ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનાં નિવેદન પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો વળતો જવાબ
રઘુ શર્માના નિવેદનને જીતુ વાઘાણીએ પણ વખોડી કાઢ્યું
WatchGujarat. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનાં એક નિવેદનથી રાજકારણ ગરમાયું છે.રઘુ શર્માએ એક વિવાદાસ્દ નિવેદન આપ્યુ હતું જેનો વળતો જવાબ ભારતીય જનતા પાર્ટીએ આપ્યો છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કહ્યું કે, ગુજરાતમાં ભાજપના રાજમાં ગુજરાતથી બહાર આવતા લોકો ભય વચ્ચે જીવે છે એટલે પરપ્રાંતીય લોકોમાં ડર છે. અહીં લોકતંત્ર સુરક્ષિત નથી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માના નિવેદનને સીઆર પાટીલે વખોડ્યુ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નવસારીના ગણદેવી ખાતે વિરોધ નોંધાવ્યો છે. અને અન્ય રાજ્ય કરતા ગુજરાતમાં પરપ્રાંતિયોને રોજગારી અને રહેવા માટે સૌથી વધારે સુરક્ષિત વાતાવરણ હોવાનું નિવેદન આપ્યુ છે. સી.આર.પાટીલે કહ્યુ હતુ કે તેઓને કદાચ ખ્યાલ નહીં હોય પરંતુ સમગ્ર દેશમાંથી ગુજરાતમાં પરપ્રાતીંય લોકો વધુ છે .જેઓને અહીં રોટલો અને ઓટલો બન્ને મળી જાય છે. અહીં પરપ્રાતીય લોકોને સુરક્ષા પણ મળી રહે છે.
આટલું જ નહીં કૉંગ્રેસ પ્રભારી રઘુ શર્માના નિવેદન પર જીતુ વાઘાણીએ આકરી પ્રતિક્રિયા આપતા દેશની કૉંગ્રેસને સ્ટેન્ડ ક્લિયર કરવા કહ્યું છે. વાઘાણીએ કહ્યું કે કૉંગ્રેસ એ નક્કી કરે કે તે રઘુ શર્માના નિવેદનની સાથે છે કે નહીં? સાથે જ તેમણે કૉંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે- 2022ની ચૂંટણીમાં હાર ભાળી ગયેલી કૉંગ્રેસ ભાગલા પાડવાનું કામ કરી રહી છે.. હકીકતમાં તો પરપ્રાંતીયો ગુજરાતમાં સુરક્ષિત છે. પરપ્રાંતીયોને સૌથી વધુ રોજગારી ગુજરાતમાં મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે.માટે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે.ભાજપ અને કોગ્રેસ એકાબીજા પર પ્રહાર કરી રહ્યા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનાં નિવેદન પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો વળતો જવાબ
રઘુ શર્માના નિવેદનને જીતુ વાઘાણીએ પણ વખોડી કાઢ્યું
WatchGujarat. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનાં એક નિવેદનથી રાજકારણ ગરમાયું છે.રઘુ શર્માએ એક વિવાદાસ્દ નિવેદન આપ્યુ હતું જેનો વળતો જવાબ ભારતીય જનતા પાર્ટીએ આપ્યો છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કહ્યું કે, ગુજરાતમાં ભાજપના રાજમાં ગુજરાતથી બહાર આવતા લોકો ભય વચ્ચે જીવે છે એટલે પરપ્રાંતીય લોકોમાં ડર છે. અહીં લોકતંત્ર સુરક્ષિત નથી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માના નિવેદનને સીઆર પાટીલે વખોડ્યુ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નવસારીના ગણદેવી ખાતે વિરોધ નોંધાવ્યો છે. અને અન્ય રાજ્ય કરતા ગુજરાતમાં પરપ્રાંતિયોને રોજગારી અને રહેવા માટે સૌથી વધારે સુરક્ષિત વાતાવરણ હોવાનું નિવેદન આપ્યુ છે. સી.આર.પાટીલે કહ્યુ હતુ કે તેઓને કદાચ ખ્યાલ નહીં હોય પરંતુ સમગ્ર દેશમાંથી ગુજરાતમાં પરપ્રાતીંય લોકો વધુ છે .જેઓને અહીં રોટલો અને ઓટલો બન્ને મળી જાય છે. અહીં પરપ્રાતીય લોકોને સુરક્ષા પણ મળી રહે છે.
આટલું જ નહીં કૉંગ્રેસ પ્રભારી રઘુ શર્માના નિવેદન પર જીતુ વાઘાણીએ આકરી પ્રતિક્રિયા આપતા દેશની કૉંગ્રેસને સ્ટેન્ડ ક્લિયર કરવા કહ્યું છે. વાઘાણીએ કહ્યું કે કૉંગ્રેસ એ નક્કી કરે કે તે રઘુ શર્માના નિવેદનની સાથે છે કે નહીં? સાથે જ તેમણે કૉંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે- 2022ની ચૂંટણીમાં હાર ભાળી ગયેલી કૉંગ્રેસ ભાગલા પાડવાનું કામ કરી રહી છે.. હકીકતમાં તો પરપ્રાંતીયો ગુજરાતમાં સુરક્ષિત છે. પરપ્રાંતીયોને સૌથી વધુ રોજગારી ગુજરાતમાં મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે.માટે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે.ભાજપ અને કોગ્રેસ એકાબીજા પર પ્રહાર કરી રહ્યા છે.