ડાકોર રણછોડજી મંદિરમાં પૂર્વ સેવકની બે દીકરીઓ સેવા પૂજા કરવા પહોંચતા મંદિરમાં વિવાદનો મધપૂડો છંછેડાયો
બે વારાદારી બહેનોના જણાવ્યા મુજબ કોર્ટે સેવાપૂજા કરવા હુકમ કરેલો છે
ટ્રસ્ટે બન્ને બહેનો પાસે કોર્ટ દ્વારા કોઈ સ્પષ્ટ આદેશ અપાયો હોય તો લઈને આવવા જણાવાયું છે
[caption id="attachment_1406710" align="aligncenter" width="640"] world-famous Dakor Temple Controversy erupted again over the worship of God[/caption]
WatchGujarat. વિશ્વવિખ્યાત યાત્રાધામ ડાકોર મંદિરમાં પૂજા મામલે વિવાદ સર્જાયો છે. ડાકોરમાં રણછોડરાયની પૂજા કરવા માટે પૂર્વ સેવકની બે પુત્રીઓ સેવા કરવા પહોંચી હતી, જેનો વિવાદ મોટો થયો છે. વંશ પરંપરાગત વારાદારી મહિલાઓ દ્વારા મંદિરમાં ભગવાનની સેવા માટે પ્રવેશની માંગ કરવામાં આવી છે, પરંતુ આ મહિલાઓને પૂજા માટે પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. ટેમ્પલ કમિટીએ કોર્ટનો હુકમ માંગ્યો છે.
આ વિશે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે ડાકોર મંદિરમાં રાજા રણછોડરાયની પૂજા મામલે ફરી એક વાર મોટો વિવાદ સર્જાયો છે. ડાકોર રણછોડજી મંદિરમાં પૂર્વ સેવકની બે દીકરીઓ સેવા પૂજા કરવા પહોંચતા મંદિરમાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ઇન્દિરાબેન અને ભગવતીબેન નામની બન્ને બહેનોએ કોઈપણ સંજોગોમાં રણછોડરાયની સેવા પૂજા કરશે તેવું જાહેર કરી, પોતાના પર હુમલાની આશંકા વ્યક્ત કરતા ગત રાત્રિએ પોલીસ પ્રોટેક્શનની માંગ કરી હતી.
બે વારાદારી બહેનોના જણાવ્યા મુજબ કોર્ટે સેવાપૂજા કરવા હુકમ કરેલો છે. ઈન્દિરાબેને પંડ્યાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે, વારાદારીના સીધી લીટીના વારસદારો મંદિરમાં સેવા કરી શકે છે. ભક્ત બોડાણાના વિધવા ગંગાબાઈએ પણ ભગવાનની સેવા કરી હતી, જે કોર્ટે માની બંધારણ મુજબ અમને હક્ક આપ્યો છે. અમારા નામ વારદારી તરીકે હજુપણ રણછોડજી મંદિરમાં મુકવામાં આવે છે.
બીજી બાજુ મંદિર ટ્રસ્ટે બન્ને બહેનોને જણાવ્યું હતું કે, મંદિરના 1200 વર્ષના ઈતિહાસમાં કોઈ મહિલાએ ભગવાનની પૂજા કરી નથી. ટ્રસ્ટે બન્ને બહેનો પાસે કોર્ટ દ્વારા કોઈ સ્પષ્ટ આદેશ અપાયો હોય તો લઈને આવવા જણાવાયું છે. આમ ભગવાન રણછોડરાયની સેવા પૂજા મામલે મંદિર ટ્રસ્ટ અને વારાદારી બહેનો વચ્ચેનો વિવાદ આગળ વધ્યો છે.
તમને જણાવી દઇએ કે બંને બહેનો પાસે કોર્ટનો હુકમ સ્વાભાવિકપણે ન હોય, ત્યારે નિયમ પ્રમાણે મંદિરમાં મહિલાઓને સેવા પૂજા માટે પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. ત્યારે ઉગ્ર વિવાદ શરૂ થયો છે. ટેમ્પલ કમીટિ દ્વારા હાલ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. બંને મહિલાઓએ કોઈ પણ વિરોધ વગર મંદિરમાંથી બહાર નીકળી ગઈ છે.
બીજી બાજુ ડાકોર ટેમ્પલ કમિટીનો ખુલાસો સામે આવ્યો છે, તેમાં જણાવવામાં આવ્યું છે કે, જો તેઓ કોર્ટનો હુકમ આપશે અને કોર્ટે મંદિરની અંદર સેવા પૂજાનો હુકમ કર્યો હશે તો મંદિર કમિટીને કોઈ વાંધો નહિ હોય. હાલ પૂરતો સમગ્ર મામલો થાળે પડી ગયો છે.
આ વિવાદ વિશે ઈન્દિરાબેન પંડ્યાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે ડાકોર મંદિરમાં 1978 પહેલાં અમારા પિતા કૃષ્ણલાલ સેવક વંશ પરંપરાગત વારાદારી તરીકે પૂજા કરતા હતા. તેઓને સંતાનમાં અમે બે પુત્રી જ છીએ. 1978માં તેમના અવસાન બાદ પરિવારમાંથી કોણ ભગવાનની પૂજા કરે તે બાબતે વિવાદ ઉભો થયો હતો. બંને મહિલાઓના કાકાના પરિવારજનો જયંતિલાલ સેવક અને ગદાધર સેવકે સમગ્ર મામલે કોર્ટમાં કેસ દાખલ કરતા લાંબા સમય સુધી કેસ ચાલ્યો હતો. જોકે 2018માં આ કેસનો ચુકાદો પોતાની તરફેણમાં આવ્યો હોવાનો ઇન્દિરાબેન અને ભગવતીબેને દાવો કર્યો છે. સેવાપૂજાના અધિકારની માગણી કરનાર બન્ને બહેનોનો દાવો છે કે 2018માં આ કેસમાં કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. તેથી વારા મુજબ હવે તેઓ રણછોડરાયની સેવાપૂજા કરી શકે છે.
ડાકોર રણછોડજી મંદિરમાં પૂર્વ સેવકની બે દીકરીઓ સેવા પૂજા કરવા પહોંચતા મંદિરમાં વિવાદનો મધપૂડો છંછેડાયો
બે વારાદારી બહેનોના જણાવ્યા મુજબ કોર્ટે સેવાપૂજા કરવા હુકમ કરેલો છે
ટ્રસ્ટે બન્ને બહેનો પાસે કોર્ટ દ્વારા કોઈ સ્પષ્ટ આદેશ અપાયો હોય તો લઈને આવવા જણાવાયું છે
[caption id="attachment_1406710" align="aligncenter" width="640"] world-famous Dakor Temple Controversy erupted again over the worship of God[/caption]
WatchGujarat. વિશ્વવિખ્યાત યાત્રાધામ ડાકોર મંદિરમાં પૂજા મામલે વિવાદ સર્જાયો છે. ડાકોરમાં રણછોડરાયની પૂજા કરવા માટે પૂર્વ સેવકની બે પુત્રીઓ સેવા કરવા પહોંચી હતી, જેનો વિવાદ મોટો થયો છે. વંશ પરંપરાગત વારાદારી મહિલાઓ દ્વારા મંદિરમાં ભગવાનની સેવા માટે પ્રવેશની માંગ કરવામાં આવી છે, પરંતુ આ મહિલાઓને પૂજા માટે પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. ટેમ્પલ કમિટીએ કોર્ટનો હુકમ માંગ્યો છે.
આ વિશે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે ડાકોર મંદિરમાં રાજા રણછોડરાયની પૂજા મામલે ફરી એક વાર મોટો વિવાદ સર્જાયો છે. ડાકોર રણછોડજી મંદિરમાં પૂર્વ સેવકની બે દીકરીઓ સેવા પૂજા કરવા પહોંચતા મંદિરમાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ઇન્દિરાબેન અને ભગવતીબેન નામની બન્ને બહેનોએ કોઈપણ સંજોગોમાં રણછોડરાયની સેવા પૂજા કરશે તેવું જાહેર કરી, પોતાના પર હુમલાની આશંકા વ્યક્ત કરતા ગત રાત્રિએ પોલીસ પ્રોટેક્શનની માંગ કરી હતી.
બે વારાદારી બહેનોના જણાવ્યા મુજબ કોર્ટે સેવાપૂજા કરવા હુકમ કરેલો છે. ઈન્દિરાબેને પંડ્યાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે, વારાદારીના સીધી લીટીના વારસદારો મંદિરમાં સેવા કરી શકે છે. ભક્ત બોડાણાના વિધવા ગંગાબાઈએ પણ ભગવાનની સેવા કરી હતી, જે કોર્ટે માની બંધારણ મુજબ અમને હક્ક આપ્યો છે. અમારા નામ વારદારી તરીકે હજુપણ રણછોડજી મંદિરમાં મુકવામાં આવે છે.
બીજી બાજુ મંદિર ટ્રસ્ટે બન્ને બહેનોને જણાવ્યું હતું કે, મંદિરના 1200 વર્ષના ઈતિહાસમાં કોઈ મહિલાએ ભગવાનની પૂજા કરી નથી. ટ્રસ્ટે બન્ને બહેનો પાસે કોર્ટ દ્વારા કોઈ સ્પષ્ટ આદેશ અપાયો હોય તો લઈને આવવા જણાવાયું છે. આમ ભગવાન રણછોડરાયની સેવા પૂજા મામલે મંદિર ટ્રસ્ટ અને વારાદારી બહેનો વચ્ચેનો વિવાદ આગળ વધ્યો છે.
તમને જણાવી દઇએ કે બંને બહેનો પાસે કોર્ટનો હુકમ સ્વાભાવિકપણે ન હોય, ત્યારે નિયમ પ્રમાણે મંદિરમાં મહિલાઓને સેવા પૂજા માટે પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. ત્યારે ઉગ્ર વિવાદ શરૂ થયો છે. ટેમ્પલ કમીટિ દ્વારા હાલ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. બંને મહિલાઓએ કોઈ પણ વિરોધ વગર મંદિરમાંથી બહાર નીકળી ગઈ છે.
બીજી બાજુ ડાકોર ટેમ્પલ કમિટીનો ખુલાસો સામે આવ્યો છે, તેમાં જણાવવામાં આવ્યું છે કે, જો તેઓ કોર્ટનો હુકમ આપશે અને કોર્ટે મંદિરની અંદર સેવા પૂજાનો હુકમ કર્યો હશે તો મંદિર કમિટીને કોઈ વાંધો નહિ હોય. હાલ પૂરતો સમગ્ર મામલો થાળે પડી ગયો છે.
આ વિવાદ વિશે ઈન્દિરાબેન પંડ્યાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે ડાકોર મંદિરમાં 1978 પહેલાં અમારા પિતા કૃષ્ણલાલ સેવક વંશ પરંપરાગત વારાદારી તરીકે પૂજા કરતા હતા. તેઓને સંતાનમાં અમે બે પુત્રી જ છીએ. 1978માં તેમના અવસાન બાદ પરિવારમાંથી કોણ ભગવાનની પૂજા કરે તે બાબતે વિવાદ ઉભો થયો હતો. બંને મહિલાઓના કાકાના પરિવારજનો જયંતિલાલ સેવક અને ગદાધર સેવકે સમગ્ર મામલે કોર્ટમાં કેસ દાખલ કરતા લાંબા સમય સુધી કેસ ચાલ્યો હતો. જોકે 2018માં આ કેસનો ચુકાદો પોતાની તરફેણમાં આવ્યો હોવાનો ઇન્દિરાબેન અને ભગવતીબેને દાવો કર્યો છે. સેવાપૂજાના અધિકારની માગણી કરનાર બન્ને બહેનોનો દાવો છે કે 2018માં આ કેસમાં કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. તેથી વારા મુજબ હવે તેઓ રણછોડરાયની સેવાપૂજા કરી શકે છે.