WatchGujarat. ગુજરાત રાજ્યમાં કોરોનાએ ફરી એક વાર માથુ ઉચક્યું છે. તો બીજી બાજુ નવા વેરીયન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં 30 ઓમિક્રોન પોઝીટીવનો આંક પહોંચ્યો છે. ત્યારે આ વચ્ચે રાજ્ય સરકારે આજરોજ રાત્રી કર્ફ્યુની સમય મર્યાદામાં વધારો કર્યો છે. હવેથી 31 ડિસેમ્બ સુધી રાત્રે 11 વાગ્યાથી લઇને સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે.
રાજ્ય સરકારની તમામ તકેદારીઓ છતાં ઓમિક્રોન વેરિયન્ટ રાજ્યમાં પ્રવેશમાં સફળ રહ્યો છે. દિવસેને દિવસે ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે. ત્યારે ચિંતાતુર સરકારે આજરોજ રાત્રી કર્ફ્યુની અમલવારીને લઇને નવું નોટીફીકેશન જારી કર્યું છે. નવા નોટીફીકેશ પ્રમાણે રાત્રે 11 વાગ્યાથી લઇને સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે. 25 ડિસેમ્બરથી લઇને 31 ડિસેમ્બર સુધી નોટીફીકેશન અમલમાં રહેશે. આ નોટીફીકેશન રાજ્યયમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જુનાગઢ, જામનગર, ભાવનગર, ગાંધીનગરના શહેરોમાં લાગુ રહેશે.
તથા 8 શહેરોમાં દુકાનો, રેસ્ટોરેન્ટ, વાણિજ્યીક સંસ્થાઓ, લારી, શોપિંગ મોલ, તથા અન્ય વેપારિક ગતિવીધી 12 વાગ્યા સુધી ચાલુ રહેશે. જે 11 વાગ્યા સુધી જ ચાલુ રખાશે.
WatchGujarat. ગુજરાત રાજ્યમાં કોરોનાએ ફરી એક વાર માથુ ઉચક્યું છે. તો બીજી બાજુ નવા વેરીયન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં 30 ઓમિક્રોન પોઝીટીવનો આંક પહોંચ્યો છે. ત્યારે આ વચ્ચે રાજ્ય સરકારે આજરોજ રાત્રી કર્ફ્યુની સમય મર્યાદામાં વધારો કર્યો છે. હવેથી 31 ડિસેમ્બ સુધી રાત્રે 11 વાગ્યાથી લઇને સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે.
રાજ્ય સરકારની તમામ તકેદારીઓ છતાં ઓમિક્રોન વેરિયન્ટ રાજ્યમાં પ્રવેશમાં સફળ રહ્યો છે. દિવસેને દિવસે ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે. ત્યારે ચિંતાતુર સરકારે આજરોજ રાત્રી કર્ફ્યુની અમલવારીને લઇને નવું નોટીફીકેશન જારી કર્યું છે. નવા નોટીફીકેશ પ્રમાણે રાત્રે 11 વાગ્યાથી લઇને સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે. 25 ડિસેમ્બરથી લઇને 31 ડિસેમ્બર સુધી નોટીફીકેશન અમલમાં રહેશે. આ નોટીફીકેશન રાજ્યયમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જુનાગઢ, જામનગર, ભાવનગર, ગાંધીનગરના શહેરોમાં લાગુ રહેશે.
તથા 8 શહેરોમાં દુકાનો, રેસ્ટોરેન્ટ, વાણિજ્યીક સંસ્થાઓ, લારી, શોપિંગ મોલ, તથા અન્ય વેપારિક ગતિવીધી 12 વાગ્યા સુધી ચાલુ રહેશે. જે 11 વાગ્યા સુધી જ ચાલુ રખાશે.