WatchGujarat. રાજ્યમાં (Gujarat) આ વર્ષે અત્યારસુધીમાં 4.83 ઈંચ સાથે આ મોસમનો 14.63 ટકા વરસાદ (monsoon 2021) નોંધાયો છે. ચોમાસાની (rainfall) શરૂઆતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા પરંતુ જ્યારે ખેડૂતોએ (farmer) વાવેતર કરી દીધું છે ત્યારે વરસાદ ન વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે કે હજુ રાજ્યમાં હજુ 8 દિવસ વરસાદ ખેંચાશે. જે હવામાન વિભાગની આગાહી (weather forecast) પ્રમાણે, રાજ્યમાં આગામી 12 જુલાઇ સુધી ચોમાસું જામે નહીં તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જે મુજબ રાજ્યભરમાં હજુ પણ 15 જુલાઈ સુધી 20 સુધીમાં પોણાથી એક ઈંચ કરતા વધારે વરસાદ નથી દેખાઈ રહ્યો. ગુજરાતમાં ખરીફ સીઝનમાં ખેડૂતોએ અત્યાર સુધીમાં 19.25 ટકા એટલે કે 25 લાખ હેક્ટર જમીનમાં વાવણી કરી દીધી છે. એવામાં હજુ પણ વરસાદ ખેંચાશે તો ખેડૂતોને પાક સુકાઈ જવાની ચિંતા સતાવી રહી છે.
વરસાદની જે રીતે સમયસર શરૂઆત થઈ હતી તેને લઇ ખેડૂતોએ ખેતરોમાં સારા બિયારણ નાંખીને વાવેતર કર્યું હતું. સમયસર વરસાદથી એક આશા બંધાઈ હતી કે, આ વર્ષે ચોમાસુ પાક સારો થશે પણ દર વખતની જેમ જગતના તાતને ફરી એકવાર નિરાશ થવાનો વારો આવ્યો છે. ખેડૂત પરિવારોએ રાત-દિવસ એક કરીને વાવેતર કરી દીધુ છે અને મોંઘાદાટ બિયારણો, ખાતર તથા જંતુનાશક દવાઓનો ખર્ચો પણ કર્યો છે. પરંતુ વાવેતર બાદ વરસાદ પડ્યો નહીં. જેના કારણે વાવેતર કરેલા પાક હાલ વરસાદના અભાવે સુકાઈ રહ્યો છે. અને જો વરસાદ દસેક દિવસ ખેંચાશે તો મુરઝાતો પાક સંપૂર્ણ નાશ થઈ જશે. મહત્વનું છે રાજ્યમાં ચોમાસું શરૂ થયા બાદ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે. જો આઠ દિવસ સુધી વરસાદ નહીં પડે તો કપાસ, મગફળી, ઘાસચારો, બાજરી, જુવાર, તલ, સોયાબીન વગેરે પાકને નુકસાનની ભીતિ છે.
રાજકોટ, જૂનાગઢ, સુરેંદ્રનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, અમરેલી, ગાંધીનગર સહિતના જિલ્લામાં ખેડૂતોએ શરૂઆતમાં સારા વરસાદને પગલે વાવતેર તો કરી દીધું.પણ હવે જો વરસાદ નહીં આવે તો નુકસાનીનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. જો કે કેનાલ આધારીત ખેતી છે ત્યાં કેનાલમાં પાણી કરવાનું સરકાર વિચારી રહી છે. બોરા આધારીત ખેતી થાય છે ત્યાં સરકાર બે કલાક વીજ પૂરવઠો આપવા વિચારણા છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, વરસાદ માટે મજબૂત સિસ્ટમ ખૂબ જરૂરી છે. જે અત્યારસુધી લો પ્રેશર બન્યું નહીં હોવાથી હાલમાં વરસાદની સંભાવના નહિવત્ છે. હાલની સ્થિતિ પ્રમાણે જુલાઇના બીજા સપ્તાહ બાદ જ રાજ્યમાં ચોમાસા ફરીથી જામશે તેમ માનવામાં આવી રહ્યું છે. હાલની સ્થિતિ પ્રમાણે જુલાઇના બીજા સપ્તાહ બાદ જ રાજ્યમાં ચોમાસા ફરીથી જામશે તેમ માનવામાં આવી રહ્યું છે. જે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વખતે સમગ્ર દેશમાં સામાન્ય કે સામાન્યથી વધુ વરસાદ થઈ શકે છે.
WatchGujarat. રાજ્યમાં (Gujarat) આ વર્ષે અત્યારસુધીમાં 4.83 ઈંચ સાથે આ મોસમનો 14.63 ટકા વરસાદ (monsoon 2021) નોંધાયો છે. ચોમાસાની (rainfall) શરૂઆતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા પરંતુ જ્યારે ખેડૂતોએ (farmer) વાવેતર કરી દીધું છે ત્યારે વરસાદ ન વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે કે હજુ રાજ્યમાં હજુ 8 દિવસ વરસાદ ખેંચાશે. જે હવામાન વિભાગની આગાહી (weather forecast) પ્રમાણે, રાજ્યમાં આગામી 12 જુલાઇ સુધી ચોમાસું જામે નહીં તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જે મુજબ રાજ્યભરમાં હજુ પણ 15 જુલાઈ સુધી 20 સુધીમાં પોણાથી એક ઈંચ કરતા વધારે વરસાદ નથી દેખાઈ રહ્યો. ગુજરાતમાં ખરીફ સીઝનમાં ખેડૂતોએ અત્યાર સુધીમાં 19.25 ટકા એટલે કે 25 લાખ હેક્ટર જમીનમાં વાવણી કરી દીધી છે. એવામાં હજુ પણ વરસાદ ખેંચાશે તો ખેડૂતોને પાક સુકાઈ જવાની ચિંતા સતાવી રહી છે.
વરસાદની જે રીતે સમયસર શરૂઆત થઈ હતી તેને લઇ ખેડૂતોએ ખેતરોમાં સારા બિયારણ નાંખીને વાવેતર કર્યું હતું. સમયસર વરસાદથી એક આશા બંધાઈ હતી કે, આ વર્ષે ચોમાસુ પાક સારો થશે પણ દર વખતની જેમ જગતના તાતને ફરી એકવાર નિરાશ થવાનો વારો આવ્યો છે. ખેડૂત પરિવારોએ રાત-દિવસ એક કરીને વાવેતર કરી દીધુ છે અને મોંઘાદાટ બિયારણો, ખાતર તથા જંતુનાશક દવાઓનો ખર્ચો પણ કર્યો છે. પરંતુ વાવેતર બાદ વરસાદ પડ્યો નહીં. જેના કારણે વાવેતર કરેલા પાક હાલ વરસાદના અભાવે સુકાઈ રહ્યો છે. અને જો વરસાદ દસેક દિવસ ખેંચાશે તો મુરઝાતો પાક સંપૂર્ણ નાશ થઈ જશે. મહત્વનું છે રાજ્યમાં ચોમાસું શરૂ થયા બાદ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે. જો આઠ દિવસ સુધી વરસાદ નહીં પડે તો કપાસ, મગફળી, ઘાસચારો, બાજરી, જુવાર, તલ, સોયાબીન વગેરે પાકને નુકસાનની ભીતિ છે.
રાજકોટ, જૂનાગઢ, સુરેંદ્રનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, અમરેલી, ગાંધીનગર સહિતના જિલ્લામાં ખેડૂતોએ શરૂઆતમાં સારા વરસાદને પગલે વાવતેર તો કરી દીધું.પણ હવે જો વરસાદ નહીં આવે તો નુકસાનીનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. જો કે કેનાલ આધારીત ખેતી છે ત્યાં કેનાલમાં પાણી કરવાનું સરકાર વિચારી રહી છે. બોરા આધારીત ખેતી થાય છે ત્યાં સરકાર બે કલાક વીજ પૂરવઠો આપવા વિચારણા છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, વરસાદ માટે મજબૂત સિસ્ટમ ખૂબ જરૂરી છે. જે અત્યારસુધી લો પ્રેશર બન્યું નહીં હોવાથી હાલમાં વરસાદની સંભાવના નહિવત્ છે. હાલની સ્થિતિ પ્રમાણે જુલાઇના બીજા સપ્તાહ બાદ જ રાજ્યમાં ચોમાસા ફરીથી જામશે તેમ માનવામાં આવી રહ્યું છે. હાલની સ્થિતિ પ્રમાણે જુલાઇના બીજા સપ્તાહ બાદ જ રાજ્યમાં ચોમાસા ફરીથી જામશે તેમ માનવામાં આવી રહ્યું છે. જે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વખતે સમગ્ર દેશમાં સામાન્ય કે સામાન્યથી વધુ વરસાદ થઈ શકે છે.