PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત છાત્રાલયનું ભૂમિ પૂજન કર્યું
બીજા તબક્કાની છાત્રાલયનું નિર્માણ આગામી વર્ષથી શરૂ થશે, 500 છોકરીઓ માટે વ્યવસ્થા કરવામાં આવશે
CM ના ભરપેટ વખાણ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું- 'ભૂપેન્દ્ર પટેલ પાક્કુ કામ કરે છે'
પટેલ સમાજ દ્વારા ગુજરાતના શિક્ષણમાં ખૂબ અનેરૂ પ્રદાન કરાયું- PM મોદી
WatchGujarat. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિજયાદશમીના શુભ દિને સુરતમાં હોસ્ટેલ ફેઝ વનનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ભૂમિપૂજન કર્યું હતું. સુરતના વાલક પાટિયા પાસે સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા અદ્યતન હોસ્ટેલના પ્રથમ ફેઝનું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદી દ્વારા કરાયું હતું. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે પટેલ સમાજ દ્વારા ગુજરાતમાં શિક્ષણને લઈને ખૂબ કામ કરવામાં આવ્યું છે. આ શિક્ષણધામ હોસ્ટેલ પણ આવનારા સમયમાં લોકોને ખૂબ મદદગાર બનશે તેમજ રાષ્ટ્રને આ હોસ્ટેલથી ખૂબ લાભ થશે. આ પ્રસંગે મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં ભરપેટ વખાણ કરતાં કહ્યું, કે ખૂબ મહેનતું છે અને કામ પાક્કું કરે છે તથા સુરતમાંથી શરૂ થયેલા બેટી બચાવના જે-તે વખતના અભિયાનને પણ યાદ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન સહીત વિવિધ પ્રધાનો પણ હાજર રહ્યા હતા. આ સાથે પટેલ સમાજના અગ્રણીઓ અને શહેરીજનો પણ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં.
વડાપ્રધાને રિમોટ કન્ટ્રોલથી હોસ્ટેલના પ્રથમ ફેઝનું લોકાર્પણ કર્યું હતું. સોશિયલ ડિસ્ટન્સ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને દેશવાસીઓને વિજ્યાદશમીની શુભકામના પાઠવવાની સાથે સાથે રામાયણનો પ્રસંગ ટાંકતાં કહ્યું હતું કે, અસૂરી શક્તિ સામે આપણે વિજય મેળવવાનો છે, જેના માટે જ્ઞાન શક્તિ પણ ખૂબ જરૂરી છે. આ હોસ્ટેલ એમાંની એક સાબિત થશે. આજના પવિત્ર દિવસે આ પવિત્ર કામનું પુણ્ય મને મળ્યું એનો પણ આભાર માનું છું. ઉલ્લેખનીય છે કે આ છોકરાઓની છાત્રાલય છે જે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા બનાવવામાં આવી છે. છાત્રાલયની ઇમારતમાં લગભગ 1500 વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા છે. તેમાં વિદ્યાર્થીઓ માટે સભાગૃહ અને પુસ્તકાલય પણ છે. મહત્વનું છે કે બીજા તબક્કાની છાત્રાલયનું નિર્માણ આગામી વર્ષથી શરૂ થશે જેમાં 500 છોકરીઓ માટે વ્યવસ્થા કરવામાં આવશે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સુરત ખાતે રૂ.200 કરોડના ખર્ચે હોસ્ટેલ સંકુલનું નિર્માણ થશે.
PM મોદીએ કર્યા ગુજરાત CMના ભરપેટ વખાણ
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં વખાણ કરતાં કહ્યું કે 'હું તેમને છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી ઓળખું છે. નાની શરૂઆત કરીને આજે તેઓ મુખ્યમંત્રીપદ સુધી પહોંચ્યા છે. ખૂબ ઓછું અને મધુર બોલે છે. જે કામ કરે છે એ પાક્કું કામ કરે છે. તેઓ ગુજરાતને વધુ આગળ લઈ જશે એનો મને વિશ્વાસ છે. મુખ્યમંત્રી બનતા અગાઉ પણ તેમણે ખૂબ કામ કર્યું છે, જે આગળ પણ કરતા રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા અને યુનિવર્સિટીઓ અંગે વાત કરી હતી.
પટેલ સમાજ દ્વારા ગુજરાતના શિક્ષણમાં ખૂબ અનેરૂ પ્રદાન કરાયું- PM મોદી
આ સાથે પ્રધાનમંત્રી મોદીએ શિક્ષણમાં પટેલોની ભૂમિકા યાદ કરાવી હતી. જેમાં તેમણે વર્ષ 1919માં છગનભાઈએ કડીમાં શરૂ કરેલા સર્વ વિદ્યાલયની વાત કરવાની સાથે સાથે ભીખાભાઈ પટેલ, ભાઈકાકા, મોહન લાલજી પટેલ, વીરજી પટેલ, નગીન પટેલ, સાકળચંદ પટેલ, ગણપત પટેલ સહિતના શિક્ષણક્ષેત્રમાં આગવું કામ કરનારા તમામને યાદ કરીને પટેલ મહાનુભાવોએ ગુજરાતના શિક્ષણમાં આપેલા પ્રદાનને યાદ કર્યું હતું.
- PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત છાત્રાલયનું ભૂમિ પૂજન કર્યું
- બીજા તબક્કાની છાત્રાલયનું નિર્માણ આગામી વર્ષથી શરૂ થશે, 500 છોકરીઓ માટે વ્યવસ્થા કરવામાં આવશે
- CM ના ભરપેટ વખાણ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું- 'ભૂપેન્દ્ર પટેલ પાક્કુ કામ કરે છે'
- પટેલ સમાજ દ્વારા ગુજરાતના શિક્ષણમાં ખૂબ અનેરૂ પ્રદાન કરાયું- PM મોદી
WatchGujarat. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિજયાદશમીના શુભ દિને સુરતમાં હોસ્ટેલ ફેઝ વનનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ભૂમિપૂજન કર્યું હતું. સુરતના વાલક પાટિયા પાસે સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા અદ્યતન હોસ્ટેલના પ્રથમ ફેઝનું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદી દ્વારા કરાયું હતું. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે પટેલ સમાજ દ્વારા ગુજરાતમાં શિક્ષણને લઈને ખૂબ કામ કરવામાં આવ્યું છે. આ શિક્ષણધામ હોસ્ટેલ પણ આવનારા સમયમાં લોકોને ખૂબ મદદગાર બનશે તેમજ રાષ્ટ્રને આ હોસ્ટેલથી ખૂબ લાભ થશે. આ પ્રસંગે મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં ભરપેટ વખાણ કરતાં કહ્યું, કે ખૂબ મહેનતું છે અને કામ પાક્કું કરે છે તથા સુરતમાંથી શરૂ થયેલા બેટી બચાવના જે-તે વખતના અભિયાનને પણ યાદ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન સહીત વિવિધ પ્રધાનો પણ હાજર રહ્યા હતા. આ સાથે પટેલ સમાજના અગ્રણીઓ અને શહેરીજનો પણ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં.
વડાપ્રધાને રિમોટ કન્ટ્રોલથી હોસ્ટેલના પ્રથમ ફેઝનું લોકાર્પણ કર્યું હતું. સોશિયલ ડિસ્ટન્સ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને દેશવાસીઓને વિજ્યાદશમીની શુભકામના પાઠવવાની સાથે સાથે રામાયણનો પ્રસંગ ટાંકતાં કહ્યું હતું કે, અસૂરી શક્તિ સામે આપણે વિજય મેળવવાનો છે, જેના માટે જ્ઞાન શક્તિ પણ ખૂબ જરૂરી છે. આ હોસ્ટેલ એમાંની એક સાબિત થશે. આજના પવિત્ર દિવસે આ પવિત્ર કામનું પુણ્ય મને મળ્યું એનો પણ આભાર માનું છું. ઉલ્લેખનીય છે કે આ છોકરાઓની છાત્રાલય છે જે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા બનાવવામાં આવી છે. છાત્રાલયની ઇમારતમાં લગભગ 1500 વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા છે. તેમાં વિદ્યાર્થીઓ માટે સભાગૃહ અને પુસ્તકાલય પણ છે. મહત્વનું છે કે બીજા તબક્કાની છાત્રાલયનું નિર્માણ આગામી વર્ષથી શરૂ થશે જેમાં 500 છોકરીઓ માટે વ્યવસ્થા કરવામાં આવશે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સુરત ખાતે રૂ.200 કરોડના ખર્ચે હોસ્ટેલ સંકુલનું નિર્માણ થશે.
PM મોદીએ કર્યા ગુજરાત CMના ભરપેટ વખાણ
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં વખાણ કરતાં કહ્યું કે 'હું તેમને છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી ઓળખું છે. નાની શરૂઆત કરીને આજે તેઓ મુખ્યમંત્રીપદ સુધી પહોંચ્યા છે. ખૂબ ઓછું અને મધુર બોલે છે. જે કામ કરે છે એ પાક્કું કામ કરે છે. તેઓ ગુજરાતને વધુ આગળ લઈ જશે એનો મને વિશ્વાસ છે. મુખ્યમંત્રી બનતા અગાઉ પણ તેમણે ખૂબ કામ કર્યું છે, જે આગળ પણ કરતા રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા અને યુનિવર્સિટીઓ અંગે વાત કરી હતી.
પટેલ સમાજ દ્વારા ગુજરાતના શિક્ષણમાં ખૂબ અનેરૂ પ્રદાન કરાયું- PM મોદી
આ સાથે પ્રધાનમંત્રી મોદીએ શિક્ષણમાં પટેલોની ભૂમિકા યાદ કરાવી હતી. જેમાં તેમણે વર્ષ 1919માં છગનભાઈએ કડીમાં શરૂ કરેલા સર્વ વિદ્યાલયની વાત કરવાની સાથે સાથે ભીખાભાઈ પટેલ, ભાઈકાકા, મોહન લાલજી પટેલ, વીરજી પટેલ, નગીન પટેલ, સાકળચંદ પટેલ, ગણપત પટેલ સહિતના શિક્ષણક્ષેત્રમાં આગવું કામ કરનારા તમામને યાદ કરીને પટેલ મહાનુભાવોએ ગુજરાતના શિક્ષણમાં આપેલા પ્રદાનને યાદ કર્યું હતું.