રાજ્યભરની સ્કૂલોમાં ધો.9 થી 12ની પ્રથમ સત્ર પરીક્ષા આગામી 18મી ઓક્ટોબરથી લેવામાં આવશે
સોશિયલ મીડિયમાં પ્રથમ સત્રની પરીક્ષા જ મોકુફ થઈ ગઈ હોવાના સમાચાર વહેતા થયા હતા
પરીક્ષા મોકુફ થયાની અફવાઓ મુદ્દે બોર્ડની સ્પષ્ટતા કરી છે કે આ પરીક્ષાઓ મોકુફ થઈ નથી, 18મી થી જ લેવાશે
સ્કૂલોની માંગણીને પગલે બોર્ડના પ્રશ્નપત્રો વગર પોતાની રીતે તૈયાર કરેલા પ્રશ્નપત્રોથી આ પરીક્ષા લેવાની છુટ અપાઈ
WatchGujarat. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ મહેનતમાં લાગી જાઓ. કારણે પ્રથમ સત્રની પરીક્ષાઓ આગામી 18 ઓક્ટોબરથી રાજ્યભરની શાળાઓમાં લેવામાં આવનાર છે. આ માટે બોર્ડ પરીક્ષા કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે. હાલ સોશિયલ મીડિયામાં એવી અફવાઓએ જોર પકડ્યું હતું કે ધો. 9 થી 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. પરંતુ આ મામલે ગુજરાત શિક્ષણ બોર્ડે સ્પષ્ટતા કરી છે કે, પ્રથમ સત્રની પરીક્ષાઓ મોકુફ થઈ નથી, 18 ઓક્ટોબરથી જ લેવાશે. શાળાઓની માંગણીના પગલે બોર્ડ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ આ પરીક્ષામાં બોર્ડના પ્રશ્નપત્રો વગર શાળાઓ પોતાની રીતે તૈયાર કરેલા પ્રશ્નપત્રોથી આ પરીક્ષા લઈ શકશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત બોર્ડના પ્રશ્નપત્રોથી જ ધો.9 થી 12ના મુખ્ય વિષયનો પરીક્ષા લેવાવાની હતી. પરંતુ સ્કૂલ સંચાલક મંડળ દ્વારા માંગ કરવામાં આવી હતી કે, ઓનલાઈન-ઓફલાઈન શિક્ષણને લઈને સ્કૂલોમાં આગળ-પાછળ અભ્યાસક્રમ ચાલતો હોવાથી કોમન પરીક્ષા ન લેવામાં આવે. આ માંગણીને ધ્યાનમાં રાખીને ગુજરાત શિક્ષણ બોર્ડે શાળાઓને પોતાના તૈયાર કરેલા પ્રશ્ન પત્રોથી પરીક્ષા લેવાની પરવાનગી આપી છે. સાથે સ્કૂલોને ગુજરાત શિક્ષણ બોર્ડના પ્રશ્નપત્રોથી ફરજીયાત પરીક્ષા લેવામાંથી મુક્તિ આપી હતી. જેથી ઘણી સ્કૂલોએ પરીક્ષા પણ કોમન ન હોઈ મોકુફ થઈ હોવાનું માની લીધુ હતું.
પરીક્ષાને લઈને સોશિયલ મીડિયા પર વહેતી થયેલી અફવાઓને લઈને ગુજરાત શિક્ષણ બોર્ડે સ્પષ્ટતા કરતો પરિપત્ર જાહેર કર્યો છે. બોર્ડે તમામ સ્કૂલોને પરિપત્ર કર્યો છે કે, ધો.9 થી 12ની પ્રથમ સત્રની પરીક્ષા નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ 18મી ઓક્ટોબરથી જ શરૂ થશે. જે 27મી ઓક્ટોબર સુધી ચાલશે. છેલ્લે ફેરફાર કરાયેલા સમય મુજબ જ પરીક્ષા લેવાની રહેશે. પરીક્ષા મોકુફ થયાના સમાચાર તદ્દન ખોટા છે. શિક્ષણ બોર્ડની સ્પષ્ટતા બાદ રાજ્યભરની શાળાઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
- રાજ્યભરની સ્કૂલોમાં ધો.9 થી 12ની પ્રથમ સત્ર પરીક્ષા આગામી 18મી ઓક્ટોબરથી લેવામાં આવશે
- સોશિયલ મીડિયમાં પ્રથમ સત્રની પરીક્ષા જ મોકુફ થઈ ગઈ હોવાના સમાચાર વહેતા થયા હતા
- પરીક્ષા મોકુફ થયાની અફવાઓ મુદ્દે બોર્ડની સ્પષ્ટતા કરી છે કે આ પરીક્ષાઓ મોકુફ થઈ નથી, 18મી થી જ લેવાશે
- સ્કૂલોની માંગણીને પગલે બોર્ડના પ્રશ્નપત્રો વગર પોતાની રીતે તૈયાર કરેલા પ્રશ્નપત્રોથી આ પરીક્ષા લેવાની છુટ અપાઈ
WatchGujarat. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ મહેનતમાં લાગી જાઓ. કારણે પ્રથમ સત્રની પરીક્ષાઓ આગામી 18 ઓક્ટોબરથી રાજ્યભરની શાળાઓમાં લેવામાં આવનાર છે. આ માટે બોર્ડ પરીક્ષા કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે. હાલ સોશિયલ મીડિયામાં એવી અફવાઓએ જોર પકડ્યું હતું કે ધો. 9 થી 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. પરંતુ આ મામલે ગુજરાત શિક્ષણ બોર્ડે સ્પષ્ટતા કરી છે કે, પ્રથમ સત્રની પરીક્ષાઓ મોકુફ થઈ નથી, 18 ઓક્ટોબરથી જ લેવાશે. શાળાઓની માંગણીના પગલે બોર્ડ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ આ પરીક્ષામાં બોર્ડના પ્રશ્નપત્રો વગર શાળાઓ પોતાની રીતે તૈયાર કરેલા પ્રશ્નપત્રોથી આ પરીક્ષા લઈ શકશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત બોર્ડના પ્રશ્નપત્રોથી જ ધો.9 થી 12ના મુખ્ય વિષયનો પરીક્ષા લેવાવાની હતી. પરંતુ સ્કૂલ સંચાલક મંડળ દ્વારા માંગ કરવામાં આવી હતી કે, ઓનલાઈન-ઓફલાઈન શિક્ષણને લઈને સ્કૂલોમાં આગળ-પાછળ અભ્યાસક્રમ ચાલતો હોવાથી કોમન પરીક્ષા ન લેવામાં આવે. આ માંગણીને ધ્યાનમાં રાખીને ગુજરાત શિક્ષણ બોર્ડે શાળાઓને પોતાના તૈયાર કરેલા પ્રશ્ન પત્રોથી પરીક્ષા લેવાની પરવાનગી આપી છે. સાથે સ્કૂલોને ગુજરાત શિક્ષણ બોર્ડના પ્રશ્નપત્રોથી ફરજીયાત પરીક્ષા લેવામાંથી મુક્તિ આપી હતી. જેથી ઘણી સ્કૂલોએ પરીક્ષા પણ કોમન ન હોઈ મોકુફ થઈ હોવાનું માની લીધુ હતું.
પરીક્ષાને લઈને સોશિયલ મીડિયા પર વહેતી થયેલી અફવાઓને લઈને ગુજરાત શિક્ષણ બોર્ડે સ્પષ્ટતા કરતો પરિપત્ર જાહેર કર્યો છે. બોર્ડે તમામ સ્કૂલોને પરિપત્ર કર્યો છે કે, ધો.9 થી 12ની પ્રથમ સત્રની પરીક્ષા નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ 18મી ઓક્ટોબરથી જ શરૂ થશે. જે 27મી ઓક્ટોબર સુધી ચાલશે. છેલ્લે ફેરફાર કરાયેલા સમય મુજબ જ પરીક્ષા લેવાની રહેશે. પરીક્ષા મોકુફ થયાના સમાચાર તદ્દન ખોટા છે. શિક્ષણ બોર્ડની સ્પષ્ટતા બાદ રાજ્યભરની શાળાઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.