બહુચર્ચીત આઈપીએસ અધિકારી ડી જી વણઝારાનું ટ્વીટ
ગુજરાતના રાજકારણ પર પોતાના મંતવ્યો વ્યકત કરતા રહે છે
બિનઉત્પાદક શાસનને ઉખાડીને નવો પ્રદેશ પક્ષ હાઇપર એફિલિએટેડ જાહેર કરવામાં આવશે: ડી જી વણઝારા
WatchGujarat.બહુચર્ચીત આઈપીએસ અધિકારી ડી જી વણઝારાએ અવાર-નવાર ટ્વીટ કરીને વિવાદમાં રહેતા હોય છે.રાજ્યમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવતા વણઝારા ગુજરાતના રાજકારણને લઇને ટ્વીટ કરતા રહે છે. ખાસ કરીને મોદી સરકાર પર અનેક વખત ટ્વીટ કરીને તેઓ ચર્ચામાં રહ્યા છે ત્યારે ફરી એક વખત હાલમાં ડી.જી વણઝારા દ્વારા કરવામાં આવેલ ટ્વીટની ચર્ચા થઇ રહી છે.
https://twitter.com/VanzaraDg/status/1526459322833698816?s=20&t=fjIDyDPFXlukSdFH5mjmWA
રાજ્યમાં ચૂંટણીને લઇને ડી.જી વણઝારાએ ટ્વીટ કરતા જણાવ્યુ કે ડિસેમ્બરમાં તમામ 182 બેઠકો પર ચૂંટણી લડીને ગુજરાતમાં ભ્રષ્ટ અને બિનઉત્પાદક શાસનને ઉખાડીને નવો પ્રદેશ પક્ષ હાઇપર એફિલિએટેડ જાહેર કરવામાં આવશે. ત્યારે, નવી રાજાશાહીની સાથે રાજ્યમાં પણ ધર્મસત્તાની સ્થાપના કરવામાં આવશે. સત્તા વગરની રાજાશાહી અધૂરી છે.
આ પહેલા ગુજરાતના રાજકારણને લઇને ટ્વીટ કર્યુ હતુ કે “મારે દુઃખ સાથે જણાવવું પડે છે કે 2014 માં શ્રી નરેન્દ્રભાઈ મોદી દિલ્હી ગયા ત્યારથી ગુજરાતમાં રાજકીય અસ્થિરતાનો કપરો કાળ શરૂ થયો છે. મુખ્ય મંત્રી તરીકે તેમના સ્થાને આવેલ આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી કે ભુપેન્દ્રભાઈ પટેલને પાંચ વર્ષની ટર્મ પુરી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું નથી”
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના પૂર્વ આઈપીએસ અધિકારી ડી.જી.વણઝારા રાજકારણને લઇને અવાર નવાર તેઓના મંતવ્યો આપતા રહે છે.
બહુચર્ચીત આઈપીએસ અધિકારી ડી જી વણઝારાનું ટ્વીટ
ગુજરાતના રાજકારણ પર પોતાના મંતવ્યો વ્યકત કરતા રહે છે
બિનઉત્પાદક શાસનને ઉખાડીને નવો પ્રદેશ પક્ષ હાઇપર એફિલિએટેડ જાહેર કરવામાં આવશે: ડી જી વણઝારા
WatchGujarat.બહુચર્ચીત આઈપીએસ અધિકારી ડી જી વણઝારાએ અવાર-નવાર ટ્વીટ કરીને વિવાદમાં રહેતા હોય છે.રાજ્યમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવતા વણઝારા ગુજરાતના રાજકારણને લઇને ટ્વીટ કરતા રહે છે. ખાસ કરીને મોદી સરકાર પર અનેક વખત ટ્વીટ કરીને તેઓ ચર્ચામાં રહ્યા છે ત્યારે ફરી એક વખત હાલમાં ડી.જી વણઝારા દ્વારા કરવામાં આવેલ ટ્વીટની ચર્ચા થઇ રહી છે.
રાજ્યમાં ચૂંટણીને લઇને ડી.જી વણઝારાએ ટ્વીટ કરતા જણાવ્યુ કે ડિસેમ્બરમાં તમામ 182 બેઠકો પર ચૂંટણી લડીને ગુજરાતમાં ભ્રષ્ટ અને બિનઉત્પાદક શાસનને ઉખાડીને નવો પ્રદેશ પક્ષ હાઇપર એફિલિએટેડ જાહેર કરવામાં આવશે. ત્યારે, નવી રાજાશાહીની સાથે રાજ્યમાં પણ ધર્મસત્તાની સ્થાપના કરવામાં આવશે. સત્તા વગરની રાજાશાહી અધૂરી છે.
આ પહેલા ગુજરાતના રાજકારણને લઇને ટ્વીટ કર્યુ હતુ કે “મારે દુઃખ સાથે જણાવવું પડે છે કે 2014 માં શ્રી નરેન્દ્રભાઈ મોદી દિલ્હી ગયા ત્યારથી ગુજરાતમાં રાજકીય અસ્થિરતાનો કપરો કાળ શરૂ થયો છે. મુખ્ય મંત્રી તરીકે તેમના સ્થાને આવેલ આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી કે ભુપેન્દ્રભાઈ પટેલને પાંચ વર્ષની ટર્મ પુરી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું નથી”
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના પૂર્વ આઈપીએસ અધિકારી ડી.જી.વણઝારા રાજકારણને લઇને અવાર નવાર તેઓના મંતવ્યો આપતા રહે છે.