મોરબી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય હદે વધી ગયો, તંત્ર દ્વારા અસરકાર કામગીરી થતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
મોરબીના સામાજિક કાર્યકર દ્વારા રખડતા ઢોર મામલે નવતર પ્રયોગ કરીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે
જે સ્થળે રખડતા ઢોર અડ્ડો જમાવતા હોય તેવો સ્થળે ઢોર પર મેસેજ લખેલ બેનર ઢોરને ઓઢાડી વિરોધ દર્શાવ્યો
બેનરમાં “અમે રખડાઉ ઢોર નથી અમને મરજી પડે ત્યાં ફરવાનું ને બેસવાનું લાયસન્સ મળેલ છે” તેવો મેસેજ લખવામાં આવ્યો
[caption id="attachment_1394479" align="aligncenter" width="640"] Morbi - unique oppose of stray cattle[/caption]
WatchGujarat. રાજ્યભરમાં રખડતાં ઢોરની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. રસ્તા પર રખડતાં ઢોરઢાંખરના કારણે ઘણી વાર અકસ્માત સર્જાતા હોય છે. ઘણી વખત રસ્તા પર ફરતાં આ ઢોરઢાંખર દ્વારા લોકો પર હુમલો કર્યો હોવાની ઘટના પણ સામે આવી છે. જેને લઈને સ્થાનિક તંત્ર દ્વારા અસરકાર કામગીરી થતી ન હોવાના કારણે લોકોમાં રોષ વધી રહ્યો છે. ત્યારે મોરબી શહેરના એક સામાજિક કાર્યકર દ્વારા રખડતા ઢોર મામલે નવતર પ્રયોગ કરીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય હદે વધી ગયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રખડતા ઢોરની સમસ્યા ઉકેલવામાં તંત્રી પણ નિષ્ફળ રહ્યું છે. જે માટે મોરબીના સામાજિક કાર્યકર દ્વારા રખડતા ઢોર મામલે નવતર પ્રયોગ કરીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. મોરબીના સામાજિક કાર્યકર કાન્તિલાલ બાવરવાએ રખડતા ઢોરના પ્રશ્ને નવતર પ્રયોગ કરીને વિરોધ દર્શાવ્યો છે. જેમાં શહેરમાં જે સ્થળે રખડતા ઢોર અડ્ડો જમાવતા હોય તેવો સ્થળે ઢોર પર મેસેજ લખેલ બેનર ઢોરને ઓઢાડી વિરોધ દર્શાવ્યો છે. જે બેનરમાં “અમે રખડાઉ ઢોર નથી અમને મરજી પડે ત્યાં ફરવાનું ને બેસવાનું લાયસન્સ મળેલ છે” તેવો મેસેજ લખવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે મોરબી પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ સમયાન્તરે ચલાવવામાં આવે છે. જોકે પ્રશ્નો કાયમી ઉકેલ આવ્યો ના હોય અને શહેરીજનો રખડતા ઢોરના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે. તો રખડતા ઢોર મામલે અનેક સંસ્થાઓ દ્વારા અનેક રજૂઆત કરી છે. છતાં તંત્ર રખડતા ઢોર મામલે લાચારી અનુભવતું હોય તેમ હાથ ઉચા કરી દીધા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. આંખ આડા કાન કરીને બેઠેલા તંત્રને જગાડવા માટે આ નવતર પ્રયોગ અજમાવવામાં આવ્યો છે.
WatchGujarat. રાજ્યભરમાં રખડતાં ઢોરની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. રસ્તા પર રખડતાં ઢોરઢાંખરના કારણે ઘણી વાર અકસ્માત સર્જાતા હોય છે. ઘણી વખત રસ્તા પર ફરતાં આ ઢોરઢાંખર દ્વારા લોકો પર હુમલો કર્યો હોવાની ઘટના પણ સામે આવી છે. જેને લઈને સ્થાનિક તંત્ર દ્વારા અસરકાર કામગીરી થતી ન હોવાના કારણે લોકોમાં રોષ વધી રહ્યો છે. ત્યારે મોરબી શહેરના એક સામાજિક કાર્યકર દ્વારા રખડતા ઢોર મામલે નવતર પ્રયોગ કરીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય હદે વધી ગયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રખડતા ઢોરની સમસ્યા ઉકેલવામાં તંત્રી પણ નિષ્ફળ રહ્યું છે. જે માટે મોરબીના સામાજિક કાર્યકર દ્વારા રખડતા ઢોર મામલે નવતર પ્રયોગ કરીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. મોરબીના સામાજિક કાર્યકર કાન્તિલાલ બાવરવાએ રખડતા ઢોરના પ્રશ્ને નવતર પ્રયોગ કરીને વિરોધ દર્શાવ્યો છે. જેમાં શહેરમાં જે સ્થળે રખડતા ઢોર અડ્ડો જમાવતા હોય તેવો સ્થળે ઢોર પર મેસેજ લખેલ બેનર ઢોરને ઓઢાડી વિરોધ દર્શાવ્યો છે. જે બેનરમાં “અમે રખડાઉ ઢોર નથી અમને મરજી પડે ત્યાં ફરવાનું ને બેસવાનું લાયસન્સ મળેલ છે” તેવો મેસેજ લખવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે મોરબી પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ સમયાન્તરે ચલાવવામાં આવે છે. જોકે પ્રશ્નો કાયમી ઉકેલ આવ્યો ના હોય અને શહેરીજનો રખડતા ઢોરના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે. તો રખડતા ઢોર મામલે અનેક સંસ્થાઓ દ્વારા અનેક રજૂઆત કરી છે. છતાં તંત્ર રખડતા ઢોર મામલે લાચારી અનુભવતું હોય તેમ હાથ ઉચા કરી દીધા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. આંખ આડા કાન કરીને બેઠેલા તંત્રને જગાડવા માટે આ નવતર પ્રયોગ અજમાવવામાં આવ્યો છે.