કચ્છના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટ્સમાં સ્થાળ મળવું સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાતઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી
ગુજરાત ચાર-ચાર વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ ધરાવતુ રાજ્ય બન્યુ
આ અગાઉ ગુજરાતના અન્ય ત્રણ સ્થળોએ પણ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે
વિશ્વના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીની ગૌરવ સિદ્ધિ ધરાવે છે ગુજરાત
[caption id="attachment_1290877" align="aligncenter" width="1600"] Gujarat 4 World Heritage Sites, UNESCO[/caption]
WatchGujarat. તાજેતરમાં જ યુન્સ્કો દ્વારા જાહેર કરાયેલી વર્લ્ડ હેરિટેજ સાઈટ્સની યાદીમાં કચ્છના હડપ્પન સંસ્કૃતિના પ્રાચીનત્તમ નગર ધોળાવીરાને સ્થાન મળ્યું છે. ત્યારે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ધોળાવીરા ઉપરાંત અન્ય 3 સ્થળોને પણ યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટ્સમાં સ્થાન આપેલું છે.
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ હેરિટેજ સાઈટ્સમાં જાહેર ધોળાવીરાને સ્થાન આપીને યુનેસ્કોએ ગુજરાતને ચાર-ચાર વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ ધરાવતા રાજ્યનું ગૌરવ પ્રદાન કર્યું છે. ત્યારે ગુજરાતમાં આવેલા અન્ય 3 સ્થળો વિશે જાણવું પણ મહત્વનું છે.
તમને જણાવી દઈએ કે હેરિટેજ સાઈટમાં ગુજરાત રાજ્યના ચાર-ચાર સ્થળો સામેલ છે. જેમાં ચાંપાનેર, રાણીકી વાવ, અમદાવાદ અને ધોળાવીરાનો સમાવેશ થાય છે. 2021માં યુનેસ્કોએ કચ્છના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં સમાવેશ કરીને વિશ્વ વિરાસત નકશામાં ગુજરાતને વધુ એકવાર ચમકવાની સિદ્ધિ આપી છે.
મહત્વનું છે કે આ અગાઉ વર્ષ 2004માં ચાંપાનેરને વર્લ્ડ હેરટેજ સાઈટમાં સ્થાન મળ્યું હતું. જ્યારે વર્ષ 2014માં રાણી કી વાવને આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત વર્ષ 2017માં અમદાવાદને વિશ્વના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીની ગૌરવ સિદ્ધિ મળી હતી. હવે કચ્છના ધોળાવીરાને આ સિદ્ધી હાસલ થઈ છે.
આ પ્રસંગને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સમગ્ર ગુજરાત માટે ગૌરવવંતી ક્ષણ ગણાવી હતી. આ અંગે વાત કરતાં તેમને કહ્યું હતું કે, ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મળ્યું છે જે આપણા સૌવ માટે ગૌરવની વાત છે. જે માટે મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આ માટે સૌ ગુજરાતીઓ વતી હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કર્યો છે.
તમને જણાવી દઈએ કે આ પ્રાચીન નગર ધોળાવીરાના મકાનો, ઈમારતો અને સ્ટ્રક્ચરનું નિર્માણ તે સમયે મોહેંજો દડો અને હડપ્પાની જેમ જ ઈંટ નહિ, પરંતુ પથ્થરોથી કરવામાં આવેલું હતું. જેમાં ભૂગર્ભ ગટર અને જળસંચય, જળસંરક્ષણ વગેરે જેવી સુવિધાઓ આપવામાં આવી હતી. તેમજ આ સુઆયોજીત અને સક્ષમ વ્યવસ્થાઓ તત્કાલિન સમયે વિકસાવવામાં આવેલી હતી. જે આજે પણ ઉદાહરણરૂપ ગણવામાં આવે છે.
કચ્છના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટ્સમાં સ્થાળ મળવું સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાતઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી
ગુજરાત ચાર-ચાર વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ ધરાવતુ રાજ્ય બન્યુ
આ અગાઉ ગુજરાતના અન્ય ત્રણ સ્થળોએ પણ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે
વિશ્વના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીની ગૌરવ સિદ્ધિ ધરાવે છે ગુજરાત
[caption id="attachment_1290877" align="aligncenter" width="1600"] Gujarat 4 World Heritage Sites, UNESCO[/caption]
WatchGujarat. તાજેતરમાં જ યુન્સ્કો દ્વારા જાહેર કરાયેલી વર્લ્ડ હેરિટેજ સાઈટ્સની યાદીમાં કચ્છના હડપ્પન સંસ્કૃતિના પ્રાચીનત્તમ નગર ધોળાવીરાને સ્થાન મળ્યું છે. ત્યારે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ધોળાવીરા ઉપરાંત અન્ય 3 સ્થળોને પણ યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટ્સમાં સ્થાન આપેલું છે.
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ હેરિટેજ સાઈટ્સમાં જાહેર ધોળાવીરાને સ્થાન આપીને યુનેસ્કોએ ગુજરાતને ચાર-ચાર વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ ધરાવતા રાજ્યનું ગૌરવ પ્રદાન કર્યું છે. ત્યારે ગુજરાતમાં આવેલા અન્ય 3 સ્થળો વિશે જાણવું પણ મહત્વનું છે.
તમને જણાવી દઈએ કે હેરિટેજ સાઈટમાં ગુજરાત રાજ્યના ચાર-ચાર સ્થળો સામેલ છે. જેમાં ચાંપાનેર, રાણીકી વાવ, અમદાવાદ અને ધોળાવીરાનો સમાવેશ થાય છે. 2021માં યુનેસ્કોએ કચ્છના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં સમાવેશ કરીને વિશ્વ વિરાસત નકશામાં ગુજરાતને વધુ એકવાર ચમકવાની સિદ્ધિ આપી છે.
મહત્વનું છે કે આ અગાઉ વર્ષ 2004માં ચાંપાનેરને વર્લ્ડ હેરટેજ સાઈટમાં સ્થાન મળ્યું હતું. જ્યારે વર્ષ 2014માં રાણી કી વાવને આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત વર્ષ 2017માં અમદાવાદને વિશ્વના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીની ગૌરવ સિદ્ધિ મળી હતી. હવે કચ્છના ધોળાવીરાને આ સિદ્ધી હાસલ થઈ છે.
આ પ્રસંગને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સમગ્ર ગુજરાત માટે ગૌરવવંતી ક્ષણ ગણાવી હતી. આ અંગે વાત કરતાં તેમને કહ્યું હતું કે, ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મળ્યું છે જે આપણા સૌવ માટે ગૌરવની વાત છે. જે માટે મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આ માટે સૌ ગુજરાતીઓ વતી હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કર્યો છે.
તમને જણાવી દઈએ કે આ પ્રાચીન નગર ધોળાવીરાના મકાનો, ઈમારતો અને સ્ટ્રક્ચરનું નિર્માણ તે સમયે મોહેંજો દડો અને હડપ્પાની જેમ જ ઈંટ નહિ, પરંતુ પથ્થરોથી કરવામાં આવેલું હતું. જેમાં ભૂગર્ભ ગટર અને જળસંચય, જળસંરક્ષણ વગેરે જેવી સુવિધાઓ આપવામાં આવી હતી. તેમજ આ સુઆયોજીત અને સક્ષમ વ્યવસ્થાઓ તત્કાલિન સમયે વિકસાવવામાં આવેલી હતી. જે આજે પણ ઉદાહરણરૂપ ગણવામાં આવે છે.