કેમિકલ માફિયાઓ દ્વારા મુખ્ય માર્ગ પર જ રસાયણયુક્ત પ્રવાહીનો નિકાલ કરાતા ચકચાર
જી.પી.સી.બી. અને નર્મદા ક્લીન ટેકની એ જ બીબાઢાળ સેમ્પલ લેવાની પ્રક્રિયા
કેમિકલ ઉપર માટી નાખી પ્રદુષણ અટકાવવાનો પ્રયાસ
વડોદરાથી સુરત તરફ ટેન્કર જતું હતું ત્યારે જ ડ્રાઈવરે વાલ્વ ખોલી રસ્તા પર જોખમી કેમિકલ ઢોળી દીધું
WatchGujarat. અંકલેશ્વર ખાતે વાલિયા ચોકડી નજીક મંગળવારે મળસ્કે એક ટેન્કર ચાલકે નેશનલ હાઇવે ઉપર વાલ્વ ખોલી નાખી કેમિકલ રસ્તા ઉપર ઢોળી દીધું હતું. આ કેમિકલયુક્ત પાણી માર્ગ ઉપર ફરી વળતા જાહેરમાં પ્રદુષણ ફેલાઈ ગયું હતું.
મળતી વિગતો અનુસાર મળસ્કે 5 વાગ્યાના અરસામાં વડોદરા તરફથી સુરત તરફ કેમિકલ ભરી જતા એક ટેન્કર ચાલકે વાલિયા ચોકડી નજીક અચાનક વાલ્વ ખોલી નાખ્યો હતો જેના પગલે પ્રદુષિત પાણી જાહેર માર્ગ પાર ઢોળાવા માંડ્યું હતું. આ પ્રદુષિત પાણી મુખ્ય નેશનલ હાઇવે ઉપરથી સર્વિસ રોડ ઉપર ફરી વળ્યું હતું.
જેના કારણે આસપાસ રહેતા લોકોમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. માર્ગ ઉપર ફેલાયેલા પ્રદુષિત પાણીના કારણે બળતરા જેવી પણ કઇંક અંશે ફરિયાદ ઉઠી હતી. બનાવની જાણ થતા જ જી.પી.સી.બી તથા નર્મદા ક્લીન ટેક કંપનીના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા. જો કે ત્યાર બાદ આ પ્રદુષિત પાણી ઉપર માટી નાખી તેને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
GPCB વર્ષોથી સેમ્પલ લેવાની બીબાઢાળ પ્રક્રિયા હાથ ધરી રહી હોય જોકે કેમિકલ માફિયાઓ સામે કડક અને નક્કર કામગીરી કરતી નહિ હોવાથી આવી ઘટનાઓ છાશવારે બનતી રહે છે. કેટલાય બેજવાબદાર ઉદ્યોગો પોતાના થોડા નફા માટે લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે અને જાહેરમાં રાસાયણયુક્ત ઝેરી કચરાનો નિકાલ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે. ત્યારે આવા તત્વોને જેર કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. સુરતના સચીનમાં તાજેતરમાં જ ખાડીમાં કેમિકલનો નિકાલ કરાતા ઝેરી ગેસની અસરથી 6 લોકોના મોત અને 23 લોકોને અસર પહોંચી હતી.
કેમિકલ માફિયાઓ દ્વારા મુખ્ય માર્ગ પર જ રસાયણયુક્ત પ્રવાહીનો નિકાલ કરાતા ચકચાર
જી.પી.સી.બી. અને નર્મદા ક્લીન ટેકની એ જ બીબાઢાળ સેમ્પલ લેવાની પ્રક્રિયા
કેમિકલ ઉપર માટી નાખી પ્રદુષણ અટકાવવાનો પ્રયાસ
વડોદરાથી સુરત તરફ ટેન્કર જતું હતું ત્યારે જ ડ્રાઈવરે વાલ્વ ખોલી રસ્તા પર જોખમી કેમિકલ ઢોળી દીધું
WatchGujarat. અંકલેશ્વર ખાતે વાલિયા ચોકડી નજીક મંગળવારે મળસ્કે એક ટેન્કર ચાલકે નેશનલ હાઇવે ઉપર વાલ્વ ખોલી નાખી કેમિકલ રસ્તા ઉપર ઢોળી દીધું હતું. આ કેમિકલયુક્ત પાણી માર્ગ ઉપર ફરી વળતા જાહેરમાં પ્રદુષણ ફેલાઈ ગયું હતું.
મળતી વિગતો અનુસાર મળસ્કે 5 વાગ્યાના અરસામાં વડોદરા તરફથી સુરત તરફ કેમિકલ ભરી જતા એક ટેન્કર ચાલકે વાલિયા ચોકડી નજીક અચાનક વાલ્વ ખોલી નાખ્યો હતો જેના પગલે પ્રદુષિત પાણી જાહેર માર્ગ પાર ઢોળાવા માંડ્યું હતું. આ પ્રદુષિત પાણી મુખ્ય નેશનલ હાઇવે ઉપરથી સર્વિસ રોડ ઉપર ફરી વળ્યું હતું.
જેના કારણે આસપાસ રહેતા લોકોમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. માર્ગ ઉપર ફેલાયેલા પ્રદુષિત પાણીના કારણે બળતરા જેવી પણ કઇંક અંશે ફરિયાદ ઉઠી હતી. બનાવની જાણ થતા જ જી.પી.સી.બી તથા નર્મદા ક્લીન ટેક કંપનીના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા. જો કે ત્યાર બાદ આ પ્રદુષિત પાણી ઉપર માટી નાખી તેને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
GPCB વર્ષોથી સેમ્પલ લેવાની બીબાઢાળ પ્રક્રિયા હાથ ધરી રહી હોય જોકે કેમિકલ માફિયાઓ સામે કડક અને નક્કર કામગીરી કરતી નહિ હોવાથી આવી ઘટનાઓ છાશવારે બનતી રહે છે. કેટલાય બેજવાબદાર ઉદ્યોગો પોતાના થોડા નફા માટે લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે અને જાહેરમાં રાસાયણયુક્ત ઝેરી કચરાનો નિકાલ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે. ત્યારે આવા તત્વોને જેર કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. સુરતના સચીનમાં તાજેતરમાં જ ખાડીમાં કેમિકલનો નિકાલ કરાતા ઝેરી ગેસની અસરથી 6 લોકોના મોત અને 23 લોકોને અસર પહોંચી હતી.