TB ના કારણે દર વર્ષે ગુજરાતમા 10 હજાર, ભારતમા 4.4 લાખ લોકોના મૃત્યુ થાય છે
દેશમાં દર 3 મિનિટે આ રોગના કારણે બે વ્યક્તિના મોત થાય છે
દર વર્ષે દેશભરમાં TB ના 26 લાખ નવા દર્દીઓ ઉમેરાય છે
WatchGujarat. કોરોનાની મહામારીના કારણે વિશ્વમાં લાખો લોકોના મોત નિપજ્યાં છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કોરોના કરતાં પણ ખતરનાક બીમારી છે. જેના કારણે માત્ર ગુજરાતમાં જ દર દોઢ મિનિટેએક વ્યક્તિ મૃત્યુ પામતો હોવાનુ ચોંકાવનારૂ તારણ એક સરવેમાં સામે આવ્યું હતું. આ બિમારી માટે દેશની જનતા બિલકુલ જાગૃત બિલકુલ નથી. જી હા વાત TBની બીમારીની છે. તમને જણાવી દઈએ કે વિશ્વના ચોથા ભાગના TB ના દર્દીઓ ભારત દેશમાં નોંધાય છે.
વિશ્વમાં કોરોના મહામારીની શરૂઆત થતાં જ લોકોમાં ભય પ્રસરી ગયો હતો. જેના કારણે કોરોનાને લઈને લોકોની જાગૃતિ અને સતર્કતા એટલી જ જોવા મળી. પરંતુ કોરોના કરતાં પણ વધુ ઘાતક બિમારી ટી.બી.થી લોકો સાવ અજાણ છે. પ્રાપ્ત વિગતો અનુસાર દેશભરમાં TB ના કેસો દિવસેને દિવસે વધી રહ્યાં છે. ત્યારે તેને લઈને લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે. મળતી માહિતી મુજબ દર વર્ષે દેશભરમાં TB ના 26 લાખ નવા દર્દીઓ ઉમેરાય છે, જ્યારે ગુજરાતમાં દર વર્ષે TB ના દર્દીઓમાં દોઢ લાખનો વધારો થાય છે.
ટી.બીના કારણે થતાં મોતના આંકડા પર નજર કરીએ તો દેશમાં ટીબીના કારણે દર વર્ષે 4.4 લાખ લોકો મૃત્યુ પામે છે. જેમાં ગુજરાતમાં એક વર્ષમાં 10,000 લોકો મૃત્યુ પામે છે. આ આંકડા આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બનતો જાય છે. ભારતમાં દર ત્રણ મિનિટે બે વ્યક્તિના ટીબીના કારણે મૃત્યુ થાય છે, તો ગુજરાતમાં દર દોઢ મિનિટે એક વ્યક્તિ ટીબીના કારણે મોતને ભેટે છે.
ઉલ્લેખનીય છે કે ટીબીના કારણે સતત વધતા મૃત્યુઆંક અને કેસ ને કેવી રીતે કાબૂમાં લેવા તે માટે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. રાજ્યના ટિબી વિભાગ દ્વારા મેડિકલ ક્ષેત્રના તમામ એશોસિયેશનના અગ્રણીઓને એક મંચ પર લાવવામાં આવ્યા હતા. તેમજ રાજ્યના તમામ કેમિસ્ટ અને ડ્રગીસ્ટ સાથે સંકળાયેલા એસોશિયેશનના લોકોને કડક સૂચના અપાઇ છે કે, જો કોઈપણ દર્દી ટીબીની દવાઓ ખરીદે તો તેનો નિયમ મુજબ યોગ્ય રેકોર્ડ રજીસ્ટરમાં રાખવામાં આવે. જેથી તમામ દર્દીઓની યોગ્ય માહિતી સરકારી ચોપડે નોંધાઈ શકે અને સંક્રમણ અટકાવી શકાય.
TB ના કારણે દર વર્ષે ગુજરાતમા 10 હજાર, ભારતમા 4.4 લાખ લોકોના મૃત્યુ થાય છે
દેશમાં દર 3 મિનિટે આ રોગના કારણે બે વ્યક્તિના મોત થાય છે
દર વર્ષે દેશભરમાં TB ના 26 લાખ નવા દર્દીઓ ઉમેરાય છે
WatchGujarat. કોરોનાની મહામારીના કારણે વિશ્વમાં લાખો લોકોના મોત નિપજ્યાં છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કોરોના કરતાં પણ ખતરનાક બીમારી છે. જેના કારણે માત્ર ગુજરાતમાં જ દર દોઢ મિનિટેએક વ્યક્તિ મૃત્યુ પામતો હોવાનુ ચોંકાવનારૂ તારણ એક સરવેમાં સામે આવ્યું હતું. આ બિમારી માટે દેશની જનતા બિલકુલ જાગૃત બિલકુલ નથી. જી હા વાત TBની બીમારીની છે. તમને જણાવી દઈએ કે વિશ્વના ચોથા ભાગના TB ના દર્દીઓ ભારત દેશમાં નોંધાય છે.
વિશ્વમાં કોરોના મહામારીની શરૂઆત થતાં જ લોકોમાં ભય પ્રસરી ગયો હતો. જેના કારણે કોરોનાને લઈને લોકોની જાગૃતિ અને સતર્કતા એટલી જ જોવા મળી. પરંતુ કોરોના કરતાં પણ વધુ ઘાતક બિમારી ટી.બી.થી લોકો સાવ અજાણ છે. પ્રાપ્ત વિગતો અનુસાર દેશભરમાં TB ના કેસો દિવસેને દિવસે વધી રહ્યાં છે. ત્યારે તેને લઈને લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે. મળતી માહિતી મુજબ દર વર્ષે દેશભરમાં TB ના 26 લાખ નવા દર્દીઓ ઉમેરાય છે, જ્યારે ગુજરાતમાં દર વર્ષે TB ના દર્દીઓમાં દોઢ લાખનો વધારો થાય છે.
ટી.બીના કારણે થતાં મોતના આંકડા પર નજર કરીએ તો દેશમાં ટીબીના કારણે દર વર્ષે 4.4 લાખ લોકો મૃત્યુ પામે છે. જેમાં ગુજરાતમાં એક વર્ષમાં 10,000 લોકો મૃત્યુ પામે છે. આ આંકડા આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બનતો જાય છે. ભારતમાં દર ત્રણ મિનિટે બે વ્યક્તિના ટીબીના કારણે મૃત્યુ થાય છે, તો ગુજરાતમાં દર દોઢ મિનિટે એક વ્યક્તિ ટીબીના કારણે મોતને ભેટે છે.
ઉલ્લેખનીય છે કે ટીબીના કારણે સતત વધતા મૃત્યુઆંક અને કેસ ને કેવી રીતે કાબૂમાં લેવા તે માટે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. રાજ્યના ટિબી વિભાગ દ્વારા મેડિકલ ક્ષેત્રના તમામ એશોસિયેશનના અગ્રણીઓને એક મંચ પર લાવવામાં આવ્યા હતા. તેમજ રાજ્યના તમામ કેમિસ્ટ અને ડ્રગીસ્ટ સાથે સંકળાયેલા એસોશિયેશનના લોકોને કડક સૂચના અપાઇ છે કે, જો કોઈપણ દર્દી ટીબીની દવાઓ ખરીદે તો તેનો નિયમ મુજબ યોગ્ય રેકોર્ડ રજીસ્ટરમાં રાખવામાં આવે. જેથી તમામ દર્દીઓની યોગ્ય માહિતી સરકારી ચોપડે નોંધાઈ શકે અને સંક્રમણ અટકાવી શકાય.