આજે દેશના સમાજ સેવક અને ભારતીય જનસંઘના નેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી છે
રાજકોટ ખાતે સારા વરસાદના પગલે આજી -1 ડેમ પાણીથી છલોછલ થઈ ચૂક્યો છે
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા રાજકોટ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ પંડિત દિનદયાળ ઉપાધ્યાયની આજીડેમ ખાતે આવેલ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી
WatchGujarat. ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ હોમટાઉન રાજકોટની મુલાકાતે છે. ત્યારે આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિતે તે આજીડેમ ખાતે પહોંચ્યા હતા. અહીં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ સંપૂર્ણ ભરાયેલ આજીડેમ વિજય રૂપાણીએ નિહાળ્યો હતો. અને જણાવ્યું હતું કે, આજી ડેમ ઓવરફ્લો થતા રાજકોટને પાણીની સમસ્યા નહીં રહે, હાલ સૌની યોજનાનું 95% કામ પૂર્ણ થયું હોવાથી
સૌરાષ્ટ્રમાં પાણીનો દુષ્કાળ ભુતકાળ બન્યો છે
રાજકોટ ખાતે સારા વરસાદના પગલે આજી -1 ડેમ પાણીથી છલોછલ થઈ ચૂક્યો છે. ત્યારે આજે વિજય રૂપાણી, મહિલા ભાજપના આગેવાન અંજલીબેન રૂપાણી, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ અગ્રણી નિતિન ભારદ્વાજ સહિતના આગેવાનોએ આજીડેમની મુલાકાત લીધી હતી. અને નવા પાણીના પુષ્પ વડે વધામણાં પણ કર્યા હતા. આ તકે વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે સૌની યોજનાના નીર આજીડેમમાં પહોંચાડવામાં આવ્યા છે. જેને લઈને શહેરમાં પાણીની સમસ્યા ક્યારેય ઉભી થશે નહીં.
જનસંઘ-ભાજપ માટે દીનદયાળ ઉપાધ્યાયે આપેલું યોગદાન અમુલ્ય : વિજય રૂપાણી
આજે દેશના સમાજ સેવક અને ભારતીય જનસંઘના નેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી છે. ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા રાજકોટ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ પંડિત દિનદયાળ ઉપાધ્યાયની આજીડેમ ખાતે આવેલ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. આ તકેશહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતિન ભારદ્વાજ, મેયર ડોક્ટર પ્રદીપ ડવ, રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને તમામે પંડિત દીનદયાળજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન વિજય રૂપાણીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જનસંઘ અને ભાજપ માટેના યોગદાનને અમુલ્ય ગણાવ્યું હતું.
આજે દેશના સમાજ સેવક અને ભારતીય જનસંઘના નેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી છે
રાજકોટ ખાતે સારા વરસાદના પગલે આજી -1 ડેમ પાણીથી છલોછલ થઈ ચૂક્યો છે
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા રાજકોટ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ પંડિત દિનદયાળ ઉપાધ્યાયની આજીડેમ ખાતે આવેલ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી
WatchGujarat. ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ હોમટાઉન રાજકોટની મુલાકાતે છે. ત્યારે આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિતે તે આજીડેમ ખાતે પહોંચ્યા હતા. અહીં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ સંપૂર્ણ ભરાયેલ આજીડેમ વિજય રૂપાણીએ નિહાળ્યો હતો. અને જણાવ્યું હતું કે, આજી ડેમ ઓવરફ્લો થતા રાજકોટને પાણીની સમસ્યા નહીં રહે, હાલ સૌની યોજનાનું 95% કામ પૂર્ણ થયું હોવાથી
સૌરાષ્ટ્રમાં પાણીનો દુષ્કાળ ભુતકાળ બન્યો છે
રાજકોટ ખાતે સારા વરસાદના પગલે આજી -1 ડેમ પાણીથી છલોછલ થઈ ચૂક્યો છે. ત્યારે આજે વિજય રૂપાણી, મહિલા ભાજપના આગેવાન અંજલીબેન રૂપાણી, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ અગ્રણી નિતિન ભારદ્વાજ સહિતના આગેવાનોએ આજીડેમની મુલાકાત લીધી હતી. અને નવા પાણીના પુષ્પ વડે વધામણાં પણ કર્યા હતા. આ તકે વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે સૌની યોજનાના નીર આજીડેમમાં પહોંચાડવામાં આવ્યા છે. જેને લઈને શહેરમાં પાણીની સમસ્યા ક્યારેય ઉભી થશે નહીં.
જનસંઘ-ભાજપ માટે દીનદયાળ ઉપાધ્યાયે આપેલું યોગદાન અમુલ્ય : વિજય રૂપાણી
આજે દેશના સમાજ સેવક અને ભારતીય જનસંઘના નેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી છે. ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા રાજકોટ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ પંડિત દિનદયાળ ઉપાધ્યાયની આજીડેમ ખાતે આવેલ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. આ તકેશહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતિન ભારદ્વાજ, મેયર ડોક્ટર પ્રદીપ ડવ, રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને તમામે પંડિત દીનદયાળજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન વિજય રૂપાણીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જનસંઘ અને ભાજપ માટેના યોગદાનને અમુલ્ય ગણાવ્યું હતું.