WatchGujarat. કેન્દ્ર સરકારે શુક્રવારે કહ્યું હતું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આશરે 93 ટકા રેશનકાર્ડ (Ration Cards) આધાર (Aadhaar) લિંક કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક બાબતોના રાજ્યમંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ (Sadhvi Niranjan Jyoti) એ રાજ્યસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રાષ્ટ્રીય સ્તરે લગભગ 21.91 કરોડ (92.8 ટકા) રેશનકાર્ડ અને એનએફએસએ (NFSA) 70.94 કરોડ (90 ટકા) લાભાર્થીઓને આધાર સાથે જોડવાનું કામ પૂર્ણ કરી દીધું છે.
એન.એફ.એસ.એ. માં, અંત્યોદય અન્ના યોજના (એ.વાય.આઈ.) હેઠળ આવતાં પરિવારોને દર મહિને 35 કિલોગ્રામ અનાજ 1-3 રૂપિયે પ્રતિ કિલોગ્રામના દરે પ્રાપ્ત કરવાના હકદાર છે. એ જ રીતે, અગ્રતા ધરાવતા પરિવારો દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ મેળવવા 1-3 રૂપિયા પ્રતિ કિલોગ્રામના દરેથી પ્રાપ્ત કરવાના હકદાર છે. 80 કરોડથી વધુ લોકો ફૂડ એક્ટના દાયરામાં આવે છે.
33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરવામાં આવી છે ONORC યોજના
મંત્રીએ કહ્યું કે દેશમાં લગભગ 4.98 લાખ (92.7 ટકા) રેશનની દુકાનોમાં 23 જુલાઇ સુધી ઇપીઓએસ (ePoS) ઉપકરણો લાગેલ છે. વન નેશન વન રેશનકાર્ડ એટલે કે ઓએનઓઆરસી યોજના, એનએફએસએના લાભો ક્યાંય પણ પ્રાપ્ત કરવાની સિસ્ટમ (પોર્ટેબિલિટી) 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ છે, જે એનએફએસએ લાભાર્થીઓની વસ્તીના લગભગ 86.7 ટકાને આવરી લે છે. દિલ્હીએ પણ જુલાઈ 2021 થી આ પોર્ટેબિલિટી સ્કીમ અપનાવી છે. જોકે, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને આસામની સરકારોએ હજી સુધી 'વન નેશન,વન રેશનકાર્ડ' યોજના લાગુ કરી નથી.
2019 માં શરૂ કરવામાં આવી હતી ONORC યોજના
નરેન્દ્ર મોદી સરકારે ઓગસ્ટ 2019 માં 'વન નેશન,વન રેશનકાર્ડ' યોજનાની શરૂઆત દેશના તમામ નાગરિકોને કોઈપણ રાજ્યની સરકારી રાશનની દુકાનમાંથી રાશન આપવા માટે કરી હતી. આમ પણ બધા નાગરિકો કે જેઓ બીજા રાજ્યમાં કામ કરવા માટે સ્થળાંતર કરે છે, તેઓ આ યોજના દ્વારા દેશની કોઈપણ સરકારી દુકાનમાંથી રાશન લઈ શકે છે.
WatchGujarat. કેન્દ્ર સરકારે શુક્રવારે કહ્યું હતું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આશરે 93 ટકા રેશનકાર્ડ (Ration Cards) આધાર (Aadhaar) લિંક કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક બાબતોના રાજ્યમંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ (Sadhvi Niranjan Jyoti) એ રાજ્યસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રાષ્ટ્રીય સ્તરે લગભગ 21.91 કરોડ (92.8 ટકા) રેશનકાર્ડ અને એનએફએસએ (NFSA) 70.94 કરોડ (90 ટકા) લાભાર્થીઓને આધાર સાથે જોડવાનું કામ પૂર્ણ કરી દીધું છે.
એન.એફ.એસ.એ. માં, અંત્યોદય અન્ના યોજના (એ.વાય.આઈ.) હેઠળ આવતાં પરિવારોને દર મહિને 35 કિલોગ્રામ અનાજ 1-3 રૂપિયે પ્રતિ કિલોગ્રામના દરે પ્રાપ્ત કરવાના હકદાર છે. એ જ રીતે, અગ્રતા ધરાવતા પરિવારો દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ મેળવવા 1-3 રૂપિયા પ્રતિ કિલોગ્રામના દરેથી પ્રાપ્ત કરવાના હકદાર છે. 80 કરોડથી વધુ લોકો ફૂડ એક્ટના દાયરામાં આવે છે.
33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરવામાં આવી છે ONORC યોજના
મંત્રીએ કહ્યું કે દેશમાં લગભગ 4.98 લાખ (92.7 ટકા) રેશનની દુકાનોમાં 23 જુલાઇ સુધી ઇપીઓએસ (ePoS) ઉપકરણો લાગેલ છે. વન નેશન વન રેશનકાર્ડ એટલે કે ઓએનઓઆરસી યોજના, એનએફએસએના લાભો ક્યાંય પણ પ્રાપ્ત કરવાની સિસ્ટમ (પોર્ટેબિલિટી) 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ છે, જે એનએફએસએ લાભાર્થીઓની વસ્તીના લગભગ 86.7 ટકાને આવરી લે છે. દિલ્હીએ પણ જુલાઈ 2021 થી આ પોર્ટેબિલિટી સ્કીમ અપનાવી છે. જોકે, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને આસામની સરકારોએ હજી સુધી 'વન નેશન,વન રેશનકાર્ડ' યોજના લાગુ કરી નથી.
2019 માં શરૂ કરવામાં આવી હતી ONORC યોજના
નરેન્દ્ર મોદી સરકારે ઓગસ્ટ 2019 માં 'વન નેશન,વન રેશનકાર્ડ' યોજનાની શરૂઆત દેશના તમામ નાગરિકોને કોઈપણ રાજ્યની સરકારી રાશનની દુકાનમાંથી રાશન આપવા માટે કરી હતી. આમ પણ બધા નાગરિકો કે જેઓ બીજા રાજ્યમાં કામ કરવા માટે સ્થળાંતર કરે છે, તેઓ આ યોજના દ્વારા દેશની કોઈપણ સરકારી દુકાનમાંથી રાશન લઈ શકે છે.