શહેરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ એક ફરિયાદ નોંધાઇ
ભાડા કરાર પૂરો થયા બાદ પણ મકાન ખાલી ન કરતા કલેક્ટરમાં અરજી કરવાની ફરજ પડી
એ- ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો
WatchGujarat. શહેરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ એક ફરિયાદ નોંધાઇ છે. આ અંગે કલેક્ટરમાં અરજી થયા બાદ રામનાથપરામાં રહેતા નઝીરખાન ઉસ્માનખાન આફ્રિદીએ આનંદનગર કોલોનીમાં રહેતા હિરેન પ્રવીણ ગણાત્રા સામે ફરિયાદ નોંધાવી છે. જેને આધારે એ- ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જાણવા મળતી વિગત અનુસાર, ફરિયાદી ભૂતખાના ચોકમાં કમ્પ્યૂટર ક્લાસીસ ચલાવે છે. તેમને 1992માં વિસનદાસ ચંદુમલ મોટવાણી પાસેથી રૂ.85 હજારમાં ત્રણ રૂમ, રસોડું, ઓસરી, ફળિયાની સુવિધા સાથેનું 65.60 ચોરસ મીટરવાળુ મકાન વેચાણ દસ્તાવેજથી ખરીદ કર્યું હતું. મકાન ખરીદ કર્યા બાદ અલગ અલગ લોકોને મકાન ભાડે આપતો હતો. અને આ માટે નિયમ મુજબ 11 મહિનાના કરાર કરી નજીકના પોલીસ મથકે સમયસર જાણ પણ તેમના દ્વારા કરવામાં આવતી હતી.
વધુમાં તેમણે કહ્યું હતું કે, છેલ્લે આ મકાન આનંદનગર કોલોનીમાં રહેતા અને ગૃહઉદ્યોગનું કામ કરતા હિરેન ગણાત્રાને 2017માં રૂ.16 હજારના ભાડા કરારથી 11 મહિના માટે ભાડે આપ્યું હતું. મકાન ભાડે આપ્યા બાદ આ અંગે પોલીસમથકમાં પણ જાણ કરી હતી. ભાડા કરારથી લીધેલા મકાનનું ભાડું હિરેન ગણાત્રાએ માંડ ચૂકવ્યું હતું. દરમિયાન ભાડા કરાર તા.31-8-2018માં પૂરો થયા બાદ પણ મકાન ખાલી ન કરતા કલેક્ટરમાં અરજી કરવાની ફરજ પડી છે.
શહેરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ એક ફરિયાદ નોંધાઇ
ભાડા કરાર પૂરો થયા બાદ પણ મકાન ખાલી ન કરતા કલેક્ટરમાં અરજી કરવાની ફરજ પડી
એ- ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો
WatchGujarat. શહેરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ એક ફરિયાદ નોંધાઇ છે. આ અંગે કલેક્ટરમાં અરજી થયા બાદ રામનાથપરામાં રહેતા નઝીરખાન ઉસ્માનખાન આફ્રિદીએ આનંદનગર કોલોનીમાં રહેતા હિરેન પ્રવીણ ગણાત્રા સામે ફરિયાદ નોંધાવી છે. જેને આધારે એ- ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જાણવા મળતી વિગત અનુસાર, ફરિયાદી ભૂતખાના ચોકમાં કમ્પ્યૂટર ક્લાસીસ ચલાવે છે. તેમને 1992માં વિસનદાસ ચંદુમલ મોટવાણી પાસેથી રૂ.85 હજારમાં ત્રણ રૂમ, રસોડું, ઓસરી, ફળિયાની સુવિધા સાથેનું 65.60 ચોરસ મીટરવાળુ મકાન વેચાણ દસ્તાવેજથી ખરીદ કર્યું હતું. મકાન ખરીદ કર્યા બાદ અલગ અલગ લોકોને મકાન ભાડે આપતો હતો. અને આ માટે નિયમ મુજબ 11 મહિનાના કરાર કરી નજીકના પોલીસ મથકે સમયસર જાણ પણ તેમના દ્વારા કરવામાં આવતી હતી.
વધુમાં તેમણે કહ્યું હતું કે, છેલ્લે આ મકાન આનંદનગર કોલોનીમાં રહેતા અને ગૃહઉદ્યોગનું કામ કરતા હિરેન ગણાત્રાને 2017માં રૂ.16 હજારના ભાડા કરારથી 11 મહિના માટે ભાડે આપ્યું હતું. મકાન ભાડે આપ્યા બાદ આ અંગે પોલીસમથકમાં પણ જાણ કરી હતી. ભાડા કરારથી લીધેલા મકાનનું ભાડું હિરેન ગણાત્રાએ માંડ ચૂકવ્યું હતું. દરમિયાન ભાડા કરાર તા.31-8-2018માં પૂરો થયા બાદ પણ મકાન ખાલી ન કરતા કલેક્ટરમાં અરજી કરવાની ફરજ પડી છે.