વૈષ્ણોદેવી મંદિરમાં થયેલી ભાગદોડને કારણે લોકો જીવ બચવા થાંભલા પર ચડી ગયા હતા
12 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યાં છે,જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા
મહામુસીબતે જોશી પરિવાર જમ્મુના કટરા ખાતે આવી પહોંચ્યો હતો
WatchGujarat.જમ્મુ-કાશ્મીરના વૈષ્ણો દેવી મંદિરમાં ભાગદોડ મચી હતી જેમાં 12 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યાં છે. જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ભાગદોડમાં ગુજરાતનાં રાજપીપળાનો જોશી પરિવાર પણ ફસાયો હતો જો કે હાલ તેઓ સુરક્ષિત હોવાની માહિતી મળતા તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
મિડીયા દ્વારા મળતી માહિતી મુજબ રાજપીપળાનો જોશી પરિવાર 23 ડિસેમ્બરના રોજ જમ્મુ-કાશ્મીર ફરવા ગયો હતો.આજે વહેલી સવારે જ્યારે વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ મચી તે સમયે જોશી પરિવાર પણ ત્યાં જ હતો.જોશી પરિવારનાં 6 સભ્ય મંદિરમાં થયેલી ભાગદોડ વચ્ચે ફસાઇ ગયા હતા. જેના કારણે રાજપીપળામાં વસતા તેમના પરિવારના સભ્યોમાં ચિંતા જોવા મળી હતી. જો કે મહામુસીબતે જોશી પરિવાર જમ્મુના કટરા ખાતે આવી પહોંચ્યો હતો. સોશિયલ મિડીયાના માધ્યમથી રાજપીપળાનો જોશી પરિવાર સુરક્ષિત હોવાની માહિતી મળતાં અહીં તેમના સ્વજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં આવેલા માતા વૈષ્ણોદેવી ભવનમાં શનિવારે રાતે અંદાજે અઢી વાગે દોડાદોડ થઈ ગઈ હતી. લોકો એકબીજાને કચડીને દોડવા લાગ્યા હતા. આ દુર્ઘટનામાં 12 લોકોનાં મોત થયાં છે. 20થી વધારે લોકો ઘાયલ થયા છે. જ્યારે મંદિરમાં થયેલી ભાગદોડને કારણે લોકો જીવ બચવા થાંભલા પર ચડી ગયા હતા. મૃતકોમાં હરિયાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીરના 8 લોકોની ઓળખ થઈ છે. દુર્ઘટનાની તપાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે આદેશ આપ્યા છે.
વૈષ્ણોદેવી મંદિરમાં થયેલી ભાગદોડને કારણે લોકો જીવ બચવા થાંભલા પર ચડી ગયા હતા
12 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યાં છે,જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા
મહામુસીબતે જોશી પરિવાર જમ્મુના કટરા ખાતે આવી પહોંચ્યો હતો
WatchGujarat.જમ્મુ-કાશ્મીરના વૈષ્ણો દેવી મંદિરમાં ભાગદોડ મચી હતી જેમાં 12 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યાં છે. જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ભાગદોડમાં ગુજરાતનાં રાજપીપળાનો જોશી પરિવાર પણ ફસાયો હતો જો કે હાલ તેઓ સુરક્ષિત હોવાની માહિતી મળતા તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
મિડીયા દ્વારા મળતી માહિતી મુજબ રાજપીપળાનો જોશી પરિવાર 23 ડિસેમ્બરના રોજ જમ્મુ-કાશ્મીર ફરવા ગયો હતો.આજે વહેલી સવારે જ્યારે વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ મચી તે સમયે જોશી પરિવાર પણ ત્યાં જ હતો.જોશી પરિવારનાં 6 સભ્ય મંદિરમાં થયેલી ભાગદોડ વચ્ચે ફસાઇ ગયા હતા. જેના કારણે રાજપીપળામાં વસતા તેમના પરિવારના સભ્યોમાં ચિંતા જોવા મળી હતી. જો કે મહામુસીબતે જોશી પરિવાર જમ્મુના કટરા ખાતે આવી પહોંચ્યો હતો. સોશિયલ મિડીયાના માધ્યમથી રાજપીપળાનો જોશી પરિવાર સુરક્ષિત હોવાની માહિતી મળતાં અહીં તેમના સ્વજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં આવેલા માતા વૈષ્ણોદેવી ભવનમાં શનિવારે રાતે અંદાજે અઢી વાગે દોડાદોડ થઈ ગઈ હતી. લોકો એકબીજાને કચડીને દોડવા લાગ્યા હતા. આ દુર્ઘટનામાં 12 લોકોનાં મોત થયાં છે. 20થી વધારે લોકો ઘાયલ થયા છે. જ્યારે મંદિરમાં થયેલી ભાગદોડને કારણે લોકો જીવ બચવા થાંભલા પર ચડી ગયા હતા. મૃતકોમાં હરિયાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીરના 8 લોકોની ઓળખ થઈ છે. દુર્ઘટનાની તપાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે આદેશ આપ્યા છે.