WatchGujarat. ગુજરાતની છ મહાનગરપાલિકાનીના પરિણામો હવે સ્પષ્ટ થઈ ગયા છે. તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી પોતાની સરકાર બનાવી રહી છે તેવું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે. દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ટ્વીટ કરીને લખ્યું છે કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાતે ભવ્ય વિજય અપાવીને, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એ ફરી વખત સાબિત કર્યું છે."
https://twitter.com/vijayrupanibjp/status/1364139172190031874?s=20
વિજય રૂપાણીએ ટ્વીટમાં લખ્યું છે કે, "6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય એ ગુજરાતની જનતાનો વિજય છે. માનનીય વડાપ્રધાન @narendramodi એ શરૂ કરેલા વિકાસની રાજનીતિનો ભવ્ય વિજય છે. વર્ષોથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીને શહેરના વિકાસની જવાબદારી સોંપીને ગુજરાતની જનતાએ રાજકીય વિશ્લેષણ કરનારા લોકોને એન્ટી ઇન્કમ્બન્સી શબ્દ ગુજરાતને લાગુ જ ના પડતો હોય એવો અભ્યાસ કરવા માટેનો વિષય ગુજરાતની જનતાએ વિજય અપાવીને બનાવ્યો છે."
મતદારોનો માન્યો આભાર
ટ્વીટના થ્રેડમાં વધુમાં લખ્યું છે કે, "સમગ્ર 6 મહાનગરોના મતદારોનો આભાર માનું છું. આ ચૂંટણીમાં સખત પરિશ્રમ કરનારા ભાજપાના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે ભાજપામાં મૂકેલા વિશ્વાસને ભાજપા એળે નહીં જેવા દે. આવનારા દિવસોમાં 6 મહાનગરપાલિકાઓના વિકાસ માટે સરકાર કોઇ કચાશ નહીં રાખે."
કોંગ્રેસ હરીફાઈમાં હતી જ નહીં : સીએમ રૂપાણી
ગઈકાલે મત ગણતરીના એક દિવસ પહેલા સીએમ રૂપાણીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, "દિશાહીન અને નેતૃત્વવિહીન કોંગ્રેસ આ વખતે મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં હરીફાઈમાં હતી જ નહીં. ગઈકાલે રાજ્યમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં થયેલા ઓછા મતદાનની ટકાવારી સ્પષ્ટ દર્શાવે છે કે, કોંગ્રેસના મતદારો મતદાન કરવા બહાર નીકળ્યા જ નહીં. ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસના અનેક જનહિત કાર્યો અને પારદર્શી સુશાસનના પરિણામે ભાજપા પ્રત્યે મતદારોએ જે ઉત્સાહ દર્શાવ્યો છે તે આવતીકાલે મતગણતરીના પરિણામોથી આપોઆપ પૂરવાર થઈ જશે."
https://twitter.com/vijayrupanibjp/status/1363886633225887744?s=20
WatchGujarat. ગુજરાતની છ મહાનગરપાલિકાનીના પરિણામો હવે સ્પષ્ટ થઈ ગયા છે. તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી પોતાની સરકાર બનાવી રહી છે તેવું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે. દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ટ્વીટ કરીને લખ્યું છે કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાતે ભવ્ય વિજય અપાવીને, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એ ફરી વખત સાબિત કર્યું છે."
વિજય રૂપાણીએ ટ્વીટમાં લખ્યું છે કે, "6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય એ ગુજરાતની જનતાનો વિજય છે. માનનીય વડાપ્રધાન @narendramodi એ શરૂ કરેલા વિકાસની રાજનીતિનો ભવ્ય વિજય છે. વર્ષોથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીને શહેરના વિકાસની જવાબદારી સોંપીને ગુજરાતની જનતાએ રાજકીય વિશ્લેષણ કરનારા લોકોને એન્ટી ઇન્કમ્બન્સી શબ્દ ગુજરાતને લાગુ જ ના પડતો હોય એવો અભ્યાસ કરવા માટેનો વિષય ગુજરાતની જનતાએ વિજય અપાવીને બનાવ્યો છે."
મતદારોનો માન્યો આભાર
ટ્વીટના થ્રેડમાં વધુમાં લખ્યું છે કે, "સમગ્ર 6 મહાનગરોના મતદારોનો આભાર માનું છું. આ ચૂંટણીમાં સખત પરિશ્રમ કરનારા ભાજપાના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે ભાજપામાં મૂકેલા વિશ્વાસને ભાજપા એળે નહીં જેવા દે. આવનારા દિવસોમાં 6 મહાનગરપાલિકાઓના વિકાસ માટે સરકાર કોઇ કચાશ નહીં રાખે."
કોંગ્રેસ હરીફાઈમાં હતી જ નહીં : સીએમ રૂપાણી
ગઈકાલે મત ગણતરીના એક દિવસ પહેલા સીએમ રૂપાણીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, "દિશાહીન અને નેતૃત્વવિહીન કોંગ્રેસ આ વખતે મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં હરીફાઈમાં હતી જ નહીં. ગઈકાલે રાજ્યમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં થયેલા ઓછા મતદાનની ટકાવારી સ્પષ્ટ દર્શાવે છે કે, કોંગ્રેસના મતદારો મતદાન કરવા બહાર નીકળ્યા જ નહીં. ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસના અનેક જનહિત કાર્યો અને પારદર્શી સુશાસનના પરિણામે ભાજપા પ્રત્યે મતદારોએ જે ઉત્સાહ દર્શાવ્યો છે તે આવતીકાલે મતગણતરીના પરિણામોથી આપોઆપ પૂરવાર થઈ જશે."