ઉત્તરાયણના જ પ્રવર્તમાન સમયના સૌથી મોટા અંગદાનની વધુ એક દ્રષ્ટાંતરૂપ ઘટના બની
35 વર્ષીય બ્રેઈનડેડ મહિલાના પરિવારજનોએ અંગોનું દાન કરી માનવસેવાની મિસાલ સર્જનારો નિર્ણય લીધો
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં કુલ 32 લોકોએ અંગદાન કર્યું
આ અંગદાનથી 84 લોકોને નવું જીવન મળ્યું
WatchGujarat. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઉત્તરાયણના તહેવાર પર સૌથી મોટા અંગદાનની વધુ એક દ્રષ્ટાંતરૂપ ઘટના બની હતી. જેમાં શહેરની 35 વર્ષીય બ્રેઈનડેડ થયેલ મહિલાના પરિવારે અંગદાનનો નિર્ણય લીધો હતો. જેના કારણે અન્યને નવુ જીવન મળી રહેશે. મહત્વનું છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં 32 વ્યક્તિના અંગદાનથી 84 જેટલા લોકોને નવજીવન મળ્યું છે. જે કોઈ મહાયજ્ઞથી ઓછું નથી.
મીડિયા અહેવાલ અનુસાર શહેરના જૂના વાડજ વિસ્તારમાં રહેતાં 35 વર્ષીય મનીષાબહેન ગેડીયાને ગત 11 જાન્યુઆરીના રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતા. તેમને માથામાં અસહ્ય દુઃખાવો અને શારીરિક નબળાઈ હતી. જે બાદ તબીબો દ્વારા તેમની સારવાર હાથ ધરવામાં આવી હતી. પરંતુ અનેક પ્રયત્નો છતાં મનીષાબહેનનો જીવ બચાવી શકાયો નહીં. મનીષાબહેનના તબીબો દ્વારા બ્રેઈન ડેડ જાહેર કરાયા હતા. જે બાદ હોસ્પિટલની SOTTO ની ટીમ દ્વારા તેમના પરિવારજનોને અંગદાન માટે સમજણ આપવામાં આવી હતી. તેમના પરિવારજનોએ મનિષાબહેનના અંગોનું દાન કરવાયો નિર્ણય લીધો હતો. જે બાદ હોસ્પિટલની ઓર્ગન ડોનેશન સાથે જોડાયેલી ટીમને મનીષાબહેનના લિવરનું દાન મેળવવામાં સફળતા મળી હતી.
સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં 32 વ્યક્તિના અંગદાનથી 84 ને નવજીવન
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રોમાં મકરસંક્રાતિના પર્વમાં વિવિધ પ્રકારના દાનનો મહિમા ઉજાગર કરવામાં આવ્યો છે. ત્યારે મનીષાબહેનના અંગોનું દાન કરવાનો પરિવારે માનવસેવાની મિસાલ સર્જનારો નિર્ણય લીધો હતો. અને ઉત્તરાયણના પર્વ દરમિયાન બ્રેઈન ડેડ મનીષા બહેનના અંગદાનથી લિવરના દર્દીના જીવનમાં સ્મિત રેલાયું છે.
આ અંગે મીડિયા સાથે વાત કરતાં સિવિલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1 વર્ષમાં SOTTO અંતર્ગત 32 વ્યક્તિના અંગદાનમાં સફળતા મળી છે, જેના થકી 99 અંગોનું પ્રત્યારોપણ થયું છે અને 84 પીડિતોનું જીવન બદલાવ્યું છે. કોઈ પણ વ્યક્તિના અંગોનું દાન મેળવવા પૂર્વે વિવિધ ટેસ્ટની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા અનુસરવાની હોય છે. આ પ્રર્કિયા બાદ જ અંગોનું દાન થઈ કે છે.
અંગદાન કેવી રીતે થાય છે?
બ્રેઈનડેડ થયેલી વ્યક્તિના અંગોનું દાન થઈ શકે છે
જે વ્યક્તિના અંગોનું દાન કરવાનું છે તે વ્યક્તિનો જીસીએસ કોડ પાંચથી ઓછો હોવો જોઈએ.
ત્યારબાદ એપ્રિયા ટેસ્ટ થાય. આ ટેસ્ટ પોઝિટિવ આવે તો જ તે વ્યક્તિના અંગોનું દાન થઈ શકે.
મહત્વનું છે કે છેલ્લાં 1 વર્ષમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલે તબીબી વિજ્ઞાનની નજરે નોંધપાત્ર સફળતા મેળવી છે. વધુમાં ડો. રાકેશ જોષીએ જણાવ્યું કે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સતત પ્રેરણારૂપ માર્ગદર્શન હેઠળ અંગદાનમાં જ્વલંત સફળતા મળી રહી છે. રિટ્રાઈવલ સેન્ટર શરૂ થયાના ખૂબ જ ટૂંકા ગાળામાં સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમ દ્વારા અંગદાનની પ્રસંશનીય કામગીરી કરવામાં આવી છે. વધુમાં વધુ લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતી આવે અને આ અંગદાન થકી જરૂરીયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ થાય અને તેમના જીવનની ગુણવત્તા, કાર્યક્ષમતામાં વધારો થાય તે દિશામાં અમારી સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમ પ્રયત્નશીલ છે.
ઉત્તરાયણના જ પ્રવર્તમાન સમયના સૌથી મોટા અંગદાનની વધુ એક દ્રષ્ટાંતરૂપ ઘટના બની
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં કુલ 32 લોકોએ અંગદાન કર્યું
આ અંગદાનથી 84 લોકોને નવું જીવન મળ્યું
WatchGujarat. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઉત્તરાયણના તહેવાર પર સૌથી મોટા અંગદાનની વધુ એક દ્રષ્ટાંતરૂપ ઘટના બની હતી. જેમાં શહેરની 35 વર્ષીય બ્રેઈનડેડ થયેલ મહિલાના પરિવારે અંગદાનનો નિર્ણય લીધો હતો. જેના કારણે અન્યને નવુ જીવન મળી રહેશે. મહત્વનું છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં 32 વ્યક્તિના અંગદાનથી 84 જેટલા લોકોને નવજીવન મળ્યું છે. જે કોઈ મહાયજ્ઞથી ઓછું નથી.
મીડિયા અહેવાલ અનુસાર શહેરના જૂના વાડજ વિસ્તારમાં રહેતાં 35 વર્ષીય મનીષાબહેન ગેડીયાને ગત 11 જાન્યુઆરીના રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતા. તેમને માથામાં અસહ્ય દુઃખાવો અને શારીરિક નબળાઈ હતી. જે બાદ તબીબો દ્વારા તેમની સારવાર હાથ ધરવામાં આવી હતી. પરંતુ અનેક પ્રયત્નો છતાં મનીષાબહેનનો જીવ બચાવી શકાયો નહીં. મનીષાબહેનના તબીબો દ્વારા બ્રેઈન ડેડ જાહેર કરાયા હતા. જે બાદ હોસ્પિટલની SOTTO ની ટીમ દ્વારા તેમના પરિવારજનોને અંગદાન માટે સમજણ આપવામાં આવી હતી. તેમના પરિવારજનોએ મનિષાબહેનના અંગોનું દાન કરવાયો નિર્ણય લીધો હતો. જે બાદ હોસ્પિટલની ઓર્ગન ડોનેશન સાથે જોડાયેલી ટીમને મનીષાબહેનના લિવરનું દાન મેળવવામાં સફળતા મળી હતી.
સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં 32 વ્યક્તિના અંગદાનથી 84 ને નવજીવન
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રોમાં મકરસંક્રાતિના પર્વમાં વિવિધ પ્રકારના દાનનો મહિમા ઉજાગર કરવામાં આવ્યો છે. ત્યારે મનીષાબહેનના અંગોનું દાન કરવાનો પરિવારે માનવસેવાની મિસાલ સર્જનારો નિર્ણય લીધો હતો. અને ઉત્તરાયણના પર્વ દરમિયાન બ્રેઈન ડેડ મનીષા બહેનના અંગદાનથી લિવરના દર્દીના જીવનમાં સ્મિત રેલાયું છે.
આ અંગે મીડિયા સાથે વાત કરતાં સિવિલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1 વર્ષમાં SOTTO અંતર્ગત 32 વ્યક્તિના અંગદાનમાં સફળતા મળી છે, જેના થકી 99 અંગોનું પ્રત્યારોપણ થયું છે અને 84 પીડિતોનું જીવન બદલાવ્યું છે. કોઈ પણ વ્યક્તિના અંગોનું દાન મેળવવા પૂર્વે વિવિધ ટેસ્ટની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા અનુસરવાની હોય છે. આ પ્રર્કિયા બાદ જ અંગોનું દાન થઈ કે છે.
અંગદાન કેવી રીતે થાય છે?
બ્રેઈનડેડ થયેલી વ્યક્તિના અંગોનું દાન થઈ શકે છે
જે વ્યક્તિના અંગોનું દાન કરવાનું છે તે વ્યક્તિનો જીસીએસ કોડ પાંચથી ઓછો હોવો જોઈએ.
ત્યારબાદ એપ્રિયા ટેસ્ટ થાય. આ ટેસ્ટ પોઝિટિવ આવે તો જ તે વ્યક્તિના અંગોનું દાન થઈ શકે.
મહત્વનું છે કે છેલ્લાં 1 વર્ષમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલે તબીબી વિજ્ઞાનની નજરે નોંધપાત્ર સફળતા મેળવી છે. વધુમાં ડો. રાકેશ જોષીએ જણાવ્યું કે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સતત પ્રેરણારૂપ માર્ગદર્શન હેઠળ અંગદાનમાં જ્વલંત સફળતા મળી રહી છે. રિટ્રાઈવલ સેન્ટર શરૂ થયાના ખૂબ જ ટૂંકા ગાળામાં સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમ દ્વારા અંગદાનની પ્રસંશનીય કામગીરી કરવામાં આવી છે. વધુમાં વધુ લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતી આવે અને આ અંગદાન થકી જરૂરીયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ થાય અને તેમના જીવનની ગુણવત્તા, કાર્યક્ષમતામાં વધારો થાય તે દિશામાં અમારી સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમ પ્રયત્નશીલ છે.