ક્રીષ હોસ્પિટલમાં દાખલ થયો તે દરમિયાન ન્યુમોનિયા, ડેન્ગ્યુ જેવી તકલીફો થઈ
ક્રીષની 102 દિવસની કુલ સારવાર પૈકી 80 દિવસ સુધી તો તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો
શરીરમાં ઉત્પન્ન થયેલ એન્ટિબોડીને બ્લોક કરવા ઇન્ટરવેન્સ ઇમ્યુનોગ્લોબ્યુલિન નામનુ રૂ. 80 હજારથી રૂ. 1 લાખની કિંમતનું ઇન્જેક્શન બાળકના વજન મુજબ આપવામાં આવે છે - ડો. ભૂમી ચાંગેલા
WatchGujarat. ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન મનાતા બાળકો જ્યારે કોઈ મુશ્કેલીમાં મુકાય ત્યારે કોઈનું પણ હ્રદય વલોવાઈ છે. આવી જ ઘટના ધોરાજી તાલુકાના મોટી પરબડી ગામના દસ વર્ષના ક્રીષ ગજેરા સાથે બની હતી. હસતો રમતો ક્રિષ સતત સાત દિવસ સુધી તાવ - માથુ દુખવા સાથે પથારીમાંથી બેઠો પણ થઈ શકતો નહોતો તેમજ હાથ પગ પણ ચલાવી શકતો નહોતો. તેને ધોરાજીથી રાજકોટ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. અને તેના રોગનું નિદાન થયુ હતું. જેમાં તેને જીબીએસ-ગુલીયન બારી સિનડ્રોમ હોવાનું સામે આવ્યું હતું. જોકે સિવિલ હોસ્પિટલ ખાતે 80 દિ' વેન્ટીલેટર સહિત 102 દિવસ તેની સઘન સારવાર કરવામાં આવતા આખરે તે રોગ મુક્ત બનતા પરિવારમાં આનંદની લાગણી જોવા મળી હતી.
ક્રીષ હોસ્પિટલમાં દાખલ થયો તે દરમિયાન ન્યુમોનિયા, ડેન્ગ્યુ જેવી તકલીફો થઈ હતી. પણ હોસ્પિટલની કેરીંગ અને ડેડીકેટેડ સારવારને કારણે તે ઝડપથી સ્વસ્થ થયો. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના કર્મનિષ્ઠ નર્સિંગ સ્ટાફ અને રેસિડેન્ટ ડૉક્ટરની મહેનતે ખુબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. ક્રીષની 102 દિવસની કુલ સારવાર પૈકી 80 દિવસ સુધી તો તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો, જે અત્યાર સુધીમાં સૌથી લાંબો સમય વેન્ટીલેટર પર સારવાર લઈને સાજો થનારો પ્રથમ દર્દી છે. તેના માતા-પિતાએ પણ કહ્યું કે, સમયસર ડોક્ટર આવીને ચેક કરી જાય, સમયસર ભોજન-દુધ, મગનું પાણી, પ્રોટીનયુક્ત આહાર મળી રહેતા હતા. ક્રીષને ખાનગી હોસ્પિટલમાં પણ સિવીલ જેવી શ્રેષ્ઠ સારવાર ન મળી શકી હોત.
ગુલીયન બારી સિનડ્રોમ રોગ વિશે રાજકોટની સિવિલ હોસ્પિટલના ચિલ્ડ્રન વિભાગના ડો. પંકજ બુચ કહે છે કે, શરૂઆતમાં સામાન્ય વાયરલ ઈન્ફેકશન અને શરદી ખાંસી જેવી તકલીફ આ રોગમાં જોવા મળે છે,. જેની સામે લડવા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ જન્મે છે, પગથી અસર શરૂ થયા બાદ સમગ્ર શરીર, ગળું અને શ્વસનતંત્ર લકવાગ્રસ્ત થાય છે. બાદમાં તો દર્દીને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. માત્ર 14 દિવસની અંદર આ રોગ વધી જાય છે. અને તુરત જ સારવાર ના મળે તો દર્દી મૃત્યુ પણ પામી શકે છે. રાજકોટ કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે આવા અનેક બાળકોને સઘન સારવાર આપી મોતના મુખમાંથી બહાર લાવવામાં આવી ચુક્યા છે.
આ વિષે વધુંમાં જણાવતા ડો. ભૂમી ચાંગેલા કહે છે કે ગુલીયન બારી સિનડ્રોમવાળા બાળકોના ઈલેક્ટ્રો માયોગ્રામ, નર્વ કંડકશન વેલોસીટી અને મગજના પાણીની તપાસ કરી ઇમ્યુનો ગ્લોબીન થેરાપીની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તેમજ તેમને વેન્ટિલેટરી મેનેજમેન્ટ દ્વારા ગળામાં કાણું પાડી શ્વાસોચ્છવાસ કરાવવામાં આવે છે. આ સમયે ઘન ખોરાકને બદલે દર્દીને માત્ર નળી વાટે જ પ્રવાહી ખોરાક આપવામાં આવે છે. આ તમામ ટ્રીટમેન્ટ ક્રીષને પણ આપવામાં આવી હતી.
શરીરમાં ઉત્પન્ન થયેલ એન્ટિબોડીને બ્લોક કરવા ઇન્ટરવેન્સ ઇમ્યુનોગ્લોબ્યુલિન નામનુ રૂ. 80 હજારથી રૂ. 1 લાખની કિંમતનું ઇન્જેક્શન બાળકના વજન મુજબ આપવામાં આવે છે. આ સિવાયની સારવારનો ખર્ચ લગભગ રૂ. 8 હજાર પ્રતિદિન થાય છે. આમ એક બાળકના 70 થી 90 દિવસના હોસ્પિટલાઇઝેશનનો સરેરાશ રૂ. 2.50 લાખનો ખર્ચ સરકારી હોસ્પિટલ ભોગવે છે.
આ રોગનો ઈલાજ કરવા માટે બાળકને વેન્ટિલેટર દ્વારા અપાતા ઓક્સિજન - કાર્બન ડાયોકસાઇડનું લોહીમાં પ્રમાણ માપવા ઉપરાંત સ્વસ્થ થયા બાદ બાળકને ફિઝ્યોથેરાપી આપવી પડે છે, સિવિલ હોસ્પિટલના ફિઝ્યોથેરાપી વિભાગના ડો. પારસ અને ડો. તૃપ્તિ દ્વારા ક્રીષને ફિઝીયોથેરાપી પણ આપવામાં આવી હતી. આ તમામ પ્રયાસોનાં મીઠા ફળ મળ્યા છે. અને અંતે ક્રિષ આ રોગને મહાત આપીને એકદમ સ્વસ્થ બન્યો છે. જો કે તેણે કેટલીક તકેદારી રાખવી પડશે. પરંતુ હવે તે અન્ય સામાન્ય બાળકોની માફક પોતાનું જીવન જીવી શકશે.
ક્રીષ હોસ્પિટલમાં દાખલ થયો તે દરમિયાન ન્યુમોનિયા, ડેન્ગ્યુ જેવી તકલીફો થઈ
ક્રીષની 102 દિવસની કુલ સારવાર પૈકી 80 દિવસ સુધી તો તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો
શરીરમાં ઉત્પન્ન થયેલ એન્ટિબોડીને બ્લોક કરવા ઇન્ટરવેન્સ ઇમ્યુનોગ્લોબ્યુલિન નામનુ રૂ. 80 હજારથી રૂ. 1 લાખની કિંમતનું ઇન્જેક્શન બાળકના વજન મુજબ આપવામાં આવે છે - ડો. ભૂમી ચાંગેલા
WatchGujarat. ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન મનાતા બાળકો જ્યારે કોઈ મુશ્કેલીમાં મુકાય ત્યારે કોઈનું પણ હ્રદય વલોવાઈ છે. આવી જ ઘટના ધોરાજી તાલુકાના મોટી પરબડી ગામના દસ વર્ષના ક્રીષ ગજેરા સાથે બની હતી. હસતો રમતો ક્રિષ સતત સાત દિવસ સુધી તાવ - માથુ દુખવા સાથે પથારીમાંથી બેઠો પણ થઈ શકતો નહોતો તેમજ હાથ પગ પણ ચલાવી શકતો નહોતો. તેને ધોરાજીથી રાજકોટ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. અને તેના રોગનું નિદાન થયુ હતું. જેમાં તેને જીબીએસ-ગુલીયન બારી સિનડ્રોમ હોવાનું સામે આવ્યું હતું. જોકે સિવિલ હોસ્પિટલ ખાતે 80 દિ' વેન્ટીલેટર સહિત 102 દિવસ તેની સઘન સારવાર કરવામાં આવતા આખરે તે રોગ મુક્ત બનતા પરિવારમાં આનંદની લાગણી જોવા મળી હતી.
ક્રીષ હોસ્પિટલમાં દાખલ થયો તે દરમિયાન ન્યુમોનિયા, ડેન્ગ્યુ જેવી તકલીફો થઈ હતી. પણ હોસ્પિટલની કેરીંગ અને ડેડીકેટેડ સારવારને કારણે તે ઝડપથી સ્વસ્થ થયો. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના કર્મનિષ્ઠ નર્સિંગ સ્ટાફ અને રેસિડેન્ટ ડૉક્ટરની મહેનતે ખુબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. ક્રીષની 102 દિવસની કુલ સારવાર પૈકી 80 દિવસ સુધી તો તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો, જે અત્યાર સુધીમાં સૌથી લાંબો સમય વેન્ટીલેટર પર સારવાર લઈને સાજો થનારો પ્રથમ દર્દી છે. તેના માતા-પિતાએ પણ કહ્યું કે, સમયસર ડોક્ટર આવીને ચેક કરી જાય, સમયસર ભોજન-દુધ, મગનું પાણી, પ્રોટીનયુક્ત આહાર મળી રહેતા હતા. ક્રીષને ખાનગી હોસ્પિટલમાં પણ સિવીલ જેવી શ્રેષ્ઠ સારવાર ન મળી શકી હોત.
ગુલીયન બારી સિનડ્રોમ રોગ વિશે રાજકોટની સિવિલ હોસ્પિટલના ચિલ્ડ્રન વિભાગના ડો. પંકજ બુચ કહે છે કે, શરૂઆતમાં સામાન્ય વાયરલ ઈન્ફેકશન અને શરદી ખાંસી જેવી તકલીફ આ રોગમાં જોવા મળે છે,. જેની સામે લડવા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ જન્મે છે, પગથી અસર શરૂ થયા બાદ સમગ્ર શરીર, ગળું અને શ્વસનતંત્ર લકવાગ્રસ્ત થાય છે. બાદમાં તો દર્દીને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. માત્ર 14 દિવસની અંદર આ રોગ વધી જાય છે. અને તુરત જ સારવાર ના મળે તો દર્દી મૃત્યુ પણ પામી શકે છે. રાજકોટ કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે આવા અનેક બાળકોને સઘન સારવાર આપી મોતના મુખમાંથી બહાર લાવવામાં આવી ચુક્યા છે.
આ વિષે વધુંમાં જણાવતા ડો. ભૂમી ચાંગેલા કહે છે કે ગુલીયન બારી સિનડ્રોમવાળા બાળકોના ઈલેક્ટ્રો માયોગ્રામ, નર્વ કંડકશન વેલોસીટી અને મગજના પાણીની તપાસ કરી ઇમ્યુનો ગ્લોબીન થેરાપીની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તેમજ તેમને વેન્ટિલેટરી મેનેજમેન્ટ દ્વારા ગળામાં કાણું પાડી શ્વાસોચ્છવાસ કરાવવામાં આવે છે. આ સમયે ઘન ખોરાકને બદલે દર્દીને માત્ર નળી વાટે જ પ્રવાહી ખોરાક આપવામાં આવે છે. આ તમામ ટ્રીટમેન્ટ ક્રીષને પણ આપવામાં આવી હતી.
શરીરમાં ઉત્પન્ન થયેલ એન્ટિબોડીને બ્લોક કરવા ઇન્ટરવેન્સ ઇમ્યુનોગ્લોબ્યુલિન નામનુ રૂ. 80 હજારથી રૂ. 1 લાખની કિંમતનું ઇન્જેક્શન બાળકના વજન મુજબ આપવામાં આવે છે. આ સિવાયની સારવારનો ખર્ચ લગભગ રૂ. 8 હજાર પ્રતિદિન થાય છે. આમ એક બાળકના 70 થી 90 દિવસના હોસ્પિટલાઇઝેશનનો સરેરાશ રૂ. 2.50 લાખનો ખર્ચ સરકારી હોસ્પિટલ ભોગવે છે.
આ રોગનો ઈલાજ કરવા માટે બાળકને વેન્ટિલેટર દ્વારા અપાતા ઓક્સિજન - કાર્બન ડાયોકસાઇડનું લોહીમાં પ્રમાણ માપવા ઉપરાંત સ્વસ્થ થયા બાદ બાળકને ફિઝ્યોથેરાપી આપવી પડે છે, સિવિલ હોસ્પિટલના ફિઝ્યોથેરાપી વિભાગના ડો. પારસ અને ડો. તૃપ્તિ દ્વારા ક્રીષને ફિઝીયોથેરાપી પણ આપવામાં આવી હતી. આ તમામ પ્રયાસોનાં મીઠા ફળ મળ્યા છે. અને અંતે ક્રિષ આ રોગને મહાત આપીને એકદમ સ્વસ્થ બન્યો છે. જો કે તેણે કેટલીક તકેદારી રાખવી પડશે. પરંતુ હવે તે અન્ય સામાન્ય બાળકોની માફક પોતાનું જીવન જીવી શકશે.