ચર્ચા કરાઈ
WatchGujarat. નર્મદા જિલ્લા સંકલન સમિતિની કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ભરૂચ-નર્મદા લોકસભા મતવિસ્તારના સાંસદ મનસુખ વસાવાએ 7 સળગતા સવાલો ઉઠાવ્યા હતા. જેના નિરાકરણ માટે જિલ્લા વહીવટી તંત્રે હકારાત્મક ચર્ચા કરી હતી.
રાજપીપલા સિવિલ હોસ્પિટલ કામચલાઉ ધોરણે કોવિડમાં ખસેડવાના છે , પરંતુ હાલ સિવિલ હોસ્પિટલ જયાં છે , ત્યાં પણ પ્રાથમિક સારવાર માટે ડોકટરોની એક ટીમ ચાલુ રાખવા MP મનસુખ વસાવાએ સંકલન બેઠકમાં રજુઆત કરી હતી. જેનાથી રાજપીપલા શહેરના ગરીબ પરીવારો તથા આજુબાજુના ગામડાઓના દર્દીઓને દુર જવું ના પડે અને ભાડા ખર્ચ બચે.
રાજપીપલા સરકારી નર્સિંગ કોલેજ ચાલુ છે , તેમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને અનેક પ્રકારની પારવાર મુશ્કેલીઓ પડી રહી છે , સરકારી નર્સિંગ કોલેજ હોસ્ટેલની સુવિધા નવાવાઘપુરા ખાનગી નર્સિંગ કોલેજમાં પુરી પાડવામાં આવે છે , અહિયા હેડ નર્સ ખાનગી નર્સિંગ કોલજનો વહીવટ પણ તેઓ જાતે કરે છે. નવાવાઘપુરાની નર્સિંગ કોલેજમાં જે પ્રકારની સુવિધાઓ હોવી જોઈએ સ્ટાફ સહિતની તે ત્યાં નથી , બન્ને જગ્યાઓનો વહીવટ એક જ વ્યકિત કરે છે . જે પૂર્ણ ન્યાય આપી શકે નહી તેના ઉપર પણ સાંસદે ધ્યાન દોર્યું હતું.
કોવીડ 19 તથા સિવિલ હોસ્પિટલમાં લેબ ટેકનીશ્યન સ્ટાફ છેલ્લા 85 મહીનાથી સેવા આપે છે , અત્યાર સુધીમાં ફકત 2 મહિનાનો જ પગાર આપવામાં આવ્યો છે , જયારે પગારની માંગણી સ્ટાફ કરે છે , તો તેઓને છુટા કરી દેવાની ધમકીઓ આપવામાં આવે છે. સફાઈ કામદારો સાથે પણ આજ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું હતું , તેવી MP સમક્ષ રજુઆત આવી હતી , તો સાચુ શુ છે , તે માહીતી બેઠકમાં સાંસદે માંગી હતી. નર્મદા જિલ્લામાં એન્જીનીયરીંગ કોલેજ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં ચાલે છે , નર્મદા જિલ્લા વહીવટી તંત્રને વારંવાર રજુઆત આ બાબતે કરવામાં આવી છે . પરંતુ કોઈ નિર્ણય આવ્યો નથી , તો કયાર સુધીમાં કોલેજનું બાંધકામ ચાલુ થશે.
આ ઉપરાંત સરકારી કન્યા છાત્રાલય ( કોલેજ હોસ્ટેલ ) ખાત મુહંત થયાને 3 વર્ષ પૂર્ણ થયા છે , તો આ કોલેજ હોસ્ટેલ કન્યાનું બિલ્ડીંગ કયારે પૂર્ણ થશે. ઉકાઈ જળાશય આધારીત શુદ્ધ પીવાના પાણીનો પ્રોજેકટ હેઠળ સાગબારા - ડેડીયાપાડા તાલુકાના બધા જ ગામોને ઘર - ઘર સુધી પાણી મળતું નથી. કરજણ ડેમ વિશલખાડી પાઈપલાઈન સિંચાઈ પ્રોજેકટથી નાંદોદ તાલુકાના પલસી , બીતાડા , મોટી ભમરી જેવા ગામોને સિંચાઈનું પાણી મળતું નથી , તો કયાર સુધીમાં સિંચાઈનું પાણી આપવામાં આવશે તેવો સવાલ પણ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી સંકલન સમિતિમાં સાંસદે ઉઠાવ્યો હતો.
પીછીપુરા ગામ તાલુકો ગરૂડેશ્વરની સર્વે નંબર 55 પૈકીવાળી જમીનોમાં રજીસ્ટર દસ્તાવેજથી વેચાણના આધારે કાચી નોંધ નંબર 457 થી 469 વગેરે પ્રમાણીત કરવા સામે મામલતદાર ગરૂડેશ્વરમાં વાંધા અરજી આપી છે, સર્વે નંબર 55 વાળી જમીન 102 ખેડુતો વર્ષોથી ખેડતા આવ્યા છે. કબજો ભોગવટો પણ કરે છે , વિનોબા ભાવેના ભુમીદાન લેખ વનખાતાની પાવતી વગેરે આધાર પુરાવા છે , છતા આ જમીન કઈ રીતે આદિવાસી ખેડુતોને અંધારામાં રાખી વેચાણ કરી છે તેની સ્પષ્ટતા કરવા પણ સંકલનમાં સવાલ કરાયો હતો. કલેકટર ડી.એ. શાહે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં સાંસદ સહિતના રજૂ થયેલા તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા અધિકારીઓને સૂચનાઓ આપી હતી.