WatchGujarat. હાલ સોશિયલ ગેજેટ્સ તથા ટેકનોલોજીના કારણે લોકોનો સામાજિક આધાર ઘટ્યો છે. ફોન અને ઇન્ટરનેટે લોકોની આખી જીવનશૈલી બદલી નાખી છે. જે સારા કામ અથવા વિકાસના લીધે આધુનિક ટેકનોલોજીનો વિકાસ થયો તેને કારણે તિરાડો પણ સર્જાવા લાગી છે. જીવન જીવવાની રીતમાં પરિવર્તન આવ્યું છે. ઘરકામ સિવાયના જે અન્ય કામ કે જેના દ્વારા સામાજિક સંપર્કો અને સામાજિક આધાર વધતો તે બધા જ કામ ક્યાંક છુટી ગયા છે. તેમજ ઈલેક્ટ્રીક ગેજેટ્સને કારણે નવી નવી પ્રવૃતિઓ બંધ થઇ અને સતત મોબાઈલમાં કામ વધ્યા છે.
સોશિયલ મીડિયામાં જીવનનો કિંમતી સમય અને સબધો બગડી રહ્યા છે. ઘરના સદસ્યો વચ્ચેનો સંવાદ જાણે સમાપ્ત થઈ ગયો છે. એકબીજાની પાસે હોવા છતાં એકબીજાથી દુર કરી નાખ્યા. ખાસ માતા પિતાની મોબાઈલની લત બાળકોને લાગી છે. બાળક જમે નહી તો મોબાઈલ પકડાવવાની રીતે બાળકોને મોબાઈલના વ્યસની બનાવ્યા છે. તો ગેઈમ, વિડીયોના રવાડે ચડી ગયેલ બાળક ક્યારે ભણવામાંથી રસ ગુમાવી દે છે એનો ખ્યાલ પણ રહેતો નથી.
સોશિયલ મીડિયાએ હાલ પતિ-પત્નીનાં સંબંધો પણ બગાડ્યા છે. એકબીજા પર શંકા વધી અને સંબંધો તુટવા સુધી પહોચી ગયા છે. વિશ્વાસનો અભાવ વર્તાય છે. મધુર સંબંધો હવે મધુર રહ્યા નથી અને ખાસ સામાજિક આધાર ઘટ્યો છે. આ બાબતે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા આર. દોશી અને અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ ૭૨૦ લોકો પર સર્વે કર્યો જેના તારણો નીચે મુજબ છે.
ઈલેક્ટ્રોનિક ગેજેટ્સના કારણે તમને એવું લાગી રહ્યું છે કે તમારી સાથે શું બને છે તેની કોઈ કાળજી લેતું નથી?
આ પ્રશ્નના જવાબમાં 70% એ હા અને ૩૦% એ ના કહ્યું
ગેજેટ્સના કારણે ક્યારેય એવું અનુભવાય છે કે તમારી સાથે આદરપૂર્વક વર્તવામાં નથી આવતું?
જેમાં ૮૧% એ હા અને ૧૯% એ ના કહ્યું.
ગેજેટ્સના કારણે એવું અનુભવાય છે કે તમે બોલો એ ઘણી વખત લોકો બરાબર સાંભળતા નથી?
જેમાં ૭૩.૯% એ હા અને ૨૬.૧% એ ના કહ્યું
ગેજેટ્સના કારણે સાચા મિત્રો મળવા ખુબ મુશ્કેલ બન્યા છે?
જેમાં ૯૦% એ હા અને ૧૦% એ ના કહ્યું
સોશિયલ મીડિયાને કારણે વિશ્વાસ મૂકી શકાય તેવી વ્યક્તિ મળવી ખુબ મુશ્કેલ બની છે?
જેમાં ૭૮.૩% એ હા અને ૨૧.૭% એ ના કહ્યું
સોશિયલ મીડિયાને કારણે મિત્રોની સાથે પણ તમે એકલતા અનુભવો છો?
જેમાં ૯૦% એ હા અને ૧૦% એ ના કહ્યું
સોશિયલ મીડિયાને કારણે જીવન જીવવાની શૈલીમાં કેવું પરિવર્તન આવ્યું?
જેમાં ૮૧% એ નિષેધક પરિવર્તન અને ૧૯% એ વિધાયક પરિવર્તન આવ્યાનું સ્વીકાર્યું
તમને એવું લાગે છે કે ગેજેટ્સના કારણે તમારા આંતરિક સબંધોમાં વિક્ષેપ ઉભો થયો છે?
જેમાં ૯૦% એ હા અને ૧૦% એ ના કહ્યું
સબંધોમાં અંતર વધ્યું છે એવું લાગે છે?
તેમાં ૬૫.૨% એ હા અને ૩૪.૮%એ ના કહ્યું
ઘરમાં બધા હોવા છતાં સોશિયલ મીડિયા અને ગેજેટ્સના કારણે એકલતા અનુભવો છો?
જેમાં ૭૦% એ હા અને ૩૦% એ ના કહ્યું
ઈલેક્ટ્રીક ગેજેટ્સ વિશેના મંતવ્યો જણાવતા કહ્યું કે મોબાઈલના કારણે મારા પતિ મારાથી દુર જતા હોય એવું લાગે છે. સતત મોબાઈલમાં વ્યસ્ત હોય જેથી અમારા શારીરિક સબધો ઉપર પણ અસર થઇ છે, મારું બાળક સતત ટેબલેટ પર વ્યસ્ત રહે છે જેના કારણે એને આંખના નંબર પણ આવી ગયા છે, હું વૃદ્ધ છુ મારા બાળકો સતત મોબાઈલમાં હોય મને ઘરમાં પણ એકલતાનો ભાસ થાય છે, લોકોને એવું છે કે મોબાઈલથી વધુ મિત્રો બન્યા પણ અંગત મિત્રોને ગુમાવી દીધા, મારા બાળકને સોશિયલ સાઈટસમાં બહુ બધા મિત્રો છે પણ એનું અંગત કહી શકાય તેવું કોઈ નથી, ગેજેટ્સ ના કારણે લોકો ઘરમાં જ એકબીજાથી જ દુર જતા રહ્યા છે. મારી પત્ની નોકરી કરે છે. ઘરે આવ્યા પછી પણ તેના ફોન સતત ચાલુ હોય એટલે અંતર વધતું જાય છે. આમ સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રિક ગેજેટ્સના લીધે નજીકના લોકો દુર થયા. સામાજિક અંતર વધ્યું અને સામાજિક આધાર ઘટ્યો છે.
WatchGujarat. હાલ સોશિયલ ગેજેટ્સ તથા ટેકનોલોજીના કારણે લોકોનો સામાજિક આધાર ઘટ્યો છે. ફોન અને ઇન્ટરનેટે લોકોની આખી જીવનશૈલી બદલી નાખી છે. જે સારા કામ અથવા વિકાસના લીધે આધુનિક ટેકનોલોજીનો વિકાસ થયો તેને કારણે તિરાડો પણ સર્જાવા લાગી છે. જીવન જીવવાની રીતમાં પરિવર્તન આવ્યું છે. ઘરકામ સિવાયના જે અન્ય કામ કે જેના દ્વારા સામાજિક સંપર્કો અને સામાજિક આધાર વધતો તે બધા જ કામ ક્યાંક છુટી ગયા છે. તેમજ ઈલેક્ટ્રીક ગેજેટ્સને કારણે નવી નવી પ્રવૃતિઓ બંધ થઇ અને સતત મોબાઈલમાં કામ વધ્યા છે.
સોશિયલ મીડિયામાં જીવનનો કિંમતી સમય અને સબધો બગડી રહ્યા છે. ઘરના સદસ્યો વચ્ચેનો સંવાદ જાણે સમાપ્ત થઈ ગયો છે. એકબીજાની પાસે હોવા છતાં એકબીજાથી દુર કરી નાખ્યા. ખાસ માતા પિતાની મોબાઈલની લત બાળકોને લાગી છે. બાળક જમે નહી તો મોબાઈલ પકડાવવાની રીતે બાળકોને મોબાઈલના વ્યસની બનાવ્યા છે. તો ગેઈમ, વિડીયોના રવાડે ચડી ગયેલ બાળક ક્યારે ભણવામાંથી રસ ગુમાવી દે છે એનો ખ્યાલ પણ રહેતો નથી.
સોશિયલ મીડિયાએ હાલ પતિ-પત્નીનાં સંબંધો પણ બગાડ્યા છે. એકબીજા પર શંકા વધી અને સંબંધો તુટવા સુધી પહોચી ગયા છે. વિશ્વાસનો અભાવ વર્તાય છે. મધુર સંબંધો હવે મધુર રહ્યા નથી અને ખાસ સામાજિક આધાર ઘટ્યો છે. આ બાબતે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા આર. દોશી અને અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ ૭૨૦ લોકો પર સર્વે કર્યો જેના તારણો નીચે મુજબ છે.
ઈલેક્ટ્રોનિક ગેજેટ્સના કારણે તમને એવું લાગી રહ્યું છે કે તમારી સાથે શું બને છે તેની કોઈ કાળજી લેતું નથી?
આ પ્રશ્નના જવાબમાં 70% એ હા અને ૩૦% એ ના કહ્યું
ગેજેટ્સના કારણે ક્યારેય એવું અનુભવાય છે કે તમારી સાથે આદરપૂર્વક વર્તવામાં નથી આવતું?
જેમાં ૮૧% એ હા અને ૧૯% એ ના કહ્યું.
ગેજેટ્સના કારણે એવું અનુભવાય છે કે તમે બોલો એ ઘણી વખત લોકો બરાબર સાંભળતા નથી?
જેમાં ૭૩.૯% એ હા અને ૨૬.૧% એ ના કહ્યું
ગેજેટ્સના કારણે સાચા મિત્રો મળવા ખુબ મુશ્કેલ બન્યા છે?
જેમાં ૯૦% એ હા અને ૧૦% એ ના કહ્યું
સોશિયલ મીડિયાને કારણે વિશ્વાસ મૂકી શકાય તેવી વ્યક્તિ મળવી ખુબ મુશ્કેલ બની છે?
જેમાં ૭૮.૩% એ હા અને ૨૧.૭% એ ના કહ્યું
સોશિયલ મીડિયાને કારણે મિત્રોની સાથે પણ તમે એકલતા અનુભવો છો?
જેમાં ૯૦% એ હા અને ૧૦% એ ના કહ્યું
સોશિયલ મીડિયાને કારણે જીવન જીવવાની શૈલીમાં કેવું પરિવર્તન આવ્યું?
જેમાં ૮૧% એ નિષેધક પરિવર્તન અને ૧૯% એ વિધાયક પરિવર્તન આવ્યાનું સ્વીકાર્યું
તમને એવું લાગે છે કે ગેજેટ્સના કારણે તમારા આંતરિક સબંધોમાં વિક્ષેપ ઉભો થયો છે?
જેમાં ૯૦% એ હા અને ૧૦% એ ના કહ્યું
સબંધોમાં અંતર વધ્યું છે એવું લાગે છે?
તેમાં ૬૫.૨% એ હા અને ૩૪.૮%એ ના કહ્યું
ઘરમાં બધા હોવા છતાં સોશિયલ મીડિયા અને ગેજેટ્સના કારણે એકલતા અનુભવો છો?
જેમાં ૭૦% એ હા અને ૩૦% એ ના કહ્યું
ઈલેક્ટ્રીક ગેજેટ્સ વિશેના મંતવ્યો જણાવતા કહ્યું કે મોબાઈલના કારણે મારા પતિ મારાથી દુર જતા હોય એવું લાગે છે. સતત મોબાઈલમાં વ્યસ્ત હોય જેથી અમારા શારીરિક સબધો ઉપર પણ અસર થઇ છે, મારું બાળક સતત ટેબલેટ પર વ્યસ્ત રહે છે જેના કારણે એને આંખના નંબર પણ આવી ગયા છે, હું વૃદ્ધ છુ મારા બાળકો સતત મોબાઈલમાં હોય મને ઘરમાં પણ એકલતાનો ભાસ થાય છે, લોકોને એવું છે કે મોબાઈલથી વધુ મિત્રો બન્યા પણ અંગત મિત્રોને ગુમાવી દીધા, મારા બાળકને સોશિયલ સાઈટસમાં બહુ બધા મિત્રો છે પણ એનું અંગત કહી શકાય તેવું કોઈ નથી, ગેજેટ્સ ના કારણે લોકો ઘરમાં જ એકબીજાથી જ દુર જતા રહ્યા છે. મારી પત્ની નોકરી કરે છે. ઘરે આવ્યા પછી પણ તેના ફોન સતત ચાલુ હોય એટલે અંતર વધતું જાય છે. આમ સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રિક ગેજેટ્સના લીધે નજીકના લોકો દુર થયા. સામાજિક અંતર વધ્યું અને સામાજિક આધાર ઘટ્યો છે.