WatchGujarat. કોરોના સંક્રમણ સામે તૈયારીઓ સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠકો કરવાનું ચાલું છે. શુક્રવારે વડાપ્રધાન 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે, જ્યાં કોવિડ -19 (Covid-19) ના કેસો વધી રહ્યા છે. આ રાજ્યોમાં તમિળનાડુ (Tamil Nadu), આંધ્ર પ્રદેશ (Andhra Pradesh), કર્ણાટક (Karnataka), કેરળ (Kerala), ઓડિશા (Odisha) અને મહારાષ્ટ્ર છે. આ બેઠકમાં રાજ્યોમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચા થઈ શકે છે. મંગળવારે જ વડાપ્રધાને ઉત્તર પૂર્વી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી.
સમાચાર અહેવાલો અનુસાર આ 6 રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ પહેલા પણ મંગળવારે મળેલી બેઠકમાં વડાપ્રધાને હિલ સ્ટેશન અને બજારોમાં માસ્કના નિયમોની અવગણના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે તેમણે માઇક્રો કન્ટેન્ટ ઝોન પર ભાર મૂકવાનું પણ કહ્યું હતું. પીએમ મોદી ગુરુવારે વારાણસી પહોંચ્યા, જ્યાં તેમણે કોરોના સંક્રમણ સામે બેદરકાર ન રહેવાની અપીલ કરી.
આ બેઠકમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, ઓડિશા અને મહારાષ્ટ્રમાં કોવિડ -19 અને રસીકરણની સ્થિતિની સમીક્ષા થવાની અપેક્ષા છે. રિપોર્ટમાં સરકારના નિવેદનની ટાંકીને કહેવામાં આવ્યું છે કે કેરળ સિવાય ભારતના 73.4 ટકા નવા કેસો આ રાજ્યોમાં મળી આવ્યા છે. 13 જુલાઈના રોજ પૂરા થતાં સપ્તાહ દરમિયાન, દેશમાં કુલ 55 જિલ્લાઓ એવા હતા જ્યાં કોવિડ -19 પરીક્ષણની પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ હતી.
ખાસ વાત એ છે કે ઓડિશા અને તમિલનાડુના નામનો સમાવેશ રાજ્યોની યાદીમાં કરવામાં આવ્યો છે જે રસીના અભાવ અંગે ફરિયાદ કરતા રહે છે. ઓડિશામાં, રસીનો અભાવ હોવાને કારણે આ અઠવાડિયે રસીકરણનો કાર્યક્રમ બંધ કરવામાં આવ્યો હતો. રાજ્યના આરોગ્ય સચિવ પીકે મહાપત્રાએ કહ્યું હતું કે, 'જુલાઈ માટે કોવિશિલ્ડના 25 લાખ ડોઝ ફાળવવામાં આવ્યા હતા. જ્યારે, અમને આ મહિનામાં બીજા ડોઝ માટે ઓછામાં ઓછા 28.3 લાખ ડોઝની જરૂર હતી.
તેમને સ્પષ્ટ કર્યું હતું કે કોવિશિલ્ડની આગામી માલ આવ્યાં પછી જ રસીકરણ ફરી શરૂ થશે. આ ઉપરાંત ગયા અઠવાડિયે પણ તમિળનાડુમાં વેક્સીનની અછત હોવાના સમાચાર આવ્યા હતા. શનિવારે રાજ્યના 18 જિલ્લાઓમાં કોઈ વેક્સીન બચી નથી. આ પછી, રવિવારે રાત્રે કોવિશિલ્ડના 5 લાખ ડોઝ મોકલવામાં આવ્યા હતા.
WatchGujarat. કોરોના સંક્રમણ સામે તૈયારીઓ સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠકો કરવાનું ચાલું છે. શુક્રવારે વડાપ્રધાન 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે, જ્યાં કોવિડ -19 (Covid-19) ના કેસો વધી રહ્યા છે. આ રાજ્યોમાં તમિળનાડુ (Tamil Nadu), આંધ્ર પ્રદેશ (Andhra Pradesh), કર્ણાટક (Karnataka), કેરળ (Kerala), ઓડિશા (Odisha) અને મહારાષ્ટ્ર છે. આ બેઠકમાં રાજ્યોમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચા થઈ શકે છે. મંગળવારે જ વડાપ્રધાને ઉત્તર પૂર્વી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી.
સમાચાર અહેવાલો અનુસાર આ 6 રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ પહેલા પણ મંગળવારે મળેલી બેઠકમાં વડાપ્રધાને હિલ સ્ટેશન અને બજારોમાં માસ્કના નિયમોની અવગણના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે તેમણે માઇક્રો કન્ટેન્ટ ઝોન પર ભાર મૂકવાનું પણ કહ્યું હતું. પીએમ મોદી ગુરુવારે વારાણસી પહોંચ્યા, જ્યાં તેમણે કોરોના સંક્રમણ સામે બેદરકાર ન રહેવાની અપીલ કરી.
આ બેઠકમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, ઓડિશા અને મહારાષ્ટ્રમાં કોવિડ -19 અને રસીકરણની સ્થિતિની સમીક્ષા થવાની અપેક્ષા છે. રિપોર્ટમાં સરકારના નિવેદનની ટાંકીને કહેવામાં આવ્યું છે કે કેરળ સિવાય ભારતના 73.4 ટકા નવા કેસો આ રાજ્યોમાં મળી આવ્યા છે. 13 જુલાઈના રોજ પૂરા થતાં સપ્તાહ દરમિયાન, દેશમાં કુલ 55 જિલ્લાઓ એવા હતા જ્યાં કોવિડ -19 પરીક્ષણની પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ હતી.
ખાસ વાત એ છે કે ઓડિશા અને તમિલનાડુના નામનો સમાવેશ રાજ્યોની યાદીમાં કરવામાં આવ્યો છે જે રસીના અભાવ અંગે ફરિયાદ કરતા રહે છે. ઓડિશામાં, રસીનો અભાવ હોવાને કારણે આ અઠવાડિયે રસીકરણનો કાર્યક્રમ બંધ કરવામાં આવ્યો હતો. રાજ્યના આરોગ્ય સચિવ પીકે મહાપત્રાએ કહ્યું હતું કે, 'જુલાઈ માટે કોવિશિલ્ડના 25 લાખ ડોઝ ફાળવવામાં આવ્યા હતા. જ્યારે, અમને આ મહિનામાં બીજા ડોઝ માટે ઓછામાં ઓછા 28.3 લાખ ડોઝની જરૂર હતી.
તેમને સ્પષ્ટ કર્યું હતું કે કોવિશિલ્ડની આગામી માલ આવ્યાં પછી જ રસીકરણ ફરી શરૂ થશે. આ ઉપરાંત ગયા અઠવાડિયે પણ તમિળનાડુમાં વેક્સીનની અછત હોવાના સમાચાર આવ્યા હતા. શનિવારે રાજ્યના 18 જિલ્લાઓમાં કોઈ વેક્સીન બચી નથી. આ પછી, રવિવારે રાત્રે કોવિશિલ્ડના 5 લાખ ડોઝ મોકલવામાં આવ્યા હતા.