ગીર સોમનાથ જિલ્લાના નવાબંદરની આશરે 13 થી 15 બોટ ડૂબી ગઈ હતી
આશરે 10 થી 15 માછીમારો પણ લાપતા થયા હતા, જેમાંથી 4 માછીમારનો બચાવ થયો
હજી પણ 6 થી 7 માછીમારો લાપતા, ગુમ માછીમારોના બચાવ અને શોધખોળ કાર્ય માટે તજવીજ હાથ ધરાઈ
અમરેલી થી NDRFની ટીમ ગીર સોમનાથ ડાયવર્ટ કરવામાં આવી
WatchGujarat. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી માવઠાની અસર જોવા મળી રહી છે. ગત રોજ ગીર-સોમનાથના મધદરિયે કેટલાક માછીમાર પર આફત આવી હતી. મધદરિયે કેટલીક બોટ પલટી જતાં ઘણા માછીમાર ગુમ થયા હોવાની માહિતી સામે આવી હતી. આ માહિતી સામે આવતાં જ તંત્રએ યુદ્ધના ધોરણે ગુમ થયેલા માછીમારોની શોધખોળ શરુ કરી દીધી છે. જેમાં અત્યારસુધી 4 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પરંતુ હજી કેટલાંક માછીમારોની કોઈ માહિતી મળી નથી. જેથી આજે અમરેલી થી NDRFની ટીમ ગીર સોમનાથ ડાયવર્ટ કરવામાં આવી છે.
6 થી 8 જેટલા માછીમાર હજુ લાપતા
મળતી વિગતો અનુસાર ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદરની આશરે 13 થી 15 બોટ ડૂબી ગઈ છે. આશરે 10 થી 15 માછીમારો પણ લાપતા થયા હોવાની માહિતી સામે આવી હતી. જે બાદ ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટરે ઘટનાની પુષ્ટી કરી હતી. કલેક્ટરના જણાવ્યા પ્રમાણે, મોડી રાત્રે ફૂંકાયેલા ભારે પવનના કારણે નવાબંદર દરિયા કિનારે ભારે નુકસાન થયું છે. ત્યારે તમામ બોટ કાંઠા પર લાગરેલી હતી. તંત્ર દ્વારા હાલ તમામ લોકોની શોધખોળ હાથ ધરાઈ છે. દરિયે લાગરેલી હોડીઓ આપસમાં ટકરાતા નુકસાન થયુ છે. જોકે 4 માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ 6 થી 8 જેટલા માછીમાર હજુ લાપતા હોવાનું ખુલાસો થયો છે.
NDRF ની વધુ એક ટીમ ગીર સોમનાથ ડાયવર્ટ કરાઈ
મહત્વનું છે કે આ ઘટના બાદ તંત્રએ કોસ્ટ ગાર્ડ તેમજ હેલિકોપ્ટર દ્વારા માછીમારોની શોધખોળ શરુ કરી હતી. પરંતુ અન્ય ગુમ માછીમારોને શોધવા NDRFની વધુ એક ટીમ અમરેલીથી ગીર-સોમનાથ ડાયવર્ટ કરાઈ છે. જેમાં અમરેલીથી NDRFની ટીમ સ્પેશિયલ બોટ, લાઈફ જેકેટ સહિતના સાધનો સાથે માછીમારોની શોધખોળ માટે રવાના થયા છે. આ અંગે NDRFના ચીફે જણાવ્યું છે કે ‘માહિતી પ્રમાણે 4 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તો 8 લોકો હજુ લાપતા છે. આ મેસેજ કલેકટર તરફથી મળ્યો હતો. જેથી આ અનુસાર અમરેલીથી એક ટીમ ડાયવર્ટ કરવામાં આવી છે.’
સી.આર. પાટીલે ચિંતા વ્યક્ત કરી
અત્રે ઉલ્લેખનીય છે કે બનાવની જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરી હતી. તેમજ જિલ્લા કલેક્ટરને CM એ બચાવ રાહત માટેના તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી હતી. આ ઘટનાને લઈને ભાજપપ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પાટીલે જણાવ્યું કે, ગુમ માછીમારોની શોધખોળ સાથ બચાવ કાર્ય પણ ચાલું છે. આ સાથે ગુમ થયેલા તમામ માછીમારો સ્વસ્થ હોય તેવી તેમણે પ્રભુને પ્રાર્થના કરી છે.
ગીર સોમનાથ જિલ્લાના નવાબંદરની આશરે 13 થી 15 બોટ ડૂબી ગઈ હતી
આશરે 10 થી 15 માછીમારો પણ લાપતા થયા હતા, જેમાંથી 4 માછીમારનો બચાવ થયો
હજી પણ 6 થી 7 માછીમારો લાપતા, ગુમ માછીમારોના બચાવ અને શોધખોળ કાર્ય માટે તજવીજ હાથ ધરાઈ
અમરેલી થી NDRFની ટીમ ગીર સોમનાથ ડાયવર્ટ કરવામાં આવી
WatchGujarat. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી માવઠાની અસર જોવા મળી રહી છે. ગત રોજ ગીર-સોમનાથના મધદરિયે કેટલાક માછીમાર પર આફત આવી હતી. મધદરિયે કેટલીક બોટ પલટી જતાં ઘણા માછીમાર ગુમ થયા હોવાની માહિતી સામે આવી હતી. આ માહિતી સામે આવતાં જ તંત્રએ યુદ્ધના ધોરણે ગુમ થયેલા માછીમારોની શોધખોળ શરુ કરી દીધી છે. જેમાં અત્યારસુધી 4 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પરંતુ હજી કેટલાંક માછીમારોની કોઈ માહિતી મળી નથી. જેથી આજે અમરેલી થી NDRFની ટીમ ગીર સોમનાથ ડાયવર્ટ કરવામાં આવી છે.
6 થી 8 જેટલા માછીમાર હજુ લાપતા
મળતી વિગતો અનુસાર ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદરની આશરે 13 થી 15 બોટ ડૂબી ગઈ છે. આશરે 10 થી 15 માછીમારો પણ લાપતા થયા હોવાની માહિતી સામે આવી હતી. જે બાદ ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટરે ઘટનાની પુષ્ટી કરી હતી. કલેક્ટરના જણાવ્યા પ્રમાણે, મોડી રાત્રે ફૂંકાયેલા ભારે પવનના કારણે નવાબંદર દરિયા કિનારે ભારે નુકસાન થયું છે. ત્યારે તમામ બોટ કાંઠા પર લાગરેલી હતી. તંત્ર દ્વારા હાલ તમામ લોકોની શોધખોળ હાથ ધરાઈ છે. દરિયે લાગરેલી હોડીઓ આપસમાં ટકરાતા નુકસાન થયુ છે. જોકે 4 માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ 6 થી 8 જેટલા માછીમાર હજુ લાપતા હોવાનું ખુલાસો થયો છે.
NDRF ની વધુ એક ટીમ ગીર સોમનાથ ડાયવર્ટ કરાઈ
મહત્વનું છે કે આ ઘટના બાદ તંત્રએ કોસ્ટ ગાર્ડ તેમજ હેલિકોપ્ટર દ્વારા માછીમારોની શોધખોળ શરુ કરી હતી. પરંતુ અન્ય ગુમ માછીમારોને શોધવા NDRFની વધુ એક ટીમ અમરેલીથી ગીર-સોમનાથ ડાયવર્ટ કરાઈ છે. જેમાં અમરેલીથી NDRFની ટીમ સ્પેશિયલ બોટ, લાઈફ જેકેટ સહિતના સાધનો સાથે માછીમારોની શોધખોળ માટે રવાના થયા છે. આ અંગે NDRFના ચીફે જણાવ્યું છે કે ‘માહિતી પ્રમાણે 4 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તો 8 લોકો હજુ લાપતા છે. આ મેસેજ કલેકટર તરફથી મળ્યો હતો. જેથી આ અનુસાર અમરેલીથી એક ટીમ ડાયવર્ટ કરવામાં આવી છે.’
સી.આર. પાટીલે ચિંતા વ્યક્ત કરી
અત્રે ઉલ્લેખનીય છે કે બનાવની જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરી હતી. તેમજ જિલ્લા કલેક્ટરને CM એ બચાવ રાહત માટેના તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી હતી. આ ઘટનાને લઈને ભાજપપ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પાટીલે જણાવ્યું કે, ગુમ માછીમારોની શોધખોળ સાથ બચાવ કાર્ય પણ ચાલું છે. આ સાથે ગુમ થયેલા તમામ માછીમારો સ્વસ્થ હોય તેવી તેમણે પ્રભુને પ્રાર્થના કરી છે.