WatchGujarat. વંદા એવો જીવ છે કે જેને જોઈને ઘણા લોકો ગભરાય જતા હોય છે.અથવા તો ચીડ ચડે છે. આજકાલ લોકોના ઘરમાં સામાન્ય રીતે વંદાઓનો ત્રાસ ઘણો વધી ગયો છે . ઘરમાં અનેક જગ્યાઓ પર વંદાઓ એમનું ઘર બનાવીને મઝાથી રહેતા હોય છે. જેના કારણે મહિલાઓ સૌથી વધારે ત્રાસ અનુભવતી હોય છે. આપણે સૌ જાણીયે છે કે વંદાઓ રસોડાની ખાવા પીવાની વસ્તુઓ પર ફરતા હોય છે. તો તે સ્વાસ્થય માટે હાનિકારક સાબિત થાય છે. સામાન્ય રીતે ઘરમાંથી વંદાને દૂર ભગાડવાના ઘણા ઉપાયો કર્યા હશે, પરંતુ તેમાં ધારી સફળતા મળતી નથી.પરંતુ આજે અમે તમને કેટલાક સરળ ઘરેલુ ઉપાયો જણાવીશુ જેનાથી વંદાઓની પરેશાની ઝડપથી દૂર થશે.તો એવો જાણીયે આ ઘરેલુ ઉપાયો વિશે.
રેડ વાઈન: રસોડામાં તમે વાટકીમાં થોડી વાઈન ભરીને મુકો.જેનાથી વંદાઓ ભાગી જશે.
લવિંગ: લવિંગ પણ વંદાને ભગાડવામાં ઉપયોગી છે. જ્યાં જ્યાં તમને વંદા દેખાય છે ત્યાં લવિંગ મુકો. પછી જુઓ વંદા કેવા ભાગે છે.
તમાકુ અને કોફી પાઉડર: તમાકુ અને કોફી પાઉડરની ગોળીઓ બનાવીને ઘરમાં રાખવાથી વંદાઓ મારી જશે.
ડુંગળી: વંદાને ભગાડવા માટે ડુંગળીનો રસ શ્રેષ્ઠ છે. ડુંગળીનો રસ બનાવીને જ્યાં જ્યાં વંદા થતા હોય ત્યાં ત્યાં છાંટી દો. અથવા તો વાટકીમાં ડુંગળીનો રસ ભરીને મૂકી દો.
કાકડી: જ્યાં તમને વંદો દેખાયો હોય કે વંદો છુપાયા હોવાની આશંકા હોય ત્યાં કાકડીના ટુકડા મૂકી દો. કાકડીના ગંધથી વંદાઓ ભાગી જશે.
બેકિંગ પાઉડર: રસોડામા રહેતા વંદાઓનો નાશ કરવા માટે વાટકીમાં થોડો બેકિંગ પાઉડર ભરીને રસોડાની આજુબાજુ મૂકી દો. 10-15 દિવસ પછી તેને બદલી દો. કારણ કે ભેજના લીધે તેની સુગંધ જતી રહે છે.
વંદાથી છુટકારો મેળવવા માટે તમે ઘણા કેમિકલ્સ વાપર્યા હશે. પરંતુ આ કેમિકલથી વંદાઓ ભાગે ના ભાગે પરંતુ તમારા સ્વાસ્થ્યને જરૂર નુકશાનકારક બની શકે છે.એટલે જ આ ઘરેલુ નુસખાઓ તમારી સમસ્યાનું સમાધાન કરી કરશે.
WatchGujarat. વંદા એવો જીવ છે કે જેને જોઈને ઘણા લોકો ગભરાય જતા હોય છે.અથવા તો ચીડ ચડે છે. આજકાલ લોકોના ઘરમાં સામાન્ય રીતે વંદાઓનો ત્રાસ ઘણો વધી ગયો છે . ઘરમાં અનેક જગ્યાઓ પર વંદાઓ એમનું ઘર બનાવીને મઝાથી રહેતા હોય છે. જેના કારણે મહિલાઓ સૌથી વધારે ત્રાસ અનુભવતી હોય છે. આપણે સૌ જાણીયે છે કે વંદાઓ રસોડાની ખાવા પીવાની વસ્તુઓ પર ફરતા હોય છે. તો તે સ્વાસ્થય માટે હાનિકારક સાબિત થાય છે. સામાન્ય રીતે ઘરમાંથી વંદાને દૂર ભગાડવાના ઘણા ઉપાયો કર્યા હશે, પરંતુ તેમાં ધારી સફળતા મળતી નથી.પરંતુ આજે અમે તમને કેટલાક સરળ ઘરેલુ ઉપાયો જણાવીશુ જેનાથી વંદાઓની પરેશાની ઝડપથી દૂર થશે.તો એવો જાણીયે આ ઘરેલુ ઉપાયો વિશે.
રેડ વાઈન: રસોડામાં તમે વાટકીમાં થોડી વાઈન ભરીને મુકો.જેનાથી વંદાઓ ભાગી જશે.
લવિંગ: લવિંગ પણ વંદાને ભગાડવામાં ઉપયોગી છે. જ્યાં જ્યાં તમને વંદા દેખાય છે ત્યાં લવિંગ મુકો. પછી જુઓ વંદા કેવા ભાગે છે.
તમાકુ અને કોફી પાઉડર: તમાકુ અને કોફી પાઉડરની ગોળીઓ બનાવીને ઘરમાં રાખવાથી વંદાઓ મારી જશે.
ડુંગળી: વંદાને ભગાડવા માટે ડુંગળીનો રસ શ્રેષ્ઠ છે. ડુંગળીનો રસ બનાવીને જ્યાં જ્યાં વંદા થતા હોય ત્યાં ત્યાં છાંટી દો. અથવા તો વાટકીમાં ડુંગળીનો રસ ભરીને મૂકી દો.
કાકડી: જ્યાં તમને વંદો દેખાયો હોય કે વંદો છુપાયા હોવાની આશંકા હોય ત્યાં કાકડીના ટુકડા મૂકી દો. કાકડીના ગંધથી વંદાઓ ભાગી જશે.
બેકિંગ પાઉડર: રસોડામા રહેતા વંદાઓનો નાશ કરવા માટે વાટકીમાં થોડો બેકિંગ પાઉડર ભરીને રસોડાની આજુબાજુ મૂકી દો. 10-15 દિવસ પછી તેને બદલી દો. કારણ કે ભેજના લીધે તેની સુગંધ જતી રહે છે.
વંદાથી છુટકારો મેળવવા માટે તમે ઘણા કેમિકલ્સ વાપર્યા હશે. પરંતુ આ કેમિકલથી વંદાઓ ભાગે ના ભાગે પરંતુ તમારા સ્વાસ્થ્યને જરૂર નુકશાનકારક બની શકે છે.એટલે જ આ ઘરેલુ નુસખાઓ તમારી સમસ્યાનું સમાધાન કરી કરશે.