છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 101 તાલુકામાં વરસાદ થયો, રાજ્યમાં કુલ 31 ઈંચમાંથી 17 ઈંચ વરસાદ માત્ર સપ્ટેમ્બરમાં નોંધાયાં
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદને પગલે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા, ગુજરાતમાં હજી પણ 164 રસ્તા બંધ
વરસાદને પગલે રાજ્યમાં NDRFની 20માંથી 17 અને SDRFની 11માંથી 8 ટીમને ડિપ્લોઇ કરી દેવામાં આવી
WatchGujarat. તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે રાજ્યમાં તંત્ર દ્વારા લોકો એલર્ટ કરી તૈયારીઓ હાથ ધવામાં આવી છે. ગુજરાતમાં વાવાઝોડા અને વરસાદની સ્થિતિને લઇને આગામી બીજી ઓક્ટોબર સુધી હવામાન ખાતા દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. પરંતુ મધ્ય ગુજરાત પરથી હાલના સંજોગોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા લગભગ નહિવત્ થઈ જવા પામી છે. છેલ્લા બે દિવસ વડોદરા સહિત આસપાસના વિસ્તારોમાં સામાન્ય વાતાવરણ જોવા મળી રહ્યો છે. આ અંગે હવામાન વિભાગના જણાવ્યા મુજબ, શાહિન વાવાઝોડાનું જોખમ હાલ મધ્ય ગુજરાત પરથી ટળ્યું છે. પરંતુ તેની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં થવાની છે. જ્યારે અમદાવાદમાં હળવો વરસાદ પડશે.
પ્રાપ્ત વિગતો અનુસાર વાવાઝોડાની અસરને કારણે જામનગર, દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના પટ્ટામાં, દરિયાઇ પટ્ટીમાં ભારે વરસાદ પડવાની હજુ આગાહી છે. રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં ખાબકેલા વરસાદને કારણે વરસાદની ઘટ પુરાઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકાના ખંભાળિયામાં થયો છે. ઉત્તર ગુજરાતમાં આ વખતે 70 ટકા વરસાદ થયો છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં હજી વરસાદની ઘટ રહેતા જળાશયોમાં પાણીની આવક હજી વધી નથી. રાજ્યમાં સિઝનનો કુલ 31 ઈંચ વરસાદ થયો છે. જેમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થયો છે. એક મહિનામાં થયેલા વરસાદને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિના દ્રશ્યો જોવા મળ્યાં છે.
ઝોન પ્રમાણે વરસાદના આંકડા
ઝોન ટકા ઈંચ
કચ્છ 111.69 19.44
સૌરાષ્ટ્ર 113.52 31.29
ઉ.ગુજરાત 71.42 20.15
દ.ગુજરાત 92.06 52.99
મ.ગુજરાત 82.99 26.33
ગુજરાત 94.57 31.27
વાવાઝોડાને કારણે સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં
સપ્ટેમ્બરમાં રાજ્યમાં 31.04 ઈંચ સાથે મોસમનો સરેરાશ 94% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જોકે ચોમાસાની શરૂઆતમાં માત્ર 14.31 ઈંચ વરસાદ નોંધાતા વરસાદની ઘટની ભીતિ સર્જાઇ હતી. પરંતુ સપ્ટેમ્બરમાં 16.77 ઈંચ સાથે જ રાજ્યમાંથી વરસાદની હવે ઘટ પણ રહી નથી. રાજ્યમાં શાહિન અને ગુલાબ વાવાઝોડાને કારણે 14 જિલ્લામાં સિઝનનો 100%થી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, આણંદ, ભરૃચ, કચ્છ, ભાવનગર, બોટાદ, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદાનો સમાવેશ થાય છે. જોકે જામનગર જિલ્લામાં સિઝનનો સૌથી વધુ સરેરાશ 138% વરસાદ નોંધાતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ 14 જિલ્લા એવા છે જ્યાં 35%થી ઓછી ઘટ છે. જેમાં 33% સાથે દાહોદ-તાપી-અરવલ્લી સૌથી વધારે ઘટ ધરાવે છે. રાજ્યના 251માંથી માત્ર બે તાલુકા એવા છે જ્યાં વરસાદ 4.69 ઈંચથી 9.84 ઈંચ વચ્ચે છે.
સૌરાષ્ટ્રના જિલ્લાઓ સહિત ગુજરાતમાં હજી પણ 164 રસ્તા બંધ
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 72 કલાકથી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. મહત્વનું છે કે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદને પગલે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ અંગે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા મુજબ, 30 સપ્ટેમ્બર બપોરે 2 વાગ્યાની સ્થિતિમાં રાજ્યમાં 22 જિલ્લામાં 164 રસ્તા હજુ પણ બંધ છે. બુધવારે 207 રસ્તાઓ ભારે વરસાદના પગલે બંધ કરાયા હતા. જોકે વરસાદને પગલે રાજ્યમાં NDRFની 20માંથી 17 અને SDRFની 11માંથી 8 ટીમને ડિપ્લોઇ કરી દેવામાં આવી છે.
- છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 101 તાલુકામાં વરસાદ થયો, રાજ્યમાં કુલ 31 ઈંચમાંથી 17 ઈંચ વરસાદ માત્ર સપ્ટેમ્બરમાં નોંધાયાં
- સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદને પગલે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા, ગુજરાતમાં હજી પણ 164 રસ્તા બંધ
- વરસાદને પગલે રાજ્યમાં NDRFની 20માંથી 17 અને SDRFની 11માંથી 8 ટીમને ડિપ્લોઇ કરી દેવામાં આવી
WatchGujarat. તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે રાજ્યમાં તંત્ર દ્વારા લોકો એલર્ટ કરી તૈયારીઓ હાથ ધવામાં આવી છે. ગુજરાતમાં વાવાઝોડા અને વરસાદની સ્થિતિને લઇને આગામી બીજી ઓક્ટોબર સુધી હવામાન ખાતા દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. પરંતુ મધ્ય ગુજરાત પરથી હાલના સંજોગોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા લગભગ નહિવત્ થઈ જવા પામી છે. છેલ્લા બે દિવસ વડોદરા સહિત આસપાસના વિસ્તારોમાં સામાન્ય વાતાવરણ જોવા મળી રહ્યો છે. આ અંગે હવામાન વિભાગના જણાવ્યા મુજબ, શાહિન વાવાઝોડાનું જોખમ હાલ મધ્ય ગુજરાત પરથી ટળ્યું છે. પરંતુ તેની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં થવાની છે. જ્યારે અમદાવાદમાં હળવો વરસાદ પડશે.
પ્રાપ્ત વિગતો અનુસાર વાવાઝોડાની અસરને કારણે જામનગર, દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના પટ્ટામાં, દરિયાઇ પટ્ટીમાં ભારે વરસાદ પડવાની હજુ આગાહી છે. રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં ખાબકેલા વરસાદને કારણે વરસાદની ઘટ પુરાઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકાના ખંભાળિયામાં થયો છે. ઉત્તર ગુજરાતમાં આ વખતે 70 ટકા વરસાદ થયો છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં હજી વરસાદની ઘટ રહેતા જળાશયોમાં પાણીની આવક હજી વધી નથી. રાજ્યમાં સિઝનનો કુલ 31 ઈંચ વરસાદ થયો છે. જેમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થયો છે. એક મહિનામાં થયેલા વરસાદને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિના દ્રશ્યો જોવા મળ્યાં છે.
ઝોન પ્રમાણે વરસાદના આંકડા
ઝોન ટકા ઈંચ
કચ્છ 111.69 19.44
સૌરાષ્ટ્ર 113.52 31.29
ઉ.ગુજરાત 71.42 20.15
દ.ગુજરાત 92.06 52.99
મ.ગુજરાત 82.99 26.33
ગુજરાત 94.57 31.27
વાવાઝોડાને કારણે સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં
સપ્ટેમ્બરમાં રાજ્યમાં 31.04 ઈંચ સાથે મોસમનો સરેરાશ 94% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જોકે ચોમાસાની શરૂઆતમાં માત્ર 14.31 ઈંચ વરસાદ નોંધાતા વરસાદની ઘટની ભીતિ સર્જાઇ હતી. પરંતુ સપ્ટેમ્બરમાં 16.77 ઈંચ સાથે જ રાજ્યમાંથી વરસાદની હવે ઘટ પણ રહી નથી. રાજ્યમાં શાહિન અને ગુલાબ વાવાઝોડાને કારણે 14 જિલ્લામાં સિઝનનો 100%થી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, આણંદ, ભરૃચ, કચ્છ, ભાવનગર, બોટાદ, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદાનો સમાવેશ થાય છે. જોકે જામનગર જિલ્લામાં સિઝનનો સૌથી વધુ સરેરાશ 138% વરસાદ નોંધાતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ 14 જિલ્લા એવા છે જ્યાં 35%થી ઓછી ઘટ છે. જેમાં 33% સાથે દાહોદ-તાપી-અરવલ્લી સૌથી વધારે ઘટ ધરાવે છે. રાજ્યના 251માંથી માત્ર બે તાલુકા એવા છે જ્યાં વરસાદ 4.69 ઈંચથી 9.84 ઈંચ વચ્ચે છે.
સૌરાષ્ટ્રના જિલ્લાઓ સહિત ગુજરાતમાં હજી પણ 164 રસ્તા બંધ
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 72 કલાકથી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. મહત્વનું છે કે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદને પગલે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ અંગે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા મુજબ, 30 સપ્ટેમ્બર બપોરે 2 વાગ્યાની સ્થિતિમાં રાજ્યમાં 22 જિલ્લામાં 164 રસ્તા હજુ પણ બંધ છે. બુધવારે 207 રસ્તાઓ ભારે વરસાદના પગલે બંધ કરાયા હતા. જોકે વરસાદને પગલે રાજ્યમાં NDRFની 20માંથી 17 અને SDRFની 11માંથી 8 ટીમને ડિપ્લોઇ કરી દેવામાં આવી છે.