UAEના નામથી ખજૂરના 80 કન્ટેનર ડિટેઇન ભારત મોકલ્યા હતા
દિલ્હીની ડમી પેઢીના નામનો સહારો લીધો હતો
કસ્ટમ વિભાગે 80 કન્ટેનરમાંથી 1600 ટન ખજૂરનો જથ્થો અટકાવ્યો
સરકારને એક જ ઝાટકે 170 ટકા ડ્યુટી ચોરીનો ધુંબો મારવાનો પ્લાન નિષ્ફળ નિવળ્યો
WatchGujarat. ફરી એક વખત પાકિસ્તાની ના પાક હરકત સામે આવી છે. સૌરાષ્ટ્રના પીપાવાવ પોર્ટ પરથી UAEના નામે કરવામાં આવતી કસ્ટમ ડ્યૂટીની ચોરીનું કૌભાંડ કસ્ટમ વિભાગે પકડી પાડતા પાકિસ્તાનની કરતૂતનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઇ છે.
સમગ્ર મામલે મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્રના પીપાવાવ પોર્ટ પર પાકિસ્તાન ઓછી કસ્ટમ ડ્યૂટી ભરવા માટે UAEના નામથી ખજૂરના 80 કન્ટેનર ડિટેઇન ભારત મોકલ્યા હતા. આ માટે તેણે દિલ્હીની ડમી પેઢીના નામનો સહારો પણ લીધો હતો..પરતું કસ્ટમ વિભાગને શંકા જતા વધુ તપાસ હાથ ધરી હતી જેમાં કરોડાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. કસ્ટમ વિભાગની તપાસમાં દિલ્હીની આયતકાર પેઢી ડમી હોવાનું સામે આવતા કસ્ટમ વિભાગે 80 કન્ટેનરમાંથી 1600 ટન ખજૂરનો જથ્થો અટકાવ્યો છે અને પાકિસ્તાની ખજૂરના તમામ 80 કન્ટેનર ડિટેઇન કર્યા છે.
કસ્ટમ વિભાગની પ્રાથમિક તપાસમાં દિલ્હીની આયાતકાર પેઢી ડમી હોવાનું જાણવા મળ્યું છે. હાલ UAEના નામથી આવેલા પાકિસ્તાની ખજૂરના 80 કન્ટેનર પીપાવાવ પોર્ટ પર ડિટેઇન કરાયા છે. UAE માટે 30 ટકા ડ્યૂટી અને પાકિસ્તાન માટે 200 ટકા કસ્ટમ ડ્યૂટી છે. 170 ટકા ડ્યુટી ચોરીનું કૌભાંડ કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યું છે. દિલ્હીની ડમી પેઢીના નામે કરોડોનું ખજૂર મોકલાઇ રહ્યું હતું ત્યારે કસ્ટમ વિભાગે 80 કન્ટેનરમાંથી 1 હજાર 600 ખજૂરનો જથ્થો અટકાવ્યો છે. હાલ તો સમગ્ર મામલે કસ્ટમ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે..
આમ સરકારને એક જ ઝાટકે 170 ટકા ડ્યુટી ચોરીનો ધુંબો મારવાનો પ્લાન નિષ્ફળ નિવળ્યો છે. આ કૌભાંડ બહાર આવતા જણાઇ રહ્યુ છે કે ખજૂરના વેપાર થકી પાકિસ્તાની આકાઓ ટેરર ફડીંગ કરતા હોવાની શંકા સેવાય રહી છે ત્યારે કસ્ટમ સહિત અન્ય વિભાગ પણ આ મામલે તપાસમાં જોડાઇ શકે છે.
- UAEના નામથી ખજૂરના 80 કન્ટેનર ડિટેઇન ભારત મોકલ્યા હતા
- દિલ્હીની ડમી પેઢીના નામનો સહારો લીધો હતો
- કસ્ટમ વિભાગે 80 કન્ટેનરમાંથી 1600 ટન ખજૂરનો જથ્થો અટકાવ્યો
- સરકારને એક જ ઝાટકે 170 ટકા ડ્યુટી ચોરીનો ધુંબો મારવાનો પ્લાન નિષ્ફળ નિવળ્યો
WatchGujarat. ફરી એક વખત પાકિસ્તાની ના પાક હરકત સામે આવી છે. સૌરાષ્ટ્રના પીપાવાવ પોર્ટ પરથી UAEના નામે કરવામાં આવતી કસ્ટમ ડ્યૂટીની ચોરીનું કૌભાંડ કસ્ટમ વિભાગે પકડી પાડતા પાકિસ્તાનની કરતૂતનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઇ છે.
સમગ્ર મામલે મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્રના પીપાવાવ પોર્ટ પર પાકિસ્તાન ઓછી કસ્ટમ ડ્યૂટી ભરવા માટે UAEના નામથી ખજૂરના 80 કન્ટેનર ડિટેઇન ભારત મોકલ્યા હતા. આ માટે તેણે દિલ્હીની ડમી પેઢીના નામનો સહારો પણ લીધો હતો..પરતું કસ્ટમ વિભાગને શંકા જતા વધુ તપાસ હાથ ધરી હતી જેમાં કરોડાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. કસ્ટમ વિભાગની તપાસમાં દિલ્હીની આયતકાર પેઢી ડમી હોવાનું સામે આવતા કસ્ટમ વિભાગે 80 કન્ટેનરમાંથી 1600 ટન ખજૂરનો જથ્થો અટકાવ્યો છે અને પાકિસ્તાની ખજૂરના તમામ 80 કન્ટેનર ડિટેઇન કર્યા છે.
કસ્ટમ વિભાગની પ્રાથમિક તપાસમાં દિલ્હીની આયાતકાર પેઢી ડમી હોવાનું જાણવા મળ્યું છે. હાલ UAEના નામથી આવેલા પાકિસ્તાની ખજૂરના 80 કન્ટેનર પીપાવાવ પોર્ટ પર ડિટેઇન કરાયા છે. UAE માટે 30 ટકા ડ્યૂટી અને પાકિસ્તાન માટે 200 ટકા કસ્ટમ ડ્યૂટી છે. 170 ટકા ડ્યુટી ચોરીનું કૌભાંડ કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યું છે. દિલ્હીની ડમી પેઢીના નામે કરોડોનું ખજૂર મોકલાઇ રહ્યું હતું ત્યારે કસ્ટમ વિભાગે 80 કન્ટેનરમાંથી 1 હજાર 600 ખજૂરનો જથ્થો અટકાવ્યો છે. હાલ તો સમગ્ર મામલે કસ્ટમ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે..
આમ સરકારને એક જ ઝાટકે 170 ટકા ડ્યુટી ચોરીનો ધુંબો મારવાનો પ્લાન નિષ્ફળ નિવળ્યો છે. આ કૌભાંડ બહાર આવતા જણાઇ રહ્યુ છે કે ખજૂરના વેપાર થકી પાકિસ્તાની આકાઓ ટેરર ફડીંગ કરતા હોવાની શંકા સેવાય રહી છે ત્યારે કસ્ટમ સહિત અન્ય વિભાગ પણ આ મામલે તપાસમાં જોડાઇ શકે છે.