નડિયાદના રહેવાસી નમ્રતાબેન શાહને બર્થ ડેના એક માસ પહેલાં સફળતાની ગિફ્ટ મળી, પ્રથમ પ્રયાસમાં જ ચાર રાઉન્ડ પાર કરી હોટસીટ સુધી પહોંચ્યાં
સફળતાનું શ્રેય નમ્રતાબેને પોતાના પરિવારને આપ્યું, અગાઉ ભાઈને પણ KBCમાં સાથ આપ્યો છે
નમ્રતાબેન હાલ 200 જેટલા વિદ્યાર્થિનીઓને કથ્થક નૃત્ય શીખવાડી રહ્યા છે, તેમની 4 શિષ્યાએ રાષ્ટ્રીય બાલશ્રી અવૉર્ડ મેળવ્યા છે
[caption id="attachment_1397660" align="aligncenter" width="640"] [/caption]
WatchGujarat. સાક્ષરભૂમિ તરીકે ઓળખાતા નડિયાદની મહિલા હાલમાં જ કૌન બનેગા કરોડપતિ પ્રોગ્રામમાં ઝળકી છે. ગુજરાતની મહિલાએ તાજેતરમાં અમિતાભ બચ્ચન સામે હોટશીટ પર બેસીને સવાલોના જવાબ આપ્યા હતા. જે ટૂંક સમયમાં ટીવી પર ટેલીકાસ્ટ થશે. અથાક મહેનત બાદ નડિયાદમાં સંતરામ મંદિર પાછળ આવેલી વકીલ સોસાયટીમાં રહેતાં 59 વર્ષીય નમ્રતાબેન અજયભાઈ શાહે આ સફળતા હાંસલ કરી છે. નમ્રતાબેન પોતે કથ્થક નૃત્યના ક્ષેત્ર સાથે છેલ્લાં 40 વર્ષથી સંકળાયેલાં છે. તપસા એકેડમી ઓફ ડાન્સ દ્વારા આણંદ, વિદ્યાનગર, નડિયાદમાં તેઓ તાલીમ આપી રહ્યાં છે.
તાજેતરમાં નમ્રતાબેને કૌન બનેગા કરોડપતિ (KBC) સીઝન 13માં ભાગ લીધો છે. ઓડિશન આપતાં તેમનું સિલેક્શન થયું હતું. એ બાદ તેઓ હોટસીટ સુધી પહોંચી ચૂક્યાં છે. ઉલ્લેખનીય છે કે હોટશીટ સુધી પહોંચવા માટે નમ્રતાબેને KBCના 4 જેટલા રાઉન્ડ પાર કર્યા છે. સમગ્ર ભારતમાંથી લગભગ 80 હજાર લોકોનું સિલેક્શન થાય છે. જે 4 રાઉન્ડ પૂરા થતાં થતાં ઓછા થતા જાય છે. તેમાંનાં એક નમ્રતાબેને છેક હોટસીટ સુધી પહોંચ્યાં છે. સમગ્ર રાજ્ય માટે ગર્વ લેવા જેવી બાબત છે. નમ્રતાબેનનો અમિતાભ બચ્ચન સાથેનો આ એપિસોડ આગામી સમયમાં રજૂ થવાનો છે. જેનો નડિયાદવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટીવીના નાનકડા પડદા પર આવેલા નમ્રતાબેને આ શોમાં કેટલી રકમ જીતી છે એ હાલ જાહેર કરાયું નથી.
[caption id="attachment_1397661" align="aligncenter" width="900"] [/caption]
નમ્રતાબેને પોતાનો અનુભવ અંગે વાત કરતાં મીડિયાને જણાવ્યું હતું કે, 59 વર્ષની ઉંમરે અહીં પહોંચવું ઘણું મુશ્કેલ હતું. એમાં પણ ખાસ જે ચાર તબક્કા ક્લિયર કરવાના હોય એમાં મારાથી નાના એટલે કે યુવાન લોકો મારી સાથે કન્ટેસ્ટન્ટ હતા. તે લોકોને થાપ આપવી મારા માટે મોટો પડકાર હતો. તેમ છતાં સંતરામ મહારાજના આશીર્વાદથી મારી મહેનત રંગ લાવી છે. અગાઉ કોઈ વખત ટ્રાય નહી કરતાં સૌપ્રથમ વખત જ લક અને મહેનતથી આગળ આવી ગયાં હોવાનું નમ્રતાબેને જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ એપિસોડ આગામી 20, 21 અને 22 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9થી 10:30 સુધી સોની ચેનલ પર આવવાનો છે, જેથી જોવાનું ચૂકશો નહિ. ટીવીના નાનકડા પડદા પર આવેલા નડિયાદની મહિલાએ કેટલી બાઝી મારી છે એ તો પ્રસારિત થનારા એપિસોડમાં જ માલૂમ પડશે.
મહત્વનું છે કે નમ્રતાબેનનો આવતા મહિને એટલે કે 4 ઓક્ટોબરે જન્મ દિવસ છે. જેના એક માસ અગાઉ જ એટલે કે સપ્ટેમ્બરમાં તેમને સફળતાની મોટી ગિફ્ટ મળતાં નમ્રતાબેનના પરિવારમાં આનંદ છવાયો છે. ઉલ્લેખનીય છે કે KBCમાં સિલેક્ટ થતાં KBCની ટીમ જન્માષ્ટમીના દિવસે નડિયાદમાં તેમણા આવી ઘરની વીડિયોગ્રાફી પણ કરી ગઈ હતી. તમને જણાવી દઈએ કે નમ્રતાબેન આમ તો કથ્થક નૃત્યના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ હાલ 200 જેટલા વિદ્યાર્થિનીઓને નૃત્ય શીખવાડી રહ્યા છે. એમાંથી તો 4 શિષ્યાએ રાષ્ટ્રીય બાલશ્રી અવૉર્ડ મેળવ્યા છે. તેમનો અભ્યાસ બીએસસી ફિઝિક્સ સુધીનો છે. નમ્રતાબેનને સંતાનમાં એક દીકરો છે, જે તબીબ ક્ષેત્રમાં જોડાયેલા છે. તો આ તમામ કામોની સાથે સાથે એક આદર્શ ગૃહિણીની પણ ફરજો બજાવી આ વચ્ચે તેમણે થોડો સમય મળે એટલે વાંચન કરી લેતાં હતાં. દિવસના બે-ત્રણ કલાક વાંચન પાછળ ફાળવતાં હતાં. વાંચનમાં જેટલું વાંચીએ તેટલું ઓછું પડે, કારણ કે આમાં તમામ વિષયોને આવરી લેવાના હોય છે અને તેથી તૈયારીઓ ઘણી કઠિન હોવાનું જણાવ્યું છે.
નમ્રતાબેને પોતાની આ સફળતાનું સંપૂર્ણ શ્રેય તેમના પરિવારને આપે છે. નમ્રતાબેનના જણાવ્યા મુજબ તેમના પરિવારના સભ્યોએ તેમને ઘણો સપોર્ટ આપ્યો છે. ખાસ કરીને તેમના પતિ અજયભાઈ નમ્રતાબેન અવારનવાર તણાવમાં ન આવે એ બાબતે ઘણી કાળજી રાખતા હતા. મોરલ તૂટે નહિ અને નિરાશા ન આવે એ બાબતે પુત્ર ડો. કૃતાર્થ શાહ અને પુત્રવધૂ ડો. શર્મિલા શાહ પણ ઘણી રીતે ચીવટ રાખતાં, અંતે સફળતા મળી હોવાથી તમામ શ્રેય પરિવારને આપે છે. નોંધનીય છે કે અગાઉ વર્ષ 2000ની સાલમાં નમ્રતાબેનના નાના ભાઈ કૃશાંગ શાહ જ્યારે બેંગલુરુમાં હતો ત્યારે કૃશાંગની KBCમાં પસંદગી થઈ હતી. આ સમયે નમ્રતાબેન કમ્પેનિયન તરીકે તેમની સાથે જોડાયાં હતાં. આ દરમિયાન કૃશાંગે 3 લાખ 20 હજારની રકમ જીતી હતી. હાલ તો કૃશાંગ કેનેડા સ્થાઈ થયો છે.
નડિયાદના રહેવાસી નમ્રતાબેન શાહને બર્થ ડેના એક માસ પહેલાં સફળતાની ગિફ્ટ મળી, પ્રથમ પ્રયાસમાં જ ચાર રાઉન્ડ પાર કરી હોટસીટ સુધી પહોંચ્યાં
સફળતાનું શ્રેય નમ્રતાબેને પોતાના પરિવારને આપ્યું, અગાઉ ભાઈને પણ KBCમાં સાથ આપ્યો છે
નમ્રતાબેન હાલ 200 જેટલા વિદ્યાર્થિનીઓને કથ્થક નૃત્ય શીખવાડી રહ્યા છે, તેમની 4 શિષ્યાએ રાષ્ટ્રીય બાલશ્રી અવૉર્ડ મેળવ્યા છે
WatchGujarat. સાક્ષરભૂમિ તરીકે ઓળખાતા નડિયાદની મહિલા હાલમાં જ કૌન બનેગા કરોડપતિ પ્રોગ્રામમાં ઝળકી છે. ગુજરાતની મહિલાએ તાજેતરમાં અમિતાભ બચ્ચન સામે હોટશીટ પર બેસીને સવાલોના જવાબ આપ્યા હતા. જે ટૂંક સમયમાં ટીવી પર ટેલીકાસ્ટ થશે. અથાક મહેનત બાદ નડિયાદમાં સંતરામ મંદિર પાછળ આવેલી વકીલ સોસાયટીમાં રહેતાં 59 વર્ષીય નમ્રતાબેન અજયભાઈ શાહે આ સફળતા હાંસલ કરી છે. નમ્રતાબેન પોતે કથ્થક નૃત્યના ક્ષેત્ર સાથે છેલ્લાં 40 વર્ષથી સંકળાયેલાં છે. તપસા એકેડમી ઓફ ડાન્સ દ્વારા આણંદ, વિદ્યાનગર, નડિયાદમાં તેઓ તાલીમ આપી રહ્યાં છે.
તાજેતરમાં નમ્રતાબેને કૌન બનેગા કરોડપતિ (KBC) સીઝન 13માં ભાગ લીધો છે. ઓડિશન આપતાં તેમનું સિલેક્શન થયું હતું. એ બાદ તેઓ હોટસીટ સુધી પહોંચી ચૂક્યાં છે. ઉલ્લેખનીય છે કે હોટશીટ સુધી પહોંચવા માટે નમ્રતાબેને KBCના 4 જેટલા રાઉન્ડ પાર કર્યા છે. સમગ્ર ભારતમાંથી લગભગ 80 હજાર લોકોનું સિલેક્શન થાય છે. જે 4 રાઉન્ડ પૂરા થતાં થતાં ઓછા થતા જાય છે. તેમાંનાં એક નમ્રતાબેને છેક હોટસીટ સુધી પહોંચ્યાં છે. સમગ્ર રાજ્ય માટે ગર્વ લેવા જેવી બાબત છે. નમ્રતાબેનનો અમિતાભ બચ્ચન સાથેનો આ એપિસોડ આગામી સમયમાં રજૂ થવાનો છે. જેનો નડિયાદવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટીવીના નાનકડા પડદા પર આવેલા નમ્રતાબેને આ શોમાં કેટલી રકમ જીતી છે એ હાલ જાહેર કરાયું નથી.
નમ્રતાબેને પોતાનો અનુભવ અંગે વાત કરતાં મીડિયાને જણાવ્યું હતું કે, 59 વર્ષની ઉંમરે અહીં પહોંચવું ઘણું મુશ્કેલ હતું. એમાં પણ ખાસ જે ચાર તબક્કા ક્લિયર કરવાના હોય એમાં મારાથી નાના એટલે કે યુવાન લોકો મારી સાથે કન્ટેસ્ટન્ટ હતા. તે લોકોને થાપ આપવી મારા માટે મોટો પડકાર હતો. તેમ છતાં સંતરામ મહારાજના આશીર્વાદથી મારી મહેનત રંગ લાવી છે. અગાઉ કોઈ વખત ટ્રાય નહી કરતાં સૌપ્રથમ વખત જ લક અને મહેનતથી આગળ આવી ગયાં હોવાનું નમ્રતાબેને જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ એપિસોડ આગામી 20, 21 અને 22 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9થી 10:30 સુધી સોની ચેનલ પર આવવાનો છે, જેથી જોવાનું ચૂકશો નહિ. ટીવીના નાનકડા પડદા પર આવેલા નડિયાદની મહિલાએ કેટલી બાઝી મારી છે એ તો પ્રસારિત થનારા એપિસોડમાં જ માલૂમ પડશે.
મહત્વનું છે કે નમ્રતાબેનનો આવતા મહિને એટલે કે 4 ઓક્ટોબરે જન્મ દિવસ છે. જેના એક માસ અગાઉ જ એટલે કે સપ્ટેમ્બરમાં તેમને સફળતાની મોટી ગિફ્ટ મળતાં નમ્રતાબેનના પરિવારમાં આનંદ છવાયો છે. ઉલ્લેખનીય છે કે KBCમાં સિલેક્ટ થતાં KBCની ટીમ જન્માષ્ટમીના દિવસે નડિયાદમાં તેમણા આવી ઘરની વીડિયોગ્રાફી પણ કરી ગઈ હતી. તમને જણાવી દઈએ કે નમ્રતાબેન આમ તો કથ્થક નૃત્યના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ હાલ 200 જેટલા વિદ્યાર્થિનીઓને નૃત્ય શીખવાડી રહ્યા છે. એમાંથી તો 4 શિષ્યાએ રાષ્ટ્રીય બાલશ્રી અવૉર્ડ મેળવ્યા છે. તેમનો અભ્યાસ બીએસસી ફિઝિક્સ સુધીનો છે. નમ્રતાબેનને સંતાનમાં એક દીકરો છે, જે તબીબ ક્ષેત્રમાં જોડાયેલા છે. તો આ તમામ કામોની સાથે સાથે એક આદર્શ ગૃહિણીની પણ ફરજો બજાવી આ વચ્ચે તેમણે થોડો સમય મળે એટલે વાંચન કરી લેતાં હતાં. દિવસના બે-ત્રણ કલાક વાંચન પાછળ ફાળવતાં હતાં. વાંચનમાં જેટલું વાંચીએ તેટલું ઓછું પડે, કારણ કે આમાં તમામ વિષયોને આવરી લેવાના હોય છે અને તેથી તૈયારીઓ ઘણી કઠિન હોવાનું જણાવ્યું છે.
નમ્રતાબેને પોતાની આ સફળતાનું સંપૂર્ણ શ્રેય તેમના પરિવારને આપે છે. નમ્રતાબેનના જણાવ્યા મુજબ તેમના પરિવારના સભ્યોએ તેમને ઘણો સપોર્ટ આપ્યો છે. ખાસ કરીને તેમના પતિ અજયભાઈ નમ્રતાબેન અવારનવાર તણાવમાં ન આવે એ બાબતે ઘણી કાળજી રાખતા હતા. મોરલ તૂટે નહિ અને નિરાશા ન આવે એ બાબતે પુત્ર ડો. કૃતાર્થ શાહ અને પુત્રવધૂ ડો. શર્મિલા શાહ પણ ઘણી રીતે ચીવટ રાખતાં, અંતે સફળતા મળી હોવાથી તમામ શ્રેય પરિવારને આપે છે. નોંધનીય છે કે અગાઉ વર્ષ 2000ની સાલમાં નમ્રતાબેનના નાના ભાઈ કૃશાંગ શાહ જ્યારે બેંગલુરુમાં હતો ત્યારે કૃશાંગની KBCમાં પસંદગી થઈ હતી. આ સમયે નમ્રતાબેન કમ્પેનિયન તરીકે તેમની સાથે જોડાયાં હતાં. આ દરમિયાન કૃશાંગે 3 લાખ 20 હજારની રકમ જીતી હતી. હાલ તો કૃશાંગ કેનેડા સ્થાઈ થયો છે.