મોરબીના શનાળા ગામમાં અનોખા અને પ્રેરણાદાયી લગ્નનું આયોજન કરાયું
કોરોનામાં પુત્ર ગુમાવનાર માતા-પિતાએ પુત્રવધુના પુનઃલગ્ન કરાવ્યા
ચાર પરિવાર કન્યાદાનમાં જોડાયા, સાસુ-સસરાએ પુત્રવધુને સાસરે વળાવી
સસરાએ પુત્રવધુના પિતા બની જવાબદારી લીધી, 15 લાખ જેટલી રકમ ફિક્સ ડિપોઝીટ તરીકે આપી
WatchGujarat. મોરબીના શનાળા ગામમાં જવલ્લે બનતી ઘટના જોવા મળી હતી. અહિંયા તાજેતરમાં જ એક અનોખા અને સમાજ માટે પ્રેરણાદાયી લગ્ન યોજાયા હતા. સમાજમાં ધીમે ધીમે નાની ઉમરમાં વિધવા કે વિદુર થયેલા યુવક યુવતીઓના લગ્ન થવા લાગ્યા છે. જોકે તેમાં સામાન્ય રીતે આ લગ્ન દીકરી કે દીકરાના માવતર કરાવતા હોય છે. પરંત શનાળા ગામમાં યોજાયેલા આ લગ્નમાં સાસુ-સસરાએ પોતાની પુત્રવધુને સાસરે વળાવી હતી.
અનોખા અને પ્રેરણાદાયી લગ્નનું આયોજન
મળતી વિગતો અનુસાર મોરબીના શનાળા ગામમાં રહેતા નરભેરાભાઈ ગોવિંદભાઈ ફૂલતરીયાએ કોરોના મહામારીને કારણે પુત્ર નીપુલભાઈનું અવસાન થયું હતું. જેથી તેમની પુત્રવધુ ચંદ્રિકાબેન નાની ઉંમરમાં જ વિધવા બન્યા હતા. પુત્રના મોતના દુઃખની સાથે સાથે પરિવારને પુત્રવધુ અને માત્ર દોઢ વર્ષની પૌત્રીની ભવિષ્યની પણ ચિંતા રહેતી હતી. જેથી તેઓએ પુત્રવધુના પુનઃવિવાહનો નિર્ધાર કર્યો હતો. નરભેરાભાઈએ પોતાની પુત્રવધુના લગ્ન મહેન્દ્રનગર ગામમાં રહેતા જીતેન્દ્રભાઈની સાથે કરાવ્યા છે. જીતેન્દ્રભાઈના પત્નીનું પણ બીમારીના કારણે અવસાન થયું હોવાથી તેઓને પણ તેમના પુત્ર માટે માતાની હુંફ આપી શકે તેવા પાત્રની શોધ હતી.
માળિયા મોરબી ઉમિયા પરિવાર સમુહલગ્ન સમિતિના ડૉ.મનુભાઈ કૈલા, કમલેશભાઈ કૈલા અને મહેશભાઈ સાદરીયા સહિતના પ્રયાસથી આજે આ બન્ને યુગલના વેવિશાળ સાથે સાથે પુનઃલગ્ન પણ કરાયા હતા. આ લગ્ન અનોખા એટલા માટે હતા કારણ કે ખુદ સાસુ સસરાએ માતા પિતા બનીને પુત્રવધુના લગ્ન કરાવ્યા હતા. આવી ઘટના જવલ્લે જ બનતી હોય છે. મહત્વનું છે કે પુત્રવધુ અને પૌત્રીના સુરક્ષિત ભવિષ્ય માટે નરભેરાભાઈએ રૂપિયા 15 લાખ જેટલી રકમ ફિક્સ ડિપોઝીટ તરીકે આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ લગ્નમાં ચંદ્રિકાબેનના સસરા નરભેરામભાઈ ગોવિંદભાઈ ફૂલતરિયા, પિતા રમેશભાઈ ઘોડાસરા, જીતેન્દ્રભાઈના પિતા રેવાભાઈ બપોદરીયા અને જીતેન્દ્રભાઈના સસરા બચુભાઈ અમરશીભાઈ કલોલા સહિતના વિધિમાં હાજર રહી કન્યાદાન કર્યું હતું. આ રીતે વિધિમાં દીકરીના માતાપિતા, સાસુ સસરા તેમજ સામે પક્ષમાંથી પણ યુવકના અગાઉના સાસુ-સસરા પણ હાલ દીકરીના માતાપિતા બનીને કન્યાદાન કર્યું હતું. આમ લગ્ન વિધિમાં કન્યાદાન વખતે એક બે નહીં પણ ચાર પરિવાર જોડાયો હતો.
મોરબીના શનાળા ગામમાં અનોખા અને પ્રેરણાદાયી લગ્નનું આયોજન કરાયું
ચાર પરિવાર કન્યાદાનમાં જોડાયા, સાસુ-સસરાએ પુત્રવધુને સાસરે વળાવી
સસરાએ પુત્રવધુના પિતા બની જવાબદારી લીધી, 15 લાખ જેટલી રકમ ફિક્સ ડિપોઝીટ તરીકે આપી
WatchGujarat. મોરબીના શનાળા ગામમાં જવલ્લે બનતી ઘટના જોવા મળી હતી. અહિંયા તાજેતરમાં જ એક અનોખા અને સમાજ માટે પ્રેરણાદાયી લગ્ન યોજાયા હતા. સમાજમાં ધીમે ધીમે નાની ઉમરમાં વિધવા કે વિદુર થયેલા યુવક યુવતીઓના લગ્ન થવા લાગ્યા છે. જોકે તેમાં સામાન્ય રીતે આ લગ્ન દીકરી કે દીકરાના માવતર કરાવતા હોય છે. પરંત શનાળા ગામમાં યોજાયેલા આ લગ્નમાં સાસુ-સસરાએ પોતાની પુત્રવધુને સાસરે વળાવી હતી.
અનોખા અને પ્રેરણાદાયી લગ્નનું આયોજન
મળતી વિગતો અનુસાર મોરબીના શનાળા ગામમાં રહેતા નરભેરાભાઈ ગોવિંદભાઈ ફૂલતરીયાએ કોરોના મહામારીને કારણે પુત્ર નીપુલભાઈનું અવસાન થયું હતું. જેથી તેમની પુત્રવધુ ચંદ્રિકાબેન નાની ઉંમરમાં જ વિધવા બન્યા હતા. પુત્રના મોતના દુઃખની સાથે સાથે પરિવારને પુત્રવધુ અને માત્ર દોઢ વર્ષની પૌત્રીની ભવિષ્યની પણ ચિંતા રહેતી હતી. જેથી તેઓએ પુત્રવધુના પુનઃવિવાહનો નિર્ધાર કર્યો હતો. નરભેરાભાઈએ પોતાની પુત્રવધુના લગ્ન મહેન્દ્રનગર ગામમાં રહેતા જીતેન્દ્રભાઈની સાથે કરાવ્યા છે. જીતેન્દ્રભાઈના પત્નીનું પણ બીમારીના કારણે અવસાન થયું હોવાથી તેઓને પણ તેમના પુત્ર માટે માતાની હુંફ આપી શકે તેવા પાત્રની શોધ હતી.
માળિયા મોરબી ઉમિયા પરિવાર સમુહલગ્ન સમિતિના ડૉ.મનુભાઈ કૈલા, કમલેશભાઈ કૈલા અને મહેશભાઈ સાદરીયા સહિતના પ્રયાસથી આજે આ બન્ને યુગલના વેવિશાળ સાથે સાથે પુનઃલગ્ન પણ કરાયા હતા. આ લગ્ન અનોખા એટલા માટે હતા કારણ કે ખુદ સાસુ સસરાએ માતા પિતા બનીને પુત્રવધુના લગ્ન કરાવ્યા હતા. આવી ઘટના જવલ્લે જ બનતી હોય છે. મહત્વનું છે કે પુત્રવધુ અને પૌત્રીના સુરક્ષિત ભવિષ્ય માટે નરભેરાભાઈએ રૂપિયા 15 લાખ જેટલી રકમ ફિક્સ ડિપોઝીટ તરીકે આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ લગ્નમાં ચંદ્રિકાબેનના સસરા નરભેરામભાઈ ગોવિંદભાઈ ફૂલતરિયા, પિતા રમેશભાઈ ઘોડાસરા, જીતેન્દ્રભાઈના પિતા રેવાભાઈ બપોદરીયા અને જીતેન્દ્રભાઈના સસરા બચુભાઈ અમરશીભાઈ કલોલા સહિતના વિધિમાં હાજર રહી કન્યાદાન કર્યું હતું. આ રીતે વિધિમાં દીકરીના માતાપિતા, સાસુ સસરા તેમજ સામે પક્ષમાંથી પણ યુવકના અગાઉના સાસુ-સસરા પણ હાલ દીકરીના માતાપિતા બનીને કન્યાદાન કર્યું હતું. આમ લગ્ન વિધિમાં કન્યાદાન વખતે એક બે નહીં પણ ચાર પરિવાર જોડાયો હતો.