તોફાની વરસાદથી વિકટ સ્થિતિ સર્જાઈ, ભારે પવનનાં કારણે બુધવારની ધ્વજા ઉતારી ન શકાતા બીજી ધ્વજા ચઢાવાઈ
પરંપરા જાળવવા તેને યથાવત રાખીને બીજી ધ્વજા ચડાવાઇ હતી
બે વર્ષ પહેલા પણ વાવાઝોડાના પગલે દ્વારકાધીશના મંદિરે શિખર પર બે ધ્વજા લહેરાતી નજરે પડી
WatchGujarat. યાત્રાધામ દ્વારકાનાં જગવિખ્યાત જગતમંદિરે ગુરૂવારના સવારે બે ધ્વજાજી ફરકતી જોવા મળી હતી. જે બે ધ્વજા લહેરાતી જોઇને શ્રધ્ધાળુઓને આશ્ચર્ય થયું હતું. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર દ્વારકાધીશનાં જગત મંદિરે તોફાની વરસાદનાં કારણે જૂની ધ્વજા ઉતારી શકાઇ નહોતી. જેથી પરંપરા જાળવવા તેને યથાવત રાખીને બીજી ધ્વજા ચડાવાઇ હતી. પહેલી ધ્વજાની નીચે બીજી ધ્વજા ચડાવાઈ હતી.
https://youtu.be/l1Lvyh4YmqI
પરંપરા જાળવવા જૂની ધ્વજા નીચે નવી ધ્વજા ચડાવાઈ
ઉલ્લેખનીય છે કે ગત રોજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં દ્વારકામાં ગઇકાલ સાંજથી વરસાદ વરસવાનો ચાલું થયો હતો. આ સમયે બુધવાર સાંજની છેલ્લી ધ્વજા જગતમંદિરના 150 ફુટના ઉંચા શિખર ઉપર અબોટી બ્રામણ દ્વારા ચડાવવામાં આવી હતી. પરંતુ પરંપરા અનુસરા ગુરુવારના સવારે જૂની ધ્વજા ઉતારીને નવી ધ્વજા ચડાવવાની હતી ત્યારે વરસાદ અવિરત ચાલુ હતો. ભારે વરસાદ અને પવનના કારણે જૂની ધ્વજાજી ગુરૂવારના સવારે ઉતરી શકે તેમ નહતું. જેથી સવારે 9.30 વાગ્યે પરંપરાગત ચડતી ધ્વજાજી તેમની નીચે બીજી ધ્વજાજી ચડાવવામાં આવી હતી. જેથી શિખર પર બે ધ્વજાજી લહેરાતી નજરે પડી હતી. ત્યારબાદ વરસાદ અને પવન હળવો થતા બુધવારે સાંજે ચડાવેલી ધ્વજાજી ઉતારી 10:30 અને 12.30 વાગ્યાની ધ્વજાજી અડધી કાઠીએ ચડાવવામાં આવી હતી.
બે વર્ષ અગાઉ પણ બે ધ્વજા લહેરાતી નજરે પડી હતી
ઉલ્લેખીયન છે કે બે વર્ષ પહેલા પણ આવા દ્રશ્યો સર્જાયા હતા. બે વર્ષ પહેલા વાવાઝોડાના પગલે દ્વારકાધીશના મંદિરે શિખર પર બે ધ્વજા લહેરાતી જોવા મળી હતી. દ્વારકાધીશનાં જગતમંદિરના ઈતિહાસમાં બીજી વખત જગતમંદિરના શિખર ઉપર ડબલ ધ્વજા ફરતી જોવા મળતા જાણે દ્વારકાધીશે બે નંબરનું સિગ્નલ આપ્યું હોય તેવા સોશ્યલ મિડીયામાં મેસેજો વાયરલ થયા હતા. આ પહેલા ભારે વરસાદના કારણે મંદિરના શિખર પર વિજળી પડી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મોટી આફતને દ્વારકાધીશે પોતાના સિરે લીધી હોવાનું લોકો ચર્ચા કરી રહ્યા હતા.
તોફાની વરસાદથી વિકટ સ્થિતિ સર્જાઈ, ભારે પવનનાં કારણે બુધવારની ધ્વજા ઉતારી ન શકાતા બીજી ધ્વજા ચઢાવાઈ
પરંપરા જાળવવા તેને યથાવત રાખીને બીજી ધ્વજા ચડાવાઇ હતી
બે વર્ષ પહેલા પણ વાવાઝોડાના પગલે દ્વારકાધીશના મંદિરે શિખર પર બે ધ્વજા લહેરાતી નજરે પડી
WatchGujarat. યાત્રાધામ દ્વારકાનાં જગવિખ્યાત જગતમંદિરે ગુરૂવારના સવારે બે ધ્વજાજી ફરકતી જોવા મળી હતી. જે બે ધ્વજા લહેરાતી જોઇને શ્રધ્ધાળુઓને આશ્ચર્ય થયું હતું. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર દ્વારકાધીશનાં જગત મંદિરે તોફાની વરસાદનાં કારણે જૂની ધ્વજા ઉતારી શકાઇ નહોતી. જેથી પરંપરા જાળવવા તેને યથાવત રાખીને બીજી ધ્વજા ચડાવાઇ હતી. પહેલી ધ્વજાની નીચે બીજી ધ્વજા ચડાવાઈ હતી.
પરંપરા જાળવવા જૂની ધ્વજા નીચે નવી ધ્વજા ચડાવાઈ
ઉલ્લેખનીય છે કે ગત રોજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં દ્વારકામાં ગઇકાલ સાંજથી વરસાદ વરસવાનો ચાલું થયો હતો. આ સમયે બુધવાર સાંજની છેલ્લી ધ્વજા જગતમંદિરના 150 ફુટના ઉંચા શિખર ઉપર અબોટી બ્રામણ દ્વારા ચડાવવામાં આવી હતી. પરંતુ પરંપરા અનુસરા ગુરુવારના સવારે જૂની ધ્વજા ઉતારીને નવી ધ્વજા ચડાવવાની હતી ત્યારે વરસાદ અવિરત ચાલુ હતો. ભારે વરસાદ અને પવનના કારણે જૂની ધ્વજાજી ગુરૂવારના સવારે ઉતરી શકે તેમ નહતું. જેથી સવારે 9.30 વાગ્યે પરંપરાગત ચડતી ધ્વજાજી તેમની નીચે બીજી ધ્વજાજી ચડાવવામાં આવી હતી. જેથી શિખર પર બે ધ્વજાજી લહેરાતી નજરે પડી હતી. ત્યારબાદ વરસાદ અને પવન હળવો થતા બુધવારે સાંજે ચડાવેલી ધ્વજાજી ઉતારી 10:30 અને 12.30 વાગ્યાની ધ્વજાજી અડધી કાઠીએ ચડાવવામાં આવી હતી.
બે વર્ષ અગાઉ પણ બે ધ્વજા લહેરાતી નજરે પડી હતી
ઉલ્લેખીયન છે કે બે વર્ષ પહેલા પણ આવા દ્રશ્યો સર્જાયા હતા. બે વર્ષ પહેલા વાવાઝોડાના પગલે દ્વારકાધીશના મંદિરે શિખર પર બે ધ્વજા લહેરાતી જોવા મળી હતી. દ્વારકાધીશનાં જગતમંદિરના ઈતિહાસમાં બીજી વખત જગતમંદિરના શિખર ઉપર ડબલ ધ્વજા ફરતી જોવા મળતા જાણે દ્વારકાધીશે બે નંબરનું સિગ્નલ આપ્યું હોય તેવા સોશ્યલ મિડીયામાં મેસેજો વાયરલ થયા હતા. આ પહેલા ભારે વરસાદના કારણે મંદિરના શિખર પર વિજળી પડી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મોટી આફતને દ્વારકાધીશે પોતાના સિરે લીધી હોવાનું લોકો ચર્ચા કરી રહ્યા હતા.