સ્યુસાઇડ પોઇન્ટ બની રહેલા ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર એક સ્યુસાઈડની ઘટના ટળી
પરિણીતાને સમજાવી પરિવારને બોલાવી ઘરે પરત મોકલાઈ
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી આપઘાતના ઇરાદે આવેલી અંકલેશ્વરની પરિણીતાને પબ્લિક, પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્ય અને પોલીસની મદદથી બચાવી લેવામાં આવી હતી
WatchGujarat. ભરૂચ અને અંકલેશ્વરનો નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થયા બાદથી સ્યુસાઇડ પોઇન્ટ બની રહ્યો છે. લાભ પાંચમે મંગળવારે સવારે અંકલેશ્વરની એક પરિણીતા આપઘાત કરવાના ઇરાદે બ્રિજ ઉપર આવી ચઢી હતી.
પરિણીતા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવવાનો પ્રયાસ કરે તે પેહલા જ ચાલતા પસાર થતા એક રાહદારીએ તેને અટકાવી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક મુનાફ પઠાણે ધારાસભ્ય દુષ્યંત પટેલને જાણ કરતા તેઓ સી ડિવિઝનને કોલ કરતા પીસીઆર વાનમાં પોલીસ કાફલો બ્રિજ પર દોડી આવ્યો હતો. પરિણીતાને સમજાવી તેનો જીવ બચાવી લઈ પીસીઆર વાનમાં પરિણીતાને વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાય હતી.
સુસાઈડ પોઈન્ટ બનેલા નર્મદા મૈયા પુલ પરથી વધુ એક આપઘાતનો બનાવ ટળ્યો છે. સુસાઈડ કરવા પહોંચેલી મહિલાને સ્થાનિક લોકોએ રોકી હતી. થોડી મીનિટોમાં સી ડીવીઝન પોલીસ પણ આવી પહોંચી હતી. પોલીસે તેને સમજાવી આત્મહત્યા કરતા રોકી હતી.
બપોરના સમયે ભરૂચ- અંકલેશ્વરને જોડતા નર્મદા મેૈયા પુલ પર મહિલા મોતની છલાંગ લગાવવા પહોંચી હતી. સ્થાનિક લોકોએ તેને રોકી હતી. લોકોએ તુરંત જ સ્થાનિક ધારાસભ્યને ફોન કરી ઘટના વિશે જાણકારી આપી હતી. ધારાસભ્ય દુષ્યંત પટેલે સી ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલીક પુલ પર પહોંચી ગઈ હતી.
મહિલા પોલીસ અને અન્ય પોલીસ જવાનોએ તેને સમજાવી હતી. જીવનથી કંટાળેલી આ મહિલા જીવનનું મહત્વ સમજતા તેણે ઘરે પરત ફરવાનું કહ્યુ હતું. આમ પ્રથમ સ્થાનિક રહીશો, બાદમાં ધારાસભ્ય અને પોલીસની સતર્કતાના કારણે નર્મદા મૈયા પુલ પર વધુ એક આત્મહત્યાનો બનાવ બનતા અટકી ગયો હતો અને મહિલાનો જીવ બચી ગયો હતો.
સ્યુસાઇડ પોઇન્ટ બની રહેલા ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર એક સ્યુસાઈડની ઘટના ટળી
પરિણીતાને સમજાવી પરિવારને બોલાવી ઘરે પરત મોકલાઈ
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી આપઘાતના ઇરાદે આવેલી અંકલેશ્વરની પરિણીતાને પબ્લિક, પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્ય અને પોલીસની મદદથી બચાવી લેવામાં આવી હતી
WatchGujarat. ભરૂચ અને અંકલેશ્વરનો નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થયા બાદથી સ્યુસાઇડ પોઇન્ટ બની રહ્યો છે. લાભ પાંચમે મંગળવારે સવારે અંકલેશ્વરની એક પરિણીતા આપઘાત કરવાના ઇરાદે બ્રિજ ઉપર આવી ચઢી હતી.
પરિણીતા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવવાનો પ્રયાસ કરે તે પેહલા જ ચાલતા પસાર થતા એક રાહદારીએ તેને અટકાવી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક મુનાફ પઠાણે ધારાસભ્ય દુષ્યંત પટેલને જાણ કરતા તેઓ સી ડિવિઝનને કોલ કરતા પીસીઆર વાનમાં પોલીસ કાફલો બ્રિજ પર દોડી આવ્યો હતો. પરિણીતાને સમજાવી તેનો જીવ બચાવી લઈ પીસીઆર વાનમાં પરિણીતાને વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાય હતી.
સુસાઈડ પોઈન્ટ બનેલા નર્મદા મૈયા પુલ પરથી વધુ એક આપઘાતનો બનાવ ટળ્યો છે. સુસાઈડ કરવા પહોંચેલી મહિલાને સ્થાનિક લોકોએ રોકી હતી. થોડી મીનિટોમાં સી ડીવીઝન પોલીસ પણ આવી પહોંચી હતી. પોલીસે તેને સમજાવી આત્મહત્યા કરતા રોકી હતી.
બપોરના સમયે ભરૂચ- અંકલેશ્વરને જોડતા નર્મદા મેૈયા પુલ પર મહિલા મોતની છલાંગ લગાવવા પહોંચી હતી. સ્થાનિક લોકોએ તેને રોકી હતી. લોકોએ તુરંત જ સ્થાનિક ધારાસભ્યને ફોન કરી ઘટના વિશે જાણકારી આપી હતી. ધારાસભ્ય દુષ્યંત પટેલે સી ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલીક પુલ પર પહોંચી ગઈ હતી.
મહિલા પોલીસ અને અન્ય પોલીસ જવાનોએ તેને સમજાવી હતી. જીવનથી કંટાળેલી આ મહિલા જીવનનું મહત્વ સમજતા તેણે ઘરે પરત ફરવાનું કહ્યુ હતું. આમ પ્રથમ સ્થાનિક રહીશો, બાદમાં ધારાસભ્ય અને પોલીસની સતર્કતાના કારણે નર્મદા મૈયા પુલ પર વધુ એક આત્મહત્યાનો બનાવ બનતા અટકી ગયો હતો અને મહિલાનો જીવ બચી ગયો હતો.